Opinion Magazine
Number of visits: 9449462
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિવાળીનો आकाशकंदील 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 November 2023

દિવાળીનો આકાશકંદીલ એ ત્રેપન વર્ષથી અમદાવાદમાં રહેતા અમારા ભાવે પરિવારને મહારાષ્ટ્રમાંથી મળેલો સુંદર વારસો છે.

આ આકાશકંદીલ અમદાવાદમાં વસતા અમ ત્રણ ભાઈઓ – સંદીપ, સુનીલ અને સંજય – પોતપોતાના ઘરે જાતે બનાવીને લગાવીએ છીએ. कंदील એ મરાઠી શબ્દનો અર્થ થાય છે ફાનસ અથવા દીવો.

અમને આ વારસો અમારા પિતા શ્રીપાદ માધવ ભાવે, જેમને અમે ‘ભાઉ’ કહેતા તેમની પાસેથી મળ્યો છે. આકાશકંદીલ બનાવીને લગાવવામાં અમારી દિવાળીની સાર્થકતા હોય  છે.

વાંસની સળકડીઓ, સૂતરની દોરી (કે પતંગનો માંજો), પતંગના કાગળ અને ચોંટાડવા માટે ઘંઉના લોટની ‘લઇ’ – આટલી જ સામગ્રીમાંથી બનતું આ સુશોભન સંપૂર્ણપણે હાથથી બનાવેલું અને eco-friendly હોય છે.

તે મુંબઈ જેવા મહાનગર સહિત મહારાષ્ટ્રમાં બધે જ જોવા મળે છે. ઘણાં લોકો તે તૈયાર પણ લાવે છે. મહારાષ્ટ્રમાં વાચનસમૃદ્ધ મરાઠી દિવાળી અંકોની જેમ જાતભાતનાં આકાશકંદીલનું પણ બહુ મોટું ચલણ છે.

આકાશકંદીલ બનાવવાના બે-ત્રણ દિવસ અમારા માટે તે બનાવવાનો આનંદના હોય છે. પણ તેમાં તે મોડામાં મોડો ધનતેરસ પર સરસ રીતે બનાવીને મૂકાશે કે નહીં એના કંઈક તણાવ પણ હોય છે.

આકાશકંદીલ બનાવવાની એક ચોક્કસ રીત અને સમયપત્રક હોય જે જાળવવાં પડે છે. આકાશકંદીલ બનવવાનું શરૂ કરો એટલે તે પૂરો કરીને, ઘરની બહાર લટકાવીને અંદર દીવો  પ્રગટાવ્યે જ છુટકો.

આકાશકંદીલ સાથે ઉછેરનાં વર્ષો, તબક્કા અને અલબત્ત યાદો જોડાયેલાં છે.

આ મનગમતું કામ અમને દર વર્ષે એક વાર કેટલી ય વસ્તુઓ/પ્રવૃત્તિઓ સાથે જોડે છે – વાંસ, છરી, દોરા, કાતર, કાગળ, ફૂટપટ્ટી, નકશીકામની કોતરણી, જાતે બાફીને બનાવેલી ‘લઈ’ (જે અમને ગુંદર કે ફેવિસ્ટિક કરતાં ય વધુ વહાલી લાગે છે), સીડી, વાયર, બલ્બ, પલાંઠી વાળીને બેસવું, ગાંઠો વાળવી, બાળપણ, બાપુજી, બા, કાકા, ફોઈ, માસી, ડહેલું ….

પૂના-મુંબઈના અમારા પિતરાઈઓ અત્યારે ભલે કૉર્પોર્રેટમાં હોય કે આઈ.ટી.માં, ફૅક્ટરીમાં હોય કે બાંધકામમાં, સમય કાઢીને ખસૂસ જાતે આકાશકંદીલ બનાવે છે, એ નહીં તો ઘરનાં બહેનો બનાવે છે. ગ્રુપમાં તેના ફોટા મૂકે છે. એમનાં પપ્પા-મમ્મીઓને મેં મારા નાનપણમાં આકાશકંદીલ બનાવતાં જોયાં છે.

અમારા ભાઉ સ્વયંમેવ પ્રતિભાવાન અને સ્વશિક્ષિત-સ્વદિક્ષીત મિકૅનિકલ અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર હતા. ‘ઇસરો’ના એક મહત્ત્વના વિભાગના મૅનેજર તરીકે નિવૃત્ત થયા. મેં જોયેલા અત્યંત બૂદ્ધિશાળી, ખૂબ ઊંચો બૂદ્ધિઆંક IQ ધરાવનાર વ્યક્તિઓમાં એક હતા. મારા નાનપણમાં એ આકાશકંદીલ બનાવતા. ક્યારેક વધારામાં નાતાલમાં હોય છે તેવો એક તારો પણ બનાવતા.

ત્યાર બાદ હું કંદીલ બનાવતો થયો. પછીનાં વર્ષોમાં એ આનંદ મારા બંને ભાઈઓએ એક પછી એક માણ્યો. અમે ત્રણેય નોકરીઓ વગેરેમાં વ્યસ્ત રહેવા લાગ્યા, અને ભાઉ નિવૃત્ત થયા એટલે ફરી પાછા એ બનાવતા. થોડાંક વર્ષ બાદ તેમને ઉંમરને કારણે મુશ્કેલી પડવા લાગી. એટલે મેં  બનાવવાનું શરૂ કર્યું.

ભાઈઓનાં પોતાનાં ઘર થયાં એટલે હવે તેઓ એમના ઘરે બનાવે છે. પણ અમારા ‘ભાઉ’ના કામમાં હતાં તેટલાં ચોકસાઈ અને finishing અમારામાં નથી આવતાં. પણ ત્રણેય માટેના કાગળ વચેટ સુનીલ ગાંધી રોડ પરની જૂમા મસ્જિદેથી લઈ આવે છે.

વચ્ચે ત્રણેક વર્ષ મુશ્કેલીના ગયા. આકાશકંદીલ ન બની શક્યો. ગયા વર્ષ હું બનાવવા બેઠો, પણ કોણ જાણે કેમ પણ સળકડીઓનું માળખું ધાય જ નહીં. મારી તો ઊંઘ ઊડી ગઈ. આવું તે કેમ થાય ? વર્ષાભાભી અને સુનીલે અરધી રાત સુધી મદદ કરી પછી બધું પાર ઊતર્યું.

આકાશકંદીલ બને એટલી ચીવટથી બનાવીને લગાવી દીધા પછી રાત્રે તેને ઉજાસતો જોવાનું મને બહુ ગમે છે. મારી પાસે જે કંઈ ચપટીક કસબ, મૂઠીભર મુગ્ધતા અને જિંદગી માટેનો થેલાભર ઉમંગ છે તે મને એ આકાશમાં લટકતા દીવામાં દેખાય છે. મને ખૂબ આનંદ અને સંતોષ મળે છે.

અમારાં મમ્મી જેને અમે ‘આઈ’ કહેતા તેમને આકાશકંદીલ બહુ ગમતો. એ તો ગોવત્સ દ્વાદશીએ, મરાઠીમાં વસુબારસે, આકાશકંદીલ બની જાય એવું ઇચ્છતાં. ભાઉ એ દિવસ જાળવતા. અમે બનાવતા ત્યારે મોટે ભાગે ધનતેરસ કે ક્વચિત કાળી ચૌદસ પણ આવી જતી.

આકાશકંદીલ જોયા બાદ અમારી આઈના ચહેરા પર જે અજવાસ ફેલાતો એ જાણે દિવાળીના કોડિયાનો ઉજાસ ! અને તેના મોંમાંથી જે શબ્દો નીકળતા તેના માટે જ કદાચ આજે ય મારા હાથે આકાશકંદીલ બની જાય છે. દર વર્ષે આકાશકંદીલ બન્યા બાદ હરખના આંસુ સાથે આઈ કહેતી – शाब्बास रे माझ्या बाळा !’ 

12 નવેમ્બર 2023, દિવાળી
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

13 November 2023 Vipool Kalyani
← ચોમેર ઝળહળાટ હોવા છતાં આપણે દિવાળીએ દીવા પ્રગટાવીએ છીએ …
‘મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી?’ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved