હરિ, ક્ષમા કરજો
જો સાચું બોલુંચાલું,
મને તમારા કરતાં પણ છે
કોઈ વધુ વ્હાલું ….
ખરું પૂછું તો પૂજન – અર્ચન
કર્યું ફક્ત એ બીકે,
તમે કદાચને સુવા ના દો
અમને એક ઓશીકે –
હરિ, હું તમને જોઉં તો લાગે
એની ભીતર મ્હાલું …..
હરિ, કહો કે કેવી રીતે
આપણે સાથે રહીએ?
હરિ, તમે હૈયે લો ત્યારે
હોઉં છું એને હૈયે,
હોઉં તમારી સાથે ત્યારે
એની સાથે ચાલુ ….
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


હા, આ સમય સાધુઓનો નથી. સાધુઓ એટલે એવા સાધુઓ જેઓ સંસારમાં પડતા નથી. બાકી, ઘણા સાધુઓ એવા પણ છે જે સંસારી કરતા વધુ સુખ ભોગવે છે. એ તકસાધુઓ જ છે. આજનો જમાનો એવા લોકોનો છે. મીડિયા જ્યારથી વિકસ્યું છે, તેણે ઘણા લોકોને બોલતા કરતા કરી દીધા છે. સાધારણ રીતે લોકો બોલતા હોતા નથી, પણ જ્યારથી મીડિયા ગમે તેની સામે માઈક ધરતું થયું છે, ગમે તે લોકો ગમે તે બોલતા થઈ ગયા છે. ન્યૂઝચેનલો ગમે તે રેલનું ક્લિપિંગ બતાવી શકે ને રેલ જોડે લેવાદેવા ન હોય એવા લોકો પાસેથી સરકારના કારભાર વિશે મત પણ ઓકાવી શકે છે. ચોમાસું આવે છે ને તંત્રોની પોલ ખૂલી જાય છે. એ સંદર્ભે લોકોને એકાએક અભિપ્રાયો વધી પડે છે.
વીર નર્મદ યુનિવર્સિટીમાં એવો નિયમ છે કે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ આપવા. એટલે કે વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માર્ક્સ કપાય. આ નિયમ રાજ્યની બીજી યુનિવર્સિટીઓમાં નથી. તેમાં ખોટો જવાબ હોય તો માર્ક્સ કપાતા નથી. ગુજરાત રાજ્યની એક યુનિવર્સિટીમાં માર્ક કપાય ને એ જ રાજ્યની બીજી યુનિવર્સિટીમાં ન કપાય એ યોગ્ય છે? એક જ રાજ્યની બધી યુનિવર્સિટીમાં આવી અતંત્રતા વહેલી તકે દૂર થવી જોઈએ. કમસે કમ પીએચ.ડી. લેવલે બધી યુનિવર્સિટીઓમાં એકવાક્યતા હોય એટલી સાદી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગ ન કરી શકે? બીજી વિચિત્રતા વીર નર્મદ યુનિવર્સિટીમાં એ પણ છે કે પીએચ.ડી. એન્ટ્રન્સ એકઝામમાં પરીક્ષાનાં પેપર્સ યુનિવર્સિટી પરત લઈ લે છે. બધી પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપી દેવાતાં હોય તો વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને આપી દેવાનો શો વાંધો છે એ સમજાતું નથી. કેટલાક અધ્યાપકોને આ અંગે પૂછતાં એ જાણવા મળ્યું કે આ અંગે વિદ્યાર્થી યુનિયનો અને યુનિવર્સિટી અંગે વાટાઘાટો ચાલે છે ને એનો સુખદ ઉકેલ આવે એમ લાગે છે.