ફાટી ફાટી આંખ ને કંઠે ય ડૂમો
કાળજે મૌન પાંપણે લચકે ડૂમો.
પ્હાડે પ્હાડે ઝરણ ને કંઠે ય ડૂમો,
વાર્તા કરે વાદળ એના વાયરે ડૂમો
ભીની ભીની છાતી કંઠે ય ડૂમો,
કેક્ દરિયા પીધા ધોધની ધારે ડૂમો.
ટીપે ટીપે ડૂબે દુષ્કાળ કંઠે ય ડૂમો,
તરવા નીસર્યા ખાબોચિયાંની ઠાઠે ડૂમો.
યાતાયાત લથબથ કંઠે ય ડૂમો,
ભડભડ કાળું એકાંત રૂંવે રૂંવે ડૂમો.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


આ જિગ્નેશિયો બહુ બોલ બોલ કરે છે. શું સમજે છે એના મનમાં? સોંપી દો છેક ભુતાન સરહદે આવેલા કોકરાઝારની પોલિસને. સીધો દોર થઈ જશે! મેવાણી, તારી વાણીને હવે વિરામ આપ, નહિ તો તને વિરામ આપી દઈશું. મેવાણી, અલ્યા, સમજ તો ખરો કે ન બોલવામાં નવ ગુણ છે. હા, બોલશે એનાં બોર અમે વેચી નાખીશું, તું ચિંતા શીદને કરે છે? તને વાણીમાં રસ છે, અમને મેવામાં. તું ય ખાને મેવા, તને કોણ ના પાડે છે? અલ્યા, અમારા ભેળો આઇને ખા!
‘ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ’નો અનિલ સ્વરૂપ જાણીતો ચહેરો રહ્યા છે. તેમણે 38 વર્ષ સુધી આ સર્વિસમાં અલગ-અલગ જગ્યા પર ફરજ બજાવી અને અંતે તેઓ ભારત સરકારના સેક્રેટરીના પદ સુધી પહોંચ્યા. તેમની આ સફરમાં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમનો અનુભવ કેવો રહ્યો છે તે વિશે તેમણે તેમના પુસ્તક ‘નોટ જસ્ટ અ સિવિલ સર્વન્ટ’માં લખ્યું છે. આ લખાણ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર પ્રકાશિત થયું છે. આ લખાણમાં અનિલ સ્વરૂપ લખે છે : “વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મારી પ્રથમ અને છેલ્લી મુલાકાત દરમિયાન તેમના વિચાર સાથે મારા મતભેદ રહ્યા છે. આ બંને વખતે તેઓએ મારી વાત સાંભળી અને પછી મારી વાતથી સહમત થયા. અને તેથી જ તેમની આસપાસ રહેનારાઓની મેં ટીકા કરી છે કે તેઓ વડા પ્રધાનને તેમના વિચારો મુક્ત રીતે જણાવતા નથી. મેં એવું અનેક વેળાએ જોયું છે કે જ્યારે અધિકારીઓ પોતાનો જુદો દૃષ્ટિકોણ રજૂ ન કરીને ચૂપ બેસી રહેતાં હોય અથવા તો વાતોમાં જ વહી ગયા હોય. હા, મેં તેમને કેટલીક વાર અધિકારીઓ પર ગુસ્સે થતાં પણ જોયા છે. એક વખત તેમણે રેલવે બોર્ડના ચેરમેનને અન્ય સેક્રેટરીઓની સામે ઠપકો આપ્યો હતો. જો કે અહીં બાબત જુદો વિચાર રજૂ કરવાની નહોતી, બલકે તેમનું ખરાબ પર્ફોમન્સ હતું.”
અનિલ સ્વરૂપે નોટબંધીની જે વાત કહી છે તેમાં તેમણે સરકારનો દોષ સ્પષ્ટ રીતે દર્શાવ્યો છે કે તેનું અમલીકરણ યોગ્ય રીતે ન થયું અને તેનાથી સામાન્ય માણસને નુકસાન થયું, ભ્રષ્ટાચારીઓને નહીં. પછી તેઓ લખે છે કે, “પછી તો જાણે વાતાવરણ બદલાઈ ગયું. સેક્રેટરીઓનું અંતિમ વડા પ્રધાન સાથે ‘ટી સેશન’ હતું ત્યારે હું આ મનોદશા સાથે ઉપસ્થિત રહ્યો હતો. થયેલા અભ્યાસ મુજબ કેબિનેટ સેક્રેટરીઓએ આરંભમાં કેટલીક વાતો કહી. ત્યાર પછી એક ઓપન સેશન થયું જેમાં સેક્રેટરીઓએ સૂચનો આપવાના હતા. અને આખરે વડા પ્રધાનનું ભાષણ હતું. આ રીતે સૂચનો અને વિચાર મૂકવાની એક વેગળી જ પદ્ધતિ હતી. જો કે તે દિવસે કેબિનેટ સેક્રેટરી બોલ્યા પછી કોઈએ ટિપ્પણી કે સૂચન ન કર્યું. ત્યાં અસમાન્ય શાંતિ હતી. માહોલ કેવી રીતે બદલાઈ ચૂક્યો છે તે સેશનમાં જોઈ શકાતું હતું. છેલ્લે ખુદ વડા પ્રધાન ઊભા થયા અને સેક્રેટરીઓને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા. કેટલાંક બોલ્યાં, પણ હવે દેખાતું હતું કે સંવાદની પૂરી પ્રક્રિયા ગાયબ થઈ ચૂકી છે.”