Opinion Magazine
Number of visits: 9446628
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (9) : સહનશીલતા

સુમન શાહ|Opinion - Opinion|28 April 2021

મારે ઈન્ટર આર્ટ્સમાં ઇ.એમ. ફૉર્સ્ટરનો ‘ટૉલરન્સ’ નિબન્ધ ભણવામાં હતો. ‘અ રૂમ વિથ અ વ્યૂ’-થી વિખ્યાત બનેલા ઇન્ગ્લિશ મૅન ફૉર્સ્ટર મુખ્યત્વે નવલકથાકાર, પ્રેમમાં ય માને, પણ કહે કે પ્રેમ ઘરમાં બરાબર છે, બહાર તો સહનશીલતા જોઈશે – ટૉલરન્સ. આપણે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે માણસો એકમેકને પ્રેમ કરે તો ઘણા પ્રશ્નો આપોઆપ ઉકલી જાય, પણ ફૉર્સ્ટર ના પાડે છે. નિબન્ધમાં મુખ્યત્વે એમનું કહેવું એમ છે કે દુનિયાના ભલા માટે અને માનવજાતના કલ્યાણ માટે દરેક વ્યક્તિએ સહનશીલતાનો ગુણ કેળવવો જોઈશે અને તદનુસારનું વર્તન કરવું જોઈશે.

ફૉર્સ્ટરનો સમય છે : 1879 -1970 : એમનો એ નિબન્ધ પહેલી વાર 1938-માં પ્રકાશિત થયેલો, મારા જન્મના એક વર્ષ પહેલાં અને દુનિયા બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશવાને થનગનતી હતી, ત્યારે. ફૉર્સ્ટર ભારતમાં પણ રહેલા. દેવાસના મહારાજાના પ્રાઇવેટ સૅક્રેટરી હતા. પોતાના એ ઇન્ડિયા-નિવાસની એમણે ‘હિલ ઑફ દેવી’-માં વીગતે સુન્દર વર્ણના કરી છે. ઇન્ગ્લૅન્ડ પાછા ફર્યા પછી એમણે નવલ લખી, ‘ઍ પૅસેજ ટુ ઇન્ડિયા’. ખૂબ વખણાયેલી.

ઇ.એમ. ફૉર્સ્ટર / E M Forster

ભારતમાં રહી ગયેલા અંગ્રેજ સાહિત્યકારો મને મારા એ ભણતરકાળમાં બહુ ગમતા. ફૉર્સ્ટર તો ખરા જ પણ સુખ્યાત નવલકથા ‘જંગલ બુક’-ના સર્જક રુડયાર્ડ કિપ્લિન્ગ (1865-1936) અને ‘1984’ -ના કર્તા જ્યૉર્જ ઑરવેલ (1903-1950) પણ ખરા. કિપ્લિન્ગ અને ઑરવેલ તો જન્મેલા જ ભારતમાં.

રુડયાર્ડ કિપ્લિન્ગ / Rudyard Kipling

સહનશીલતાને ફૉર્સ્ટર નબળાઈ નથી ગણતા એ ખરું પણ સહી લેવાની એમની વાત મારા મગજમાં ઊતરતી ન્હૉતી. કેમ કે પ્રશ્નો તો જાહેરમાં હોય છે અને ઘણા હોય છે વળી સંકુલ હોય છે. અને પોતાના સંદર્ભના પ્રશ્નોને વેઠી લેવાને બદલે દરેકે અવાજ ઉઠાવવાની જરૂરત ખાસ પડતી હોય છે, જ્યારે ફૉર્સ્ટર ઊંધું કહે છે.

જ્યૉર્જ ઑરવેલ / George Orwell

અલબત્ત, પહેલું વિશ્વયુદ્ધ જીવી ચૂકેલી સંત્રસ્ત દુનિયાને ફૉર્સ્ટર બીજા વિશ્વયુદ્ધને ટાણે આવું કહે એ સ્વાભાવિક લાગે છે. જો કે ફૉર્સ્ટર આગળ વધીને ટૉલરન્સને નૅગેટિવ વર્ચ્યુ કહેવા લાગ્યા, ત્યારે મને બરાબર લાગેલું. કેમ કે, મને થતું કે સહી લેવું એ સદ્ગુણ ભલે છે પણ એ એક પ્રકારની નકારાત્મકતા છે – જાણે તમે કશું હકારાત્મક કરવાની ગુંજાઈશ ખોઈ બેઠા છો, ન-ગુણા છો. મને થાય, સહનશીલતા એક રૂપાળા આદર્શથી વિશેષ ન હોઈ શકે.

માની લઇએ કે સહનશીલતા સદ્ગુણ છે, પણ ક્યારે, શું અને કેટલું સ્હૅવું એ પ્રશ્ન છે.

બાજુમાં બેસીને મારી સામે કોઈ લાડુ ખાતું હોય અને મને એક તો ઠીક પણ ટુકડો ય ન આપે, મૉં ચલાવતાં ચમકતી આંખે હસી-હસીને ચ્હૅરો નચાવે, તો મારે એ સુ-ઘટનાને સહી લેવી પડે, કેમ કે મારાથી તો અવિવેકી ન જ થવાય.

મેં મારા અ-રસિક અધ્યાપકોને બહુ સહ્યા છે – એ લોકો નિરાંતે નૉટો ઉતરાવે, બધાં ઊધું ઘાલીને ઉતારે. હું બેસી રહું – સહનશીલતા કે કંઈ જુદું? અધ્યયન-અધ્યાપનની ગુણવત્તા સુધરે એ માટે ‘સન્નિધાન’ શરૂ કર્યું તેનું મહત્ કારણ આવા નૉટો ઉતરાવનારા …

લેટ સિક્સ્ટીઝથી અર્લિ નાઇન્ટીન્સ લગી બસોમાં ફરવાનું બહુ થયેલું – વ્હાલા ગુજરાતી સાહિત્ય અંગે વ્યાખ્યાનો માટે સ્તો ! કેટલીક વાર, વિદ્યાનગરથી અમદાવાદ જતાં, બસમાં એકપણ સીટ ખાલી ન હોય ને એ સ્થિતિને મેં ઊભાંઊભાં વેઠી હોય. એક વાર એક પૅસેન્જર મારી જેમ જ ઊભેલો પણ એના મૉંએ રૂમાલ બાંધેલો. હું પૂછું એ પ્હૅલાં જ એણે રૂમાલ કાઢી નાખીને કહ્યું – આગલી બસમાં બ્રેકને કારણે સીટ જોડે મૉઢું ભટકાયું. મેં જોયું કે નીચેના એના આગલા બે દાંત પડી ગયેલા, એક સાંધામાં આછું લોહી પણ હતું … મને થાય, ઘરવાળીને શું ક્હૅશે. એની એ વ્યથાને હું પણ વેઠવા લાગેલો અને રાહ જોતો’તો કે બારી બ્હાર સરતાં દેખાતાં વૃક્ષો ને ખેતરો ક્યારે પતે …

કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરવાની સલાહ સારી લાગે છે પણ બીજો ગાલ કોઈ ધરતું નથી. સહી લે છે, નતમસ્તકે નીકળી જાય છે. આ પણ એક આદર્શ છે. અવળું એ બને કે બીજા ગાલે પેલો બેત્રણ તમાચા લગાવીને જતો રહે !

પાણ્ડવોમાં સૌથી વધુ સહનશીલ હતો, અર્જુન. ભીમ ન્હૉતો. યુધિષ્ઠિર ધર્મની છાયામાં શાન્ત હતા. યુદ્ધના મૅદાનમાં અર્જુન બેસી પડેલો. એનું ગાંડિવ સરી ગયેલું. એને ક્લૈબ્યનો – નામર્દાઈનો – અનુભવ થવા લાગેલો. કેમ કે આપ્તજનોની હત્યા કરવાને વિશે એ લાચાર થઈ ગયેલો. એ ખરું છે, પણ એ પૂર્વે એણે ઘણું જ ઘણું વેઠ્યું હતું : કર્ણને વેઠ્યો. ભરી સભામાં પ્રિયા દ્રૌપદીનું વસ્ત્રહરણ વેઠ્યું. વિરાટને ત્યાં બૃહન્નલા રૂપે અવશ થઈ વારે વારે મૃદંગ બજાવ્યાં. એની કારકિર્દીમાં સંભવેલી એ લાચાર ઘટનાઓમાં એની સહનશીલતાની અવધિ હતી. એને થયેલા પ્રશ્નો તીવ્ર અને વાસ્તવિક હતા. કૃષ્ણે એના લાંબા લાંબા ઉત્તર આપ્યા તે પણ એણે સહ્યા હતા. કૃષ્ણે અર્જુનને બેઠો જરૂર કર્યો પણ મુત્સદ્દીગીરી અને ફિલસૂફી વાપરીને – જેને આપણે ‘ભગવદ્ ગીતા’ કહીએ છીએ.

દુનિયાભરમાં સૌથી વધુ કોઈ સહે છે – ના, ‘સ્હૅવું’ ક્રિયાપદ ઉચિત નથી – વેઠે છે; તે છે સ્ત્રીઓ. આ કોઈ ચર્ચાસ્પદ મુદ્દો નથી, ચર્ચાથી પર હકીકત છે. પૂર્વના દેશોમાં અને ભારતમાં બળાત્કાર, ડોમેસ્ટિક વાયોલન્સ, વગેરે દુષ્કર્મો છે અને પશ્ચિમના દેશોમાં અને અમેરિકામાં નથી એમ કહેવું જૂઠ છે. ફર્ક એટલો જ છે કે ભારતીય સ્ત્રી પોલીસ પાસે જઈને કેસ નથી કરતી, કરે તો ફાવતી નથી. મારે છે પુરુષો, માર ખાય છે સ્ત્રીઓ. ગાળો પણ ખાય છે. મા-બેન સમાની ગાળો મારનો પૂર્વ-ભાગ હોય છે – કરુણ નાટકનું ઍક્સ્પોઝિશન. સ્ત્રીઓ ગાળો નથી બોલતી કે એમના વાંકગુના નથી હોતા એમ નથી પણ એનાં ઊંડાં કારણો શોધવા બેસશો તો છેલ્લે જડી આવશે પુરુષો, જેઓએ એ સ્ત્રીઓને વાંકગુના કરવાની ફરજો પાડેલી. કોઈ કોઈ સ્ત્રીઓ જ ગાળો બોલી જાણે છે …

જુઓ, સહનશીલ વ્યક્તિ છેવટે તો એકલી પડી જાય છે. એને કાંઈ ગમતું નથી. દુનિયા જીવવા જેવી નથી લાગતી. જતા રહેવાની ઇચ્છા થાય છે. પણ જવાતું નથી, એનું સંસાર સાથેનું કનેક્શન લૂઝ પડી જાય છે અને લૂઝનું લૂઝ રહી જાય છે.

આપણે કારણે કોઈને કશું પણ સ્હૅવું ન પડે એવાં આપણે સહજ સરળ થઈએ તો કેવું સારું ! સરળતા મોટો સદ્ગુણ છે અને હકારાત્મક છે …

= = =

(April 28, 2021: USA)

Pictures Courtesy : Google Images

Loading

28 April 2021 admin
← ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved