BJP વિરોધ પક્ષમાં હતો ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદી હતો અને બંગલા દેશને એક તસુ જમીન આપવામાં આવે એનો વિરોધ કરતો હતો. બીજી બાજુ મમતા બૅનરજી મનમોહન સિંહની UPA સરકારમાં ભાગીદાર હતાં ત્યારે પ્રાંતવાદી હતાં. દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદના સંકુચિત રાજકારણ કરનારાઓએ સરહદી પ્રજાને લગભગ સાત દાયકા રંજાડી છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બંગલા દેશની મુલાકાત સફળ નીવડવાની જ હતી. ખાસ કરીને ભારત અને બંગલા દેશની સરહદમાં આવતા અવ્યવહારુ ખાંચાઓ (એન્ક્લેવ્ઝ) દૂર કરીને સરહદને વ્યવહારસંગત બનાવવી જરૂરી હતી. આ સિદ્ધિ નથી પરંતુ પ્રાયશ્ચિત છે અને એ પણ ઘણું મોડું છે. ૧૯૪૭ના વિભાજનનાં કારણોની વાત જવા દો, પણ કમસે કમ વિભાજનની રેખા સ્થાનિક પ્રજાના ત્રાસમાં વધારો કરે એવી તો ન જ હોવી જોઈએ. એક પ્રતિષ્ઠિત બૅરિસ્ટર લંડનમાં બેસીને નકશો સામે રાખીને સરહદની રેખા દોરે અને નિર્દોષ પ્રજા સાત દાયકા સુધી હાલાકી ભોગવે એને રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ ન જ કહેવાય. પાડાના વાંકે પખાલીને ડામ આપવાની કોઈ એક સીમા હોય.
સાત દાયકા લાગવાનું કારણ પહેલાં પચીસ વર્ષ પાકિસ્તાનની આડોડાઈ હતું. પાકિસ્તાનના શાસક ફીલ્ડમાર્શલ અયુબ ખાન સાથે કચ્છના છાડ બેટને પાકિસ્તાનને આપવાની સમજૂતી થઈ ત્યારે બંગલા દેશના એન્ક્લેવ્ઝની મંજૂરી થઈ શકી હોત, પરંતુ પાકિસ્તાનને પૂર્વ પાકિસ્તાનની પ્રજામાં કોઈ રસ નહોતો. પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનની પાંખ નહોતી પણ પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન હતું. ૧૯૭૧માં બંગલા દેશ સ્વતંત્ર થયા પછી અનુકૂળતા પેદા થઈ હતી, પરંતુ એમાં કોઈ સમજૂતી થાય એ પહેલાં શેખ મુજીબુર રહેમાનની હત્યા થઈ અને બંગલા દેશ લશ્કરી શાસનનો શિકાર બની ગયું. બંગલા દેશ જ્યારે લશ્કરી શાસનથી મુક્ત થયું ત્યાં સુધીમાં તો ભારતમાં કૉન્ગ્રેસના એકચક્રી શાસનનો અંત આવી ગયો હતો અને કેન્દ્રમાં મિશ્ર સરકારો આવવા લાગી હતી.
એ પછી ભારત અને બંગલા દેશના કોમવાદી અને પ્રાંતવાદી રાજકીય પક્ષો સમજૂતી થવા દેતા નહોતા. આ જ BJP જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે હિન્દુ રાષ્ટ્રવાદી હતો અને બંગલા દેશને એક તસુ જમીન આપવામાં આવે એનો વિરોધ કરતો હતો. બીજી બાજુ મમતા બૅનરજી જ્યારે ડૉ. મનમોહન સિંહની UPA સરકારમાં ભાગીદાર હતાં ત્યારે તેઓ પ્રાંતવાદી હતાં. આ સમજૂતી બે વર્ષ પહેલાં થઈ ચૂકી હોત જો મમતા બૅનરજીએ ડૉ. મનમોહન સિંહને સહયોગ આપ્યો હોત અને બંગલા દેશની મુલાકાતે સાથે ગયાં હોત. આમ દક્ષિણ એશિયાના પાડોશી દેશોમાં કોમવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, સંસ્થાનવાદના સંકુચિત રાજકારણ કરનારાઓએ હજારોની સંખ્યામાં સરહદી પ્રજાને લગભગ સાત દાયકા રંજાડી છે. એટલે તો જે સમજૂતી થઈ છે એ સિદ્ધિ નથી પરંતુ ઘણું મોડેથી કરવામાં આવેલું પ્રાયશ્ચિત છે.
હજી તિસ્તા નદીના પાણીની વહેંચણીના પ્રશ્ને સમજૂતી થવાની બાકી છે જે હવે પછી થશે એમ વડા પ્રધાને ઢાકામાં કહ્યું છે. હિમાલયમાંથી નીકળીને બંગાળના અખાતમાં જતી નદીઓના પાણીનું પ્રબંધન કરવામાં આવે એમાં ભારત અને બંગલા દેશ બન્નેનું હિત છે. આ નદીઓ બંગલા દેશમાં પ્રવેશતાં સુધીમાં એકબીજામાં ભેગી થઈને વિનાશક સ્વરૂપ ધારણ કરે છે. જળપ્રબંધનમાં નેપાલને પણ સાથે લેવાની જરૂર છે. વડા પ્રધાને કહ્યું છે કે ભારત અને બંગલા દેશ પાસ-પાસ તો છે જ, પરંતુ સાથ-સાથ પણ છે. આ સાથ-સાથનો સ્પિરિટ પ્રારંભમાં હિમાલયન રાષ્ટ્રો, બંગલા દેશ અને બર્મા (મ્યાનમાર) સાથે પ્રમાણમાં સહેલાઈથી વિકસી શકે એમ છે.
વડા પ્રધાને બીજી વાત એ કહી છે કે પંછી, પવન ઔર પાની કહીં ભી જા સકતે હૈં; ઉસકો વીઝા કી ઝરૂરત નહીં હૈ. શાબ્દિક જુમલો તો ગાંધી-નેહરુની યાદ અપાવે એવો છે, પણ એમાં કેટલી ઈમાનદારી હશે એ સવાલ છે. જગતમાં જેટલા પ્રાદેશિક બ્લૉક્સ છે એમાં દક્ષિણ એશિયાનો સાર્ક બ્લૉક જ એવો છે જે પોતાના ઝઘડા ઉકેલી શકતો નથી. ત્રીસ વર્ષ થઈ ગયાં છે સાર્કને રચાયે, હજી એક ડગલું આગળ વધી શકાયું નથી. પાસ-પાસ તો હૈ, પરંતુ સાથ-સાથ નહીં હૈ એ દક્ષિણ એશિયાની વાસ્તવિકતા છે. ભારત આમાં સૌથી મોટો દેશ છે તો એના પક્ષે નિષ્ફળતાની જવાબદારી કેટલી એ વિચારી લેવું જોઈએ.
વડા પ્રધાને ઢાકામાં સાચું જ કહ્યું છે કે આપણા પ્રદેશની સૌથી મોટી સમસ્યા પાકિસ્તાન છે. પાકિસ્તાનને કારણે સાર્કમાં કોઈ પ્રગતિ થતી નથી. તેમણે ત્રાસવાદનો અને બર્બરતાનો ઉલ્લેખ કર્યો હતો. વાસ્તવિકતા તો એ છે કે પાકિસ્તાન પોતે જ સમસ્યાગ્રસ્ત છે અને એની મોટી સમસ્યા ઓળખની અને અસ્તિત્વ ટકાવી રાખવાની છે. જો એમ ન હોત તો વગર મહેનતે હાથમાં આવેલું પૂર્વ બંગાળ માત્ર ૨૪ વર્ષમાં ગુમાવે અને બંગલા દેશ બનીને આઝાદ થઈ જાય એવું બને ખરું? પાકિસ્તાન તિરસ્કારવું કે દયા ખાવી એવી વિમાસણ થાય એવો દેશ છે. ૧૯૭૦-’૭૧માં જે પૂર્વ પાકિસ્તાન(બંગલા દેશ)માં બન્યું હતું એ આજે પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદીની રણનીતિ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમ જ એશિયામાં ચીનને અને દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને ઘેરવાની છે. આ રણનીતિને ઓછા શબ્દોની અને વધારે કૂટનીતિની જરૂર છે. દક્ષિણ એશિયામાં પાકિસ્તાનને છોડીને બાકીના દેશો સાથેના દ્વિપક્ષીય પ્રશ્નો બાંધછોડ કરીને ઉકેલી શકાય એમ છે. જો બાકીના દેશો સાથેના પ્રશ્નો ઊકલી જશે તો પાકિસ્તાન આપોઆપ એકલું પડવા માંડશે. દક્ષિણ એશિયાના કોઈ દેશને પાકિસ્તાન સાથે પ્રેમનો સંબંધ નથી અને અફઘાનિસ્તાન છોડીને બીજો કોઈ દેશ પાકિસ્તાનનો પાડોશી પણ નથી. ઊલટું ભારત બધા જ દેશો સાથે સરહદી કે સામુદ્રિક સંબંધ ધરાવે છે અને દરેક દેશ માટે અનિવાર્ય છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે મુખ્યત્વે તિરસ્કારનો સંબંધ છે, જ્યારે બાકીના પાડોશી દેશો ભારત સાથે લવ-હેટ રિલેશનશિપ ધરાવે છે. એ રિલેશનશિપમાંથી હેટ હટાવી શકાય એમ છે જો ભારત મોટું મન રાખે તો અને BJP વિરોધ પક્ષમાં હોત ત્યારે પણ મોટું મન જાળવી રાખે તો.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 જૂન 2015
http://www.gujaratimidday.com/features/columns/feature-columns-9-6-2015-7
![]()


એક મિત્રે ઇમેલ મોકલ્યો છે. એમાં સમાચાર છે કે વાઇકિંગ સંસ્કૃિત વખતની રુન્સ બોલીમાં સાંકેતિક રીતે લખાયેલા 900 વર્ષ જૂના એક શબ્દને શોધકર્તાઓએ ‘કિસ મી’ તરીકે ઓળખી કાઢ્યો છે. રુન્સ પૌરાણિક જર્મન પ્રથમાક્ષરોમાંથી બનેલી બોલી હતી જે પ્રથમ સદીની આસપાસ સ્કેન્ડેનેિવયન વાઇકિંગ સંસ્કૃિતમાં લોકપ્રિય હતી. એ એક સાંકેતિક બોલી હતી અને જગતમાં એનાં નવ દૃષ્ટાંત જ ઉપલબ્ધ છે જેમાંથી આ ‘કિસ મી’ એક છે.
આપણે કિસ કેમ કરીએ છીએ? આ સવાલનો ઉત્તર નથી કારણ કે વિજ્ઞાને લગભગ તમામ વૃત્તિઓની છાનબીન કરી છે સિવાય કિસ. કિસિંગમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાન એનો સિદ્ધાંત કે નિયમ રચી શક્યું નથી. સંબંધે સંબંધે કિસ જુદી હોય છે. પતિ-પત્નીની કિસ, મા-દીકરાની કિસથી અલગ હોય છે. બે મિત્રોની કિસ બે ભાઈઅોની કિસ કરતાં જુદી હોય છે. ગાલ પરની કિસ હાથ પરની કિસ કરતાં ભિન્ન છે. ગુરુ એના શિષ્યના કપાળ પર કિસ કરે છે. શિષ્ય ગુરુના પગને કિસ કરે છે. ફ્રેન્ચ સંસ્કૃિતમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે. પરંતુ 10 પ્રતિશત સંસ્કૃિત એવી ય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.
જેની લોકપ્રિયતા અપાર અને અમાપ છે તે હોઠ સે હોઠ મીલે કિસને ‘ફ્રેન્ચ કિસ’ કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં જગતમાં ફ્રેન્ચ લોકો એમની સેક્સ અભિવ્યક્તિમાં સાહસી અને ખુલ્લા હતા. એમાંથી તસતસતા ચુંબનને ‘ફ્રેન્ચ કિસ’ નામ મળેલું. ફ્રેન્ચ લોકોની એક કિસનું નામ ‘હોટ એર’ (ગર્મ હવા) છે. જેમાં સ્ત્રીના કાન નીચેના ઇરોજીનસ (કામોત્તેજક) ભાગ પર ચુંબન કરતી વખતે એના કાનમાં હલકો હલકો શ્વાસ છોડવાનો!