
ત્રિવેદીસાહેબ અમારે માટે વિષ્ણુકાકા હતા. નાનાં હતાં ત્યારે વાર-તહેવારે અચૂક એમના ઘરે જવાનું. ગમે એટલા વ્યસ્ત હોય પણ તરત જ આવકારે. નાનાને પણ એ તમેથી બોલાવતા. એમની એક ખાસિયત હતી કે એ ઉંમરમાં નાની વ્યક્તિને પણ તુંકારે બોલાવતા નહિ. એમના મોઢામાંથી તું શબ્દ ક્યારે ય સાંભળ્યો હોય એવું યાદ નથી. સેવક ભાઈઓ(પટાવાળા)ને પણ માનવાચક તમેથી જ સંબોધતા. એમનું ઘર આમ તો આદર્શ સોસાયટીમાંનો બંગલો, પરંતુ પ્રવેશો એટલે તમને આશ્રમમાં પ્રવેશતા હોય એવા વાતાવરણની અનુભૂતિ થાય. આશ્રમ જેવું શાંત, સાદગીભર્યું સ્વસ્થ વાતાવરણ. સૌ મૃદુ અવાજે જ બોલે. એક જાતની અદબ જાળવે. ત્રિવેદી સાહેબ શ્વેત ધોતી, સફેદ લાંબુ શર્ટ, લાંબી બાંઇનું, ગળાનું બટન પણ બીડેલું હોય, એમના ઉત્તરાભિમુખ પલંગ ઉપર બેઠા હોય, જમણા હાથ ઉપર એમનો હાથ પહોંચે એ રીતે ગોઠવેલું એક મેજ અને મેજ ઉપર તાજેતરમાં આવેલાં પુસ્તકોની થપ્પી. એ એમના હાથમાં અથવા પલંગ ઉપર જે વાંચતાં હોય એ પુસ્તક પડ્યું હોય. પરંતુ બધું જ એકદમ વ્યવસ્થિત.
સુરત આવતા મહાનુભાવો માટે ત્રિવેદીસાહેબનું ઘર એક તીર્થસ્થાનથી જરાયે ઊતરતું નહોતું, ઉમાશંકર, સુન્દરમ્, બળવંતરાય, સ્નેહરશ્મિ, યશવંતભાઈ શુક્લ, જયંત પાઠક, ઉશનસ્ જેવી લબ્ધ-પ્રતિષ્ઠિત વ્યક્તિઓ એમને મળ્યા વગર જતી નહિ. કલાકો ગોષ્ઠી ચાલતી, ઉમાશંકરને ત્રિવેદી-સાહેબે યુગપુરુષ કહ્યા હતા, કહેતા, “૧૯૫૦ પછીના ગુજરાતી સાહિત્યયુગને હું ઉમાશંકરયુગ કહું છું.”
એમના અનેકાનેક વિદ્યાર્થીઓ, જેમાંનાં કેટલાંકે બીજી પેઢીના સાહિત્યકારો, લેખકો તરીકે નામના મેળવી હતી, સ્નેહીજનો, દીકરા/દીકરીનું કે નવા આવાસનું નામ શોધવા, એવા અનેક લોકો એમને ત્યાં આવતા અને આવકાર પામતા. રસ્તે પસાર થતો લારીવાળો પણ એમના દર્શને આશીર્વાદ લેવા આવી ચડતો. બેસતા વર્ષે તો એમને ત્યાં રીતસરની ભીડ જામતી અને એ તમામને નામથી બોલાવતા અને આશીર્વચન સંભળાવતા. પુસ્તકપ્રેમીઓ પણ પુષ્કળ આવતા. પોતાના લખેલ લેખ કે પુસ્તક વિષે અભિપ્રાય લેવા, માર્ગદર્શન લેવા તો વળી નવા વાંચવા લઈ જવાવાળા પણ આવતા. જે કોઈ પુસ્તક કે સામયિક કોઈને વાંચવા આપે તો એની નોંધ જાતે રાખતા એટલે એમનાં પુસ્તકો ક્યારે ય ખોવાતાં નહિ. એમને ત્યાં આવનારાઓનો એક વિવિધરંગી પ્રવાહ હતો. એમને ત્યાં જામતી મંડળીમાં અજબગજબની ચર્ચાઓ થતી. ભાર કે દેખાડા વગરનું મોકળાશભર્યું, વિદ્વત્તાસભર, ચર્ચાઓનું વાતાવરણ સર્જાતું, જેના કેન્દ્રસ્થાને ત્રિવેદીસાહેબ જ હોય એ સ્વાભાવિક છે. ઘણી વાર એકદમ અજાણ્યા માણસો પણ એમના દર્શને આવી ચડતા, સ્વપરિચય આપતા અને નમન કરી કૃતાર્થ થયાની લાગણી અનુભવતા, દક્ષિણ ગુજરાતના કુલપતિ તરીકે ડૉ, ઉપેન્દ્ર બક્ષીની વરણી થઈ. ડૉ. બક્ષીને ત્રિવેદીસાહેબ સાથે કોઈ પરિચય નહોતો, પરંતુ સુરત આવીને અચાનક એક દિવસ ત્રિવેદીસાહેબના દર્શને આવી ચડ્યા. આવી હતી વિદ્વત્તા-પાંડિત્યસભર વ્યક્ત્વિની સુવાસ ત્રિવેદીસાહેબની.
ક્યારેક રમૂજભરી ઘટનાઓ પણ બનતી, એક વાર એક અપરિચિત સજ્જન આવી ચડ્યા, પહેલા ત્રિવેદીસાહેબને નમન કર્યા, પછી આજુબાજુ દીવાલ પર લટકાવેલ તસવીરોમાંથી એક તસ્વીરની નજીક જઈ હાથ જોડ્યા. ત્રિવેદીસાહેબને નવાઈ લાગી એટલે એમણે પૂછ્યું કે ભાઈ તમે આ તસવીરને કેમ નમન કર્યાં? પેલા સજ્જને એકદમ નિર્દોષતાથી ઉત્તર આપ્યો, આપના બાપુજી છેને એટલે. ત્રિવેદીસાહેબે માંડ હાસ્ય ખાળ્યું અને કહ્યું, ભલા માણસ, આ તસવીર તો ગોવર્ધનરામ ત્રિપાઠીની છે – સરસ્વતીચંદ્રના લેખક. ત્યારે પેલા સજ્જનને થયું આ તો ભારે ભૂલ થઈ ગઈ.
ત્રિવેદીસાહેબ એટલે પ્રજ્ઞાપુરુષ, ઋષિતુલ્ય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ હરોળનું નામ. એમ.ટી.બી. કૉલેજના રળિયામણા કૅમ્પસનું શ્રેય એમને જાય છે, કૉલેજના પ્રાંગણમાં એકએક ફૂલછોડ, વૃક્ષ એમણે પસંદ કરી રોપાવેલાં. એમ.ટી.બી. કૉલેજમાં કૅમ્પસ ઉપર જ રહેતા. કૉલેજથી માંડ પાંચસો ડગલાં દૂર એમનો બંગલો, ત્રિવેદીસાહેબ કાયમ છત્રી એમની સાથે રાખતા. શ્વેત ધોતી, ઉપર શ્વેત લાંબુ ખમીસ, ઉપર લાંબો ડગલો (બંધ ગળાનો કોટ), પગમાં કાળા જોડા (સ્લીપઑન) ભૂખરા રંગનાં મોજાં પર પહેરેલા
હોય, હાથમાં છત્રી અને માથે ફેંટો. એકવડિયો બાંધો પણ ખાસ્સું ઊંચું કદ એટલે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વના એ સ્વામી હતા. એમને હંમેશાં અમે તબિયતે નાજુક જોયા છે, એમના કમરાની બારી એ હંમેશા બંધ રાખતા. એમના કમરામાં ચાવીવાળું ભીંતઘડિયાળ હતું, જેમાં ટકોરાની ચાવી એ ક્યારે ય આપવા દેતા નહીં, જેથી રાત્રે એમને ખલેલ ન પહોંચે, સામાન્ય રીતે એ પોતાના કમરામાં જ રહેતા, ક્યારે ય બહાર નીકળ્યા હોય એવું ધ્યાન નથી, એમનાં પત્ની શાંતાબહેન બિમાર પડ્યાં ત્યારે એમને નડિયાદ વૈદને બતાવવા જવાનું થયું, ત્યારે હું એમને મોટરરસ્તે લઈ ગયેલો, એના સિવાય મને એઓ ઘરની બહાર નીકળ્યા હોય એવું ધ્યાન નથી.
પ્રકૃતિપ્રેમી ત્રિવેદીસાહેબ એમના બંગલેથી નીકળે ત્યારે દરેક વૃક્ષને નિહાળે, જાણે પ્રકૃતિ સાથે વાર્તાલાપ ના કરતા હોય, કૉલેજ પહોંચતા એમને વીસપચ્ચીસ મિનિટ થાય. માળીને સૂચના આપતા જાય. કૅમ્પસના એકએક વૃક્ષની એમને ઓળખ. દરેક વૃક્ષ પર એમણે નામની તખતી લગાવડાવેલી. વિનોબા ભાવે સુરત આવ્યા ત્યારે ત્રિવેદીસાહેબે એમના હસ્તે કૅમ્પસ પર બોરસલીનું વૃક્ષારોપણ કરાવડાવેલું. ત્રિવેદીસાહેબ પક્ષીઓને અવાજ પરથી ઓળખી શકતા, પક્ષીઓની ઋતુચર્યાની અત્યંત બારીક ખાસિયતો વિષે એમની પાસે અખૂટ માહિતી હતી, વિદ્વત્તા એમની રગેરગમાં હતી, આમ છતાં એવું કહેતા કે હું સાહિત્યકાર હોઉં કે ન હોઉં પણ હું અધ્યાપક છું જ અને મને અધ્યાપક હોવાનું સતત ગૌરવ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આરંભ ટાણે ઉમાશંકર જાતે ત્રિવેદીસાહેબને અધ્યક્ષપદ માટે સમજાવવા આવેલા, પરંતુ ત્રિવેદીસાહેબે સવિનય અસ્વીકાર કર્યો. એમ.ટી.બી. કોલેજનું સદ્ભાગ્ય કે ત્રિવેદીસાહેબ જેવી અનેક વિભૂતિઓએ. એમ.ટી.બી.ને જ પોતાની કર્મભૂમિ બનાવી જીવનના અંતિમ શ્વાસ સુધી. એમ.ટી.બી.ની ગૌરવગાથાનાં સુવર્ણપૃષ્ઠો આવી વિરલ વ્યક્તિઓનાં નામથી આભૂષિત છે, ત્રિવેદીસાહેબે જીવનના છેલ્લા દાયકા દરમિયાન ભાષા વિશેની સમાજની ઉદાસીનતા, ટી.વી.નું આક્રમણ, ઘટતાં જતાં સામાજિક મૂલ્યો, બદલાતી રહેણીકરણી, પીડાદાયી લાગતી છતાં પોતાનાં બાળકો, પૌત્રીઓને ટકોર્યાં હશે પણ સખતાઈ નથી કરી.
અમારા કુટુંબ સાથે અત્યંત ગાઢ સંબંધ, મારા પિતાશ્રી(કુંજવિહારી મહેતા)ને ત્રિવેદીસાહેબ પુત્ર સમાન જ ગણતા, અવારનવાર મારા પિતાશ્રીને પુસ્તકો ભેટ મોકલતા, પુસ્તકના ફ્લાયલીફ ઉપર એમના હસ્તાક્ષરોમાં કંઈક લખ્યું હોય. આવાં અનેક પુસ્તકો અમારી મહામૂલી મૂડી છે. ત્રિવેદીસાહેબે પોતાની નિવૃત્તિને દિવસે એક પુસ્તક મોકલ્યું હતું, જેમાં એમના હસ્તાક્ષરોમાં એમણે આ કાવ્યપંક્તિ લખી હતીઃ
“હવે મારી નજર સુભગ ભૂતકાળે ઠરે,
ભવિષ્ય નહિ સ્પષ્ટ, ડગ ધરતા દ્વિધા શી નડે?”
મારા પિતાશ્રી એમ.ટી.બી. કૉલેજના આચાર્યપદેથી નિવૃત્ત થયા એ દિવસે જે પુસ્તક ભેટ મોકલ્યું હતું એ પુસ્તક પર લખ્યું હતું, “આજના આ સોહામણા ટાણે, શુભેચ્છાસહ ..”
મૃત્યુની અગમજાણ એમને એકાદ મહિના પહેલાં થઈ ગયેલી. દસમી નવેમ્બરે એમનું અવસાન થયું તેના એકાદ મહિના પહેલાં તેમણે એમની ડાયરીમાં નોંધ લખી હતી, “મૃત્યુનો દિન પવિત્ર છે, કશો ય શોક કરવો નહિ, ક્રિયાકર્મ પણ કરાવવાં નહિ,”
ભાષાવિદ્દ, મૂર્ધન્ય સાહિત્યકાર, બહુમુખી પ્રતિભાસંપન્ન, સહૃદયી, સાચા અર્થમાં પંડિત, અને સંતપુરુષે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. સુરતને કર્મભૂમિ બનાવીને અહીં જ વસ્યાં એ સુરતનું સદ્ભાગ્ય છે, પરંતુ આવી વિદ્વત્તા અને પાંડિત્યસભર વ્યક્તિની કદર કરવાનું આપણે ચૂક્યા છીએ. વાસ્તવિકતા તો એ છે કે આપણે ઇતિહાસ, ઐતિહાસિક ઇમારતો ખંડેર બનાવી દીધાં પછી શોધવા નીકળીએ છીએ, પરંતુ દંતકથારૂપ વ્યક્તિ વિશેષોની અવગણના કરતા આવ્યા છીએ. સમસ્ત ગુજરાતમાં ત્રિવેદીસાહેબ જેવી વ્યક્તિઓ જૂજ પાકે છે, જે-તે સમયમાં આવાં પ્રસારણ માધ્યમોના અભાવે એમની પ્રતિષ્ઠા છેવાડા સુધી પહોંચી નહિ એ વિડંબના છે, આજની પેઢીની એ જવાબદારી બને છે કે આવી દંતકથારૂપ વ્યક્તિઓની જીવનકથાનો વારસો આવનારી પેઢી સુધી સુપરત કરે તો જ ઇતિહાસ સાહિત્યકારો લખશે, નહિ તો હવે પછીની પેઢી રાજકારણીઓએ લખેલા ઇતિહાસ ભણશે અને એ સમયે સાચુંખોટું ભેદ તારવવાનું શક્તિસામર્થ્ય એમની પાસે નહિ હોય.
સ્મરણોની કેડીએ આંગળી પકડી એક પછી એક પ્રસંગો, સ્મરણપટ પર ઊપસતા જાય છે, અને સન્મુખ છે પૂજ્યશ્રીનો મરકતો, ગૌરવર્ણો તેજસ્વી ચહેરો, એમના નિવાસસ્થાન “મૈત્રી” સામેથી પસાર થતાં ચિત્ત, ત્રણચાર દાયકા રિવાઇન્ડ થઈ જાય છે અને વાસ્તવિકતાનાં શૂળ ભોંકાય છે પરંતુ સ્મરણો એ જ મોટી મૂડી એમ માની મનને મનાવવું રહ્યું.
સત્યગરવો, રમણીયતાનો ઉપાસક, પ્રકૃતિપ્રેમી, નિઃસ્પૃહતા જેમના આચાર અને વિચારમાં વસતી, ગુજરાતી સાહિત્યના વાંગ્મય અવતાર સમો એમનો પુરુષાર્થ ચિરંજીવ છે અને સાચા સાહિત્ય ઉપાસકોમાં એ અજસ્ર ધબકતો રહેશે, આ મહાપુરુષને એમની પુણ્યતિથિએ ભાવસભર શ્રદ્ધાંજલિ! ……
(દસમી નવેમ્બરે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિદાયને ૩૦ વર્ષ થયાં)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 09-10
![]()


એ જ રસ્તે ચાલવાનું પછીના શાસકોને ફાવતું પડી ગયું? આપમેળે જ કટોકટી અને પાલન. મેં બોઈ બી’ની ને ચાઈ બી’ની.
કારોનું ઉલ્લંઘન, નિર્દયતા, હિંસા, પૂર્વગ્રહ, દ્વેષ અને અલ્પસંખ્યકોનું દમન પછી દુનિયામાં ગમે ત્યાં એ થતું હોય, વગેરેને ધ્યાનમાં નહીં લઈએ, આ બધાંના વિરોધમાં ઊભા નહીં રહીએ અને સત્તાના કેન્દ્રને આપણો સહિયારો અવાજ સાંભળવા ફરજ નહીં પાડીએ, તો આપણી નિષ્ક્રિયતાનાં વરવાં પરિણામોના જવાબદાર બીજા કોઈ નહીં, પણ આપણે પોતે જ હોઈશું. (નાગરકર, ૨૦૧૫ : ૫ પાનું ૪ અને ૫)”
ત્યાર પછી હેમાંગ કૉલોનિયલ-પોસ્ટ કૉલોનિયલ પ્રવાહની ચર્ચા કરી કોલાટકરના પ્રદાનને મૂલવે છે. સાથે કૉસ્મોપોલિટનનો અર્થધ્વનિ બે રીતે પ્રગટ કરતા લખે છે કે એક અર્થ મુંબઈ જેવા શહેરમાં વસતો સમુદાય જે ધર્મ, સંપ્રદાય, વર્ગ, વર્ણ, જાતિના ભેદભાવ વગર શાંતિથી રહે છે, જે મધ્યમવર્ગ છે, તો બીજો અર્થ સ્વ અને આંતરદ્વંદ્વને પ્રગટ કરે છે.એને બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં યુરોપિયન ઓલ્ટર ઇગો સુધી લઈ જઈ યહૂદી કલાકાર અને બુદ્ધિજીવી વગર યુરોપિયન કૉસ્મોપોલિટનનું પોત શું હોય તે દર્શાવવાની કોશિશ સાથે યુરોપિયન મૉડર્નિટીની વાત પણ કરે છે. અલ્પસંખ્યકની સભાનતા પણ અહીં અભિપ્રેત છે. અહીં હેમાંગ પોતાના, ચૌધરીના અને અન્ય વિદ્વાનોના મંતવ્યને પણ પ્રમાણી વિશદ ચર્ચા કરે છે. તેનું મૂળ છેવટે ઓળખની કટોકટી અને બેઘરપણું, અનિકેત, રોજિંદી ભાષા ભમતારામ સુધી અને સમાંતર બોહેમિયન સંસ્કૃતિના પરિચય સુધી પહોંચે છે, જેને માત્ર ને માત્ર સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે જ નિસબત છે. પછી બિટનિક કવિઓ અને બોહેમિયનના સંબંધને વર્ણવી મૉડર્નિટીનું વર્તુળ પૂરું કરે છે. જે કવિને પોતીકાપણાથી લઈ સાંસ્કૃતિક મૂળિયા સુધીની ખોજ તરફવાળી સ્વથી સમષ્ટિ સુધી વિચારી સર્જન માટે ઘડતર કરે છે, એટલે જ કોલાટકર પોતે મનપસંદ કવિઓની વાત કરે છે, ત્યારે વિશ્વભરના કવિઓ સાથે નામદેવ અને તુકારામને પણ જોડે છે. એમનું વાચન બહોળું, ગહન અને વૈવિધ્યસભર પણ છે. અહીં હેમાંગ કોલાટકરના દ્વિભાષી સર્જનની વાત કરી તેઓ કેવી રીતે મૌલિકતા અને અનુવાદના અરસપરસ સંબંધોનો છેદ ઉડાડી મરાઠી-અંગ્રેજીમાં એક જ કૃતિનું સર્જન કરી પોતાની નિર્બંધતાનો પરિચય આપે છે, તેનું વિવરણ કરે છે. તો અન્ય ભાષાની કવિતાઓને આત્મસાત્ કરી એનું નવસર્જન કરવાની હથોટીનો અણસાર પણ અહીં મળે છે, જેમ કે ઝેકીનાં કાવ્યો. તો વાનગીઓનો શોખ પણ એમને વિવિધ રેસ્ટોરાંથી ભોજનાલયોની મુલાકાતથી કાલાઘોડાના શિરામણનું કાવ્યસર્જન કરવા સુધી લઈ જાય છે. જે કૉસ્મોપોલિટન જીવનને અલગ અંદાજે વર્ણવે છે, તો ભૂખ અને ભોજનનાં સત્યને પણ કલાત્મક રીતે ઉજાગર કરે છે. પરિભ્રમણ, સ્થાપિત, વિસ્થાપિતની પ્રક્રિયાને વર્ણવતાં કાવ્યો સાથે પોતાનું એક રૂમના ઍપાર્ટમેન્ટમાં રહી જાળવેલું અસ્તિત્વ અને એના વૈશ્વિક સંબંધનો અનુબંધ જાળવી રાખી મૉડર્નિઝમ સાથે કાવ્યાત્મક અભિવ્યક્તિ કરવાની પ્રક્રિયાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન થયો છે, તો નવરાધૂપ બની રખડપટ્ટી કરી વર્તમાન નીરખી અલગારી આવિષ્કારની રીતને પણ ઉજાગર કરી છે. ટોળામાં રહેવું અને અલિપ્ત રહેવું અને સઘળું નવ્યદૃષ્ટિથી જોવું – માણવું અને સર્જવું આ બધાં કોલાટકરની સર્જકતાનાં અભિન્ન અંગ છે. હેમાંગ આ બધાં પાસાંને કાલાઘોડાનાં કાવ્યોમાં તપાસવાનો ઉદ્યમ પણ કરે છે.
પ્રૉફૅસર યુવલ નોઆ હરારીની વૅબસાઇટ 


હરારી : ના તો હું રાજકારણી છું કે ના તો રાજનૈતિક વૈજ્ઞાનિક. વળી, ઇઝરાયેલી સમાજનો તજ્જ્ઞ પણ નથી એટલે શું કરવું જોઈએ એ અંગે હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી, પરંતુ સામાન્યત: — અને આ ઘણા દેશોના સંદર્ભમાં સાચું છે ના કેવળ ઇઝરાયેલના સંદર્ભમાં, જેમ મેં કહ્યું તેમ, સરમુખત્યારીથી વિરુદ્ધ લોકશાહીમાં વિશ્વાસની જરૂર હોય છે. વધુમાં, રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના પણ આવશ્યક છે, પરંતુ ખોટી સમજણવાળી રાષ્ટ્રવાદની ભાવના નહીં જે ઘણી વખત લોકોમાં જોવા મળે છે. સાંપ્રત સમયમાં મોટા ભાગના લોકો માને છે કે રાષ્ટ્રવાદનો અર્થ છે પરદેશીઓ અને લઘુમતીઓને ધિક્કારવા. પરદેશીઓને અને લઘુમતીઓને હું જેટલો વધુ ધિક્કારું એટલો વધુ રાષ્ટ્રભક્ત ગણાઉં. વિશ્વના ઘણા બધા નેતાઓ આવો સંદેશ આપી રહ્યા છે. આ સંપૂર્ણપણે ભૂલ છે. રાષ્ટ્રવાદનો અર્થ પરદેશીઓને ધિક્કારવાનો નહીં, પરંતુ તમારા દેશબંધુઓને પ્રેમ કરવાનો થાય છે. ઘણાં બધાં નેતાઓ જે પોતાને રાષ્ટ્રભક્તો ગણાવે છે તે એનાથી સાવ વિરુદ્ધ હોય છે. એ લોકો કેવળ પરદેશીઓ પ્રત્યે ઘૃણા કરવાની ઉશ્કેરણી નથી કરતાં, પરંતુ આંતરિક ઘૃણા કરવા પણ ઉશ્કેરણી કરે છે, એમના રાજનૈતિક વિરોધીઓને લોકતાંત્રિક રમતમાં કાયદેસરના હરીફ તરીકે જોવાને બદલે એમને દુશ્મન અને રાષ્ટ્રવિરોધી તરીકે જુએ છે. આના લીધે લોકશાહીનો વિનાશ થાય છે. સારી રીતે કાર્યરત રહેવા માટે લોકશાહીને સારા રાષ્ટ્રવાદની તીવ્ર ભાવનાની આવશ્યક્તા હોય છે. હું મારા રાજનૈતિક વિરોધીઓ સાથે સંમત ના હોઉં, એ લોકો ખોટા છે એવું હું માનતો હોઉં પરંતુ એ મારા દુશ્મન નથી, એ રાષ્ટ્રવિરોધી નથી. જો મને ચૂંટણી દ્વારા પદ હાંસલ થયું હોય તો મારે એમના હિતનું પણ ધ્યાન રાખવું પડે, ના કેવળ મારા સમર્થકોના હિતનું. આ પ્રકારના સ્વસ્થ રાષ્ટ્રવાદની આપણને તાતી જરૂર છે, જે તમામ બાબતોમાં દેખાય — રાજનૈતિક વાર્તાલાપથી લઈને ટૅક્સ ભરવાની મૂળભૂત બાબત સુધી. જો તમે યુ.એસ.નો દાખલો લો અને તાજેતરનાં પ્રકાશનો જુઓ તો કહેવાતા રાષ્ટ્રવાદી પ્રૅસિડન્ટ છે જે અબજોપતિ પણ છે જેમણે $૭૫૦નો વાર્ષિક ટૅક્સ ભર્યો છે, પ્રૅસિડન્ટ તરીકે. મારા મત મુજબ રાષ્ટ્રવાદની ખરી કસોટી ટૅક્સ ભરવામાં છે. અનેકમાંની એક મોટી કસોટી છે. પરદેશીઓને ધિક્કારવામાં નથી. તમે જે ટૅક્સ ભરો છો એનો અર્થ છે કે દેશના અન્ય ભાગમાં અજાણ્યા લોકોને, મને ખબર નથી, ઇઝરાયેલમાં લગભગ ૮ મિલિયન લોકો વસે છે, એમાંથી હું ૨૦૦ને અંગત ધોરણે ઓળખું છું, એટલે લગભગ ૭ મિલિયન ૮૦૦ જેટલા લોકોને હું ઓળખતો નથી. પરંતુ હું ટૅક્સ ભરીશ તો એમને સારું શિક્ષણ ને સારી આરોગ્ય સેવાઓ મળશે. આ રાષ્ટ્રવાદી કાર્ય કહેવાય. આધુનિક રાષ્ટ્રવાદનો આ ચમત્કાર છે કે એ પર્યાપ્ત પ્રેરણા પૂરી પાડે છે, કે જે અજાણ્યા લોકોને મળ્યા ના હોય તેમ છતાં બીજા લોકો એમની પર્યાપ્ત દરકાર કરે છે. હવે જો આ કકડભૂસ થઈ જાય, કેવળ એટલું જ નહીં કે તમે તમારા દેશમાં અમુક લોકોને તમારા દુશ્મન ગણો છો, પરંતુ તમે એમની દરકાર કરવાનું છોડી દો છો એટલે તમે ટૅક્સ ભરતા નથી. સરમુખત્યારી આવી રીતે કાર્યરત રહી શકે છે, લોકશાહી આ રીતે કામ ના કરી શકે.
ષડ્યંત્ર-સિદ્ધાંતો ઘડીને એમનો પ્રસાર કરીને તમે પ્રતિક્રિયા આપી શકો છો — બિલ ગેટ્સે વિશ્વ પોતાને હસ્તક કરવા લૅબૉરૅટરીમાં આ મહામારી સર્જી છે અથવા તમે શાણપણને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી શકો છો — વિજ્ઞાનમાં વિશ્વાસ રાખીને, એ સમજણ કેળવીને કે આ કટોકટીના સમયે વિજ્ઞાનને અનુસરવું યોગ્ય છે, નહીં કે આ ષડ્યંત્ર-સિદ્ધાંતોને માનીને. તમારે ઘૃણા નહીં પરંતુ કરુણા પેદા કરીને તમારા દેશમાં અને આખા વિશ્વમાં લોકોને સહકાર આપવાના માર્ગ શોધવા જોઈએ કારણ કે વાયરસની સરખામણીમાં મનુષ્યો પાસે જે લાભ છે તે આ છે — આપણે સહકાર આપી શકીએ છીએ, વાયરસ એવું કરી શકતા નથી. લોકોને ચેપ કેવી રીતે લગાડવો એ અંગે ચીનનો વાયરસ યુ.એસ.ના વાયરસને સલાહ નથી આપી શકતો, પરંતુ ચીન, યુ.એસ., ઇઝરાયેલ અને બ્રાઝીલના ડૉક્ટરો માહિતીની, એમનાં નિરિક્ષણોની, એમનાં પ્રયોગોની આપ-લે કરી સારવાર કરવા, વૅક્સિન તૈયાર કરવા માટે એકબીજાનો સહયોગ કરી શકે છે. માત્ર વાયરસ અંગેની સૂઝ વિકસાવવા સુધી વાત સીમિત નથી, વાત મનોવૈજ્ઞાનિક સૂઝ, આર્થિક સૂઝની છે. વિશ્વભરમાં દેશો એક સરખી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરેક દેશે એક સરખી ભૂલ શા માટે કરવી જોઈએ? ધારો કે એક દેશે કોઈ પ્રયોગ કર્યો ને પછી એના ખોટા નિર્ણયને લીધે થયેલા મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાનનો ખ્યાલ આવ્યો તો એ દેશે વિના સંકોચે બીજા દેશોને આ માહિતી આપવી જોઈએ. આવા વૈશ્વિક સહકારની આપણને જરૂર છે. માનવજાતિના સૌથી નિર્બળ સભ્યોને, માત્ર મહામારીથી નહીં, પરંતુ આર્થિક પરિણામો સામે રક્ષણ પૂરું પાડવા માટે આપણને વૈશ્વિક સુરક્ષા જાળની જરૂર છે. જો આપણે આટલું કરીશું તો ના કેવળ આ મહામારીનો સામનો કરી શકીશું પરંતુ ભવિષ્યમાં આવનારા આથી ય મોટાં સંકટોનો, જેવાં કે પ્રવર્તમાન હવામાન પરિવર્તન કટોકટી, આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ (એ.આઈ.) અને ઑટૉમેશનનો વધતો પ્રભાવ, સામનો વધુ સારી રીતે કરી શકીશું. બીજી તરફ … ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જોઈએ તો કોવિડ સરખામણીમાં નાનું સંકટ છે, રોગ તરીકે સરખામણીમાં ઓછો તીવ્ર છે. નાની મહામારી છે, મૃત્યુદરના સંદર્ભે ૧%થી પણ ઓછાં મૃત્યુ થાય છે. બલૅક ડૅથ કે ૧૯૧૮નો બીગ ઇન્ફ્લુએન્ઝા કે એડ્સ. ૧૯૮૦માં તમને ઍડ્સ થાય તો તમારું મૃત્યુ નિશ્ચિત હતું, મૃત્યુદર ૧૦૦% હતો. આની સરખામણીએ કોવિડ બહુ ઓછી તીવ્રતા ધરાવતો રોગ છે. આ જાણે એવું છે કે કુદરતે આપણને પ્રૅક્ટિસ બૉલ નાખ્યો છે, જોઈએ તમે કેવો સામનો કરો છો, હું ખરેખર મોટી બંદૂકો કાઢું તે પહેલાં — જેવાં કે હવામાન પરિવર્તન અને એ.આઈ. જો આપણે આ વાયરસ સામે એક પ્રજાતિ તરીકે એકતા નહીં કેળવીએ તો પર્યાવરણીય કટોકટી, ટૅકનૉલૉજીની દેન એવાં એ.આઈ. અને બાયો-ઍન્જિન્યરીંગને કેવી રીતે પહોંચી વળીશું એ વિચાર માત્ર ખૂબ ચિંતાજનક છે.