Opinion Magazine
Number of visits: 9448789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોથી જાગીર ખરી, પણ કોની ચોથી જાગીર?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|30 November 2013

કાશ, મેટ્રોસેક્સ્યુઅલ પ્રજાતિને એ જરી જાતમાં ઝાંખવા સારુ ઝકઝોરી શકે …



ચેનલ ચોવીસામાં તરુણ તેજપાલ ખાસા છવાયેલા રહ્યા શુક્રવારે સાંજે આ લખી રહ્યો છું ત્યારે નાનો પડદો ચીખી ચીખીને કહી રહ્યો છે કે ગોવામાં એમને કોરટ રૂબરૂ શનિવારે કરવાના હોઈ હાલ એમને સારુ જરી રાહતનો દમ ખેંચવાના સંજોગો છે. રાહતનો દમ ખરું તો સમાચાર-ચેનલના બંધાણી એવા મારેતમારે માટે પણ હોઈ શકે, કેમ કે જરી પોતે ખાઈએ ત્યારે સ્તો લગીરે વિચાર કરવા પામીએ ને.

તહેલકાનું કેમેરાડંખી પત્રકારત્વ અનેક રીતે નોંધપાત્ર રહ્યું છે અને વિવાદના ઘેરામાં પણ રહ્યું છે. જો તેજપાલ વિશે એક સ્વતંત્રમતિગતિ પત્રકાર, બૌદ્ધિક (અને નવલકથાકાર) તરીકે વિચારીએ તો આવે વખતે એમણે આસારામ આદિની પેઠે આઘાપાછા થવાની પેરવીને બદલે દેશમાં જામેલી નર્ભિયા આબોહવામાં બળાત્કાર વિરોધી જે નવો કાયદો શક્ય બન્યો છે એને ધોરણે અદાલત રૂ-બ-રૂ થઈ કાનૂનને આધીન ચાલવું જોઈતું હતું. શરૂમાં એમણે છ મહિ‌નાની કાર્યછુટ્ટીની જે પ્રાયશ્ચિત્તમુદ્રા અંગીકાર કરી હતી તેની સાથે મેળમાં હોઈ શકતી આ અપેક્ષા છે.

તહેલકાના, હવે રાજીનામા ગત મેનેજિંગ તંત્રી શોમા ચૌધરી એ રીતે ઊંઘતાં પકડાયાં ગણાય કે આટલું મોટું અને સતત સુરખી સક્રિય એસ્ટાબ્લિશમેન્ટ ચલાવતે છતે મહિ‌લા કર્મી જેની સમક્ષ ધા નાખી શકે એવી કોઈ સેલ રચવાની એમણે જરૂર જ નથી જોઈ, અને ઘોડા છૂટી ગયા પછી (કે એમના છૂટવાની કાળજી લેતે લેતે) એમણે તબેલો વાસવા જેવું કર્યું એ તો બિલકુલ જાગ્રત ઝોકાનો કિસ્સો હતો. તહેલકાની કેમેરાડંખી પત્રકારિતા સામે એ ભાજપવિરોધી હોવાનો આક્ષેપ સતત થતો રહ્યો છે; પણ બાંગારુ લક્ષ્મણનો રુશ્વતકિસ્સો – શસ્ત્રસોદાગરીમાં ભ્રષ્ટાચાર-ઓપરેશન કલંક (ગુજરાત ૨૦૦૨) નિશ્ચે જ પુરાવાબદ્ધ અર્પણો છે અને ગર્જનતર્જનથી માંડીને દલીલને બદલે ઊંચા અવાજની તરજ પર કામ લેતા ભાજપ શ્રેષ્ઠીઓ એનાથી પીછો છોડાવી શકે એમ નથી.

માનો કે ભાજપી પરિકર ગોવામાં તખ્તનશીન ન હોત તો, તરુણ તેજપાલને સહેજસાજ આસાએશને અવકાશ હોઈ શકત એમ પણ તમે કહી શકો. પણ જેમ બીજા કિસ્સામાં તેમ તેજપાલ પ્રકરણમાંયે 'કરણી તેવી ભરણી’નો ન્યાય પ્રવર્તે એ સ્વાભાવિક છે, અને તેજપાલે તે માટે ભાજપને દોષ અગર યશ આપવાનું કારણ નથી. ભાજપ જો આ મોરચે વધુ સક્રિય હોય તો એનો અર્થ એ નથી કે તેજપાલે કશુંક ન કરવાનું કર્યું એમાંથી એમને પરબારી મુક્તિ મળે છે. તેજપાલની કેમેરાડંખી પત્રકારિતાનો કાળ સમજવા જેવો છે. મેટ્રોસેક્સ્યુઅલ એવી જે એક મનુ પ્રજાતિ ચેનલ ચોવીસાની કૃપાએ વાસ્તવમાં નહીં પણ વર્ચુઅઅલ વિશ્વમાં વિહરે છે એનાં નીતિધોરણોને મારીતમારી સામાન્ય સમજ સાથે કોઈ સંબંધ નથી. ટીવીની પછેડી અને ટીવીની ચાખડી તેમ ટીવીની છડી, એવી જે પીઆર પેરવીએ ચાલતી નેતાગીરી છે એનું પણ એમ જ છે.

હમણાં મેં આસારામનું નામ લીધું, તેજપાલની ચર્ચા કીધી પણ જસ્ટિસ ગાંગુલીથી માંડીને અમિત શાહના સાહેબ, આ સૌ પોતાને પારનૈતિક ગૌરવઘટના ગણે છે. રાજકારણમાં નાનામોટા મરોડમાસ્તરો કહેતાં સ્પિનોડીઓની ચિંતા અને ચર્ચામાં હવે સ્પિનોડી અને સ્નૂપોડી એવી એક નવી પ્રજાતિ ઊભરી રહી છે. તેજપાલ પ્રકરણને આ સંદર્ભમાં જોવા તપાસવા જેવું છે. ગમે તેમ પણ, બ્રાન્ડ તહેલકા જ્યારે પત્રકારી શહાદત નહીં પણ ધંધાદારી મોતને વશ વરતતી માલૂમ પડે છે ત્યારે સાથી મીડિયાર્થી સૌએ જાતમાં ઝાંખવાનું ટાણું ચોક્કસ જ છે. નીરા રાડિયા ટેપ્સમાં ર્કોપોરેટ જગત અને રાજકારણીઓની જે છબિ ઊભરી હતી એમાં પત્રકારો પણ અપવાદ નથી.

નાને પડદે સજેલ – સંવારેલ મુદ્રામાં પ્રવર્તતા 'વીર’ એક પીઆરણને લખવ્યે લખતા હોય ત્યારે ચોથી જાગીર કોની જાગીર એવો સવાલ અસ્થાને નહોતો અને નથી. ગોવાની લિફટલીલાના શોર વચ્ચે 'ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ના સરબજીત રોયની શોમા ચૌધરી જોગ એક ઈ-મેલ લગભગ વણગાઈ – વણનોંધી રહી છે. સરબજીતે શોમાને (એ હજુ મેનેજિંગ તંત્રીની પાયરીએ હતાં ત્યારે) લખ્યું છે કે તમે 'પેઈડ ન્યૂઝ’નાં દૂષણથી તમારા રિપોર્ટરોને ક્યારે છોડાવશો? લોકપહેલ અને પ્રજાકીય પ્રતિકારની જે વૃત્તાંતકથાઓ તમારે પાને છપાય છે એને સારુ પૈસાની લેતીદેતીનો વહેવાર થાય છે. જો કે સરબજીતની વાત આટલી જ નથી – એણે અણચિંતવ્યા એકરાર જેવો એક વિગતમુદ્દો એ કીધો છે કે જંતરમંતર વાયા તહરીરના એ વાસંતી દિવસોમાં પણ તમે આઈએએસી પાસે પૈસા લીધા છે, તે હું મારા પુરોગામીઓ વિશે જે જાણું છું તેના પરથી બેધડક કહી શકું છું.

દેશના સ્વૈચ્છિક લોકકર્મીઓ અને નાની-મોટી લોકચળવળના લડાઈવીરો જેમાં પોતાનો ભેરુ જુએ છે એ મીડિયા એમને પણ છોડતું નથી. એ તો સાચું; પણ તેઓ પણ મીડિયાને ખટાવવાની કાળજી સેવે છે એય સાચું. કદાચ નાના પત્રો, ફાઈવસ્ટાર મેડિની આઈડોલ નહીં એવા સીધાસાદા પત્રકારો, કુંદનલાલ સાયગલની પેઠે પોતાનું હાર્મોનિયમ લઈને નીકળી પડનારા અને એ જ ધોરણે યમનિયમપૂર્વક સોશિયલ મીડિયે સંચરતા આપકર્મી – સત્કર્મી વિના આરોઓવારો નથી : એક્સપ્રેસ જેવો અપવાદ બાદ કરતાં કટોકટી સામે લડયા એ તો “ભૂમિપુત્ર” જેવાં તનુકાય પત્રો જ હતા ને … અને હા, મીડિયા માત્રને એનો એશો-અસબાબથી નહીં અંજાતો જાગ્રત દર્શક-વાચક, કહો કે સોક્રેટિક બગાઈ મળી રહે તો એથી રૂડું શું …

ભાઈ તેજપાલ, તારો આભાર, જાતમાં ઝાંખવાની તક આપી જે

 —

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.

સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 30.11.2013

Loading

30 November 2013 admin
← એક શાંતિ પ્રેમીની અલગારી રખડપટ્ટી
ડાયસ્પોરાનો એક નરવો અને ગરવો સાદ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved