Opinion Magazine
Number of visits: 9448935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યક્તિ જેમ પ્રગતિની સીડી ચઢે, તેની સહાનુભૂતિ ઘટે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 July 2021

કોરોના કાળમાં, દુનિયાના ૧૦ ધનવાન માણસોની સંપત્તિમાં ૪૫૦ બિલિયન ડોલરનો વધારો થયો છે. આ રકમ એટલી મોટી છે કે તેની મદદ મળે તો દુનિયાના ગરીબ લોકો કોરોનાના કારણે પાયમાલ થતાં બચી જાય અને વધારામાં તે સૌને વેક્સિન ઉપલબ્ધ કરાવી શકે. વૈશ્વિક સ્તરે ગરીબી નાબૂદી માટે કામ કરતી ૨૦ સખાવતી સંસ્થાઓનાં સંગઠન ઓક્સફામના અહેવાલ પ્રમાણે, મહામારીના આ સમયમાં ભારતના ધનિકોની સંપત્તિમાં પણ ૩૫ ટકાનો વધારો થયો છે. આ ધનવાનો ધારે તો ભારતના ૧૩ કરોડ ગરીબ લોકોને ૯૪ હજાર રૂપિયાનો ચેક આપી શકે.

અલબત્ત, આપણે ગરીબ હોઈએ એટલે ધનવાનોના પૈસાની ઈર્ષ્યા ન કરાય, પરંતુ એક વ્યાપક પ્રશ્ન જરૂર થાય કે દુનિયામાં ગરીબો વધુ ગરીબ અને ધનવાનો વધુ ધનિક કેમ થાય છે? કોરોના જેવી મહામારીનો સૌથી વધુ આર્થિક માર ગરીબોને પડ્યો છે, પણ ધનવાનોને તો તેનો ફાયદો થયો છે. શું આપણી સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થા ગરીબો વિરોધી અને ધનવાનો તરફી છે?

દુનિયામાં એક નાનકડા વર્ગ પાસે અમાપ સંપત્તિ હોય, તો તેઓ ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ્યની સદીઓ જૂની સમસ્યાઓને ચપટીમાં ઉકેલી ન શકે? ગરીબો અને ધનવાનો વચ્ચેની ખાઈ માત્ર આર્થિક જ નથી, માનસિક અથવા ભાવનાત્મક પણ છે. સમાજનો જે ઉપલો વર્ગ છે, જેની પાસે પૈસા અને પાવર છે, તેની સહાનુભૂતિમાં ઘટાડો થાય છે અને તેને નીચલા, ગરીબ, પછાત વર્ગની પીડાનો સ્પર્શ થતો નથી. આ બહુ બારીક મનોવિજ્ઞાન છે અને તે વ્યક્તિગત સ્તરે અને સામૂહિક સ્તરે જોવા મળે છે.

સામાન્ય રીતે આપણે એવું માનવા પ્રેરાઈએ કે આપણે જેટલા વધુ તવંગર, તેટલા વધુ ઈમાનદાર અને ઉદાર. આફ્ટરઓલ, આપણી પાસે બધું જ હોય તો પછી આપણને આપણા કરતાં જે વંચિત છે તેની જ વધુ ફિકર હોય ને? ખોટું. રિસર્ચ કહે છે કે લોકો જેમ જેમ સામાજિક પ્રગતિની સીડી ઉપર ચઢતા જાય છે, તેમ તેમ એમનામાં બીજા લોકો પ્રત્યેની અનુકંપા નીચે ઊતરતી જાય છે. જે લોકો ધનવાન છે, પાવરફુલ છે અને મોભાદાર છે તે એટલા સ્વ-કેન્દ્રિત હોય છે કે, એમનામાં બીજી વ્યક્તિ પ્રત્યે હમદર્દી (એમ્પથી) ગાયબ હોય છે. બહુ બહુ તો એવા લોકોમાં તરસ કે દયા (સિમ્પથી) જેવો ભાવ હોય છે, જે હમદર્દીથી એક સીડી નીચેની લાગણી છે. 

બર્કલે, કેલિફોર્નિયાના બે મનોવૈજ્ઞાનિકોએ સમૃદ્ધ, શિક્ષિત અને પ્રતિષ્ઠિત વર્ગના લોકો બીજા લોકોની લાગણીઓની કેટલી ફિકર કરે છે એનો અભ્યાસ કર્યો છે. તેમણે શહેરના ચાર રસ્તા ઉપર ઊભા રહીને જોયું તો ખબર પડી કે, મોંઘી મોટરોના ચાલકો એમનો વારો આવે તેની રાહ જોયા વગર આગળ ઊભી રહેલી મોટરને ઓવર-ટેક કરી લેતા હતા. તેમણે એ પણ જોયું કે, રાહદારીના જવા માટેના ઝેબ્રા ક્રોસિંગ પર એમની સ્પીડ વધી જતી હતી, અને આજુબાજુમાંથી આવતા લોકો સાથે નજર મિલાવ્યા વગર પૂરપાટ ઝેબ્રા ક્રોસ કરતા હતા.

ગામડાંના અને શહેરના લોકો પરની એમની છેલ્લી નવલકથા 'ગોદાન'માં મુન્શી પ્રેમચંદ લખે છે કે, "ધન અને કરુણા એકબીજાના વિરોધી છે." ધનિક માણસમાં કરુણા ઓછી થાય છે. વિજ્ઞાનના આધુનિક 'ચિંતકો'એ કહ્યું છે કે, પાવરફુલ લોકોના મગજમાં ગૌરવ અને ઘમંડ હકીકતમાં એક બીમારી તરીકે આકાર લે છે, જેને હ્યુબ્રીસ સિન્ડ્રોમ એવું નામ પણ આપવામાં આવ્યું છે. હ્યુબ્રીસ પૌરાણિક ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થયા છે માનવતાનો અભાવ અને વધુ પડતી આત્મશ્રદ્ધા.

બ્રિટનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ડેવિડ ઓવેને, જે ખુદ ન્યૂરોસાયન્ટિસ્ટ પણ છે, ૨૦૦૯માં બ્રિટિશ મેડીકલ જર્નલ 'બ્રેઈન'માં એક લેખ લખ્યો હતો. હ્યુબ્રીસ સિન્ડ્રોમ શબ્દ આ લેખમાં વપરાયો હતો. આ લેખમાં તેમણે ૧૯૦૮થી શરૂ કરીને ૨૦૦૯ સુધીના અમેરિકન અને બ્રિટિશ લીડરોના વ્યવહાર અને મેડીકલ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. એક સદીના ધાંયધાંય સફળતાવાળા આ લીડરોમાં એક ટેન્ડન્સી સરખી નીકળી હતી-તેમને ટીકાઓની સહેજે ય પડી ન હતી, અને સફળતામાં અંધવિશ્વાસ હતો. 

ઈન્દ્રા નુઈ ૨૦૦૧માં પેપ્સીકોની પ્રેસિડેન્ટ બન્યાં ત્યારનો એક કિસ્સો છે. નુઈનાં માતા ત્યારે તેમની સાથે રહેવા આવ્યાં હતાં. નુઈ ઘરે આવ્યાં અને ઉત્સાહમાં બોલ્યાં, "એક મસ્ત સમાચાર છે." માતાએ શાંતિથી કહ્યું," એ વાત પછી. પહેલાં બહાર જા, અને દૂધ લઇ આવ." નુઈ કહે છે, "હું બહાર ગઈ અને દૂધ તો લઈ આવી, પણ હું ગુસ્સોમાં હતી – ‘હું પેપ્સીકોની પ્રેસિડેન્ટ નિમાઈ છું, અને તને એના બદલે દૂધમાં રસ છે?’ મારી માતાએ એવી જ શાંતિથી કહ્યું -‘સાંભળ. તું ભલે પેપ્સીકોની પ્રેસિડેન્ટ હોઉં. આ ઘરમાં તું પહેલાં પત્ની અને મા છું. એટલે, તારો એ મુગટ ગેરેજમાં મૂકીને આવવાનું."

ઈન્દ્રા નુઈ આ કિસ્સા બતાવે છે કે પાવરફુલ લોકોમાં પોતાનું એટલું મહત્ત્વ હોય છે કે એમને સામાન્ય માણસની જરૂરિયાત નજરમાં નથી આવતી. આધુનિક મનોવૈજ્ઞાન કહે છે કે માણસ પાસે રેલમછેલ હોય ત્યારે એનામાં 'મારે કોઈની જરૂર નથી' એવો ભાવ આવી જાય છે, જે એને બીજા લોકોથી દૂર કરે છે. બીજા પર આપણી નિર્ભરતા જેમ ઓછી, તેમ એના પ્રત્યે આપણી દરકાર ઓછી. આમાંથી આપણે વધુ ને વધુ સ્વ-કેન્દ્રી બની જઈએ છીએ.

૨૦૧૭ના સર્વે પ્રમાણે ભારતની કુલ સંપત્તિનો ૭૩ ટકા હિસ્સો ટોચના ૧ ટકો લોકોના હાથમાં છે. દેશમાં અમીરી-ગરીબીની આ અસમાનતા ઘટવાને બદલે વધી રહી છે, તેને જોતાં દોલત અને દયા વચ્ચેનો સંબંધ બહુ મહત્ત્વનો બની જાય છે. અત્યાર સુધી આ દેશમાં આર્થિક કે રાજકીય પાવરવાળા લોકો વંચિત પરિવેશમાંથી આવતા હતા, એટલે એમનામાં વંચિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ બરકરાર રહી છે. આ સ્થિતિ બદલાશે અને પેલા ૧ ટકા વર્ગમાંથી વધુને વધુ લોકો પાવર ભોગવતા થશે તો, એ લોકોના નિર્ણયો જરૂરતમંદો અને ગરીબોના કલ્યાણ માટે હશે કે પછી સમાજના વગદાર લોકોના કલ્યાણ માટે હશે?

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’, નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 04 જુલાઈ 2021 

Loading

7 July 2021 admin
← જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો : અલવિદા ફાધર સ્ટૅન સ્વામી
મંત્રીમંડળમાં ફેરફારો આવકાર્ય તો છે, પણ … →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved