પૅન્ટ-શર્ટમાં લાગે ફાંકડો
હાડેથી એ જરીક રાંકડો,
જેની આંખ કદી ના રાતી એવો એવો છે ગુજરાતી.
ઓછાબોલો, કોઠાડાહ્યો, પરખી લે એ સમય સવેળા,
ભીડ પડ્યે ભડ થૈ જાનારો, જેની મતિ કદી ના અટવાતી …
લેતી-દેતી ઠીક બધું ભૈ, પણ મુદ્દલની ગણતો પૈ-પૈ,
રોજમેળનાં પાને ફરતાં જેની નજર હંમેશાં કોળાતી …
વહોરી લે એ પીડ પરાઈ, તોળી જુએ ને કરે ખરાઈ,
પાછું પગલું નહીં ભરવાનો લાગે ચાનક જો અખિયાતી …
દાળભાતનું દાઢે વળગણ, જીભે છે સાચૂકલું ગળપણ
અડધી ચાની ઉજાણીમાં જેની સાંજ અહો ઊજવાતી …
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિલ્લો ભરૂચ-૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 19
 


 જે દિવસે નાણાપ્રધાન અરુણ જેટલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈચારિક અસહિષ્ણુતાના સૌથી વધુ શિકાર બન્યા છે તેવું કહ્યું તેના બીજા જ દિવસે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશમાં ફેલાઈ રહેલી અસહિષ્ણુતા પર તેમનું મૌન તોડવું જોઈએ અને પ્રતિક્રિયા આપવી જોઈએ.
જે દિવસે નાણાપ્રધાન અરુણ જેટલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈચારિક અસહિષ્ણુતાના સૌથી વધુ શિકાર બન્યા છે તેવું કહ્યું તેના બીજા જ દિવસે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશમાં ફેલાઈ રહેલી અસહિષ્ણુતા પર તેમનું મૌન તોડવું જોઈએ અને પ્રતિક્રિયા આપવી જોઈએ.