Opinion Magazine
Number of visits: 9504178
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકમાં (૧૨) : સહૃદયો કે તકવાદીઓ?

સુમન શાહ|Opinion - Literature|29 September 2022

દરેક સજીવ, ખાસ તો માણસ, પોતાના પગ પર ઊભો રહીને જીવે છે. એટલી જમીન તત્કાળ પૂરતી એની હોય છે. એમાં એ ઉપકારક કેન્દ્ર ઊભું કરે છે, ત્યાંથી એના હેતુ પ્રમાણેની ત્રિજયાઓ અને ત્રિજ્યાઓ પ્રમાણેનાં વર્તુળો રચાય છે. ત્રિજ્યા અને તેથી રચાયેલા કોઈપણ વર્તુળનું ચાલક-નિયામક બળ, હેતુ છે.

લગભગ એ જ પ્રમાણે, સર્જક સાહિત્યકાર પોતાના પગ પર ઊભો હોય છે. એ જો સાહિત્યશાસ્ત્રીઓની, ધંધાદારી વિવેચકોની કે અધકચરા અધ્યાપકોની મનઘડંત માન્યતાઓના ટેકે ઊભો હશે તો એક દિવસે ગબડી પડશે. કેમ કે એઓ બધા વ્યવસાયમજબૂર હોય છે ને એમની માન્યતાઓ માન્યતાઓ હોવાથી એમાંથી તેઓ ગમે ત્યારે ખસી જઈ શકે એવા યુક્તિબાજ હોય છે. ન તો તેઓ વિશ્વસનીય, ન તો એમની માન્યતાઓ.

સર્જકને કાખઘોડી ન પાલવે. પડી ગયા પછીયે એ જાતે ઊભો થઈ શકવો જોઈએ, થાક્યા પછીયે દોડી શકવો જોઈએ.

સર્જનને સર્જન સિવાયનો કોઈ હેતુ હોતો નથી. ઇમાન્યુએલ કાન્ટની વાતને સમજનારા સૌ સુજ્ઞો જણાવે છે કે સર્જનમાં તો હેતુ વિનાની હેતુતા હોય છે – પર્પઝલેસ પર્પઝિવનેસ.

વાહવાહીગ્રસ્ત.

Pic courtesy : Depositphotos

હેતુ કીર્તિનો હશે તો ત્રિજ્યા એટલી જ લંબાશે, વર્તુળ એટલું જ રચાશે. કીર્તિના બે પ્રકાર છે : એક પ્રકાર ચન્દ્રક ઇનામ ઍવૉર્ડનો છે અને બીજો સહૃદયોના આહ્લાદજન્ય સ્વીકાર અને આવકારનો છે.

પહેલો પ્રકાર રાજકારણથી રંજિત છે. એ માટેની શરત એ છે કે સર્જકને લાગવગ, લાગવગ-વિસ્તાર, જીહજૂરી અને શરણાગતિનાં લેખાંજોખાં આવડતાં હોવાં જોઈએ.

કીર્તિનો બીજો પ્રકાર સ્વયંભૂ છે, એ માટે સર્જકે કલા સરજ્યા પછી કંઈ જ કરવાપણું હોતું નથી.

કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ કાફ્કા કે ગોવર્ધનરામ લખતા થયા તે દિવસે મહાન ન્હૉતા, કાળક્રમે વધતા રહેલા સહૃદયસ્વીકારે એમને મહાન ઠેરવ્યા છે.

રવીન્દ્રનાથને નોબેલ અપાયું ત્યારે કેટલાક લોકો એમને અભિનન્દન આપવા ગયેલા પણ એમણે બારણાં બંધ કરી દીધેલાં. કેમ કે એ લોકો સહૃદય ન્હૉતા, લાગ જોઈને વાહવાહી કરનારા તકવાદી હતા, રવીન્દ્રસૃષ્ટિમાં કદી પ્રવેશ્યા જ ન્હૉતા.

દરેક સાહિત્યકારે જાતને પૂછી લેવું કે – હું સહૃદયોથી વીંટળાયેલો છું કે તકવાદીઓની વાહવાહીથી ગ્રસ્ત છું.

(September 29, 2022 : USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

29 September 2022 Vipool Kalyani
← મુસલમાનોના કલ્યાણનો એકમાત્ર ઈલાજ માણસાઈ
પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ પાક વિરોધી પ્રવૃત્તિઓ ન કરી શકે એમ જ ભારતમાં રહેતા મુસ્લિમો પણ ભારત વિરોધી પ્રવૃત્તિઓ ન જ કરી શકે … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved