Opinion Magazine
Number of visits: 9446503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહિત્યક્ષેત્રે સરકારની ‘મનમાની’ કેટલી વાજબી !

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|18 May 2015

અકાદમી પ્રકરણ : ભાઈ, બુઝુર્ગ ઉમાશંકર જોશી અને મનુભાઈ પંચોળી ‘દર્શક’ને જ નહીં, પણ આજના યુવા કવિઓને પણ ‘તકલીફ’ છે

ભૂકંપને આંચકે ટેવાઈ ગયેલા ગુજરાતી સાહિત્યજગતમાં સંવેદનાનો સિસ્મોગ્રાફ હશે કે કેમ એવું કેટલીક વાર પૂછવામાં આવે છે. પણ ગુરુવારની સાંજનો એક વણગાયો, વણજાહેર ઘટનાક્રમ લક્ષમાં લઈએ તો, બને કે, સૂચિત સિસ્મોગ્રાફ સબબ સકારાત્મક આશાઅપેક્ષા ઘુંટાય. બન્યું એવું કે ગુજરાતી સાહિત્ય અકાદમીએ અમદાવાદમાં એક યુવા કવિ સંમેલન યોજ્યું હતું. પરબારી અધ્યક્ષનિયુક્તિ સાથે અકાદમીના સરકારી તેવર એકદમ જ હાથમાંનાં આંબળાં પેઠે ચક્ષુપ્રત્યક્ષ થઈ ગયા અને કંઈક અવાજ સંભળાવા લાગ્યો તે પછીનું આ પહેલું જાહેર આયોજન હતું. ઠીક ઠીક પુરસ્કાર સાથે યુવા મિત્રોને બોટી લેવાની ગણતરીથી યોજાયેલા આ કવિ સંમેલન બાબતે અધ્યક્ષ અને યોજકોને કદાચ એક મૃદુ આંચકા વાસ્તે તૈયાર રહેવું પડશે, એવો અંદાજ નયે હોય. પણ જેમનાં નામ વિધિવત્ જાહેર કરાયાં હતાં તે પૈકીના અરધોઅરધ યુવા કવિઓએ પુરસ્કારકામિની અને પ્રસિદ્ધિની પરવા વગર આ આયોજનથી વેગળા રહેવું પસંદ કર્યું.

ગુરુવારે ઢળતી સાંજે જોગાનુજોગ એક બીજી વાત પણ બની રહી હતી : કવિ ઉમાશંકર જોશીનો જાન્યુઆરી 1986નો એ ઐતિહાસિક પત્ર વેબવિહારે ચઢ્યો હતો, જેમાં એમણે સરકારી અકાદમીનું સન્માન સ્વીકારવાનો સવિનય અસ્વીકાર કરી સ્વાયત્ત અકાદમી માટેનો અભિલાપ દોહરાવ્યો હતો. તે વખતની સરકારી સાહિત્ય અકાદમીએ ‘સારસ્વત સન્માન’ સારુ એમને પૂછયું ત્યારે આ કવિએ અસંદિગ્ધ શબ્દોમાં લખ્યું હતું કે, ‘સન્માન સ્વીકારવા અંગે તકલીફ છે’. રાષ્ટ્રીય સ્તરે જવાહરલાલ નેહરુ અને રાધાકૃષ્ણન્ સરખી પ્રતિભાઓની પહેલ અને સહભાગિતાથી બની આવેલી સાહિત્ય અકાદમીમાં ચૂંટાયેલા પ્રમુખની ગૌરવભરી પ્રણાલિની એમણે આ સંદર્ભમાં યાદ પણ આપી હતી અને ઉમેર્યું હતું કે, ‘બિનલોકશાહી સંસ્થા દ્વારા થતું સન્માન પ્રજાકીય સ્વરૂપનું રહેતું ન હોઈ તેનો સ્વીકાર કરવાનું શક્ય નથી.’ વધુમાં આશા પણ વ્યક્ત કરી હતી કે ગુજરાતી સાહિત્ય અકાદમી સરકારી ખાતાના ભાગ જેવી ન રહેતાં ‘રાષ્ટ્રીય અકાદમીના ધોરણે ત્વરાથી પુનર્ગઠિત થશે અને … સંસ્કાર સંસ્થાઓની લોકશાહી પરંપરાઓ પર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા, રાજકીય આક્રમણનો સવેળા અંત આવશે.’

એક પા પૂર્વ નિમંત્રિત યુવા કવિઓ પૈકીના અરધોઅરધની ગેરહાજરી આપણા પ્રજાકીય સંસ્કારજીવનમાં કોઈક પ્રકારે પ્રેરક હાજરી જેવી વરતાય છે, તો બીજી પા ઉમાશંકરે જે આક્રમણનો સવેળા અંત આવશે એવી ઉમેદ પ્રગટ કરી હતી તે આક્રમણ આગે બઢી રહ્યાનો ખયાલ અવસાદ જગવે છે. આ અવસાદ વધુ ઘેરાતો એ વાતે અનુભવાય છે કે સરકારી અકાદમીમાંથી સ્વાયત્ત અકાદમી એક વાર હાંસલ કર્યા પછી, પાછા પડવાની નોબત આવી છે, અને ઓછા પડવાની નોબત આવી છે. મુદ્દે, ઉમાશંકરે સ્વાયત્તતાનું જે જાહેરનામું બુલંદપણે બહાર પાડ્યું હતું તેને એમના ગયા પછી મનુભાઈ પંચોળી – દર્શકે ખાસી ગતિ અને ચાલના આપી. સરકારે દર્શકના નેતૃત્વમાં પાર પડાયેલ લોકશાહી બંધારણનો સ્વીકાર કર્યો, વિધાનસભામાં પોતે અકાદમીની સ્વાયત્તતા બાબતે પ્રતિબદ્ધ હોવાની ખોળાધરી આપી અને એ ધોરણે ખાતાકીય ઠરાવ વાટે નવા બંધારણને અમલી જામો પહેરાવ્યો.

દર્શકના ચૂંટાયેલ, રિપીટ, ચૂંટાયેલ પ્રમુખપદ હેઠળ અકાદમીનું કાર્યરત બનવું તે ઉમાશંકરના શબ્દોમાં ‘સંસ્કારસંસ્થાઓની લોકશાહી પરંપરાઓ પર ઉત્તરોત્તર કેટલાક સમયથી થઈ રહેલા રાજકીય આક્રમણનો સવેળા અંત’ આવે તે દિશામાં ખસૂસ મહત્ત્વનું પગલું હતું. પણ દર્શકના અને ભોળાભાઈ પટેલના બે લોકશાહી કાર્યકાળ પછી સરકારે અકાદમીમાં ચૂંટણી સહિતની રચના પ્રક્રિયાને ગજવે ઘાલવાપણું જોયું, અને દાયકા કરતાં યે વધુ વરસોથી તે સરકાર તાબેનો ઈલાકો કે સરકારી ખાતા હસ્તકની કામગીરી માત્ર બની રહી છે. આખું મંડળ રચાય અને એમાંથી અધ્યક્ષ ચૂંટાય એ વાત હવે ભુલાઈ ગઈ અને તાજેતરમાં તો નિયુક્ત અધ્યક્ષ પણ આવી પડ્યા ! આ ઘટના વળાંક, આપણા એકના એક જયન્તિ દલાલને સાચા પાડે એવો છે કે અકાદમી એટલે શું – એક આદમી, બાકી બધા ડમી!

‘કુમાર’ અને ‘કવિલોક’ના તંત્રી ધીરુ પરીખે તો એ હદે કહી નાખ્યું છે કે ‘સ્વાયત્ત નથી એવી અકાદમીનાં માન-અકરામ અને સહાયનો જ્યાં સુધી લેખકો બહિષ્કાર નહીં કરે ત્યાં સુધી અકાદમીની સ્વાયત્તતા માટેનાં આંદોલનમાં પ્રાણ નહીં ફૂંકાય.’ માત્ર વિવિધ સાહિત્યની જ નહીં સંગીતનૃત્યનાટ્ય, લલિતકલા અકાદમીઓને યે સ્વાયત્તતાનો અવાજ નાટ્યવિદ હસમુખ બારાડીએ ઉઠાવ્યો છે. દર્શકની ‘દીપનિર્વાણ’ નવલકથામાંથી તક્ષશિલાના પ્રવેશદ્વાર પરનાં એ મતલબનાં વચનો સાંભરે છે કે, ‘રાજન્, સરસ્વતીના આ મંદિરમાં તારાં આયુધ અને અલંકાર બહાર મૂકીને પ્રવેશજે ..’. ગમે તેમ પણ, દર્શક શતાબ્દી આસપાસના કોલાહલ વચ્ચે એક મૂંગો પણ ભરીબંદૂક અંજલિબોલ તો રમેશ ર. દવેના પત્રના નામે જમે બોલશે કે, સરકારી અકાદમી હસ્તકની ‘દર્શકની સાહિત્યસૃષ્ટિ’ એ આખી ગ્રંથાવલીના સંપાદક તરીકે હું મુક્ત થાઉં છું.

અંતિમ શબ્દ, ખરે જ !

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 16 મે 2015

Loading

18 May 2015 admin
← રિવર ફ્રન્ટ અને નદીને જીવંત કરવા વચ્ચે ફરક છે
પપેટ પોલિટિક્સ બનામ પૂર્ણ સ્વાયત્તતા અને લોકતંત્ર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved