Opinion Magazine
Number of visits: 9450005
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે મહિલાને ‘ભારત રત્ન’ આપવો જોઈતો હતો; તેને સરકારે જેલ આપી !

રમેશ સવાણી|Opinion - Opinion|26 March 2022

સુધા ભારદ્વાજ, પ્રસિદ્ધ આદિવાસી એક્ટિવિસ્ટ / વકીલ / પ્રાધ્યાપક છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટિઝની રાષ્ટ્રીય સચિવ છે. તેનો જન્મ અમેરિકાના બોસ્ટન શહેરમાં 1 નવેમ્બર 1961ના રોજ થયો હતો. તેમનાં માતા કૃષ્ણા પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતાં. તેઓ ભારત પરત આવ્યાં અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર ઈકોનોમિક સ્ટડીઝની સ્થાપના કરી. તે વખતે સુધાની ઉંમર 11 વરસની હતી. આજે પણ તેમની યાદમાં દર વર્ષે ‘કૃષ્ણા મેમોરિયલ લેક્ચર’ યોજાય છે, જેમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ ભાગ લે છે. સુધા 1979માં IIT કાનપુરમાં દાખલ થયાં અને 1984માં ગણિતમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ભોપાલ ગેસ પીડિતો માટે કામ કર્યું. એ સમય દરમિયાન છત્તીસગઢના પ્રખર મજદૂર નેતા શંકર ગુહા નિયોગીના સંપર્કમાં આવ્યા અને તેમની સાથે છતીસગઢ મુક્તિ મોર્ચા શ્રમિક યુનિયનમાં જોડાયાં. છત્તીસગઢના ખાણ શ્રમિકોનાં બાળકોને ભણાવવાનું કામ પણ કર્યું. એમના યુનિયનને વકીલોની ફી પોસાય તેમ ન હતી, અને સામે કોર્પોરેટ વકીલો હોય, એટલા માટે 2000માં 40 વર્ષની ઉંમરે તેઓ વકીલ બન્યાં ! 2007થી બિલાસપુર હાઈકોર્ટમાં શ્રમિકોના / વંચિતોના કેસો લડે છે.

તેમની લડાઈના કારણે મજદૂરોને કાનૂની મળવાપાત્ર વેતન મળ્યું / નહીં ચૂકવેલ મજૂરી મળી / બોનસ મળ્યું / નોકરીની સ્થિતિમાં સુધાર્યો થયો / હેલમેટ અને બૂટ મળ્યાં ! બનાવટી એન્કાઉન્ટરમાં નિર્દોષ આદિવાસીઓની હત્યાઓ / સુરક્ષા દળોના જવાનો દ્વારા આદિવાસી મહિલાઓ ઉપર બળાત્કારો /માનવ અધિકાર ભંગ /શ્રમ / ભૂમિ અધિગ્રહણ / વનાધિકાર / પર્યાવરણ સાથે જોડાયેલાં કેસો તેઓ લડ્યાં. શ્રમિકો / કિસાનો / આદિવાસીઓ અને ગરીબ લોકોની તરફે તેઓ અડગ ઊભા રહ્યાં ! તેથી તેઓ કોર્પોરેટ-પૂંજીપતિઓની આંખમાં ખટકતાં હતાં ! છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં કોલસાની ખાણો છે. આદિવાસીઓની જમીનો કોર્પોરેટ કંપનીઓએ વચેટિયા મારફતે પડાવી લીધી હતી. 2011માં સુધાએ હાઈકોર્ટમાં ‘છતીસગઢ લેન્ડ રેવન્યૂ એક્ટ, 1959’ની કલમ – 170B હેઠળ પીટિશન કરી અને 2014માં આદિવાસીઓને તેમની જમીન પરત અપાવી ! કલમ-170B આદિવાસીઓની જમીનનું હસ્તાંતરણ બિન આદિવાસીઓને થઈ શકતું નથી. 2013-14માં સુધાને છતીસગઢ હાઈકોર્ટના જજ માટે પ્રસ્તાવ મળ્યો. પરંતુ એ પ્રસ્તાવ તેમણે સ્વીકાર્યો નહીં કેમ કે તેઓ ગરીબો અને જરૂરિયાતવાળાની પડખે ઊભાં રહેવાં ઈચ્છતાં હતાં ! તેમણે પોતાનો અમેરિકન પાસપોર્ટ ત્યજી દીધો છે ! તેઓ સાદાઈથી જીવે છે. ST બસ / ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરી કરે. આદિવાસીઓની વચ્ચે ચટ્ટાઈ પાથરી સૂઈ જાય. કોટનની સાડી અને હવાઈ સ્લીપર એનો પહેરવેશ !

ભીમા કોરેગાંવ મહારાષ્ટ્રમાં એક જગ્યા છે; જ્યાં દલિત મહારોની સેનાએ બ્રાહ્મણ પેશ્વાની સેનાને હરાવી હતી. તે જગ્યાએ દર વર્ષે દલિતો શૌર્ય દિવસ મનાવે છે. 2018માં આ ઘટનાને 200 વરસ પૂરાં થતાં હતાં એટલે ‘એલ્ગાર પરિષદે’ એક સભાનું આયોજન કર્યું. તેમાં દેશના બુદ્ધિજીવીઓએ પ્રવચનો કર્યા. એ સમયે એક યાત્રાનું આયોજન કર્યું. તે યાત્રા ઉપર સાંપ્રદાયિક તત્ત્વોએ હુમલો કર્યો. હુમલાના સૂત્રધાર હતા સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે. સંભાજી ભીડેને વડા પ્રધાન પોતાના ગુરુ માને છે ! એટલે રાજ્યમાં સત્તાપક્ષની સત્તા હોવાથી પોલીસે પીડિત પક્ષને જ આરોપીઓ બનાવી દીધાં ! આરોપ મૂક્યો કે સભા કરનારા માઓવાદીઓ હતા ! જૂન 2018માં, પોલીસે ભીમા-કોરેગાંવની હિંસાના કેસમાં 16 લોકોને જેલમાં મોકલ્યા. તેમાં પ્રતિષ્ઠિત વિદ્વાનો, વકીલો, શિક્ષણશાસ્ત્રીઓ, સામાજિક કાર્યકરો અને કવિઓનો સમાવેશ થતો હતો. આ કેસમાં સુધા ભારદ્વાજની 28 ઓક્ટોબર, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી.

સત્તા કેટલું ખોટું કરી શકે તેનું આ ઉદાહરણ છે; સુધા ભારદ્વાજ આ સભામાં ગયાં ન હતાં કે સભા આયોજનના સભ્ય પણ ન હતાં ! NIAએ એક પુરાવો ઊભો કર્યો કે દિલ્હીના એક કાર્યકર્તા રૌના વિલ્સનના લેપટોપમાંથી એક પત્ર મળ્યો છે; જેમાં આ બુદ્ધિજીવી લોકો વડા પ્રધાનની હત્યાનું કાવતરું કરી રહ્યા છે, તેવું ફલિત થતું હતું ! આ પત્રના સમાચાર પરમ ગોદી પત્રકાર અર્ણબ ગોસ્વામીએ રીપબ્લિક ટીવી ઉપર 4 જુલાઈ 2018ના રોજ વહેતા કર્યા હતા ! અમેરિકાની એક ડિઝિટલ ફોરેન્સિક લેબે તપાસ કરીને કહ્યું છે કે આ પત્ર, તપાસ એજન્સીએ લેપટોપમાં ‘પ્લાન્ટ’ કરેલો છે ! મતલબ કે આ પત્ર સુધા ભારદ્વાજ પાસેથી કે તેમના લેપટોપમાંથી મળ્યો ન હતો ! UAPAના કારણે તેમને જામીન મળતા નહતા. ત્રણ વરસ જેલમાં રહેવું પડ્યું. જેલમાં 35 મહિલા કેદીઓની બેરેકમાં 75 કેદીઓ સાથે તેઓ રહ્યાં. દરેકને ‘શબપેટીની સાઇઝ’ જેટલી જગ્યા ફાળવવામાં આવી હતી. ખોરાકથી લઈને શૌચાલય, દરેક વસ્તુ માટે કતાર લાગતી હતી ! તેમણે પોતાનો સમય; મહિલા કેદીઓનાં બાળકોને ગીતો સંભળાવવામાં, જેલમાં કામ કરવામાં અને ઍડવર્ડ સ્નોડેન / વિલિયમ ડૅલરીમ્પલ / નાઓમી ક્લેઈન / આલ્બર્ટ કામૂની 'ધ પ્લેગ ઇન ધ પ્રિઝન' વગેરે પુસ્તકોનાં વાંચન કરવામાં પસાર કર્યો હતો. સુધા ભારદ્વાજ સામે આરોપ છે કે તેઓ પ્રતિબંધિત માઓવાદી પાર્ટીનાં નેતા છે, જે હથિયારોની હેરફેર / અર્ધ સૈનિક દળો સામે કાવતરું કરવું / હથિયાર સાથેના ઓપરેશનની યોજના બનાવવી / સુરંગ બિછાવવી / સમાજમાં અરાજકતા ફેલાવવી વગેરે પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ! સવાલ એ છે કે આવા ગંભીર આરોપ સબબ તાત્કાલિક સુનાવણી હાથ ધરીને સજા કરવી જોઈએ, પરંતુ ત્રણ વરસથી વધુ સમય થયો છતાં સુનાવણી થતી નથી; એ શું દર્શાવે છે? ત્રણ વરસ થયા છતાં પોલીસે ચાર્જશીટ કેમ રજૂ કર્યું નહીં?

સુધા ભારદ્વાજને 8 ડિસેમ્બર 2021ના રોજ, વિશેષ NIA કોર્ટે ‘ડિફોલ્ટ બેઈલ’ ઉપર મહારાષ્ટ્ર નહીં છોડવાની શરત સાથે છોડ્યાં છે ! સુધા ભારદ્વાજ દિલ્હીની યુનિવર્સિટીમાં કાયદાનાં પ્રોફેસર તરીકેની પોતાની નોકરી પર પરત ફરી શકે એમ નથી અને ફરિદાબાદ સ્થિત પોતાના ઘરે પણ જઈ શકે એમ નથી. 1,000 કિલોમીટરથી વધુ દૂરના અંતરે ભિલાઈમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કરતી તેમની પુત્રીને પણ તેઓ મળી શકે એમ નથી. એટલે તેમને મુંબઈમાં આજીવિકા શોધવાની છે અને પરવડે એવું ઘર પણ શોધવાનું છે ! સુધા ભારદ્વાજ જેવાં લોકો આ દેશના યુવાનો માટે હંમેશાં પ્રેરણાસ્રોત રહેશે. જે મહિલાને ‘ભારત રત્ન’ આપવો જોઈતો હતો, તેને કોર્પોટેટ-ચોકીદાર સરકારે જેલ આપી !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

26 March 2022 admin
← બહુ યાદ આવે છે બક્ષી …
ભારતે કોનો ભરોસો કરવો ? ચીન, રશિયા કે અમેરિકાનો ? →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved