છે આકરો ને અકળ-અઘરો, આ સમય ચાલ્યો જશે.
કે કાળમીંઢ-કરાલ કપરો, આ સમય ચાલ્યો જશે.
ગમગીન છે એથી ય વધુ ગંભીર છે વાતાવરણ,
ભૂલો નહીં ખતરનાક ખતરો, આ સમય ચાલ્યો જશે.
ઘરમાં રહેવાનું સપરમું પર્વ છે સૌ માનજો,
ના મોતનો ખેલો અખતરો, આ સમય ચાલ્યો જશે.
લ્યો સાવધાની, એ જ જંગ જીતવાનો માર્ગ છે,
ક્યાં કાયમી છે? ધીરજ ધરો, આ સમય ચાલ્યો જશે.
માણસ થયો ખાલીખમ અને બોજ ભારેખમ થયો,
માણસ થયો સાવ લઘરો, આ સમય ચાલ્યો જશે.
બાંધી ન શક્યા કોઈ એને બંધ મુઠ્ઠીમાં કદી,
ફાવી ન શક્યો કો' પેંતરો, આ સમય ચાલ્યો જશે.
આ તો સમય છે ભલભલાનોયે ઊતારી દે નશો,
નવરો ય ને કેવો નફકરો, આ સમય ચાલ્યો જશે.
અવસર મળ્યો છે આંસુઓને લૂછવાનો આજ તો
ખાલી કરો ના બસ ખરખરો, આ સમય ચાલ્યો જશે
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020
![]()


સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આપણા પદ્મપુરુષો પૈકી છે અને જાહેર જીવનમાં પોતીકી તરેહથી હાજરી પુરાવતા રહ્યા છે. સાધારણપણે સાધુપ્રતિભાઓમાં એક વર્ગવિશેષ એ પ્રકારનો જોવા મળે છે જેઓ તટસ્થતાની (કે કથિત વાદવિવાદથી પર) મુદ્રા જાળવવાની રીતે પણ સત્તા તરફી સલામતીભેર હંકારે છે. લોકોમાં સાધુપરુષ તરીકેની એક છવિ, સંભ્રાન્ત વર્તુળોમાં પ્રગતિશીલ માનવતાવાદી પ્રવૃત્તિ સાથે સંધાનવત્ ભૂમિકા (જેમ કે સદ્ગુરુનો ‘રેલી ફોર રિવર’ પ્રકલ્પ) અને અંતે અજ્ઞેયે કટોકટીકાળ વિશે કવિતામાં એક માર્મિક અવલોકન કર્યું હતું તેમ, સરકારી સ્તર પર ‘બૌદ્ધિક બુલાયે ગયે’ પૈકી.