Opinion Magazine
Number of visits: 9448796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આતંકવાદી હુમલા માટે ભારતના મુસ્લિમો જવાબદાર કે સરકાર? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|23 April 2025

હેમન્તકુમાર શાહ

(૧) જ્યારે પણ પાકિસ્તાનની ધરતી પરનાં આતંકવાદી જૂથો દ્વારા ભારતમાં આતંકવાદી હુમલા થાય છે ત્યારે ભારતના મુસ્લિમો પર હિન્દુઓ દ્વારા દોષારોપણ કરવાની એક હિન્દુત્વવાદી ફેશન થઈ પડી છે. 

(૨) આતંકવાદી હુમલા સાથે ભારતના મુસ્લિમોને કશો સંબંધ હોતો નથી, સિવાય કે તેમણે તેમાં કોઈ પણ રીતે સાથ આપ્યો હોય, અથવા તો તેઓ પોતે હુમલા કરતા હોય, અથવા તેઓ પોતે આતંકવાદી જૂથો સાથે ભળેલા હોય. 

(૩) આતંકવાદી હુમલા સામે રક્ષણ કેવી રીતે મળે? એ હુમલા કરનારાને પકડવામાં આવે અને કાયદા મુજબ સજા થાય તેમને. એ જવાબદારી સરકારની નહીં? 

(૪) પુલવામા હોય કે પહેલગામ, સવાલ એ છે કે જો પાકિસ્તાનથી આતંકીઓ આવ્યા હોય તો સરહદે આપણું લશ્કર શું કરે છે? સરહદથી ૫૦-૬૦ કિલોમિટર ભારતમાં અંદર આવે કેવી રીતે આતંકીઓ? ભારતના આશરે ૧૩ લાખના લશ્કરમાંથી લગભગ પાંચ લાખનું લશ્કર માત્ર જમ્મુ અને કાશ્મીરમાં છે એ યાદ રાખવું જોઈએ. 

(૫) સરહદે તારની વાડ બનાવાઈ જેવી સલામતીની જાતજાતની જડબેસલાખ વ્યવસ્થા છતાં ઘૂસણખોરી થાય તો એ વ્યવસ્થા કેવી પોલી કહેવાય!  

(૬) સરહદે થતી ઘૂસણખોરી લશ્કર અને ગુપ્તચર ખાતાની એ નિષ્ફળતા કહેવાય કે નહીં? એ બંને એટલે અત્યારે મોદી સરકાર, એટલે એ સરકારની નિષ્ફળતા કહેવાય કે નહીં? યાદ રહે કે, ૨૦૦૧માં અમેરિકા પર અલ કાયદા દ્વારા હુમલા થયા બાદ એક પણ આતંકવાદી હુમલો થયો નથી ત્યાં. 

(૭) આ વર્ષના બજેટમાં ₹ ૬.૮૧ લાખ કરોડનું બજેટ સંરક્ષણ માટે છે. આટલા જંગી ખર્ચ છતાં સલામતીની ખાતરી શું? આ પૈસા તો લોકોના જ છે ને! આતંકવાદી હુમલાના લાંબા ઇતિહાસ પછી પણ સરકારો એ રોકવામાં નિષ્ફળ કેમ જાય છે? આ સવાલ પૂછવાનો નાગરિકો તરીકે આપણને સૌને અધિકાર છે. કારણ કે, આંતરિક અને બાહ્ય સલામતી એ રાજ્યનું સૌ પ્રથમ કાર્ય છે. 

(૮) ભારતમાંનાં તમામ મુસ્લિમ સંગઠનોએ આતંકવાદી હુમલાને વખોડવા માટે જાહેરમાં આગળ આવવું જ જોઈએ. તો જ હિન્દુત્વવાદી સંગઠનો જે ખોટો પ્રચાર કરે છે એને ટેકો ન મળે. 

(૯) પાકિસ્તાન સાથે આતંકવાદી સંગઠનોની બાબતમાં શું કરવું જોઈએ એ સરકારે નવેસરથી વિચારવાની જરૂર છે. છપ્પનની છાતી ત્યાં પણ દેખાડવાની જરૂર ના કહેવાય? 

(૧૦) આતંકવાદી હુમલા એ મૂળભૂત રીતે કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે તેમ જ રાજકીય પ્રશ્ન પણ છે. બંને રીતે તેનો ઉકેલ યોગ્ય ઠરે, દેશના મુસ્લિમોને તેને માટે વગર કારણે દોષી ઠેરવ્યા વિના. 

અને હા,

(૧૧) ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ નોટબંદી જાહેર થયેલી ત્યારે નરેન્દ્ર મોદીએ કહેલું કે તેનાથી આતંકવાદ ખતમ થઈ જશે. આઠ વર્ષ થઈ ગયાં, ખતમ થયો આતંકવાદ? ૨૦૧૬થી અત્યાર સુધીમાં મોટા ૧૯ આતંકવાદી હુમલા થયા છે. 

તા.૨૩-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 April 2025 Vipool Kalyani
← ગાંધીજીની પ્રસ્તુતતા
શિક્ષણથી સમાજસુધારા સુધીનું ખેડાણ કરનારા મહાત્મા જ્યોતિરાવ ફુલે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved