Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજાબંધુ – પ્રજાકીય અવાજની ૧૨૫મી સ્મરણગાંઠ

મુકુન્દ પંડ્યા|Opinion - Opinion|16 March 2022

એક હતું પ્રજાબંધુ. પ્રજાના અવાજને એકનિષ્ઠાથી રજૂ કરતું અમદાવાદનું સાપ્તાહિક. છઠ્ઠી માર્ચ, ૧૮૯૮એ એનો જન્મ થયેલો. એ જીવ્યું ત્યાં સુધી પારકી જણીના છઠ્ઠીના જાગતલ જેવી એની ભૂમિકા રહી હતી. એની સ્મરણયાત્રા આજે સવાસોમા મુકામે પણ એટલી જ રોચક છે.

એના પહેલા અંકના તંત્રીલેખમાં, તંત્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લખીને પૂછેલું, પ્રેરેલું કે ‘કહો જન્મ ધરી શી કરી દેશની સેવા?’ એ જ ધ્યેય એનું અંત સુધી રહ્યું. પ્રથમ અંક બાર પાનાંનો હતો. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી, મુંબઈની મરકી, સ્વામી વિવેકાનંદની વ્યાખ્યાનમાળા એવું બધું સમાવિષ્ટ હતું. ભગુભાઈ દોઢ વર્ષ એના કર્તાહર્તા રહ્યા હતા. એ દિવસોમાં પાંચસો ગ્રાહક હતા.

દોઢ વર્ષ પછી સુકાન સંભાળ્યું ઠાકોરલાલ પ્રમોદરાય ઠાકોરે. ૧૯૦૫માં સાપ્તાહિકનું પોતાનું છાપખાનું–પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્ક્‌સ શરૂ કરાયું. થનગનતી ભૂમિ ખાડિયામાં. એની શાખ એવી હતી કે ૧૯૦૨માં દિલ્હી દરબાર ભરાયો એમાં ગુજરાતમાંથી એકમાત્ર આમંત્રિત અખબાર ‘પ્રજાબંધુ’ હતું! ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ સામે એનો ઉપાડો કાયમ હતો. ૧૯૧૦માં દર વર્ષે પોતાના ગ્રાહકોને  પુસ્તક ભેટ આપવાની યોજના શરૂ કરેલી.

૧૯૨૭ની ૧૮ ડિસેમ્બરે, ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર તંત્રી બન્યા એ પહેલાં, એમના પુરોગામીઓ હતા જેઠાલાલ ઉમેદરાય મેવાડા (૮ વર્ષ), જગજીવનદાસ શિવશંકર ત્રિવેદી (૧૧ વર્ષ), કેસરીપ્રસાદ ઠાકોર (૬ મહિના), ચીમનલાલ મોદી (૭ વર્ષ). ૧૯૩૦માં અસહકાર આંદોલન વખતે સરકારવિરોધી ભૂમિકા મામલે અંગ્રેજ સરકારે જામીનગીરી માગી હતી. એ આપવાની ના પાડવાની સલાહ ગાંધીજીએ આપેલી અને પરિણામ ભોગવવાની તૈયારી કરી લીધી હતી. ૧૬/૧૧/૧૯૩૦થી એનું પ્રકાશન મોકૂફ રખાયું. ૧૯૩૨માં સ્વેચ્છાએ બંધ કરાયું હતું. ૧૦/૧/૧૯૩૨થી ૧૭/૬/૩૩ દરમિયાન ‘પ્રજાબંધુ’એ વિવિધ સમાચાર-પૂર્તિઓ પ્રકાશિત કરી પ્રજાકીય પ્રશ્નો, સ્વરાજની લડાઈ માટેની પોતાની નિષ્ઠા જેમની તેમ રાખેલી. લડાઈનો બૂંગિયો વાગતો જ રાખેલો.

એ પછીના દિવસોમાં, ‘ગુજરાત સમાચાર’નો જન્મ થયો. ‘પ્રજાબંધુ’ની જ્યોત એમાં ભળી, લડાઈ લડાતી રહી. ૧૯૪૦માં બધું એકાકાર થયું. પોતાના જીવનકાળ દરમિયાન, ‘પ્રજાબંધુ’એ લડેલી લડાઈ, એ માટે કરેલો સંઘર્ષ એક લાંબી કહાણી છે. બંધ કરવાનો નિર્ણય થયો ત્યારે એનો ફેલાવો સાડા ચાર હજારથી વધુ હતો.

ટાંચા સંસાધનો, સરકારની કનડગત, સ્થાપિત હિતોનો રોષ એવા તમામ પડકાર છતાં પ્રજાની પડખે રહેવાનુ ‘પણ’ આજન્મ રહ્યું. જ્યોત ક્યાંક ભળી, બુઝાઈ નહીં. એની રોચક વાતો ક્યારેક .. હમણાં તો  પ્રજાબંધુને  શબ્દસલામ … એની એકસો પચીસમી સ્મરણગાંઠે!

લખ્યા તા. ૬/૩/૨૨

(માહિતી સૌજન્યઃ  ડૉ. રતન માર્શલના પુસ્તક – ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ’, ગાંડીવ સાહિત્ય મંદિર – સુરત)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 15

Loading

16 March 2022 admin
← સદ્ગત પ્રિયાને પ્રિયનો પત્ર
આ ધર્મ છે! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved