Opinion Magazine
Number of visits: 9503719
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વેપાર બંધ: નુકસાન ભારતને, પાકિસ્તાનને નહીં

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|30 April 2025

હેમન્તકુમાર શાહ

પહેલગામની ઘટના પછી ભારત સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવાનું પગલું ભર્યું છે. કેટલીક વિગતો જોઈએ:

(૧) પાકિસ્તાન સાથેનો વેપાર ૨૦૨૩માં ૫૩ કરોડ ડોલરનો હતો અને તે ૨૦૨૪માં ૧૨૦ કરોડ ડોલરનો થયો હતો. એટલે કે તેમાં ૧૨૭ ટકાનો જંગી વધારો થયો હતો. ૨૦૧૮માં તો ૩૦૦ કરોડ ડોલરનો વેપાર થયો હતો. 

(૨) એમ પણ એક અભ્યાસ કહે છે કે પાકિસ્તાનમાં ૧૦૦ કરોડ ડોલરની નિકાસ તો સીધી નહીં પણ વાયા બીજા દેશો થાય છે. એટલે કે ભારતની ચીજો પહેલાં બીજા દેશોમાં જાય અને પછી એ ત્યાંથી પાકિસ્તાનમાં જાય છે. ભારતના નિકાસકારોને એની ખબર ન હોય એવું તો બને જ નહીં. આવું થાય છે કારણ કે ૨૦૧૯માં ભારતે પાકિસ્તાનને જે MFN એટલે કે અતિ પ્રિય રાષ્ટ્રનો દરજ્જો આપેલો તે પાછો ખેંચી લીધેલો. 

(૩) ભારત સરકારે પંજાબની અટારી સરહદે થતી અવરજવર બંધ કરી છે એટલે પાકિસ્તાન સાથેનો વેપાર ત્યાંથી બંધ થઈ ગયો છે. 

વળી, અખિલ ભારત વેપારી મહામંડળ (CAIT) દ્વારા ભુવનેશ્વરમાં ગઈ કાલે જ મળેલા તેના અધિવેશનમાં પાકિસ્તાન સાથેનો બધો વેપાર બંધ કરવાનો ઠરાવ કરાયો છે. 

કાશ્મીરમાં ઉરી પાસે આવેલા અમન સેતુ પરથી જે વેપાર થતો હતો તે તો ઉરીમાં આતંકવાદી હુમલો થયેલો ત્યારથી બંધ જ છે. 

(૪) પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવામાં નુકસાન ભારતને જ છે કારણ કે પાકિસ્તાન સાથેની ભારતની વેપાર તુલામાં સિલક છે. એટલે કે ભારત પાકિસ્તાનમાં નિકાસ કરે છે તેના કરતાં ત્યાંથી આયાત ઓછી કરે છે. એટલે કે એમાં ભારતને કમાણી થાય છે, ખોટ નથી જતી. જેમ કે, ગયા વર્ષે ભારતે ૧૨૦ કરોડ ડોલરની નિકાસ કરી પણ આયાત તો માત્ર પાંચ લાખ ડોલરની જ કરી!

(૫) પાકિસ્તાનમાં જેટલી નિકાસ ઓછી થશે એટલી બીજા દેશોમાં વધશે જ એવી તો કોઈ ખાતરી છે જ નહીં. સરવાળે નિકાસ ઘટે તો આવક, ઉત્પાદન અને રોજગારી ઘટે. 

(૬) જે ચીજોની આયાત પાકિસ્તાનથી કરીએ છીએ તે ત્યાંથી ન થાય અને બીજા દેશોમાંથી થાય તો એ મોંઘી પણ હોઈ શકે. એટલે એ રીતે પણ નુકસાન થાય. 

પાકિસ્તાનની ટીમ ભારતમાં નહીં આવવા દઈને કે ત્યાં આપણી ક્રિકેટ ટીમ નહીં મોકલીને શું લાભ થયો તે ખબર નથી પડતી. એમ જ વેપાર બંધ કરવાથી શો લાભ? નુકસાન તો નક્કી જ છે. 

ચીન સાથેના વેપારમાં ભારતને ગયા વર્ષે ૯,૯૨૦ કરોડ ડોલરનું નુકસાન થયું છે. પણ તેની સામે તે સરહદે મુસીબતો ઊભી કરે છે તેમ છતાં કોઈ પગલાં વેપાર વિશે લેવાતાં નથી. એમ કેમ? 

તા.૨૯-૦૪-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 April 2025 Vipool Kalyani
← રાષ્ટ્રીય સ્તરની નાગરિક સ્વાધીનતા પરિષદ : એ પરિષદને ગુજરાત ઓક્ટોબર 2025માં સંભારશે?
સરકાર એટલે નિર્દયતા અને નરાધમતા →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved