Opinion Magazine
Number of visits: 9447707
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે છો ને તો બહુ સારું લાગે છે ! …..

રમજાન હસણિયા|Opinion - Opinion|19 January 2022

લગભગ દાયકા પૂર્વે, મુંબઈના વરલી સી ફેસના ફ્લેટમાં બેઠે બેઠે, દિવાલના માપની બારીમાંથી દેખાતા અખૂટ સમુદ્રની સાક્ષીએ, હ્રદયસ્થ એવા ધનવંતભાઈએ એક વિધાન ઉચ્ચારેલું, 'રમજાન, તારા જીવનમાં સજ્જનતાનો સરવાળો થતો રહેશે.' કોઈ એવી વિરલ ક્ષણે ભાવસભર હૈયે બોલાયેલા આ શબ્દો ક્રમશઃ સાચા થતાં હું અનુભવતો રહ્યો છું. જ્યારે પણ કોઈ ઉમદા વ્યક્તિ સાથે નિકટનો ઘરોબો કેળવાય છે, ત્યારે પ્રિય ધનવંતભાઈએ વગર માંગે આપેલું આ વરદાન ફરી ફરી સાચું પડતું અનુભવું છું. આવો જ અનુભવ મને થયેલો, જ્યારે હું પ્રિય એવા તરલાબહેન શાહના સંપર્કમાં આવ્યો ત્યારે.

આમ તો અમે ફેસબૂકિયા ભાઈબંધ. ઉંમરના હિસાબે એમને મારા વડીલ બહેનપણી કહી શકાય. ગાંધી-વિનોબા મને ગમતા, એમની વાતો ને વિચાર ગમતા; પણ મને ગાંધી-વિનોબાના અભ્યાસ માટે કોઈએ પ્રેર્યો એમ કહેવું હોય તો તેમાં તરલાબહેનનું જ નામ લેવું પડે. સ્વ.બાબુભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે તેમણે મને પોતાની કુશાગ્ર બુદ્ધિથી સમજાવીને ગાંધી અને વૈષ્ણવજન વિશે વાત કરવા મનાવી લીધેલો. એ વાત કરવા વાલોડ પહોંચ્યો ત્યારે પ્રથમ વખત મને એમના દર્શનનો લાભ મળ્યો હતો.

સફેદ સાડીમાં સજ્જ એક પાતળી દેહયષ્ટિ ને ભાલની કરચલીઓ વચ્ચેથી દેખાતી-પરખાતી તેમની આંતરિક તેજસ્વિતા. મારા જેવા એક છોકરડાને ગાંધીની વાત કરવા આવેલો જોઈ લગભગ વડીલોના મોતિયા મરી ગયેલા, પણ હું જોઈ શક્યો કે કોઈએ તરલાબહેનને એમ કહેવાની હિંમત ન કરી કે આ કોને ઉપાડી લાવ્યા છો ! એમના નિર્ણય પ્રત્યેની સૌની અદબ પરથી સૌના દિલ પરના એમના પ્રેમાળ આધિપત્યનો ખ્યાલ મને ત્યારે આવી ગયેલો.

કોઈ પણ જાતના દેખાડા વિના એમણે પોતાની લાગણી વ્હાવ્યા કરી. સભા દરમિયાન મંચ પર નહિ પણ સામે બેસીને મારું બળ વધાર્યા કર્યું. એમની જે અપેક્ષા હોય તે પણ મારી વાતની કોઈ ટીકા ટિપ્પણી તેમણે ન કરી કે ન તો સભા પૂરી થયે રાજી થતા વર્તુળમાં પોતાનો વટ પડાવ્યો. બંને   સ્થિતિમાં તેમનું મંદ સ્મિતભર્યું અડોલ ગાંભીર્ય મને તેમના ભણી વધુ ઝુકાવતું રહ્યું.

કાર્યક્રમ બાદ તેમનાં ફૂલછોડથી છલકાતાં ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે તેઓ આટલા ફૂલગુલાબી કેમ લાગતા હતા ! ફૂલોની ભાઈબંધીનો આ પરતાપ હતો. ગણી ન શકાય તેટલાં નાના મોટા કુંડાઓમાં તેમની લીલીછમ સંપત્તિ મલકાતા ચહેરે આવનારનું અભિવાદન કરતી હતી. નાનકડા હોલની એક સાઈડમાં મજાનો હીંચકો નાગરી ઠાઠ માઠની ગરજ સારતો હતો. ઘરમાં બહુ ઝાઝું રાચ-રચીલું ન્હોતું પણ જે હતું તે કલાત્મક સજાવટને લીધે એટલું સુંદર લાગતું હતું કે બસ જોયા જ કરીએ ! ધીરેધીરે સંપર્ક વધતાં જણાયું કે એમણે જીવતરને પણ એ જ રીતે સજાવ્યું હતું.

કચ્છના પ્રભુલાલભાઈ ધોળકિયા જેવાં સાધુચરિત પિતાના તેઓ પુત્રી હોવાને લીધે ગાંધી અને વિનોબાના વિચારો તો એમને ગળથૂથીમાં જ મળેલા. માતા પિતાની તાલીમ અને સદનવાડીથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠ સુધીની કેળવણી પામીને તેમનું પોત એવું તો ઘડાયું કે જીવતરના આઠ દાયકા વીતવ્યા પછી પણ એનો રંગ સહેજ પણ ઝાંખો પડ્યો નથી.

કામ પણ આજીવન એમના જીવન ગુરુઓને ગમે એવું જ કર્યું. મગનભાઈ સોની આદિ દ્વારા વાગડમાં ચાલતી વાંઢશાળામાં ભણાવ્યું, બીજે પણ ભણાવ્યું. મોટી ગણાતી નોકરીઓની માયા છોડી એમણે કોઈના જીવન ઘડતરમાં મહત્ત્વની એવી શિક્ષકની નોકરી થઈ શકી એટલો વખત કરી પતિ બાબુભાઈના કામમાં જોડાઈ ગયાં. એમનું કામ શું એવું કોઈ પૂછે તો તેનો એક શબ્દ કે વાક્યમાં જવાબ ન આપી શકાય. સમાજમાં જે પ્રકારના કામની માંગ હોય તે કરવું એ બાબુભાઈની સાદી સીદી સમજ. પતિના પગલે ચાલેલા તરલાબહેને આજીવન એમ જ કુદરતે સોંપેલ કાર્યને સ્વધર્મ સમજીને કર્યા કર્યું ને હજુ કરી રહ્યાં છે.

એમને વ્યક્ત થવાનો ભારે સંકોચ થાય. કેટકેટલું વાંચે પણ આપણે કહીએ કે આના વિશે બોલો ને;  તો મને એવું ન આવડે કહીને પોતાની જાતને ખસાવી દે. આમ પણ ક્યાં ય કેન્દ્રમાં રહેવું કે દેખાવું એમની પ્રકૃતિ જ નહિ. ‘બરાબર … બરાબર … ' એવું બોલીને બધું બરાબર કરી લે. એમની નિશ્રામાં ચાલતી વનસ્થલી જેવી એકાદ નિશાળ જ જોવાનું મને તો સદ્ભાગ્ય મળ્યું છે પણ એ એક અનુભવે હું એટલો પ્રભાવિત થયો છું કે ન પૂછો વાત !

એમની સાથે વાત કરવાની બહુ જ મજા આવે. એક તરફ જબરદસ્ત સેન્સ ઓફ હ્યુમર અને બીજી તરફ ભારોભાર સંવેદનશીલતા. એક નાનકડો પિંડ કેટકેટલું સાચવીને બેઠું છે. પ્રેમાળ હૃદયથી છલકાતાં આવા તરલાબહેનને જન્મદિને એટલું જ કહેવું છે કે તમે છો ને તો બહુ સારું લાગે છે !

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

19 January 2022 admin
← વૈશ્વિક સ્તરે સર્વોદયની હાજરી
કોઈ નકારી ન શકે એવું ટકોરાબંધ સત્ય →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved