Opinion Magazine
Number of visits: 9446798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે’ પસ્તીમાંથી મળી આવ્યા ગીતકાર સાહિર લુધિયાનવીના કિંમતી દસ્તાવેજ

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|11 September 2019

હાલમાં જ એવા સમાચાર મળ્યા કે દેશના જાણીતા ગીતકાર, કવિ અને લેખક એવા સાહિર લુધિયાન્‌વીનાં કિંમતી પત્રો, ડાયરી અને કેટલાંક ફોટોગ્રાફ્સ મુંબઈના એક કબાડીવાળાના ત્યાં ભંગારમાંથી મળી આવ્યાં છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક શિવેન્દ્ર ડુંગરપુરે ટ્વિટ કરીને આ વાત જણાવી. સાહિર લુધિયાન્‌વીના આ અમૂલ્ય 'ખજાના'ને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને કબાડીવાળા પાસેથી માત્ર રૂપિયા 3 હજારમાં ખરીદ્યો અને હવે તેની યોગ્ય જાળવણી કરવામાં આવશે. ભંગારમાંથી મળી આવેલી સાહિર લુધિયાન્‌વીની આ કિંમતી ચીજવસ્તુઓમાં તેમની રોજનીશીનો સમાવેશ થાય છે કે જેમાં તેઓ ક્યાં ગીત રેકોર્ડિંગ કરવા માટે જવાનું છે અને દરરોજના કાર્યક્રમની વિગતો નોંધતા હતા. આ સિવાય સાહિર લુધિયાન્‌વીની નઝમ, નોટ અને કેટલાંક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યાં છે. આ સિવાય અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં લખેલા સાહિર લુધિયાન્‌વીના પત્રો પણ આ પસ્તીમાંથી મળી આવ્યા. ફિલ્મ અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ જ દુ:ખદ સમાચાર કહેવાય કે પ્રસિદ્ધ કવિ અને ગીતકાર સાહિર લુધિયાન્‌વીના અમૂલ્ય વારસાની આવી ખરાબ હાલત જોવા મળી. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગીતકાર સાહિર લુધિયાન્‌વીનો બોલિવૂડમાં એક સમયે એવો ડંકો વાગતો હતો કે ફિલ્મના પોસ્ટરમાં ગીતકાર તરીકે ખાસ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. ફિલ્મનાં ગીત લખવા માટે તેઓ સંગીતકાર કરતાં પણ વધુ પૈસા લેતા હતા.

સાહિર લુધિયાન્‌વી (8 March 1921 – 25 October 1980) ભારતીય સિનેમાના જાણીતા ગીતકાર અને કવિ હતા. ગુરુદત્તની ફિલ્મ 'પ્યાસા', 'નયા દોર', 'ફિર સુભહ હોગી', 'ધૂલ કા ફૂલ', 'બરસાત કી રાત', 'કભી કભી', 'તાજમહલ', 'સાધના' અને 'હમ દોનો' જેવી જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં અમર ગીતોની રચના કરનાર ગીતકાર સાહિર લુધિયાન્‌વી એક પ્રખ્યાત શખ્સિયત હતા. અબ્દુલ હાયી ગુજ્જરના નામે જન્મેલા ગીતકાર સાહિર લુધિયાનવી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ લાહોરમાં મશહૂર થઈ ગયા હતા, કારણ કે તે સમયે તેમનું પુસ્તક 'તલ્ખિયાં (કડવાશ)' બજારમાં આવી ગયું હતું. તેઓ ઉર્દૂ સમાચારપત્ર 'અદબે-લતીફ', 'શાહકાર' અને 'સવેરા'ના સંપાદક બની ચૂક્યા હતા. બાદમાં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને 'પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન'માં જોડાયા. 1950-60ના આ દાયકામાં ડાબેરી વિચારધારાથી પ્રભાવિત એવા સાહિર લુધિયાન્‌વી પર કવિ ફૈઝ અહમદ ફૈઝ અને મજાજનો ખાસ્સો પ્રભાવ પડ્યો. ધનિક પરિવાર સાથે સંબંધ ધરાવતા સાહિર લુધિયાન્‌વી ખાણીપીણી અને મહેફિલોના શોખીન હતા, હંમેશાં મિત્રોથી ઘેરાયેલા રહેતા સાહિરે મિત્રો પાછળ ખૂબ પૈસા ઉડાવ્યા હતા. તેમના ઘરે આખી રાત જલસા ચાલતા અને તેમાં દેશના જાણીતા કવિઓ, ગીતકાર અને લેખકો હાજરી આપતા. લોકો તેમના વખાણ કરે તે સાહિરને ખૂબ જ પસંદ હતું અને અન્ય શાયરની તેઓ મજાક પણ ઉડાવતા હતા.

જાણીતાં લેખિકા અમૃતા પ્રીતમ પણ સાહિર લુધિયાન્‌વીના પ્રેમમાં પાગલ હતાં. અમૃતા પ્રીતમે તેમની આત્મકથા 'રસીદી ટિકિટ'માં સાહિર લુધિયાન્‌વીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તેઓ કલાકો સુધી બેસી રહેતા, કશું બોલતા નહીં અને માત્ર સિગારેટ ફૂંક્યા કરતા. તે જતા રહે પછી હું (અમૃતા પ્રીતમ) તેમની પીધેલી સિગારેટના ટુકડા સંભાળતી અને એકલામાં પીતી કે જેમાં મને સાહિરના હાથ અને હોઠનો અહેસાસ થતો હતો. અમૃતા પ્રીતમે સાહિર લુધિયાન્‌વીની ઘણી રાહ જોઈ પણ તેઓ આવ્યા નહીં. સાહિર લુધિયાન્‌વી આજીવન અપરિણત રહ્યા. જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં સાહિર લુધિયાન્‌વીનો પ્રવેશ થયો ત્યારે તેમણે પોતાની શરતો મુજબ ગીતો લખવાનો આગ્રહ રાખ્યો. આ કારણે શરૂઆતમાં તેમણે ઘણી ફિલ્મો હાથમાંથી જવા દીધી, તેમ છતાં પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આખરે વર્ષ 1951માં આવેલી ફિલ્મ 'નૌજવાન'માં સાહિરને ગીતો લખવા માટેનો પ્રથમ બ્રેક મળ્યો. આ ફિલ્મનાં ગીતો હિટ રહ્યા અને તેઓ સફળતાની ગેરંટી બની ગયા. બાદમાં વર્ષ 1975 સુધીનો બોલિવૂડનો સમય સાહિરનાં લખેલા ગીતોથી ગૂંજી ઊઠ્યો. સાહિર લુધિયાન્‌વીનો ફિલ્મો પર એવો પ્રભાવ હતો કે તેઓ માત્ર તેમના પસંદગીના સંગીતકાર સાથે જ કામ કરવાનું પસંદ કરતા હતા.

બોલિવૂડનો એક જાણીતો કિસ્સો એવો છે કે રશિયન નવલકથાકાર ફ્યોદર દોસ્તોએવસ્કીની નવલકથા 'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' આધારિત અને રાજ કપૂર સ્ટારર ફિલ્મ 'ફિર સુભહ હોગી'માં ગીતકાર તરીકે સાહિર લુધિયાન્‌વીને પસંદ કરવામાં આવ્યા કારણ કે આ ફિલ્મના કેન્દ્રમાં સમાજવાદ હતો. જ્યારે આ ફિલ્મમાં સંગીતકાર પસંદ કરવાની વાત આવી ત્યારે લોકોને એવું લાગતું હતું કે આ ફિલ્મનું સંગીત શંકર-જયકિશન આપશે કારણ કે રાજ કપૂરની મોટાભાગની ફિલ્મોમાં તેઓ સંગીત આપી ચૂક્યા હતા. પરંતુ, સંગીતકાર શંકર-જયકિશનની કોઈ રાજનૈતિક વિચારધારા નહોતી. માટે, ગીતકાર સાહિર લુધિયાન્‌વીએ કહ્યું કે આ ફિલ્મનું સંગીત શંકર-જયકિશને નહીં પણ કોઈ અન્ય સંગીતકારે આપવું જોઈએ. ત્યારબાદ ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના ડિરેક્ટર રમેશ સાઈગલે નક્કી કર્યું કે ગીતકાર સાહિર લુધિયાન્‌વી, રાજ કપૂર અને સંગીતકાર ખય્યામની મુલાકાત કરાવવામાં આવે. તેઓ રાજ કપૂરના ઘરે ભેગા થયા અને રાજ કપૂરે ખય્યામને લતા મંગેશકર દ્વારા ગિફ્ટ કરાયેલો તાનપુરો આપતા કહ્યું કે કશું સંભળાવો. તે દરમિયાન બપોરનો સમય હતો, ખય્યામે રાગ પૂરિયા ધનાશ્રી સંભળાવ્યો. રાજ કપૂરે ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના ટાઈટલ પર ધૂન બનાવવાનું કહ્યું અને ખય્યામે ટાઈટલ સહિત કુલ પાંચ ધૂન તૈયાર કરી. આ રીતે ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના સંગીતકાર તરીકે ખય્યામની પસંદગી કરવામાં આવી. સાહિર લુધિયાન્‌વીએ લખેલાં ફિલ્મ 'ફિર સુભહ હોગી'નાં બધાં ગીતો સુપરહિટ થયાં. અન્ય એક કિસ્સામાં ફિલ્મમેકર યશ ચોપરા તેમની ફિલ્મ 'કભી કભી' માટે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલને લેવા માગતા હતા પણ સાહિર લુધિયાન્‌વીના કહેવાથી આ ફિલ્મના સંગીતકાર તરીકે ખય્યામની પસંદગી કરવામાં આવી.

સાહિર લુધિયાન્‌વીનો બોલિવૂડમાં ગીતકાર તરીકે પ્રવેશ થયો તે પહેલાં રેડિયો પર જે ગીતો વાગતાં હતાં તેમાં માત્ર ગીતના ગાયક અને સંગીતકારનું નામ લેવામાં આવતું હતું. પરંતુ, સાહિર લુધિયાનવીના આવ્યા બાદ રેડિયોનાં ગીતમાં ગીતકારના નામને સ્થાન મળ્યું. આ કારણે ગીતકારોને પણ મ્યુઝિક કંપનીની રૉયલ્ટીમાં હક મળ્યો. સાહિર લુધિયાનવી જે ફિલ્મ માટે ગીતો લખતા હતા તે ફિલ્મના સંગીતકાર કરતાં એક રૂપિયા વધારે મહેનતાણું લેતા હતા. સાહિર એવો આગ્રહ રાખતા હતા કે પહેલાં હું ગીત લખી આપીશ અને બાદમાં તે આધારિત સંગીતકાર તેની ધૂન તૈયાર કરશે.

તારીખ 25 ઓક્ટોબર, 1980ના દિવસે સાહિર લુધિયાન્‌વીનું માત્ર 59 વર્ષની ઉંમરમાં હાર્ટ-અટેકના કારણે મુંબઈમાં નિધન થયું. સાહિર લુધિયાન્‌વીના જીવન પર અત્યાર સુધી અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમની નઝમ, ગઝલ, ગીતો અને કવિતાઓને સંકલિત કરતાં પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ છે. જે પૈકી વર્ષ 2016માં પ્રકાશિત થયેલા પુસ્તક (સંપાદન – આશા પ્રભાત) 'સાહિર સમગ્ર'માં તેમની સંપૂર્ણ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિર લુધિયાન્‌વીના યાદગાર ગીતોમાં ફિલ્મ 'હમ દોનો'નું 'મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા', ફિલ્મ 'કભી કભી'નું મેં 'પલ દો પલ કા શાયર હું', ફિલ્મ 'પ્યાસા'ના 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે' અને 'જાને વો કેસે લોગ', ફિલ્મ 'ધૂલ કા ફૂલ'નું 'તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા', અને ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના હિટ ગીતોનો સમાવેશ થાય છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

11 September 2019 admin
← સોશ્યલ મીડિયા દલા તરવાડીની વાડી છે. જાણે, ભગાભાઇની આઇપીઍલ
અવકાશ વિજ્ઞાન હોય કે અણુ ટેકનોલોજી, વિકાસ અગત્યનો છે. →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved