Opinion Magazine
Number of visits: 9546234
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીટ સામે તામિલનાડુનો વિરોધ

રમેશ બી. શાહ|Opinion - Opinion|4 October 2021

તામિલનાડુ સરકારે તાજેતરમાં નીટ[The National Eligibility cum Entrance Test]નો વિરોધ કરીને ચર્ચા જગાવી છે. એ માટે એમણે એક સમિતિ રચી હતી અને એ સમિતિના અભ્યાસપૂર્ણ આધાર ઉપર તેમણે નીટની પ્રથામાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણમાં નીટનો પ્રવેશ પ્રમાણમાં નજીકનો ભૂતકાળ છે. એની વિગતમાં આપણે નહીં જઈએ. પણ એ પૂર્વે જે પ્રથા સમગ્ર દેશમાં ચાલતી હતી એનો ટૂંકમાં પરિચય આપીશું.

નીટની પ્રથા પહેલાં મેડિકલ કૉલેજોમાં ૧૨મા ધોરણના પરિણામને આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. એ પૂર્વ પણ ઈન્ટર સાયન્સમાં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સના આધારે રાજ્યની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ટૂંકમાં, ઈન્ટર સાયન્સની અને એ પછી ૧૨મા ધોરણની પરીક્ષા મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા બની હતી. એની જગ્યાએ નીટની પ્રથામાં હવે રાષ્ટ્રીય ધોરણે પાત્રતા અને પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. એમાં પાસ થનાર વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવી શકે છે.

આનું પરિણામ તામિલનાડુની સરકાર નિયુક્ત સમિતિએ દર્શાવ્યું છે. આ માત્ર ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ વચ્ચેનાં પરિણામ દર્શાવે છે. સમિતિએ આપેલા આંકડા પ્રમાણે તામિલનાડુમાં સી.બી.એસ.સી. શાળાઓનાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ૦.૯૭%થી વધી ૩૮.૮૪% થયું છે. રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૯૮.૨૩%થી ઘટીને ૫૯.૪૧% થયું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનું પ્રમાણ ૮૫.૧૨%થી વધીને ૯૮% થયું છે. તેની સામે તમિલ માધ્યમ રાખનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૮૮%થી ઘટીને ૨% થયું છે. જે વિદ્યાર્થીઓના વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી ઓછી હતી એનું પ્રમાણ ૪૭.૪૨%થી ઘટીને ૪૧.૦૫% થયું છે. એની સામે જે વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી વધારે હતી એનું પ્રમાણ ૫૨.૧૧%થી વધીને ૫૮.૯૫% થયું છે. રાજ્યની સરકારી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૫.૧૭%થી ઘટીને ૪૯.૯૧% થયું છે. અને શહેરી વિદ્યાર્થીઓનં પ્રમાણ ૩૪.૮૩%થી વધીને ૫૦.૦૯% થયું છે. ખાનગી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૮.૪૯%થી ઘટીને ૪૭.૧૪% થયું છે અને શહેરી વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૧.૫૧%થી વધીને ૫૨.૮૬% થયું છે.

આ આંકડાઓમાંથી એ સ્પષ્ટ થાય છે કે નીટની પ્રથા ગ્રામીણ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં શહેરી વિદ્યાર્થીઓને પસંદગી આપે છે. અંગ્રેજી માધ્યમને ભારે ઉત્તેજન આપે છે અને પ્રમાણમાં શ્રીમંત કુટુંબના સંતાનોને લાભ આપે છે.

આની સાથે વાત સંકળાયેલી એક વાત નોંધવા જેવી છે. નીટની પરીક્ષા પાસ કરનાર કોઈ વિદ્યાર્થી એવો ન હતો કે જેણે ૨-૩ વર્ષ કોચિંગમાં પરીક્ષાની તાલીમ લીધી ના હોય. આ પ્રકારની પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસમાં શિક્ષણ લેવું અનિવાર્ય થઈ ગયું છે. પણ એ માટે કોચિંગ ક્લાસની તગડી ફી ભરવાની વાલીની તૈયારી હોવી જોઈએ. ગ્રામવિસ્તારોમાં આવા કોચિંગ ક્લાસીસ ન મળવાથી એ વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની તાલીમ મળતી નથી. આને કારણે આ પરીક્ષાએ રાષ્ટ્રીય ધોરણે મોટી અસમાનતા સર્જી છે.

આપણે શિક્ષણને સંયુક્ત યાદીમાં રાખ્યું છે એનો અર્થ એવો થાય છે કે શિક્ષણનાં સુધારા અને પ્રથા રાજ્યો પોતાનાં આગવાં રાખી શકે છે. પણ સમવાયતંત્રને ભૂલીને આપણે રાષ્ટ્રીય ધોરણની વાત કરવા માંડી છે. આમાં આપણે ભૂલી છીએ કે ભારતનાં રાજ્યો વચ્ચે મોટો તફાવત છે એનો એક જ નિર્દેશ કરીએ. જે પાંચ રાજ્યોમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની માથાદીઠ આવક કેટલી છે એ નોંધીએ, તેમાં ગોવાની આવક ૩ લાખ જેટલી છે. પંજાબની આવક ૧.૧૯ લાખ છે. મણિપુરની આવક ૫૪,૦૦૦ અને ઉત્તર પ્રદેશની આવક ૪૫,૦૦૦ છે આ તફાવત રાજ્યોની ક્ષમતાનો નિર્દેશ કરે છે. રાજ્યો કેટલું કરી શકે એમ છે એનો આછો પાતળો ખ્યાલ આ આંકડાઓને આધારે આવે છે. આ વાસ્તવિક્તાને ભૂલી આપણે રાષ્ટ્રીય ધોરણની વાતો કરીએ છીએ તેમાં ગરીબ રાજ્યોના નાગરિકોને પરોક્ષ રીતે અન્યાય થાય છે.

મેડિકલના શિક્ષણમાં રાષ્ટ્રીય ધોરણની વાત કરીએ છીએ પણ નાગરિકોને દેશમાં એક સરખા ધોરણે તબીબી સારવાર મળવી જોઈએ એ વાત ભૂલી જઈએ છીએ. દેશના ગ્રામીણ વિસ્તારમાં લોકોને ઊંટવૈદાથી ચલાવવું પડે છે અથવા તો કોઈ તબીબી સારવાર વિના જ મરવું પડે છે. આ અસમાનતા આપણને ખૂંચતી નથી. જરૂરિયાત તો રાજ્યના ધોરણે એની ક્ષમતા પ્રમાણે તબીબી શિક્ષણની યોગ્ય પ્રથા ગોઠવવાની છે જેથી નાગરિકોને સદૈવ તબીબી સારવાર મળી શકે.

શિક્ષણ સમાનતાની દિશામાં મોટું પરિબળ બની શકે છે એ વાત ભૂલાઈ ગઈ છે અને શિક્ષણ અસમાનતાને વધારનાર પરિબળ બની ગયું છે. સ્વર્નિભર કૉલેજોની પ્રથા દાખલ કરીને આપણે શિક્ષણને અસમાનતાનું સાધન બનાવી દીધું છે. હવે મેરિટ બજારથી ખરીદવાની વસ્તુ બની ગઈ છે. કોચિંગ ક્લાસના આધારે વિદ્યાર્થીઓ નીટની પ્રવેશ પરીક્ષા કેવી રીતે પાસ કરવી એ શીખી લે છે પણ એ માટે પૈસા હોવા જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 10

Loading

4 October 2021 admin
← ઇતિહાસલેખનના પ્રશ્નો
સ્ત્રી અને પુરુષ એકબીજાને માટે છે કે માથે છે… →

Search by

Opinion

  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે
  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • કાન્તનું મંથન : ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved