Opinion Magazine
Number of visits: 9448626
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન શ્રેણી (29)

સુમન શાહ|Opinion - Opinion|17 March 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક – 10 : સાર્ત્રના પૂર્વસૂરિઓ :

હાઇડેગરના દર્શનનો પ્રારમ્ભ ઍરિસ્ટોટલના એમણે કરેલા અધ્યયનથી થાય છે. ’ધ મૅટાફિઝિક્સ’-માં ઍરિસ્ટોટલે એક આગ્રહ વ્યક્ત કર્યો છે. કહે છે, એ તત્ત્વને જાણવું જરૂરી છે જે હોવાપણાની, એટલે કે સત અથવા બીઇન્ગની, શક્ય બધી જ અવસ્થાઓને જોડી આપતું હોય. એ તત્ત્વને ‘is-ness’ કહ્યું છે.

હાઇડેગરને આ જરૂરત સમજાઇ જાય છે અને તેઓ પોતાના તત્ત્વવિચારની શરૂઆત કરે છે. ઍરિસ્ટોટલે રજૂ કરેલા આ વિચારની ભૂમિકાએ હાઇડેગર કાન્ટ, કિર્કેગાર્ડ, નિત્શે અને હ્યુસેર્લનાં દર્શનો સાથે જોડાય છે.

મનુષ્યનું અસ્તિત્વ વિશ્વ સાથે વૈયક્તિક અને તેના સામાજિક સંદર્ભોમાં કેવુંક તો સંકળાય છે તેની શોધ હાઇડેગરના દર્શનનું કેન્દ્ર છે. એ કારણે એમણે વિશ્વ અને સતને અવિશ્લેષ્ય ગણ્યાં છે.

શરૂનાં વર્ષોમાં હાઇડેગર હ્યુસેર્લના વિદ્યાર્થી હતા, ફ્રીબુર્ગ યુનિવર્સિટીમાં એમના આસિસ્ટન્ટ હતા, હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિના ‘ઇન્ટેલૅક્ચ્યુઅલ પિલર’ કહેવાયેલા, પણ પાછળનાં વરસોમાં હાઇડેગર હ્યુસેર્લથી જુદા પડે છે. હાઇડેગરના વિખ્યાત પુસ્તક ‘બીઇન્ગ ઍન્ડ ટાઇમ’-માં (1927) હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિને એમણે ‘મુખ્યત્વે વર્ણનાત્મક’ કહીને પડકારી, ખાસ તો એમણે ચેતનાની અનિવાર્ય સંરચનાઓનો પુરસ્કાર કર્યો. સતને એમણે વિષયી રૂપે, સબ્જેક્ટ રૂપે, ન ગણ્યું. કહ્યું કે એ માત્રસાક્ષી નથી, એ તો વિષય સાથે ઓતપ્રોત છે. વિષય-વિષયીને એમણે એકરૂપ લેખ્યાં છે.

હાઇડેગરના દર્શનમાં મુખ્ય મુદ્દા આટલા છે : સતની વિભાવના. સતનું વિશ્વમાં હોવું. વિશ્વની વસ્તુઓ સાથેનો મુકાબલો. સહિતતા, સ્થળકાળ અને તે-તેની સંરચનાઓ. એમણે પૂછ્યું છે – સતનો અર્થ – મીનિન્ગ ઑફ બીઇન્ગ – શું છે? હોવાપણાનો અર્થ શો છે? સત તો માણસના રોજબરોજના સામાન્ય અસ્તિત્વનો, માણસના ‘ત્યાં હોવાનો’ એક હિસાબ છે.

હાઇડેગરને મનુષ્ય-અસ્તિત્વ ‘ત્યાં હોનારું’ લાગ્યું છે. એ માટે એમણે Dasein સંજ્ઞા પ્રયોજી છે. Dasein સંજ્ઞા સૂચવે છે, ત્યાં – વિશ્વમાં – રહીને, તેમાં સક્રિય રહીને, જીવતું સત. Dasein-ને એમણે, અસ્તિત્વને સતત કેન્દ્રમાં રાખવાનું તેમ જ તેને વિશે પ્રશ્નો કરવાનું સામર્થ્ય પણ લેખ્યું છે. સતને વિશેની સમજ તે હાઇડેગર અનુસાર, dasein-ને વિશેની સમજ છે.

પરિણામે, એમના દર્શનમાં, રોજિંદાપણાનો, સરેરાશપણાનો, વિચાર ઘૂંટાયો છે; વિશ્વની વિશ્વતા શું છે, એ વિચાર ઘોળાયો છે. એમણે હ્યસેર્લના ‘રીડક્શન’ વિભાવને, ચેતનાનો અલગપણે શોધસંશોધનનો વિષય બનાવવાના ઉદ્યમને, નકાર્યો છે. કેમ કે વ્યક્તિ અને વિશ્વ જુદાં નથી. લોક ભાષામાં એમ કહેવાય કે દુનિયા કેમ ચાલે છે એ સમજવાથી સમજદારી બને છે.

***

બૉમ્બશેલથી આક્રાન્ત હતું એ યુરપ. બૌદ્ધિક પ્રક્ષોભનો સમય હતો. સાર્ત્રે એ વાત આગળ કરી કે મનુષ્યના અસ્તિત્વપરક પ્રશ્નોનો ઉકેલ આપનારી કોઈ હસ્તી છે જ નહીં -સિવાય કે મનુષ્ય પોતે. પોતાનો ઉગાર એ પોતે જ છે. પોતે અસ્તિત્વ ધરાવે છે એ હકીકતનું એણે જ્ઞાન મેળવવું અને તેનો સર્વાંગ સ્વરૂપનો અનુભવ મેળવવો. એ માટે માણસે ઍન્ક્ઝાઇટી રાખવી – તીવ્ર ઇચ્છા કે આતુરતા રાખવી.

ફિનોમિનોલૉજિ બે પ્રકારનાં અન્નોનની – અણજાણની – વાત કરે છે : ઑબ્જેક્ટ્સને જાણતા ન હોઈએ. સબ્જેક્ટ્સને જાણતા ન હોઈએ. બે વચ્ચે જો આન્તરક્રિયા રચાય, તો, આકસ્મિક અને ચંચળ સ્વરૂપનો ફિનોમિનન રચાય. બાકી, અર્થ એ કે માણસે જન્મ લઈને ફિનોમિનાના ઢગ પર ફેંકાવું અથવા દાખલ થવું. બને કે અસ્તિત્વને તજાયેલું – ઍબન્ડન્ડ – અનુભવવું. એ પછી એ વિશેની જવાબદારીનું ભાન જાગે ને તેની વેદના અનુભવાય – એટલે કે ઍન્ગ્વીશ.

Pic courtesy : YouTube

તો શું એમ માનવું કે બધું આમ જ છે અને અન્યથા નથી? વસ્તુઓનું વિશ્વ અર્થહીન છે? મરણશરણ રહેવું? શું એ જ નિયતિ છે? પણ ના, પર્પઝિઝથી કે પ્રોજેક્ટસ્ ઊભા કરીને એ સઘળાને વટી જઈ શકાય છે. વસ્તુઓને અર્થ આપવા માટેનો જીવન-પુરુષાર્થ શક્ય છે. એથી જ્ઞાન થશે કે પોતે અધિકૃત અસ્તિત્વ ધરાવે છે – ખરું ખુદ્દાર અસ્તિત્વ. તેને તેમ કરવું એ વાત સાર્ત્રના દર્શનમાં કેન્દ્રસ્થાને છે.

માનવજાત સદા હાજર એવા મૃત્યુને વિશે ઓછામાં ઓછું વિચારે છે. મૃત્યુ આમ અનિશ્ચિત છે પણ આમ નિશ્ચિત છે. સોનાની ગીનીઓ લઈને ઘરે પૂરપાટ જતા ઘોડેસવાર આરબના ખભે મૃત્યુનો પંજો પડે છે. આરબ કાલાવાલા કરે છે. મૃત્યુ એને જવા દે છે. આરબ ઘરે પ્હૉંચે છે, સ્વજનોને મળે છે. ફરી પંજો પડે છે – આઇ ફર્ગૉટ ટુ ટેલ યુ ધ પ્લેસ, ધિસ ઇઝ ધ પ્લેસ, ગિવ મી યૉર પઝેશન ! સ્થળ-કાળથી સુનિશ્ચિત મૃત્યુની કશી જ વ્યાખ્યા કરવી પડે એમ નથી. પણ માનવજાતને એની ફૉમ રહેતી નથી.

એને સ્થાને, મોક્ષ, દેવદેવલાં, પૂજાઓ વગેરે ક્રિયાકાણ્ડમાં માણસનું જીવન વ્યતીત થાય છે; કશી સિસ્ટમનું કે પાર્ટીનું શરણું સ્વીકારી લેવાય છે. વગેરે બૅડ ફેઇથ છે.

આ ભૂમિકાએ રચાયો નિર્મમ નિરીશ્વરવાદી વિચાર, જે સાર્ત્ર-પ્રમુખ નિરીશ્વરવાદી અસ્તિત્વવાદનો પ્રમાણભૂત સિદ્ધાન્ત બન્યો.

જોઈ શકાય છે કે ફિલસૂફી વધુ ને વધુ વાસ્તવતરફી બની છે, વધુ ને વધુ મનુષ્યના અસ્તિત્વને લક્ષમાં લેવા લાગી છે. જીવન ‘આમ હોવું જોઇએ’-થી ખસીને દર્શનો જીવન ‘આમ છે’ કહેવામાં વધારે વ્યસ્ત દીસે છે. 'શૂડ બી' અને 'ટુ બી' વચ્ચેનો ભેદ સુગમ છે.

= = =

(March 16, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

17 March 2022 admin
← પ્રજાબંધુ – પ્રજાકીય અવાજની ૧૨૫મી સ્મરણગાંઠ
ધૂળેટીમાં ધૂળ ઊડે કે રંગ …? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved