Opinion Magazine
Number of visits: 9449638
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (25)

સુમન શાહ|Opinion - Opinion|21 June 2020

= = = = આજની આ ૨૧ જૂન એક બીજું સત્ય એ ચીંધી રહી છે કે મનુષ્યસરજિત આવા આવા સર્જનશીલ અને શોધ-સંશોધનને વરેલા તેમ જ એટલા જ વિચારચિન્તલશીલ આવિષ્કારો જ કોઈપણ અનર્થને ભગાડી શકે છે = = = =

કોરોના જાણે એક નાનકડા બીજમાંથી ઝડપ ઝડપમાં ફાલીને વિકસેલા બિહામણા મોટા ઝાડ સમું ધૂણે છે; બબડે છે, માણસ ગંધાય, માણસ ખાઉં … ૨૦૧૯ના ડિસેમ્બરથી આછોપાતળો શરૂ થયેલો અને ૨૦૨૦ના પ્રારમ્ભથી રીતસરનો મંડાયેલો એ આજે જૂનની ૨૧-મીએ કેટલો તો વકર્યો છે એ તો હવે આપણા સૌના અનુભવની વાત છે. આ મહામારી પોતે જ ઠરીઠામપણે જિવાતા જીવનમાં જનમેલી એક મહામોટી અસંગતિ છે, ઍબ્સર્ડિટી છે, અનર્થ છે.

પણ જુઓ, એ અસંગતિ, એ ઍબ્સર્ડિટી કે એ અનર્થની સામે કશોક માતબર સંગીન બલકે અપરાજેય અર્થ રચવાને દુનિયા આખી મચી પડી છે.

વિજ્ઞાનીઓ રસી કે દવાના સંશોધનમાં ગરકાવ છે. સાહિત્યકારો અવનવું સરજી રહ્યા છે. સંગીતકારો, ચિત્રકારો અને કલામાત્ર સાથે જોડાયેલા રસિયાઓ, સૌ, એ અસંગતિને નષ્ટ કરવા પોતાનાથી થાય એટલી કોશિશ કરી રહ્યા છે.

જુઓને, આજનો દિવસ ૨૧ જૂન કેટલી બધી સુસંગત અને અર્થપૂર્ણ વસ્તુઓ લઈને આવ્યો છે. દીકરીએ યાદ કરાવ્યું કે આજે ફાધર્સ ડે છે. કેટલી સારી વાત. આજે વિશ્વ-યોગ દિવસ છે. ભોગગ્રસ્ત પ્રવર્તમાન કે કશી પણ ગતકાલીન સભ્યતાને જીવન-સંતુલનનો રાહ દર્શાવતી યોગવિદ્યા પોતે જ એક મહિમાવન્ત અર્થ છે. આજે સૂર્યગ્રહણ થવાનું છે. રોજ સવારે બે-ત્રણ મિત્રો મને good morning-નું અભિવાદન સ-ચિત્ર મોકલે છે. હું એમને વળતું ‘સુપ્રભાતમ્’ લગભગ દરેક દિવસે લખી મોકલું છું. આજે એમાંના એક મિત્રે મને સૂર્યગ્રહણ વિશેની ઋગ્વેદની ઉક્તિ મોકલી : O Sun ! When you are blocked by the one whom you gifted your own light (moon), then earth gets scared by sudden darkness : ( Rig Veda : 5. 40. 5, 5, 40.9 ). હું ખુશ થઈ ગયો કેમ કે આ વીગતની મને ખબર ન્હૉતી. મને થયું, ઋગ્વેદકારની વાત સૂર્ય માટે સાચી છે એટલી જ માણસો માટે પણ સાચી છે. જેને પ્રકાશિત કર્યો હોય તે જ તમારું ગ્રહણ કરી દે ! એ પણ જીવનની ઓછી અસંગતતા છે? અરે, એથી સ્તો વૅરઝૅર અને જીવનના હર કોઈ ક્ષેત્રે રાજકારણ સરજાય છે, જે પછી વિષવેલની જેમ પાંગરે છે …

હું આજની આ ૨૧ જૂન કેટલી તો સુસંગત છે એની વાત કરતો’તો. આજે મારી પુત્રવધૂ પાયલ પૂર્વરાગે અમને ફૅમિલી ગ્રૂપને ગાંધીજીને પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો એને કહીએ …’ મોકલ્યું. એ ક્લિપની વિશેષતા એ છે કે એ ભજનને ૧૨૪ દેશના કલાકારોએ ગાયું છે ! એવા કલાકારો કે જેઓને ગુજરાતી ભાષાની સીધી જાણકારી નથી કે નથી તેઓ આના સર્જક આપણા સૌને વ્હાલા નરસૈંયાને જાણે છે. એટલું જ નહીં, કદાચ ન તો તેઓ હિન્દુ છે કે કદાચ ન તો તેઓ વૈષ્ણવધર્મને કે કોઈ વૈષ્ણવને ઓળખે છે. દેશ-વિદેશ, ધર્મ-પરધર્મ, કે નાતજાત કે કશાપણ ભેદનો આથી થયેલો ‘નાશ’ મને રોમાંચિત કરી ગયો, મારા મનને ગદ્ ગદ્ કરી ગયો. આનન્દભરી સજળ આંખે મેં આ ક્લિપને મારા મિત્રો પ્રતિ વ્હૅતી કરી દીધી. ત્યાં તો મને ‘અસ્તિત્વદર્શન’-ના કર્દમ આચાર્ય અને તેમના સાથી તેમ જ મારા મિત્ર વિશ્વમિત્ર દ્રુપદે યાદ દેવરાવી કે આજે સાર્ત્રનો જન્મદિવસ છે. એમણે ‘શબ્દ એવમ્ ચિન્તન કી કલાત્મક અભિવ્યક્તિ’ નામની એમની YuTube -સંલગ્ન ચૅનલ પર સાર્ત્રને વિશેનો એમનો વાર્તાલાપ આજે રી-રીલિઝ પણ કર્યો … સાર્ત્રે કરેલી વાત કે જીવનમાં બસ, સત છે અને શૂન્યતા છે. એથી અદકેરી શી હોઈ શકે જીવનવાસ્તવિકતા?

કોરોનાના પ્રતાપે એક સત્ય એ પુરવાર થઈ રહ્યું છે કે અનર્થોના પૂર્ણ સ્વરૂપના સાક્ષાત્કાર પછી જ અર્થને માટેની શોધ શરૂ થાય છે. પણ આજની આ ૨૧ જૂન એક બીજું સત્ય એ ચીંધી રહી છે કે મનુષ્યસરજિત આવા આવા સર્જનશીલ અને શોધ-સંશોધનને વરેલા તેમ જ એટલા જ વિચારચિન્તલશીલ આવિષ્કારો જ કોઈ પણ અનર્થને ભગાડી શકે છે. કોરોના જો મહામારી છે તો એની સામેનો આ વૈશ્વિક જંગ વિશ્વયુદ્ધો પછીનો મહા બલિષ્ઠ જંગ છે. જો કે એ જંગ નિ:શસ્ત્ર છે. આપણે ભલે બોલીએ કે ‘હું છું કોરોના-વૉરિયર’ પણ સાથોસાથ, આપણે એ યાદ રાખવું જોઈશે કે આપણી વૉર જુદા પ્રકારની છે. વૉર છે ખરી પણ તમામ અનર્થો સામે છે અને તેની ભૂમિકા હમેશાં માનવીય સર્જકતા છે, નહીં હોય તો હોવી જોઈશે … કેમ કે આ તો દેખીતાં શસ્ત્રો વિનાનું અને માત્ર આત્મબળે લડવાનું યુદ્ધ છે … એનાં ખરાં કારગત શસ્ત્રો તો આપણી અંદર પડેલાં છે … લડવાનું પણ, સમજીએ તો, જાત જોડે જ છે …

= = =

(June 21. 2020: Ahmedabad)

વિશ્વના ૧૨૪ કલાકરોએ ગાયેલા 'વૈષ્ણવજન તો…' માટે આ link પર જાઓ :

https://www.youtube.com/watch?v=nAbarXjmAwc&feature=youtu.be&fbclid=IwAR3jZhlVvXo3dP4jE6CgGQppxK0aDdBtUGZc3PsWT2jL97n1qv_zEHcKc-Q

Loading

21 June 2020 admin
← તો શું ?
ચીન દરેક પ્રકારની ‘બનાવટ’માં નામચીન છે →

Search by

Opinion

  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved