Opinion Magazine
Number of visits: 9450135
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

UAPA : કપરા કોરોનાકાળમાં પણ વિંઝાતો રહેલો આપખુદશાહીનો દંડો

પાર્થ|Opinion - Opinion|20 May 2020

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ-અનલૉફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ (UAPA) ૧૯૬૭માં, ૨૦૧૯ના વર્ષમાં બહુ મોટા સુધારા કરવામાં આવ્યા છે, જે ગેરબંધારણીય છે તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં આ સુધારા અમલી બન્યા છે. આ સુધારા કે કુધારા શું છે?

• આ કાયદા અંતર્ગત હવે માત્ર સંસ્થાઓ જ નહીં, પણ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરી શકાય છે. એટલું જ નહીં, શંકાને આધારે કોઈને પણ આતંકી જાહેર કરી શકાય. વિશેષ વાત એ છે કે આમ કરવા માટે તે વ્યક્તિનો કોઈ પણ આતંકી સંગઠન સાથે સંબંધ બતાવવો જરૂરી રહેશે નહીં.

• વ્યક્તિ પર આતંકવાદીનો આરોપ લાગે તો, હવે પ્રથમ તેણે આરોપ હટાવવા માટે કોર્ટની જગ્યાએ સરકાર દ્વારા બનાવેલ રિવ્યુ કમિટીમાં જવું પડશે. બાદમાં કોર્ટમાં અપીલ કરી શકાય.

• નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એન.આઇ.એ.)ના ડાયરેક્ટ જનરલ (ડી.જી.) પણ આતંકવાદી જાહેર કરાયેલી વ્યક્તિ અથવા જૂથની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી શકશે. અત્યાર સુધી, જે રાજ્યમાં મિલકત હોય ત્યાંના ડી.જી.પી.ની મંજૂરીથી મિલકત જપ્ત કરી શકાય એવું હતું.

• એન.આઇ.એ.ના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. હમણાં સુધી આ તપાસનો અધિકાર ફક્ત ડી.એસ.પી. અને મદદનીશ કમિશનર અથવા તે કક્ષાના અધિકારીને હતો.

• યુ.એ.પી.એ. એક્ટની કલમ 43 ડી (2) વ્યક્તિને આ કાયદા હેઠળ, 30 દિવસ પોલીસ કસ્ટડી મળી શકે છે. ઉપરાંત અદાલત 90 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે છે. (ટૂંકમાં આરોપીને ચાર્જશીટ વિના લાંબો સમય જેલમાં રાખી શકવાની જોગવાઈ છે.)

કોરોના લોકડાઉનના સમયમાં પણ પત્રકારો, કર્મશીલો સામે આ કાયદા હેઠળ કેસ દાખલ થયા છે. જે.એન.યુ.ના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, જામિયા મિલિયા ઇસ્લામિયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ શિફા-ઉર-રહેમાન તેમ જ જમ્મુ-કશ્મીરમાં ‘ધ હિન્દુ’ અખબારના શ્રીનગરના સંવાદદાતા પીરઝાદા આશિક સામે, પત્રકાર ગૌહર ગિલાની અને 26 વર્ષીય ફોટોગ્રાફર મશરત જાહરા સામે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે યુ.એ.પી.એ. અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ વિવાદોમાં રહ્યો છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા કર્મશીલો અને પ્રશ્નો ઉઠાવતા કાર્યકરોને ચૂપ કરી દેવા આ કાયદા અંતર્ગત હેરાન કરવામાં આવે છે. સરકારી આંકડા મુજબ 67 ટકા કેસમાં આરોપી નિર્દોષ સાબિત થયા છે. માત્ર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે આવા ગંભીર આરોપો લગાવવા કેટલા યોગ્ય છે? આ વ્યક્તિઓ દોષી છે કે નહીં તે ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ ભારતીય દંડ સંહિતાની બીજી ઘણી કલમો અંતર્ગત તેમની સામે કેસ દાખલ કરીને તપાસ કરી શકાય તેમ હોય, ત્યારે યુ.એ.પી.એ. શા માટે?

ન્યાય અને કાયદાની પ્રક્રિયા જટિલ અને સમય લેનારી બને કે જેથી વ્યક્તિની શક્તિઓ ક્ષીણ થઇ જાય, ફરી પોતાની વાત મૂકતાં અચકાય અને પ્રશ્નો પૂછવાનું ટાળે તે હેતુથી સરકાર કાયદાઓમાં ફેરફાર કરીને વધુને વધુ સત્તા પોતાના હાથમાં લઇ રહી છે.

એક તરફ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાથી વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તે અંગે કેસ દાખલ થયો છે અને કોર્ટે સરકારને નોટિસ બજાવી છે, તો બીજી તરફ સરકાર આ કાયદાનો ઉપયોગ કરીને પત્રકારો અને સવાલ ઉઠાવતા લોકોને હેરાન કરી રહી છે. આ કટોકટીના સમયમાં સરકાર પોતાની ટીકા કે મર્યાદા તરફ ધ્યાન દોરવણીને હકારાત્મક લઈને શું વધુ અસરકારક કામ ન કરી શકે?

e.mail : yuvaparth@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020

Loading

20 May 2020 admin
← નીંભર સરકારોના રાજમાં આત્મનિર્ભર થવાનો પડકાર
આ મુશ્કેલ સમયમાં (16) →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved