Opinion Magazine
Number of visits: 9747408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પડકાર જીવ અને જનતંત્ર બેઉને બચાવવાનો છે

શ્રવણ ગર્ગ|Opinion - Opinion|23 May 2020

શું આપણે આ વરસની પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવતા હોય અને તેમને સાંભળવા જનમેદની એકત્ર થઈ હોય એ દૃશ્યની કલ્પના કરી શકીએ છીએ? શું એ વિચારી શકીએ છીએ કે આપણે ત્રણ મહિના પછી ઉપલબ્ધિઓના કયા પડાવ પર હોઈશું અને વડાપ્રધાન એ દિવસે જનતાને સાવ જ નવો ક્યો સંદેશ આપશે? આગામી ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે દિલ્હીના રાજપથનો નજારો આ વખતે કેવો હશે તે કલ્પી શકીએ છીએ? હમણાં ચાર મહિના પહેલાંની ૨૬મી જાન્યુઆરીએ સમૃદ્ધિનું જે પ્રદર્શન કર્યું હતું, તે આ વખતે પણ કરવા ઈચ્છીશું ?

આપણા રાજનેતાઓ જ્યારે આપણને એવું સમજાવે છે કે હાલની આ મહામારી આપણી સમગ્ર જીવનશૈલીને બદલી નાખનારી છે, ત્યારે દુનિયાભરની પ્રજા એમના શાસકોથી નારાજ છે એ સચ્ચાઈ તે જાણેઅજાણે છુપાવી દે છે. આ સ્થિતિ સરમુખત્યારી શાસનવ્યવસ્થાવાળા દેશોમાં પણ જોવા મળે છે. રશિયામાં રોજ કોરોના સંક્રમણના હજારો કેસ નોંધાઈ રહ્યા છે. આખી દુનિયાને તેની અને રશિયન પ્રજાની નારાજગીની પણ જાણ થાય છે. અમેરિકા અને યુરોપમાં જો લોકો છીંકે એટલી અમસ્તી વાતને ય ત્યાંના રાજનેતાઓની લોકપ્રિયતા સાથે જોડીને જોવાતી હોય છે. ત્યાં (હાલની મહામારી દરમિયાન) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું જનસમર્થન અને લોકપ્રિયતા ઘટી રહ્યાના અહેવાલો છે. એવું પણ કહેવાય છે કે નવેમ્બર-૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી જો ટ્રમ્પ હારશે, તો તે ચૂંટણીમાં ગેરરીતિના આરોપ ઊભા કરીને પરિણામો સ્વીકારશે નહીં. ચૂંટણીમાં ગેરરીતિઓ આચરવાના કારણે લોકસભાના સભ્યપદેથી ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવતો અલાહાબાદ હાઈકોર્ટનો 12 જૂન 1975નો ચુકાદો ન સ્વીકારવાના ઇન્દિરાના વલણ અને ત્યાર પછીના ઇતિહાસને પણ આ ક્ષણે આપણે સંભારવો જોઈએ.

કોરોના સંકટની ગંભીરતા સમજવામાં અને તેને પહોંચી વળવામાં જે વિલંબ કરાયો તેનાથી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે અને ઘણી હાડમારી વેઠવાની આવી છે. આ કારણે દુનિયાભરના શાસકોથી પ્રજા નારાજ છે. લોકોની તકલીફો જેમ જેમ વધતી જશે, ટાળી શકાય એવાં મોતના આંકડા વધતા રહેશે તેમ લોકોનો ગુસ્સો પણ વધતો રહેશે. સારું એ છે કે આ ત્રણ મહિનામાં જ શાસકોને સમજાઈ ગયું છે કે આગામી ત્રીસ મહિના કેટલા પડકારજનક હશે. તેમની બદલાયેલી મુખમુદ્રા તેની ગવાહી પૂરે છે.

લોકોની આ નારાજગીની એક બીજી બાજુ એ પણ છે કે લોકો તેમના વ્યવહાર અને વિચારોમાં વધારે ચીડિયા, કઠોર અને અસહિષ્ણુ બની રહ્યા છે. રાજકારણ પ્રત્યેનો તેમનો કાયમી ઉત્સાહ હવે અણગમામાં બદલાઈ ગયો છે. ધાર્મિક ઉન્માદને બદલે રોજગારી, બાળકોનું ભવિષ્ય અને સ્વજનો-પરિચિતના મોત જેવા મુદ્દાને પ્રાથમિકતા મળી રહી છે. પરસ્પરની વાતચીત અને સંવાદના મુદ્દા બદલાયા છે. સોશિયલ મીડિયા પર પણ જે ખરીખોટી વાતો ફેલાવાઈ રહી છે, તેમાં ધાર્મિક ઉન્માદ અને કોમી વૈમનસ્યનું પ્રમાણ ઘટ્યું છે. હવે તેને બદલે જેમને નિર્દયતાથી જાહેર રસ્તે કચડી નંખાય છે તે લાચાર-ભૂખ્યાં-તરસ્યા શ્રમિકોની તકલીફો વધુ ચર્ચાય છે. ધોમધખતા તાપમાં એ પણ ખબર નથી પડતી કે તેમના શરીરમાં લોહી વહે પણ છે કે નહીં.

જે લોકો ધાર્મિક રીતે બહુ કટ્ટર મનાતા હતા, તેમને એ વાતનો ઝાઝો ફરક નથી પડતો કે  ધર્મસ્થાનોમાં ગયા વિના પણ તે જીવી શકે છે. જે લોકો કટ્ટર લોકોને હાથો બનાવીને સત્તાના શિખરે અત્યાર સુધી પહોંચ્યા છે તે ખૂબ ચિંતિત છે. તેમને ચિંતા એ વાતની છે કે હજારો લાશોના ભારથી મુક્ત મહામારી પહેલાંના સંસારને કઈ રીતે સજીવન કરી શકાશે.

જે લોકો કોરોનાકાળ પછીની દુનિયા અંગે ચિંતિત છે, તેમના માટે એક સમાચાર છે. હવે રાજનીતિ પણ કેટલીક હદ સુધી વર્ચ્યુઅલ અથવા ઑનલાઇન થઈ જશે અને નેતાઓએ પણ ઘરે રહીને કામ કરવું પડશે. સંક્રમણનો ખતરો વધે નહીં એ માટે જનતા એમના સીધા સંપર્કમાં નહીં આવે. જો કે, આવી સ્થિતિ લોકશાહી માટે જોખમકારક સાબિત થઈ શકે છે. દુનિયાભરમાં આજે અર્થતંત્ર બચાવવું કે જિંદગી બચાવવી એ બે પૈકી એકની પસંદગી કરવાનો સવાલ ઊભો થયો છે. શક્ય છે કે સરકારો આ સવાલને બદલીને આપણને એવો સવાલ કરે, 'તમારે જીવ બચાવવો છે કે જનતંત્ર'? આ સવાલનો જવાબ બધાને ખબર જ છે. પરંતુ જવાબ એ પણ હોઈ શકે કે, અમારે જીવ અને જનતંત્ર બંને બચાવવા છે. સઘળો દારોમદાર જનતાના ખમીર પર છે.

અનુવાદ: ગૌતમ ડોડીઆ

e.mail : gautamdodia007@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020

Loading

23 May 2020 admin
← ૧૯મી સદીનો પ્લેગ, ૨૧મી સદીનો કોરોના
ચલ મન મુંબઈ નગરી—45 →

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved