Opinion Magazine
Number of visits: 9446999
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 June 2023

રમેશ ઓઝા

એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારતમાં અંદાજે ૬૫ ટકા હિંદુઓને હિંદુ બહુમતીવાળું હિંદુરાષ્ટ્ર જોઈતું નથી. કારણો તેમનાં પોતપોતાનાં હશે. બુદ્ધિમાન હિંદુઓને લાગતું હશે કે આ માર્ગે આ જગતમાં કોઈ દેશ બે પાંદડે થયો નથી. જે જે દેશોએ ધર્મ, વંશ, ભાષા આધારિત બહુમતી રાષ્ટ્રવાદનો માર્ગ અપનાવ્યો છે એ બધા ખુવાર થયા છે. આ માર્ગે કોઈ દેશ આબાદ થયો હોય એવું એક ઉદાહરણ બતાવો. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે આમાં અમારી ભાષાકીય, પ્રાદેશિક અને અન્ય અસ્મિતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે. જેટલો હું હિંદુ છું એટલો હું તમિલ પણ છું. કેટલાક હિંદુઓને એમ લાગતું હશે કે ભારતમાં હિંદુના નામે માત્ર સવર્ણ હિંદુઓને જ ગણતરીમાં લેવામાં આવે છે. હિંદુ સમાજમાં અત્યાર સુધી સવર્ણોએ જ સરસાઈ ભોગવી છે. હિંદુ રાષ્ટ્રમાં તેમની ફરીવાર સરસાઈ સ્થાપશે.

ટૂંકમાં બંધારણમાં જે ભારતીય રાષ્ટ્રની કલ્પના કરવામાં આવી છે એ ભલે સહિયારું છે, એમાં ભલે બીજાને સ્વીકારવા પડે છે, કહો કે સહન કરવા પડે છે, એમાં ભલે આપણે બહુમતીમાં હોવા છતાં આપણને મોટો ભાગ મળતો નથી; પણ એમાં આપણો જે કોઈ ભાગ છે એ સુનિશ્ચિત છે. બંધારણીય રક્ષણ સાથે અધિકારપૂર્વકનો છે. મુસલમાનને ધકેલવામાં કદાચ આપણે જ ધકેલાઈ જઈએ! કોને ખબર છે. બંધારણીય ભારતીય રાષ્ટ્ર નજર સામે છે, લેખિત છે, આપણે તેનો અનુભવ કર્યો છે; જ્યારે હિંદુ રાષ્ટ્ર તો ભરેલા નારિયેળ જેવું છે. એ કેવું હશે અને એમાં આપણે ક્યાં હશું એના વિષે કોઈ ફોડ પાડવામાં આવતો નથી.

કદાચ કેટલાક હિંદુઓને, ખાસ કરીને યુવા હિંદુઓને અનુભવે હવે એમ પણ સમજાયું હશે કે  હિન્દુત્વવાદી શાસકો પાસે ડરાવવા-રડાવવા-પોરસાવા સિવાય બીજો કોઈ એજન્ડા નથી. ચોવીસે કલાક હિંદુ-મુસ્લિમ કરીને લોકોને ધૂણાવે છે. આર્થિક બાબતે આ લોકો ગંભીર નથી અને કોઈ સમજ પણ નથી.

આવાં આ ચાર કારણો છે અને ૬૫ ટકા હિંદુઓ આમાંથી કોઈના કોઈ કારણે હિંદુ રાષ્ટ્રનો વિરોધ કરે છે. ૬૫ ટકા એ કોઈ નાનો આંકડો નથી અને તેમાં કદાચ ટકા બે ટકાનો વધારો થઈ શકે છે, ઘટવાનો તો કોઈ સવાલ જ નથી.

પણ એ ૬૫ ટકા હિંદુઓને એક સૂત્રે કેવી રીતે બાંધવા?

એક સીધો અને સરળ ઉપાય છે વિપક્ષી એકતા. બી.જે.પી.ના ઉમેદવારની સામે વિરોધ પક્ષોનો જો એક જ ઉમેદવાર હોય તો મતોનું વિભાજન ન થાય અને બી.જે.પી.ને હરાવી શકાય. અહીં એક ગૃહિત છે જેના તરફ આપણું ધ્યાન જતું નથી. મતોનું વિભાજન એટલા માટે થાય છે (એમ માનવામાં આવે છે) કે જે તે પક્ષ જે તે અસ્મિતાઓનું કે પછી સમાજવિશેષના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આને કારણે બી.જે.પી. વિરોધી મતદાતા પોતાનાં સમાજવિશેષનાં હિતોનું રક્ષણ કરનારા પક્ષને મત આપે છે અને એ રીતે મતોનું વિભાજન થાય છે. ટૂંકમાં ગૃહિત એવું છે કે મતદાતા વિભાજીત છે અને જે તે પક્ષો વિભાજીત મતદાતાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે અને માટે પક્ષો વચ્ચે એકતા સધાવી જોઈએ.

આ ગૃહિત સાવ ખોટું છે એમ ન કહી શકાય. કાઁગ્રેસના એકચક્રી શાસનના દિવસોમાં આ ગૃહિત વધારે સાચું હતું અને વધારે પ્રાસંગિક હતું, પરંતુ અત્યારના કોમી ધ્રુવીકરણના યુગમાં એ એટલું સાચું અને એટલું પ્રાસંગિક નથી. ૬૫ ટકા હિંદુઓને સમજાઈ ગયું છે અથવા સમજાઈ રહ્યું છે કે સહિયારું ભારત બચશે તો જ તેમાં મારો કે મારા સમાજનો હિસ્સો બચશે. અને જો આ નથી સમજાયું કે નથી સમજાઈ રહ્યું તો એને સમજાવી શકાય એમ છે.

અહીં રાહુલ ગાંધી અને તેમની કલ્પનાની નૂતન કાઁગ્રેસ પિક્ચરમાં આવે છે. એક તરફ વિરોધ પક્ષો છે જે જૂના ગૃહિત ઉપર ચૂંટણીકીય સમજૂતી કરવા માગે છે અને બીજી તરફ રાહુલ ગાંધી છે જે નવા ગૃહિત પર ભરોસો કરે છે. પટેલ અને ક્ષત્રીય સામસામે લડીને મતવિભાજન ન કરે અને તેમાં તેમનું હિત છે એ જૂનું ગૃહિત છે અને આજે જ્યારે હિંદુ રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે ત્યારે ભારતીય હોવાપણામાં અથવા સહિયારાપણામાં પટેલ અને ક્ષત્રીય બન્નેનું હિત છે એ નવું ગૃહિત છે. રાહુલ ગાંધીએ જૂનું ગૃહિત ૨૦૧૯ પછી છોડી દીધું છે અને સહિયારા, સેક્યુલર લોકતાંત્રિક, બંધારણીય ભારતીય રાષ્ટ્રના સ્વીકારમાં જ દેશનું કલ્યાણ છે અને તેમાં દરેક પ્રજાવિશેષનો સમાવેશ થાય છે. આ જ વાત ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજીએ ભારતીય પ્રજાને સમજાવી હતી.

આ માર્ગ કપરો છે, પણ સમય ધીરેધીરે અનુકૂળ થઈ રહ્યો છે. ગુસ્સો આવે અને અકળામણ થાય એવી નિરાશાજનક રાજકીય સ્થિતિમાં પણ ૬૫ ટકા હિંદુ નાગરિકોએ મોરચો સંભાળી રાખ્યો. પ્રચંડ વાવાઝોડામાં ઓથ વિના ઊભા રહ્યા. આ કોઈ નાનીસૂની વાત નથી. બીજું, રાહુલ ગાંધી તૂટ્યા નથી. તેમને તોડવા માટે શું શું નથી કર્યું! લખતાં પણ શરમ આવે એવા નીચ પ્રહારો તેમના ઉપર કરવામાં આવ્યા હતા. કીડી ઉપર કટક ઉતાર્યું અને એ પછી પણ કીડી અડીખમ ઊભી છે. મેદાન છોડ્યું નથી. ત્રીજું તેઓ લાંબી લડત માટે પ્રતિબદ્ધ છે એમ હવે લોકોને પ્રતીતિ થવા લાગી છે. સહિયારા ભારતમાં ભારતની પ્રજાનું સહિયારું કલ્યાણ છે એ વાત લોકો સુધી લઈ જવી હશે તો સંકોચ વિના ડર્યા વિના ખોંખારો ખાઈને એ ભાષામાં જ બોલવું પડશે જે રીતે ગાંધીજી બોલતા હતા. રાહુલ ગાંધીની જેમ ગાંધીજીને બદનામ કરીને તોડવામાં એ લોકોએ ક્યાં કાંઈ બાકી રાખ્યું છે! ૬૫ ટકા વિરુદ્ધ ૩૫ ટકાનું હિંદુ ધ્રુવીકરણ થઈ ચુક્યું છે એટલે હવે હિંદુ નારાજ થશે એવો ડર રાખવાની જરૂર નથી.

જોતા રહો, રાહુલ ગાંધીનું નૂતન રાજકારણ કઈ રીતે ઉઘાડ પામે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જૂન 2023

Loading

25 June 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—202
मणिपुर हिंसा: नस्लीय या सांप्रदायिक? →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved