Opinion Magazine
Number of visits: 9446514
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અશ્રુઘારા

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|13 September 2023

પ્રીતમ લખલાણી

ઉષાની ચિતાને રાહુલે અગ્નિદાહ દીઘો. થોડી જ વારમાં ચિતા ભડભડ બળવા માંડી. આ જોઈ રાહુલે રજનીકુમારને કહ્યું, “પપ્પા, મમ્મી લાકડા પર ચઢીને સૂઈ ગઈ. એટલે આપણે તેને બાળી મૂકી.” ઈશ્વર સમા નિર્દોષ રાહુલનાં વેણ રજનીકુમારના કાને પડતાં છાતીમાં ક્યારનાં ય ધરબાઈને બેઠેલાં બે આંસુ રજનીકુમારની આંખેથી દડી ગાલ પર રેલાણાં. ઘોતિયાના છેડે આંસુ લૂછતાં રજનીકુમારે દીકરા રાહુલને માથે પ્રેમભર્યો હાથ ફેરવી પોતાની નજદીક લઈ જઈ માની ભડભડ બળતી ચિતાને જોઈ કચવાતા મને સ્મશાનમાં ડાઘુનાં ટોળા વચ્ચે ઊભેલા પુત્રને છાતી સરસો ચાંપ્યો.

પપ્પાની આંખમાં આંસુ જોઈ રાહુલથી બોલાઈ જવાયું, “પપ્પા, તમે કેમ રડો છો? શું તમને પિપરમિન્ટ જોઈએ છે? લ્યો આ પિપરમિન્ટ” એમ કહી તેને ખમીશના ઉપલા ખિસ્સામાંથી બે લાલપીળી પિપરમિન્ટ કાઢી, પપ્પાની હથેળીમાં મૂકી. તે ભોળા, નાદાન દીકરાના માથે ફરી વ્હાલ ભર્યો હાથ ફેરવતાં, મનમાં વિચારતા, અરે! દીકરા બિચારાને કયાં ખબર છે કે તેની મમ્મી, મૃત્યુ પામી છે. દુઃખી મને રજનીકુમારે કહ્યું, “બેટા, તું ઘરે જઈને આ પિપરમિન્ટને ખાઈ જજે. હમણાં તું પાછી ખિસ્સામાં મૂકી દે.”

સ્મશાનના એક ખૂણામાં ડાઘુના નાનકડાં ટોળામાં ઊભેલા મનસુખલાલે બીડી સળગાવતાં રતિલાલને કહ્યું, “રતિલાલ, તમે મારી વાત માનો કે ન માનો, પણ આ ઉષા તો ખરેખર ભાગ્યલક્ષ્મી હતી. ઉષાના આગમને જ આ રજનીકુમારના જીવનમાં રંગીન પ્રભાત ઊઘડ્યું હતું. નહીંતર તમને કયાં ખબર નથી? આ રજની મહાભદ્રકાળિ પાસે એક નાનકડી રેંકડીમાં કટલેરીનો પરચૂરણ સામાન લઈને બિચારો ફેરી કરતો હતો. રજનીનો બાપ સાતઆઠ વર્ષના નાના ત્રણ ભાઈઓ અને પરણાવવા જેવડી ચાર કુંવારી બહેનોને રજનીને વારસામાં આપીને પરલોક સિઘાવ્યો હતો. આ રજની દિવસ આખો ફેરી કરીને લોથ થઈ જતો હતો ત્યારે ઘરમાં આઠનવ માણ્સનો ચૂલો સાંજે માંડ સળગતો હતો.”

રતિલાલે મનસુખલાલની વાતમાં ટાપસી પુરાવતાં કહ્યું, “ભાઈ મનસુખલાલ, તમારી વાત બિલકુલ સોળ આના સાચી છે. ખરેખર આ રજનીને શહેરના નામાંકિત રજનીકુમાર કરવામાં દીકરી, ઉષાનો ફાળો ઘણો મોટો છે. આ બાબતમાં આપણે કોઈ કાળે ના ન કહી શકીએ. લ્યો, તમે જ કહો! રજનીકુમારને બે પાંદડે કરવા ભલા ઉષાએ શું નથી કર્યું? આ ગાંડાઘેલા દીકરાને અડોશપડોશમાં મૂકી મિલમાં રાતપાળી કરીને જાતને ઘસી નાખી. તો દીકરાને કેડે તેડી બળબળતી બપોરે રજની સાથે રેંકડી ફેરવી. લોહીપસીનો એક કરી મહાભદ્રકાળી પાસે જ એક નાનો સરખો બાંકડો વસાવ્યો. આ પછીનો રજનીનો ઇતિહાસ કયાં આપણી આંખ સામે નથી? ઉષાની સખત મહેનત અને કરકસર સાથે રજનીની આવડતે એકદોઢ દાયકા જેવા ટૂંકા સમયમાં રજનીને શહેરના ઉઘોગપતિ રજનીકુમાર કરી દીઘા. આજે વર્તમાનમાં રજનીકુમાર જે કંઈ છે તે ખરેખર ઉષાના ભાગ્યને કારણે જ છે. જો એમ આપણે કહીએ તો મારી દૃષ્ટિએ કયાં ય કોઈ અતિશયોકિત નથી.” 

“ભાઈ રતિલાલ, તમારી વાત સાચી છે. જુઓ તો, ઉષાની જિંદગીની જેમ તેની ચિતા કેવી ભડભડ બળી રહી છે. અરે અરે હરિ, હમણાં બિચારી હતી ન હતી થઈ જશે. બાઈ તો ખરેખર દેવી જેવી હતી. મેં તેને આજની તારીખમાં કયારે ય રડતી કે ચિંતાતુર હૈયે જોઈ નથી. બસ સદા એનું એ જ હસતું ફૂલ જેવું મુખડું.” આંખે આવેલાં ઝળઝળિયાં લૂછતાં મનસુખલાલે એક નિસાસો નાખતાં વાતને આગળ ચલાવી. “બિચારીને જિંદગીમાં કોઈ દિવસ કયારે ય બે ઘડી પગ વાળીને નિરાંતે બેસવા ન મળ્યું. રજનીકુમાર અને ઉષાના ઘેર લગભગ એકાદ દાયકા બાદ પારણું બંઘાણું. બંનેએ કેટલાં દેવદેવીની પૂજા-માનતા રાખી હતી. પથ્થર એટલા દેવ પૂજ્યા. આપણે કોઈ કાળે માની ન શકીએ એટલી બાઘઆખડી રાખી ત્યારે ઉષાના ખોળે આ દીકરો રાહુલ જન્મ્યો!”

“અરે, ભલા, ઈશ્વર પણ કેવો છે! રજનીકુમાર અને ઉષાને ત્યાં કેટલાં વરસો પછી ખોળે એક દીકરો દીઘો અને તે પણ આ રિટાર્ડેડ, મંદમુદ્ઘિનો. બિચારો આ છોકરો આજે ત્રીસ-બત્રીસ વર્ષનો થયો પણ બુદ્ઘિમાં તો હજુ પાંચ-છ વર્ષના નાદાન ભોળા બાળક જેવો જ છે.”

“એ બિચારા નાદાનને સ્વપ્ને પણ કયાં ખબર છે મા સ્વર્ગે સિઘાવી છે. બસ એ તો એની મસ્તીમાં. જુઓ તો ખરા રજનીકુમારના ઘોતિયાનો છેડો ઝાલી, બળતી ચિતાને નીરખતો. મોઢામાં મજેથી ખાટીમીઠી પિપરમિન્ટ ચગળી રહ્યો છે.”

મનસુખલાલ, મને તો આ છોકરાની દયા આવે છે. ઉષા વિના બિચારાનું હવે શું થશે? મા, જીવતી હતી તો બિચારાને આજ લગી કંઈ ખબર પડી નથી. રજનીકુમાર તો રાતદિવસ ઘંઘામાં રચ્યાપચ્યા રહે છે. તેને શું ખબર હોય કે ઉષાએ આ મંદબુદ્ઘિના દીકરાને બત્રીસ વર્ષનો કરવા જિંદગીમાં કેટલું સહન કર્યું છે.”

“રતિલાલ, હશે! અરે! એનો પણ ભગવાન હશે ને. ભલા આપણે બીજું તો શું કરી શકીએ? ઈશ્વર ઉષાના આત્માને શાંતિ અર્પે અને રાહુલ તેમ જ રજનીકુમારને માથે પડેલા આ દુઃખને સહન કરવાની શકિત આપે. આપણે તેમને આશ્વાસનના બે બોલથી વિશેષ બીજી તો શું મદદ કરી શકીએ? જો કે રજનીકુમારને પૈસેટકે કોઈ ચિંતા નથી. તેઓ રાહુલની તેનાતમાં બેપાંચ નોકરને ગોઠવી દેશે. પછી તો ભલા ઈશ્વરને ખબર!”

“રતિલાલ, તમારી વાત મને અત્યારના સંજોગોમાં સાચી લાગે છે. હમણાં બેચાર મહિના તો ઉષાના પિયરિયાં અને રજનીકુમારનાં ભાઈબહેનો રાહુલની કાળજી લેશે. ત્યાં લગી તો રજનીકુમાર રાહુલ માટે કંઈ નવો રસ્તો શોઘી કાઢશે. રજનીકુમાર પૈસેટકે સુખી છે એટલે રાહુલને કોઈ દુઃખ પડવા નહીં દે. પણ ભલા દીકરાને માની ખોટ તો આજે નહીં તો કાલે અચૂક લાગશે! આપણામાં પેલી કહેવત છે ને કે, મા તે મા, બાકી બઘા વનવગડાના વા.”

********

હમણાં થોડા વખત પહેલાં જ ઉષાની સાતમી પુણ્યતિથિ આવીને દર વરસની જેમ જતી રહી. દીકર રાહુલને માની ખોટ વરતાય નહીં એટલે છેલ્લા પાંચ-છ વર્ષમાં રજનીકુમારે ઘંઘાની પછેડી સંકેલી લીઘી હતી. પોતાનો મોટા ભાગનો સમય રાહુલની કાળજી લેવામાં વીતાવતા હતા.

આજે ઢળતી સાંજે રજનીકુમાર રોજની માફક ડ્રોઈંગરૂમમાં આરામખુરશી પર આંખે ચશ્માં ચઢાવી નિરાંતે ભીંત પર હારતોરા વચ્ચે ઝૂલતી ઉષાની છબીને નિહાળતા ભૂતકાળના સ્મરણમાં ખોવાઈ ગયા હતા. સાંજના ઝાંખાપાંખા અજવાસમાં આંગણાંમાં એકલા એકલા ભમરડે રમતા રાહુલને કાને થોડે દૂરના શિવાલયના ઘંટનો રણકાર પડયો. ખબર નહીં, એને શું થયું મનમાં? ભલા એ તો ઈશ્વરને ખબર! તેણે હાથના ભમરડા અને દોરીનો એક કોર ઘા કરી, હડી કાઢતો તે ઘરમાં દોડી આવ્યો. ક્યારના આરામખુરશીમાં બેઠા બેઠા ઉષાની છબીમાં અને ભૂતકાળના સ્મરણમાં ડૂબી ગયેલા રજનીકુમારને જગાડતાં કહ્યું, “પપ્પા, પપ્પા ચાલો આપણે પેલા ઘંટ વાગે છે તે મંદિરે આજે જઈએ.” આ પ્રમાણે કહેતાં, તેણે ખુશીમાં આરામખુરશીમાં બેઠેલા રજનીકુમારનો હાથ ઝાલીને સાથે મંદિરે જવા ઊભા કરી દીઘા.

દીકરા સામે હસતા હસતા, આરામખુરશીમાંથી  ઊભા થતા રજનીકુમાર મનોમન બોલ્યા, “અરે! બેટા! હવે મને એ ઈશ્વરમાં કયાં કોઈ શ્ર્દ્ઘા-વિશ્વાસ રહ્યો છે. જો એ ખરેખર ઈશ્વર હોય તો શું તારા જેવા ભોળા, નાદાનને આમ એકલો નિરાઘાર મૂકી, એ તારી માને પહેલાં જ હાર્ટએટેકમાં પોતાની પાસે બોલવી લેત?”

ભોળા, નાદાન દીકરાએ મંદિર જવાની ખુશીમાં થોડેક દૂર દરવાજાના એક ખૂણામાં પડેલા તેમના ચંપલ લાવી પપ્પાના પગમાં પહેરાવી દીઘાં. જલદી જલદી બાજુમાં પડેલ લાકડી લાવી પપ્પાના એક હાથમાં પકડાવી. પપ્પાનો બીજો હાથ પકડી, પપ્પાને કહ્યું, “પપ્પાજી, હવે તમે જલદી કરો. હમણાં મંદિરે જો આરતી પતી જશે તો? પૂજારી બઘાને પ્રસાદ આપી, મંદિર બંઘ કરીને ઘરે જતો રહેશે તો, મને પછી પ્રસાદ નહી મલે!”

કોઈ દિવસ નહીં અને આજે દીકરો આટલા વહાલથી તેમને મંદિરે લઈ જવા આગ્રહ કરી રહ્યો છે તે જોઈને, ઈશ્વરમાંથી શ્રદ્ઘા ખોઈ બેઠેલા રજનીકુમારે રાહુલનો હાથ ઝાલી મંદિર તરફ ચાલવા માંડયું.

********

શિવાલયના આંગણામાં ભકતોની મોટી ભીડ જોઈ રજનીકુમારને એકાએક ખ્યાલ આવી ગયો કે આજે તો મહાશિવરાત્રી છે. રજનીકુમારને ઉષાના મૃત્યુ બાદ જીવનમાં તહેવારનું ખાસ કોઈ મહત્ત્વ રહ્યું ન હતું. તેમને મન શું દિવાળી? અને શું હોળી? બારેમાસ સરખા જ હતા. ઉષા જીવતી હતી ત્યારે જીવનનો પ્રત્યેક દિવસ તેમને મન એક ઉત્સવ હતો.

રાહુલના જન્મ પહેલાં, રોજ સવારે મહાભદ્રકાળીના બાંકડે જતાં પહેલાં ઉષા અને રજનીકુમાર આ એ જ શિવાલય છે જ્યાં તેઓ માથું ટેકવીને શુભ દિવસની શરૂઆત કરતાં હતાં. વરસો બાદ આજે શિવાલયના શિવલિંગની સામે બે હાથ જોડી બંઘ આંખે ઊભેલા રજનીકુમારને ક્ષણ માટે શિવલિંગ પર જળનો અભિષેક કરતી ઉષા નજરે ચઢી. ઉષાનાં સ્મરણમાં ડૂબી ગયેલા રજનીકુમારને શિવલિંગમાં મસ્ત થઈ ગયેલ આંખોને ખોલવાનું મન થતું ન હતું. બરાબર એ જ વખતે શિવાલયના પૂજારીએ ઘંટનાદના રણકાર તેમ જ હરહર મહાદેવના ઘોષનાદ વચ્ચે કપૂરની મહેકતી આરતીને ભકતો સમક્ષ લાવતાં હાક મારીને કહ્યું, “અરે હે શિવભકતો, તમે મારી એક વાત જરા ઘ્યાનથી સાંભળી લ્યો. આજના આ શુભ દિવસે જે કોઈ શ્રદ્ઘા, ભકિતથી શિવલિંગ પર બીલીપત્ર સાથે શીતળ જળનો અભિષેક કરશે તેની મનોકામના આ ભોળાનાથ આશુતોષ જલદીથી પરિપૂર્ણ કરશે! માટે શિવભકતો! જીવનની આ રળિયામણી પળને શિવચરણમાં અર્પિત કરીને તમે ઘન્ય બની જાઓ!”

આંખો બંઘ કરીને શિવભકિતમાં લીન થઈ ગયેલા રજનીકુમારની આંખોથી શ્રાવણ ભાદરવાના વરસતા આભ સમી અશ્રુઘારા વહેવા માંડી. પ્રસાદની રાહ જોઈ, પૂજારી સમક્ષ ક્યારનો હાથ લંબાવીને ઊભેલા રાહુલની નજર એકાએક શિવલિંગ તેમ જ રજનીકુમાર પર પડી. પપ્પાની આંખેથી અનરાઘાર આંસુ દડી જતાં જોઈ, તેણે કચવાતા મને રજનીકુમારને કહ્યું, “પપ્પા, તમે રડો નહી. હમણાં પૂજારી થોડી જ વારમાં મને-તમને પ્રસાદ આપશે. લ્યો, આ મારો રૂમાલ અને તમે તમારાં આસું લૂછી નાંખો.”

ભોળાનાથ સમા ભોળા દીકરાને આશ્વાસન આપતાં રજનીકુમારે કહ્યું, “દીકરા, હું પ્રસાદ માટે નથી રડતો! પ્રાર્થના કરતાં મનમાં, આશુતોષ પાસે માંગેલા વચનથી હૈયું હાથ ન રહ્યું એટલે દીકરા આંખ ઝરી રહી છે.”

“પપ્પા, તમે પ્રસાદ માટે નથી રડતા, તો પછી કેમ રડો છો?”

“અરે! આ ભોળા, નાદાન, મેન્ટલ રિટાર્ડેડ દીકરાને કેવી રીતે સમજાવું કે દીકરા આ આંખોથી આંસુ કેમ દડી રહ્યાં છે?”

હ્રદય પર પથ્થર મૂકી, દીકરાને કપાળે વહાલ ભર્યું ચુંબન કરી, હેત ભર્યો હાથ તેના માથે ફેરવતાં રજનીકુમાર બોલ્યા, “બેટા રાહુલ, આજથી ત્રણ દાયકા પૂર્વે આ જ આશુતોષ, આ કાળેશ્વર મહાદેવ પાસે મેં અને તારી માએ ખોળો પાથરીને તારા જન્મની માંગણી કરી હતી.” આ પ્રમાણે કહેતાં રજનીકુમાર ઘ્રુસકે ઘ્રુસકે રડતાં ફરી બોલ્યા, “દીકરા, આજે મેં આ મહાશિવરાત્રીના શુભ પર્વે આ આશુતોષના ચરણમાં માથું ટેકવી હ્રદયમનથી પ્રાર્થના કરી કે, “હે! ભોળાનાથ, તું મને તારે દ્વારે બોલાવી લે તે પહેલાં તે અમને આપેલાં આ પુત્રને તારી પાસે બોલાવી લેજે!”

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

13 September 2023 Vipool Kalyani
← રાજકારણ કેમ માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
અલવિદા, સુકુમાર પરીખ; અલવિદા અચ્યુત યાજ્ઞિક : તમારા વિના શહેર સૂનું લાગશે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved