13 ઍપ્રિલ 2021ના મુકાયેલા મારા લેખના અનુસંધાને :
“અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલમાં ઉમેરણ જરૂરી છે. જેમ કે આધુનિક ગરબામાં સરૂપબહેનનો ગરબો “સરખી સહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરીને કહીશું રે લોલ”, પૂરા ગુજરાતમાં પ્રચલિત થયેલો અને હજી ગવાતો રહ્યો છે. તે રીતે વિભૂતિ, મીનળબહેન, ખેવના અને અન્ય લેખિકાઓનાં નામો પણ પોતાનાં પ્રદાન માટે ઉલ્લેખનીય છે. સરૂપબહેનને તો પોતાનાં નાટક માટે પણ સેન્સરશીપનો ભોગ બનવું પડ્યું હતું. જેની નોંધ લેવી જરૂરી છે. એમણે અમદાવાદમાં કલમ, મુંબઈમાં મીનલબહેન અને સાથીદારોએ લેખિની, વલસાડ – અમદાવાદ મળી વિમેન રાઈટર્સ કલેક્ટિવ, પ્રતિભા ઠક્કર – સ્ત્રીઆર્થ જેવાં ઉપક્રમો પણ થયા. જો કે કહેવું રહ્યું કે એનાથી જુવાળ ફેલાયો ન કહેવાય કારણ કે સ્ત્રીઓ હજી પણ પોતાની અંગત ઊલઝનોથી બહાર આવી શકી નથી. છતાં અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી હિલચાલ તો ખરી.
બીજી એક વાત પણ ઉલ્લેખનીય છે કે નિર્ભયા ઘટના સમયે આખો દેશ જાગી ઊઠેલો અને મોટી હિલચાલ દેખાતી હતી પણ પછી બળાત્કારની ઘટનાઓ બનતી રહી અને ક્યાંક રાજકીય હાથો બનવાનો મુદ્દો બનતો હોય તેવી સ્થિતિ પણ દેખાતી રહી છે. ક્યારેક તો એવું લાગે કે સ્ત્રીઓની સમસ્યાના મુદ્દાનું સરકારીકરણ થઈ રહ્યું હોય ! ઉમેરવાનું તો ઘણું છે. તો પણ કહી શકાય કે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢક આપતા પ્રયત્નો થતા રહ્યા છે, રહે છે અને થશે. અન્ય મિત્રો પણ પોતાની જાણકારીનું ઉમેરણ કરે તો માહિતી સમૃદ્ધ જ બનશે.”
[26/04, 12:48] Saroopben Dhruv: Hiren nu lakhelu Bhagatsinh vishe Itihas ni biji baju. Jenathi ant censorship movement sharu kari. 1984. Maru lakhelu R
[26/04, 12:53] Saroopben Dhruv: Raj privartan Dur darshan ma censor thayu. 1987. Highcourt ma gaya jitya 2000. Maru lakhelu Suno Nadi Kya kaheti hai. Theatre ma censor thayu. 2oo4. Fari movement pan courtma n gaya. Jitela e natak DD e na j batavyu . Technical problem batavyo.
[26/04, 12:55] Saroopben Dhruv: Haji ek Maanasjaat 1986 ma DDe adhu shooting karavine atkavyu.
પ્રાપ્ત વિગતો.
“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.
 


 કેન્દ્રની જવાબદારી છે કે આરોગ્યની કટોકટી ઊભી થાય તો તેણે રાજયોનું માર્ગદર્શન કરવું અને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવી. એવે વખતે આભ ફાટયું હોય ત્યાં થીંગડું કેમ દેવું – જેવું કહીને છટકી ન શકાય. એવો બચાવ એટલે ન ચાલે કારણ કોરોનાની બીજી લહેરનો સામનો કરવાનો સરકારોને પૂરતો સમય મળ્યો હતો ને એ ગાળામાં જરૂરી વ્યવસ્થા થઈ શકી હોત, પણ સરકારો આપવડાઈમાં જ રાચી.
કેન્દ્રની જવાબદારી છે કે આરોગ્યની કટોકટી ઊભી થાય તો તેણે રાજયોનું માર્ગદર્શન કરવું અને જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવી. એવે વખતે આભ ફાટયું હોય ત્યાં થીંગડું કેમ દેવું – જેવું કહીને છટકી ન શકાય. એવો બચાવ એટલે ન ચાલે કારણ કોરોનાની બીજી લહેરનો સામનો કરવાનો સરકારોને પૂરતો સમય મળ્યો હતો ને એ ગાળામાં જરૂરી વ્યવસ્થા થઈ શકી હોત, પણ સરકારો આપવડાઈમાં જ રાચી. સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.
સાથી ઇન્દુકુમાર જાનીને છેલવેલ્લા જુહાર પાઠવવા બેઠો છું. ક્યાંથી શરૂ કરું? છેલ્લાં વર્ષોમાં નારાયણ દેસાઈ ગુજરાતમાં નાનાં મોટાં નાગરિક વર્તુળોમાં વાત કરતાં કહેતા કે કંઈ નહીં તોપણ આપણાં આ ત્રણ પખવાડિકો તો વાંચતાં રહો : ‘ભૂમિપુત્ર’, ‘નયા માર્ગ’ અને ‘નિરીક્ષક’. આ લખું છું ત્યારે, એમ તો, ઉત્તમ પરમારનાં એ વચનો પણ સાંભરે છે કે આ ત્રણ પત્રો ગુજરાતના જાહેર જીવનની પ્રસ્થાનત્રયી સમાં છે. અયોધ્યા ઘટના પછી, ૨૦૦૨ પછી, દૈત્યકાય છાપાં વચ્ચે (‘સમકાલીન’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત ટુડે’ જેવા અપવાદ બાદ કરતાં) નીતિ અને ન્યાયની વાત કહેવાનું આ તનુકાય પત્રિકાઓને હિસ્સે આવ્યું. ત્રણેક દાયકા પર, મને યાદ છે, એક વાર મહેન્દ્રભાઈ મેઘાણીએ અમને સાથે મળવાનું ગોઠવ્યું હતું – તમે ત્રણ પખવાડિકો ભેગાં થઈ જાઓ તો કેવું સારું! એક વાત અલબત્ત સાચી કે દેશની બિનકોમી વ્યાખ્યા અને સમતા તેમ જ ન્યાય પર અધિષ્ઠિત સમાજ બાબતે ત્રણેમાં એકંદરમતી હતી અને છે. જો કે, હમણાં મેં ‘ત્રણે’ એમ કહ્યું ત્યારે મને યાદ રહેવું જોઈતું હતું કે ‘નયા માર્ગ’ માર્ચ ૨૦૨૦થી આમ પણ ઇન્દુભાઈએ બંધ કરેલું હતું. પણ ‘નયા માર્ગ’ અને ઇન્દુભાઈની જે લગભગ પર્યાયી ઓળખ ત્રણચાર દાયકા પર બની તે લક્ષમાં લઈએ તો ઇન્દુભાઈએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ‘નયા માર્ગ’નું તત્ક્ષણ સ્મરણ થવું સ્વાભાવિક હતું.