Opinion Magazine
Number of visits: 9446541
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ભાષાની જન્મજાત સર્જકતા (3)

સુમન શાહ|Opinion - Literature|24 February 2023

પહેલાં કહ્યું હતું એમ આને શાસ્ત્રીય પદ્ધતિએ કરેલું વિશ્લેષણ ન ગણવા વિનન્તી છે. આજે આ પ્રયોગનું કરી જોઉં :

‘મમરો’ તો ‘મૂકી’ જો; જોઈએ, શું થાય છે.

‘મમરો’-નો સંકેતાર્થ છે ચોખામાંથી બનાવાયેલી વાનગી. દરેક મમરો ચોખાના એના મૂળ દાણા કરતાં કદમાં મોટો પણ વજનમાં હલકો હોય છે. રંગે વધારે સફેદ પણ હોય છે. ચોખાના દાણાની સરખામણીએ એને આરામથી ચાવી કે ખાઈ શકાય છે. પણ એને ક્યાંક મૂકવા માગીએ તો વિચારવું પડે છે કે ખસી કે ઊડી તો નહીં જાય ને.

આ પ્રયોગમાં ‘મમરો’ સંજ્ઞા એકવચનમાં છે, એનો મતલબ એ કે મૂકનારે એક જ મમરાને મૂકવાનો છે. પણ, પ્રયોગમાં એ નથી કહેવાયું કે ક્યાં મૂકવાનો છે. એટલે, મૉંમાં મૂકીને આરોગી જવાય એવો એનો જે મુખ્યાર્થ છે તેને બાજુએ રાખવો પડશે.

કોઈ ગૂંચવાડાભરી વાતમાં કે કોઈની જિદ્દમાં કે કોઈના નકારમાં બદલાવ આવે એ માટે મમરો મૂકવાનો હશે એમ ધારી શકાય છે. સવાલ એ છે કે ગૂંચવાડા જિદ્દ કે નકાર સાથે મમરાને શી લેવાદેવા.

A diplomate.
Pic courtesy : INFJ

એટલે, મમરાનાં ગુણલક્ષણોને કામે લગાડવાં પડશે. કોઈ ગૂંચવાડાભરી વાતમાં કે કોઈની જિદ્દમાં કે કોઈના નકારમાં બદલાવ માટે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે, એટલે કે, વાત કરે. તે વાત કદમાં નાની હોવી જોઈશે. તે વાત વજનમાં હલકી, હળવી હોવી જોઈશે. સામાવાળાની તકલીફ વધે એમ નથી કરવાનું તેમ દબાણ પણ નથી કરવાનું કેમ કે મમરાની જેમ વાત પણ કચડાઈ જાય. વાત સિફતથી થવી જોઈશે. નહિતર મમરો ખસી કે ઊડી જાય એમ એ વાતનું પણ થઈ શકે છે.

ટૂંકમાં, એ આખું કામ એક નીવડેલા મુત્સદ્દીની રીતે થવું જોઈશે. મમરો ‘મૂકી જોવાનો છે’ એટલે? મૂકનારે સફળતા કે નિષ્ફળતા માટે નિર્મમ રહેવાનું છે.  

અંગ્રેજીમાં, ‘લિટલ ઍફર્ટ’ પ્રયોગ છે પણ એમાં મમરાથી સૂચવાતી સર્જકતા નથી. એટલે જ હું એને આપણી ભાષાની જન્મજાત સર્જકતામાં ઉમેરું છું.

= = =

(Feb 24, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 February 2023 Vipool Kalyani
← કવિતા જીવનાર અને જિંદગી લખનાર અમૃતા-ઈમરોઝ
હિમાલયનો ‘આયોજનબદ્ધ’ રીતે થઈ રહેલો ‘વિકાસ’ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved