Opinion Magazine
Number of visits: 9446503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રવર્તમાન સ્થિતિ, રાષ્ટ્રવાદ ને ટાગોર

કિરણ કાપુરે|Opinion - Opinion|18 May 2022

છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રવાદના નામે દેશમાં જે થઈ રહ્યું છે તેની અસર વિપરીત દેખાઈ રહી છે. આપણી આસપાસની શાંતિ હણાઈ છે, અનિશ્ચિતતા વધી છે અને સ્થિરતા જોખમાઈ છે. સમાજમાં એક વર્ગની સુરક્ષિતતાથી શાંતિ ન સ્થપાઈ શકે. સૌને તેની અનુભૂતિ થવી જોઈએ. સંકુચિત ખ્યાલનો રાષ્ટ્રવાદ અત્યારે હાવી થઈ રહ્યો છે ત્યારે રવીન્દ્રનાથ ટાગોર રાષ્ટ્રવાદને સંદર્ભે આપેલું દર્શન પર નજર કરીએ તો રાષ્ટ્રવાદના ખોટા ખ્યાલની અસ્પષ્ટતા દૂર થાય અને સાચી દૃષ્ટિ કેળવાઈ શકે. ટાગોરનો 7મી મેના રોજ જન્મતિથિ આવે છે અને આ સંદર્ભે તેમનો રાષ્ટ્રવાદ સંદર્ભેના વિચારો જાણીએ. …

‘રાષ્ટ્રવાદ’ નામનું રવીન્દ્રનાથ ટાગોરનું પુસ્તક હિંદીમાં ડૉ. પરિતોષ માલવીયે કર્યું છે. અને તે પુસ્તકમાં પ્રસ્તાવનામાં જ અનુવાદકે રાષ્ટ્રવાદને મૂલવ્યો છે. તેઓ લખે છે : “’દેશભક્તિ બદમાશોનું અંતિમ શરણસ્થળ છે.’ જાહેર વિમર્શમાં આજકાલ આ કથનનો ઉપયોગ રાષ્ટ્રવાદ રાજનીતિના વિરોધમાં કરવામાં આવે છે. બલકે ખરેખર તો સૂક્ષ્મ રીતે જોઈએ તો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ મૂળતઃ અલગ-અલગ વિચાર દેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર વિશ્વની રાજનીતિમાં વ્યાપક સ્તરે સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. અને રાષ્ટ્રવાદને પોતાનો મુખ્ય ધ્યેય માનીને ચાલનારાં પક્ષો અનેક દેશોમાં સત્તા હાંસલ કરી છે. તેનાથી વિપરીત કેટલાંક એવાં પણ રાજનેતા અને વિદ્વાન છે, જે રાષ્ટ્રવાદની ભાવના આધારિત રાજનીતિના પક્ષમાં નથી અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ વિચાર માનવાથી ઇન્‌કાર કરે છે. પરંતુ એ પણ વક્રોક્તિ છે કે આ દુનિયામાં જ્યાં સુધી રાષ્ટ્રોનું ભૌગોલિક વિભાજન છે, ત્યાં સુધી રાષ્ટ્રવાદનું અસ્તિત્વ રહેશે.”

ઑક્સફોર્ડ ડિક્ષનરીમાં રાષ્ટ્રવાદને બે રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. એક – સમાન જાતિ, સંસ્કૃતિ અને ભાષાનું આદાનપ્રદાન કરનારાં લોકોનો સમૂહની સ્વતંત્ર્ય રાષ્ટ્ર નિર્માણ કરવાની ઇચ્છા. અને બીજી – પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને ગર્વની ભાવના, અને એવી ભાવના રાખવી કે પોતાનો દેશ અન્ય દેશોથી શ્રેષ્ઠ છે. તે પછી પ્રસ્તાવનામાં અનુવાદક આ સંદર્ભે વધુ પ્રશ્નો ઉઠાવતાં લખે છે કે, “શું ‘રાષ્ટ્રવાદ’ અને ‘દેશપ્રેમ’ અથવા તો ‘દેશભક્તિ’ શબ્દમાં કોઈ અંતર છે? વર્તમાન રાજકીય વ્યવસ્થામાં રાષ્ટ્રવાદથી વધુ સારો કે શ્રેષ્ઠ કોઈ વિકલ્પ છે? રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવો અને રાષ્ટ્રવાદી હોવું એ એક જ બાબત છે? રાષ્ટ્રવાદ રાજકીય સાધન માત્ર છે? રાષ્ટ્રવાદ અને માનવતાવાદમાં કઈ બાબત શ્રેષ્ઠ કહી શકાય? રાષ્ટ્રવાદી અન્ય દેશો પ્રત્યે આપણને વધુ નિષ્ઠુર બનાવે છે?…” આવાં અનેક પ્રશ્નોનાં સંદર્ભે ટાગોરના ભાષણોમાં તેના ઉત્તર મળે છે.

પશ્ચિમી જગતને પહેલાં તો એ સંદેશો આપતાં કહે છે : “પશ્ચિમે પોતાના સ્વાર્થ ખાતર શક્તિનો ઉપયોગ કરીને પોતાને પૂરા વિશ્વ માટે અભિશાપ ન બનવું જોઈએ. બલકે અશિક્ષિતોને શિક્ષણ આપીને, અને નબળાઓની મદદ કરીને તેમને ભવિષ્યના જોખમથી સુરક્ષિત કરવા જોઈએ. કારણ કે નહીંતર શક્તિશાળી જ નબળાઓને એ માટે મજબૂર કરે છે કે તેઓ જ એક થઈને પોતાનો બચાવ કરે. અને પોતાના ભૌતિક સુખસગવડને જ અંતિમ સત્ય ન માનવું, બલકે તેનાથી મુક્તિ મેળવીને જ તેની સેવા વ્યાપક બનાવવી જોઈએ.” પછી તેઓ રાષ્ટ્રની વાત રજૂ કરે છે અને કહે છે : “હું કોઈ રાષ્ટ્રના વિરોધી નથી. બલકે તમામ રાષ્ટ્રોની વિચારનો હું વિરોધી છું. રાષ્ટ્ર ખરેખર છે શું?” એને લઈને તેઓ કહે છે : “રાષ્ટ્રનો અર્થ છે – તમામ લોકોની સંગઠિત શક્તિ. સંગઠનનું જોર હંમેશાં એ વાત પર રહે છે કે તમામ લોકો શક્તિશાળી અને સમર્થ બને. શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી આ અતિ ઉત્સાહ મનુષ્યની ઉર્જાને સારી પેઠે નિચોવી કાઢે છે અને પછી તે સમૂહને નૈતિક સ્તરથી નીચે લઈ આવે છે.” પછી તેનું પરિણામ શું આવી શકે તે વિશે ટાગોર જણાવે છે : “આ રીતે મનુષ્યની ત્યાગ કરવાની શક્તિ, નૈતિક શક્તિ અને ઉદ્દેશ્યથી તે ભટકી જાય છે. અને આ સંગઠન યાંત્રિક રીતે તેનાં સારસંભાળમાં શક્તિ ઝોંકી દે છે. તે પછી આ સંગઠનમાં જ નૈતિક ઉત્કર્ષનો અનુભવ કરવા માંડે છે અને માનવતા માટે તે ખૂબ ખતરનાક બની જાય છે. પછી તે પોતાના અંતરાત્માની અવાજ સાંભળી શકતો નથી. તે પોતાની જવાબદારીઓને એક એવી મશીનને સોંપી દે છે જે તેની બુદ્ધિમત્તાની ઉપજ છે. તેમાં કોઈ જ નૈતિકતા હોતી નથી. આ વિચારથી જ સ્વતંત્રતાને પસંદ કરનારાં લોકો પણ ગુલામી પ્રથાને પ્રોત્સાહિત કરવામાં એક ભાગ બની જાય છે.”

વિશ્વનું કોઈ પણ મસમોટું સંગઠન લો, તેનું સ્વરૂપ ટાગોરે જે આલેખ્યું આપ્યું છે તેનાથી વેગળું હોતું નથી. તેમણે કહ્યું છે તે જ રીતે મશીનની જેમ તે ચાલે છે અને તેમાં માનવતાના જ કચ્ચરધાણ નીકળે છે. રાષ્ટ્રવાદ કે અન્ય સંગઠનનાં નામે આ પૂરી વ્યવસ્થા કેમ ટકે છે તેનું પણ કારણ આગળ ટાગોર આપે છે : “આ રીતે વ્યવસ્થામાં એક અહંકાર પણ જન્મે છે અને આ અહંકાર તેમને કર્તવ્યનો અમલ કરવાનું હોય છે. સ્વભાવથી ન્યાયપ્રિય અને સારાં લોકો પણ કર્મ અને વિચારોથી નિર્દયી અને અન્યાયી હોઈ શકે છે. અને વધુમાં તેઓ એવો પણ વિચાર કરે છે કે આ રીતે તે દુનિયાને કર્મફળ પ્રાપ્ત કરવામાં મદદ કરી રહ્યા છે. સ્વભાવ અને કર્મથી પ્રામાણિક લોકો આત્મોત્કર્ષ માટે બીજાના માનવઅધિકારોને છીનવી શકે છે. અને ગરીબો પર દોષારોપણ કરીને એવું ઠસાવી શકે છે કે આનાથી વધુ સારો વ્યવહાર માટે તે યોગ્યતા નથી ધરાવતા.”

માણસના સ્વભાવ અને વ્યવહારને ટાગોરે સચોટ રીતે આલેખિત કરી આપ્યો છે અને તેમાં તેમણે તમામ પાસાંને ખોલી આપ્યા છે. જેમ કે આગળ તેઓનું કહેવું છે કે, “આપણાં રોજિંદા જીવનમાં આપણે જોયું છે કે વેપાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા નાનાં નાનાં સંગઠન પણ લોકોમાં કઠોર ભાવનાઓ રોપે છે. આપણે સરળતાથી અનુમાન કરી શકીએ છીએ કે જ્યારે દુનિયાના તમામ લોકો રૂપિયા અને સત્તાને મેળવવા દોટ લગાવશે ત્યારે વિશ્વમાં કેવું નૈતિક પતન થશે.”

દુનિયાના કેટલાંક વ્યવહાર-નિયમ શાશ્વત છે અને તેને ટાગોરે બખૂબી દાખવી આપ્યા છે. તેમના આ દર્શનને એક સદીથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આપણી આસપાસનું વાતાવરણમાં આજે પણ તેમના દર્શનનાં વિશ્વને જોઈ શકીએ છીએ. વિશેષ કરીને તેમણે દાખવેલી રાષ્ટ્રવાદીની બદીઓ આજે વધુ નજરે પડી રહી છે. અને એટલે જ તે વખતે ય તેમણે કહ્યું હતું : “રાષ્ટ્રવાદ એક મોટું સંકટ છે. આ વર્ષોથી ભારતની અનેક સમસ્યાઓનું કારણ છે.” આ વિધાન ભારત આઝાદ નહોતું ત્યારનું છે અને તેમાં તેમણે શાસકોના રાષ્ટ્રવાદની વાત કહી છે, પરંતુ આજે તે જ માર્ગે વર્તમાન ભારત આગળ ધપી રહ્યું છે.

ટાગોરના વિચારોનું આલેખન નોબલ સન્માન મેળવનારાં અમર્ત્ય સેને પણ ‘અર્થતંત્ર ઇતિહાસ અને સંસ્કૃતિ’ પુસ્તકમાં કર્યું છે. તેઓ લખે છે : “ટાગોર આઝાદીના આંદોલનમાં ઉગ્ર રાષ્ટ્રવાદના પણ વિરોધી હતા. એ જ કારણે તેમણે સમકાલિન રાજકીય કાર્યક્રમોમાં ભાગ ન લીધો. તેઓ ભારતની આઝાદી ઇચ્છતા હતા પરંતુ વિશ્વના અન્ય હિસ્સામાંથી જે શીખી શકાય તે શીખવા પણ ઇચ્છુક હતા. તેમને ભય હતો કે પશ્ચિમને નકારીને આપણે પૂર્ણ રીતે ભારતીય પરંપરાનો અમલ કરીને પોતાને ખૂબ સંકુચિત બનાવી દઈશું. ટાગોરનો આવા રાષ્ટ્રવાદ પ્રત્યે વિરોધ સતત વધતો રહ્યો. વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની પત્ની અબલા બોઝને 1908માં લખેલાં એક પત્રમાં ટાગોર લખે છે : ‘દેશભક્તિ એ આપણો અંતિમ આધ્યાત્મિક આશ્રય ન હોઈ શકે – મારો આશ્રય તો માનવતા હશે. હું હીરાના કિંમતમાં ચમકતાં પથ્થર નહીં ખરીદું. અને જ્યાં સુધી જીવિત છું ત્યાં સુધી દેશભક્તિનો માનવતા પર વિજય નહીં થવા દવું.’” અને ‘ઘરે બાઈરે’ નામની તેમની નવલકથાના પાત્ર નિખિલ પણ અંત સુધી જે કહે છે તેમાં ટાગોરના દૃષ્ટિબિંદુને વિવેચકોએ જોયો છે. તેમાં નિખિલ કહે છે : “હું મારા દેશની સેવા કરવા તૈયાર છું. પરંતુ હું પૂજારી તો સત્યનો જ રહીશ. તેને દેશથી પણ હું મૂકું છું. પોતાના દેશને ઈશ્વર બનાવીને પૂજવો તે તેને અભિશાપ આપવા બરાબર છે.”

e.mail : kirankapure@gmail.com

Loading

18 May 2022 admin
← ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગમાં આનંદ પટવર્ધનને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત …
નદી ગંધાય છે, નદી સુકાય છે, નદી મરે છે. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved