Opinion Magazine
Number of visits: 9450550
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાનરોનું ‘માનવીયકરણ’ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 January 2022

મહારાષ્ટ્રમાં વાનરો અને કૂતરાઓની ગેંગ વોરનો અજીબ ખૂની ખેલ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાનરોએ કૂતરાઓનાં ૨૫૦ જેટલાં ગલુડિયાં મારી નાખ્યાં, તે પછી નાગપુરના વન વિભાગના કર્મચારીઓએ હત્યામાં સામેલ બે વાનરોને પકડીને તેમને જંગલમાં વનવાસ કરવા મોકલી દેવાયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે, બે-ત્રણ મહિના પહેલાં કૂતરાંએ વાનરના એક બચ્ચાને ફેંદી નાખ્યું હતું, તે પછી વાનર સેના વેરની વસૂલાત પર ઊતરી આવી હતી. આ ટોળકીના સભ્યોને રસ્તામાં ગલુડિયું દેખાય તો તેને પકડીને ઊંચી જગ્યાએ લઇ જતા, અને પછી નીચે ફેંકી દેતાં. આવી રીતે ૨૫૦ ગલુડિયાં માર્યાં ગયાં પછી ગામ લોકોએ વન વિભાગની મદદ લીધી હતી.

સમાચાર ભલે રમૂજી હોય, પરંતુ તેમાં ગંભીર મુદ્દો પણ સમાયેલો છે; વાનરોઓ ઉત્તરોત્તર શહેરી અને ગ્રામીણ માનવવસાહતોથી ટેવાઈ રહ્યા છે, અને માણસો જે રીતે કરે છે તે બધું જ શીખી રહ્યા છે. “વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે”, એવી ફરિયાદ છેલ્લા અમુક દાયકાઓથી ભારતનાં તમામ શહેરોમાં સંભાળવા મળે છે. તેજ શહેરીકરણના કારણે જેમ જેમ પ્રાકૃતિક જગ્યાઓ ટૂંકી થઇ રહી છે, તેમ તેમ વાનરો માનવજીવન સાથે પનારો પાડી રહ્યા છે.

ભીડભાડવાળા ઇલાકાઓમાં વાનરો ઇલેક્ટ્રિક વાયરો પર લટકતા હોય, મકાનોના ધાબે ઠેકડા મારતા હોય, બાલ્કનીઓમાં બેઠા હોય કે રસોડામાંથી ખાવાનું ઉઠાવી જતા હોય, વરંડામાં ફળ-ફૂલ તોડી જતા હોય તેવો અનુભવ આમ થતો જાય છે. ભારતનાં શહેરોમાં વાનરોના હુમલાના રોજ ૧,૦૦૦ કેસ નોંધાય છે. દિલ્હીમાં ૨૦૧૮માં આવા ૯૫૦ કેસ નોંધાયા હતા.

દિલ્હી હાઈકોર્ટે, ૨૦૦૭માં નગરપાલિકાને આદેશ કર્યો હતો કે વાનરોને દિલ્હી બહાર અસોલા ભટ્ટી વાઈલ્ડલાઈફ સેન્કચૂરીમાં મોકલી દેવામાં આવે. એક દાયકા પહેલાં દિલ્હી સરકારે વાનરોનું પ્રજનન રોકવા માટે ખસીકરણની યોજના બનાવી હતી. એ પછી પણ દિલ્હીમાંથી ‘વાનરોનો ત્રાસ’ ઓછો થયો નથી.

હિમાચલ પ્રદેશમાં, શિમલા જેવા પ્રવાસી સ્થળોએ આ સમસ્યા અતિ ગંભીર છે. ૨૦૧૯માં, શિમલાની સૌથી મોટી હોસ્પિટલમાં વાનરોના હુમલાના રોજ આઠથી દસ કેસ આવતા હતા. ૨૦૧૪-૧૫ના એક સરકારી સર્વે પ્રમાણે, વાનરોના ભેલાણના કારણે હિમાચલમાં ૨૦૦ કરોડ રૂપિયાનો પાક અને બાગકામ ખતમ કરી નાખ્યું હતું.

ડો. ડેનિયલ અલેન સોલોમન નામના અમેરિકન નૃવંસશાસ્ત્રી ૨૦૦૭માં વાનરોનો અભ્યાસ કરવા માટે શિમલા આવ્યા હતા, ત્યારે માણસો સાથે વાનરોના વ્યવહારને જોઈને અચંભિત થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે વાનરોમાં ખંડણી ઉઘરાવાની કે ચોરી કરવાની સહજ સમજ નથી, પરંતુ માણસો વચ્ચે રહીને તેમને ખાવાનું ન મળે ત્યાં સુધી હાથ પકડી રાખવાનું કે ઝાપટ મારીને લઇ લેવાનું આવડી ગયું છે.

યુનિવર્સિટી ઓફ મૈસુરમાં વાનરશાસ્ત્રી ડૉ. મેવા સિંહના એક રિસર્ચ પેપર અનુસાર ભારતમાં વાનરોની ૨૨ પ્રજાતિ છે. તેમાંથી મોટા ભાગની જંગલોમાં રહે છે, પરંતુ બોન્નેટ મકાક્યુ, રેસુસ મકાક્યુ, લોંગ-ટેઈલ્ડ મકાક્યુ અને હનુમાન લંગૂર પ્રજાતિ માણસોના કાયમી મહેમાન બની ગયા છે. આ પ્રજાતિઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની ‘ખતરામાં આવેલી પ્રજાતિ’ની યાદીમાં પણ સામેલ છે. આ જ પ્રજાતિએ માણસોનું જીવવાનું હરામ કરી દીધું છે. ભારતમાં આવા ૫ કરોડ વાનરો શહેરોના રહેવાસી છે.

ગયા જુલાઈ મહિનામાં, કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં, લોકોએ ૩૮ વાનરોને મારી નાખ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. વન વિભાગ અને સ્થાનિક પોલીસેને જયારે ખબર પડી કે ગામના ખેડૂતોએ વાનરોની હત્યા બદલ ક્ષમા માગવા માટે હનુમાનજીના મંદિરે વિધિ કરી છે, તે પછી ગામમાં રેડ કરીને સાત લોકોની ધરપકડ કરી હતી. આ ગામ જ્યાં આવેલું છે એ વેસ્ટર્ન ઘાટના ઇલાકામાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવના આવી અનેક ઘટનાઓ વધી રહી છે.

ભારતમાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવ વધવાનાં મુખ્ય ત્રણ કારણો છે; એક, લીલોતરી ઘટી રહી છે અને સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે અને બે, વાનરો ભગવાન હનુમાનનો સમાજ કહેવાય છે એટલે લોકોમાં તેમને ખાવાનું આપવાનો અને તેમને સાચવવાનો ભક્તિભાવ છે. ત્રીજું કારણ એ છે કે વસ્તીમાં વધારો થવાથી શહેરોમાં કૂડો-કચરો મોટા પ્રમાણમાં નીકળે છે, જે આ પશુઓ માટે ખોરાકનો સ્રોત બની ગયો છે.

જંગલમાં, વાનરોને ખોરાક માટે દિવસોના દિવસો સુધી મહેનત કરવી પડે છે, કારણ કે ત્યાં ખોરાક ઝાડ પર હોય છે. શહેરોમાં તેમને તે રેડી-મેઈડ મળે છે. કોઈ પણ સડકના ખૂણામાં કચરામાંથી ખાવાનું મળી જાય છે. અજીબ વાત એ છે કે આવા કચરા જેવું ખાઈને તેમના હોર્મોન્સમાં ગડબડ થઇ છે, પરિણામે તેમનામાં આક્રમકતા અને સ્ટ્રેસ વધ્યો છે. દિલ્હી કોર્ટે એટલા માટે જ વાનરોને ખવડાવા પર પ્રતિબંધ મુક્યો છે, પણ માણસોની આસ્થા આગળ આવા આદેશનું કંઈ ચાલતું નથી.

ભારતમાં (દક્ષિણ એશિયાના ઘણા પાડોશી દેશમાં) આ ત્રણ કારણોસર વાનરોની સમસ્યા સૌથી વધારે છે, પરંતુ વાનરો માણસો વચ્ચે આવી ગયા હોવાના ઘણાં ઉદાહરણો વિશ્વનાં અન્ય દેશમાં પણ છે. ૨૦૧૯માં, નેશનલ જિયોગ્રાફી સામયિકે એક ફોટો-સ્ટોરી પ્રગટ કરીને, કેવાં-કેવાં પ્રાણીઓ તેમની પ્રાકૃતિક વસાહત ગુમાવીને માનવ વસાહતોમાં રહેવા આવી ગયાં છે તેનો અહેવાલ પ્રગટ કર્યો હતો.

માણસો અને પ્રાણીઓનું સહઅસ્તિત્વ સદીઓ જૂનું છે, પરતું શહેરીકરણનો વ્યાપ વધવાથી તેનું સંતુલન ખોરવાઈ ગયું છે. વધુને વધુ પ્રાણીઓ માનવ વસાહતમાં રહેવા આવી ગયાં છે, પરિણામે માણસો સાથે તેમનો ટકરાવ પણ વધી રહ્યો છે. આપણે તેને “પ્રાણીઓનો ત્રાસ” અથવા “પ્રાણીઓની ઘુસણખોરી” છીએ, પરંતુ હકીકત એ છે કે માણસ હોવાની તાકાતના જોરે આપણે તેમનાં જંગલને પચાવી પાડ્યાં છે, અને તેઓ તેમનું અસ્તિત્વ બચાવવા માટે સટાસટીનો જંગ ખેલી રહ્યાં છે.

આનો કોઈ ઉપાય? દુનિયાના તમામ નિષ્ણાતો કહે છે આ એક હારી જવાયેલું યુદ્ધ છે. આમાં બંને પક્ષે ખુવારી જ ખુવારી છે. કદાચ માણસ તેની તાકાતના જોરે આવનારી સદીઓમાં તમામ વાઈલ્ડ લાઈફને તહસનહસ કરી નાખશે, પણ પછી એ જીવન જીવવા જેવું હશે ખરું?

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 02 જાન્યુઆરી 2022

Loading

4 January 2022 admin
← સાંપ્રત વિકાસ અંગે વિચારણા પર ડૉ વર્ગીસ કુરિયનની દેણગી : કેરળ ઉપરાંત અન્ય પ્રદેશો પર તેના પ્રત્યાઘાત
સાવરકરે તો લખી આપેલું કે પોતે બ્રિટિશ કાયદાઓનું પાલન કરશે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved