Opinion Magazine
Number of visits: 9448701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ફોટોજર્નાલિસ્ટનું ચંબલના ડાકુઓ સાથેનું એસાઇમેન્ટ …

કિરણ કાપુરે|Opinion - Opinion|24 December 2021

ફોટોજર્નાલિસ્ટ તરીકે પ્રશાંત પંજિયારનું નામ જાણીતું છે. ફોટોજર્નાલિસ્ટનું કાર્ય છબિ દ્વારા ન્યૂઝ સ્ટોરી દર્શાવવાનું છે અને પ્રશાંત પંજિયારની તે બાબતે ખ્યાતિ આંતરરાષ્ટ્રિય સ્તર સુધી પહોંચી છે. તેઓએ ‘ઇન્ડિયા ટુડે’ અને ‘આઉટલુક’ જેવાં મીડિયા સંસ્થાનોમાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમના વિશે વાત કરવાનો ઉપક્રમ એટલો જ કે હાલમાં તેમનું એક પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પ્રકાશિત થયું છે. પુસ્તકના પ્રકાશક નવજીવન ટ્રસ્ટ છે અને તેમાં પ્રશાંત પંજિયારે તેમની તસવીર સાથે પૃષ્ઠભૂમિમાં રહેલી અજાણી સ્ટોરીઝને મૂકી છે. તેમનું સૌથી પ્રસિદ્ધિ અને પ્રશંસા પામેલું કાર્ય ચંબલ ઘાટીનું છે, જ્યાં તેમણે વર્ષો સુધી રહીને ત્યાંના ડાકુઓનું તસ્વીરી દસ્તાવેજિકરણનું કામ કર્યું. તે સિવાય પણ એંસી-નેવુંના દાયકાની મહત્ત્વની ઘટનાઓના પ્રશાંત સાક્ષી રહ્યા છે. પ્રશાંતનાં કાર્યનું ફલક વ્યાપક છે પણ તેની ઝલક તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’માં જોઈ શકાય છે.

ફોટોજર્નાલિસ્ટ તરીકે ભારતનો ઇતિહાસ ઉજ્જવળ નથી અને સ્થાનિક ભાષાઓના અખબારોમાં તો આજે પણ તેઓની સ્થાયી જગ્યા નથી. અંગ્રેજી અખબારો અને મેગેઝિનોમાં ફોટોજર્નાલિસ્ટોને અવસર આપ્યા છે અને આ અવસર હજુ તો આપવાની શરૂઆત થઈ હતી તે વખતે પ્રશાંતે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તે વખતે કંઈ કારકિર્દી ઘડવાનો ઇરાદો નહોતો, બસ શોખથી ફોટોગ્રાફીની શરૂઆત થઈ. ફોટોગ્રાફી કરવી તે નિજાનંદ તો હતો જ, પણ ખૂબ જલદી તેઓ ચંબલના એક એસાઇમેન્ટ સાથે સંકળાયા. કામ હતું ચંબલની ઘાટીમાં ડાકુઓ વિશે જાણવા-સમજવાનું. ચંબલ ઘાટી ડાકુઓ માટે કેન્દ્રસમી રહી છે. દેશના મધ્ય વિસ્તારમાં આવેલાં આ ક્ષેત્રમાં સામંતી અને જાતિ વ્યવસ્થાની સામે બળવો કરીને ડાકુની ટોળકીમાં સામેલ થવું સામાન્ય હતું.

પ્રશાંતે ડાકુઓની આ દુનિયા જોઈ ત્યારે જે કલ્પના કરી હતી તેનાથી તદ્દન જુદું હતું. પ્રશાંત એક મુલાકાતમાં નોંધે છે કે, તેઓ ફિલ્મોમાં દર્શાવવામાં આવતાં ડાકુઓથી તદ્દન જુદા હતા. સામાન્ય રીતે ફિલ્મોમાં ડાકુઓ કુર્તા પહેરતા અને તેઓના ખભે અથવા કમરમાં કારતૂસો રહેતી અને સાથે તેઓ ઘોડા પર જ આવતા. પરંતુ પ્રશાંત જ્યારે ચંબલ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની પાસે ઘોડા કે વાહનો નહોતાં. ચાલીને જ તેઓ સફર કાપતા અને સામાન્ય રીતે પોલીસનો યુનિફોર્મ પહેરતા હતા. સૌથી અગત્યનું કે ડાકુગીરીથી થતી તેમની કમાણી ખૂબ નહોતી, બલકે એવું કહી શકાય કે શહેરમાં એક સામાન્ય ચોર કરતાં પણ તેઓની પાસે ઓછા પૈસા રહેતાં.

પ્રશાંતને જ્યારે ચંબલમાં જવાનું થયું તે કાળે ફૂલનદેવીની ગેંગે 22 રાજપૂત લોકોને મારી નાંખ્યા હતા તે ઘટના તાજી હતી. આ ઘટનાની પ્રતિક્રિયા એટલી તીવ્ર આવી કે તત્કાલિન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વી.પી. સિંઘે રાજીનામું આપ્યું હતું. બસ, આ પછી કલ્યાણ મુખરજી નામના એક રિસર્ચ સ્કોલર પ્રશાંત પાસે આવ્યા. કલ્યાણને ડાકુઓના સમાજ પર એકેડેમિક રિસર્ચ કરવું હતું. થોડો વિચાર કર્યા બાદ એક અન્ય સાથી બ્રિજરાજ સિંઘ સાથે તેઓ ચંબલ જવા ઉપડ્યા.

પોતાના ખર્ચે પ્રોજેક્ટ પાર પાડવાનો હતો એટલે તેમાં ઝડપથી કામ કરવાનો પણ ઉદ્દેશ હતો. પરંતુ જ્યારે પ્રશાંત, કલ્યાણ અને બ્રિજે આ કામ ઉપાડ્યું અને તેઓ ચંબલના કેટલાક ક્ષેત્રમાં જઈ આવ્યા ત્યારે તેમને લાગ્યું કે આપણે એક ડાકુની ગેંગ ઉપર જ પુસ્તક કેમ ન લખીએ? તે વખતે મલ્ખનસિંઘ નામના ડાકુની ગેંગ કુખ્યાત હતી. મલ્ખનસિંઘ ‘બાઘી’ બન્યો હતો તેના માલિકના અત્યાચાર સામે. તેની બગાવત તેને દાસ્યૂ સમ્રાટ ગેંગનો મુખિયા બનાવ્યો હતો.

મલ્ખનસિંઘને મળવાનો રોમાંચ પ્રશાંતને હતો, પણ આ સાહસમાં જોખમેય હતું. જે વ્યક્તિને પોલીસ શોધતી હોય તેની પાસે પહોંચવું પ્રશાંત અને તેમના સાથીઓ માટે સરળ નહોતું. પહેલાં તો પ્રશાંત અને તેના સાથીઓ એવાં સ્થાને પહોંચ્યા જ્યાં તેમને મલ્ખનસિંઘના ગેંગના ઇન્ફોર્મર હોવાની બાતમી મળી. આ ઇન્ફોર્મરો પાસે તેઓએ મળવાનો મેસેજ મોકલ્યો. મલ્ખનસિંઘે તેમાં કોઈ રસ ન દાખવ્યો. પરંતુ જ્યારે તે આત્મસમર્પણનો વિચાર કરવા લાગ્યો ત્યારે તેણે પ્રશાંત અને તેના સાથીઓને મળવાનો સમય આપ્યો. એકાદ વર્ષ બાદ આ સંયોગ ઊભો થયો હતો અને રાતની મુસાફરી કરીને તેઓ મલ્ખનસિંઘના ગેંગના ઠેકાણે પહોંચ્યા. તે જાણતો હતો કે ત્રણ પત્રકારો તેની શોધખોળ કરી રહ્યા છે. પ્રશાંત કહે છે કે જ્યારે તેને પહેલીવાર મળ્યા ત્યારે તેને લાગ્યું કે અમે તટસ્થ પત્રકારો છીએ અને તેના આત્મસમર્પણ વિશે મધ્ય પ્રદેશ સરકાર સાથે વાતચીત કરીશું. જો કે અમે તો વળતી વેળા સુધી અમારું કામ કરી ચૂક્યા હતા. અમારી પાસે મલ્ખનસિંઘની માહિતી અને છબિઓ આવી ચૂકી હતી.

આ મુલાકાત પછી મહિનામાં જ મલ્ખનસિંઘે આત્મસમર્પણ કર્યું અને પછીથી પ્રશાંત ને તેના સાથીઓએ જેલમાં તેની મુલાકાત કરીને એક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું નામ છે : ‘મલ્ખન : ધ સ્ટોરી ઑફ બેન્ડિટ કિંગ’. મલ્ખન સિંઘ સ્થાનિકો વચ્ચે લોકપ્રિય હતો. ચંબલનો તે છેલ્લો ડાકુ હતો. તે સામાન્ય ગુનેગારોની જેમ ડાકુ નહોતો બન્યો, બલકે તેનું સ્વમાન ઘવાયું અને તે આ માર્ગે વળ્યો. સિંઘને ચંબલ બેહદ પસંદ હતું. તે પોતે દારૂ નહોતો પીતો અને ન તો તેમના સાથીઓને પીવા દેતો. તે ગરીબોનો મસીહા હતો અને મંદિરો નિર્માણ કરાવતો. તેની ગેંગના સભ્યને સ્ત્રીઓ સાથે અણછાજતું વ્યવહાર કરવાની છૂટ નહોતી. જો ક્યારેક તેમનો સામનો મહિલા સાથે થાય તો તેના ગેંગના સભ્યો તરત તે મહિલાના ચરણસ્પર્શ કરતા.

જ્યારે મલ્ખાન અને તેની ગેંગે આત્મસમર્પણ કરવાનો દિવસ આવ્યો, ત્યારે તેને જોવા માટે આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા. આત્મસમર્પણ નિશ્ચિત જગ્યા પર થયું અને પોલીસ અને ગેંગ સમાધાની કરવા પર સંમત થયા. આત્મસમર્પણ પૂર્વે મલ્ખાને તેના મૂળ ગામ બિલાઓમાં રાતવાસો કર્યો હતો. તે અને તેના ગેંગે ત્યાં પૂજા કરી, ફાયરીંગ કર્યું. પછી તેઓએ તસ્વીર ખેંચાવડાવી. આ બધું જ થયું ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ ત્યાં હાજર રહ્યા હતા. અહીંયા જ તેમની સાથે પ્રશાંત સહિત તેમના સાથીઓએ મલ્ખન સિંઘ સાથે વાતચીત કરી. સરકારના પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. મલ્ખનના પિતા તે દિવસે એ જોઈને દુઃખી હતા કે તેમનો દીકરો કાયદા સામે સમર્પણ કરી રહ્યો છે. બસ, ત્યાંથી મલ્ખનને જેલમાં લઈ જવામાં આવ્યો. 1983માં જ્યારે મલ્ખાનને પેરોલ મળ્યા ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ મલ્ખાન સાથે ચંબલ ગયા હતા. ચંબલ તેઓ મલ્ખાનના દીકરા અને દીકરીને મળ્યા હતા.

મલ્ખાન સિંઘની સ્ટોરી કાગળ પર ઉતરે તે દરમિયાન પ્રશાંતનું ચંબલ વિસ્તારમાં રહેવાનું સારું એવું બન્યું હતું. તેમ છતાં મલ્ખન ગેંગ દ્વારા થયેલી ખૂનાખરાબી વિશે સાંભળ્યું ન હતું. પ્રશાંત એવું યાદ કરે છે કે, પુસ્તક અંગે કામ કરતા હતા તે વખતે ગનફાયર અને ડાકુઓના મૃતદેહોના તેઓ સાક્ષી રહ્યા હતા. આવા જ એક કહેવાતા ડાકુઓને મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંત ત્યાં હાજર હતો. પાનસિંઘ તોમરને પણ મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંતની ત્યાં હાજરી હતી અને પોલીસે પાનસિંઘને મારીને તેનો મૃતદેહ લોકોને જોવા માટે મૂકી રાખ્યો હતો. પોલીસ સાથે ડાકુ ગેંગ સાથે થતી ખૂનાખરાબી ત્યારે સામાન્ય હતી.

ચંબલમાં જવાનું બન્યું ત્યારે પ્રશાંતની ઉંમર ચોવીસ વર્ષની હતી અને પછીથી પ્રશાંતને જમીન સંબંધિત મુદ્દાઓમાં વધુ રસ જાગ્યો. ચંબલ અગાઉ પણ તેઓ બિહારમાં નક્સલ મૂવમેન્ટને જોઈ ચૂક્યા હતા. પણ તે કહે છે કે આ બધો રોમાંચ તો હતો જ, પણ તેમાં ક્યાં ય હળવાશ નહોતી. ડાકુઓને સમજવાનો આ ગંભીર પ્રયાસ હતો. પ્રશાંતનું કહેવું છે કે નક્સલીઓ અને ડાકુઓ સ્થાપિત હિતો સામે અન્યાય વિરુદ્ધ જંગ છેડવાને લઈને ઊભા થાય છે. પરંતુ તેઓ અલગ છે. નક્સલીઓનો પ્રયાસ સામંતી વ્યવસ્થાને તોડી પાડવાનો હોય છે જ્યારે ડાકુઓ એવી કોઈ ક્રાંતિ કરવાનો વિચાર ધરાવતા નથી, તેઓ માત્ર આ સામંતી વ્યવસ્થામાં ન્યાય ઝંખે છે. 1940થી 60 સુધીમાં ચંબલમાં ડાકુઓ કહેરના સમાચાર પૂરા દેશમાં ચમકતા હતા. પરંતુ પછીથી તેમનો અસ્તકાળ શરૂ થયો અને તેઓ લૂંટ બંધ કરી અને તેઓ અપહરણ-ખંડણીમાં પડ્યા. અને નેવુંનો દાયકો આવતાં આવતાં ચંબલ ડાકુઓથી મુક્ત થઈ ચૂક્યું હતું.

પ્રશાંત પંજિયારના અનુભવની આ ઝલક છે તેનું વિસ્તૃત વર્ણન અને અન્ય તસ્વીરો માટે ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પુસ્તક ખરીદવું રહ્યું.

e.mail : kirankapure@gmail.com

Loading

24 December 2021 admin
← એક શતાબ્દી વીત્યે, બીજી, અસહકારની ચળવળનો સમય પાક્યો
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની પીછેહઠની વૈશ્વિક રાજકારણમાં થતી દૂરગામી અસરની સંભાવનાઓ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved