Opinion Magazine
Number of visits: 9446681
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટોસ્ટ બળેલો છે

રમેશ કોઠારી|Opinion - Opinion|14 August 2021

ઓશોએ એક મઝાનું દષ્ટાંત આપ્યું છે. પોતાનો પુત્ર, મોટો થયા બાદ પણ વાચાહીન રહેવાને કારણે તે માતા અત્યંત ચિંતિત હતી. એક દિવસ તે બોલી ઊઠયો, ‘મમ્મી, ટોસ્ટ બળેલો છે.’ સ્વાભાવિક રીતે જ માતાના હરખ અને વિસ્મયનો પાર ન રહ્યો. તેણે પૂછયું, ‘આટલું બોલવામાં તે આટલી વાર કેમ લગાડી ?’  પુત્રે જવાબ આપ્યો, ‘મમ્મી’, અત્યાર સુધી બધું બરાબર હતું તો હું નાહક શા માટે બોલું ? આજે ટોસ્ટ દાઝી ગયો હતો માટે મારે મૌનભંગ કરવો પડ્યો.’

તો મિત્રો, વાત આટલી જ છે. બધું સમુસૂતરું ચાલતું હોય, જીવનના કોઈ ક્ષેત્રમાં કશું કહેવાપણું ન હોય, વર્તમાનપત્રોમાં લાખોકરોડોનાં કૌભાંડોનાં કૌભાંડો વિશે વાંચવા ન મળતું હોય, પ્રજાને ભગવાનના ભરોસે છોડી દેવામાં આવી ન હોય, કરોડોમાં આળોટતા આપણા સેવકો પાસે આટલી સંપત્તિ  કોઇ દેખીતા કામધંધા વિના કેવી રીતે આવી તેની જાણ ન થાય, ત્યારે લાંબા સમયથી મૂક પેલા બાળકની જેમ નાગરિકોએ પણ મક્કમપણે બોલવું રહ્યું. ચૂપ રહી પાપના ભાગીદાર બનાય નહીં.

વચ્ચે સચ્ચિદાનંદન સંપાદિત ‘Words Matter’ પુસ્તક વાંચવામાં આવ્યું. જેમાં આપણા અત્યંત સંવેદનશીલ બુદ્ધિજીવીઓ – માર્કંડેય કાત્જુ, એમ.એમ. કલબુર્ગી, પંકજ મિશ્રા, નયનતારા સેહગલ વ.એ કશી દિલચોરી કર્યા વિના શાસકોના કાન આમળ્યા છે, તેમને તેમનો ધર્મ સમજાવ્યો છે. આ પુસ્તકમાં શરૂઆતમાં જ Czeslaw Miloszની પંકિતઓ ટાંકી છે :

You who have wronged the simple man
Bursting into laughter at his suffering.
Do not feel safe. The poet remembers.

કવિઓ- સર્જકો માટે તો શબ્દો એ જ તેમનાં શસ્ત્રો. સલિલ ત્રિપાઠી સહિષ્ણુતાનો મહિમા સમજાવે છે. પણ એમ.એમ. બશીર જેવા અભ્યાસી વાલ્મીકિ રામાયણ વિશે લખે તે સાંખી શકતાં નથી.આપણે ત્યાં તો લોકોની લાગણી ઝટ દુભાઈ જાય છે અમુક તત્ત્વો અને એમને મનાવ્યે જ છૂટકો. કલાની જેને કોઈ ગતાગમ નથી તે કૉન્સ્ટેબલ, પ્રદર્શિત કૃતિને દૂર કરવાનું જણાવે, કારણ ? ગાયને અધચ્ચે લટકતી બતાવવામાં આવી હતી. બિચારો કલાકાર તો ગાયની દયનીય હાલત તરફ ધ્યાન દોરવા માંગતો હતો. આપણે ગાયને એંઠવાડ ખવડાવીએ, એના પેટમાં કેટલું પ્લાસ્ટિક જાય છે એની ચિંતા ન કરીએ; પણ કોઈ એના વિશે ચિત્ર દોરે તો વિરોધ કરવામાં પાછા ન પડીએ.

ગમે તે પક્ષની સરકાર હોય – સર્જકો હંમેશાં અવાજ ઉઠાવતા રહ્યા છે. કૉઁગ્રેસ શાસનવેળા કટોકટીનો જોરશોરથી વિરોધ થયો જ હતો. ઘણાંએ પોતાને પોંખવામાં આવ્યાં હતાં તે  સન્માન ખુમારીપૂર્વક પરત કર્યાં હતાં. આજે તો કોઈ સૂઝ વિનાના રાજકારણીઓ બેફાન નિવેદનબાજી કરી રહ્યા છે. આક્ષેપો-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, એમને શબ્દોનું પાવિત્ર્ય અને માહાત્મય કોણ સમજાવે?

અશોક યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દા પર આસીન પ્રતાપ ભાનુ મહેતા જેવા વીરલા કોઈ ન મળે જેમને શાસકોની ખફગી વહોરવી પડે તે પહેલાં, અંતરાત્માના અવાજને અનુસરવાનું પસંદ કર્યું.

અત્યારે  nameless fearનું વાતાવરણ જોવા મળે છે. ટોસ્ટ સંપૂર્ણપણે બળેલો છે  એમ કહીએ તો પણ ચાલે. ત્યારે વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરવા સંવેદનશીલ નાગરિકો, સર્જકોએ બોલવું રહ્યું. અસહિષ્ણુતા, કોમવાદ, શોષણ જેવાં અનિષ્ટોએ ભરડો લીધો છે, એક મહાન ‘ઍબ્સર્ડ’ નાટક ભજવાઈ રહ્યું છે, ખુશામતખોરો કોઈ જાતની લાયકાત વિના ઉચ્ચ હોદાઓ પર ગોઠવાઈ ગયા છે, તો કોઈ તો કહો, આ ‘ટોસ્ટ હવે ખાવા જેવો રહ્યો નથી’. શાસકોને રામ કે કૃષ્ણ સાથે સરખાવવામાં આવે ત્યારે કરોડોની જનસંખ્યા ધરાવતા દેશોમાં કોઇના પેટનું પાણી પણ કેમ નથી હાલતું?!

બિચારા સામાન્ય નાગરિકોને તો ચૂંટણી વેળા જ યાદ કરવામાં આવે છે. પણ કોઇ દુષ્યંતકુમાર, કોઇ ધૂમિલ બધું જુએ છે, બધુ યાદ રાખે છે – તે મોટું આશ્વાસન છે. આપણે ત્યાં કયારેક સરદાર પટેલ જેવા ગૃહમંત્રી હતા  જેમણે હોદ્દાનો કોઇ ગેરલાભ લીધો ન હતો, કોઇને લેવા દીધો નહતો. જયપ્રકાશ નારાયણ હતા જેમને રાષ્ટ્રપતિપદ કે  વડાપ્રધાન પદ આકર્ષી શકયા નહોતા, ઇંદિરા ગાંધીએ જેલમાં ધકેલ્યા છતાં એમને મન તો પુત્રીવત્‌ રહ્યા હતાં. ‘હિસાબ પતાવવાના દિવસો’ દૂર હતા.

અંગત રીતે, મારા જેવા ઘણાને જે.પી.ની ગેરહાજરી સાલવાની, જેમનામાં ‘ટોસ્ટ બળી ગયો છે’ કહેવાની નૈતિક હિંમત હતી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2021; પૃ. 02

Loading

14 August 2021 admin
← મતાધિકાર ન હોય તેવી વ્યક્તિ માટે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ …
પંદરમી ઑગસ્ટે અંગ્રેજો સત્તાની સોંપણી કરીને જતા રહ્યા એ આઝાદી હતી કે સત્તાંતરણ ? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved