આવ્યો જ્યાં માથા ઉપર કાળો ભમ્મર સાંઢ,
તેં આવી પૂછ્યું મને, શરૂ કરું આષાઢ …?
પતરાં જેવાં આભને ગગડાવે સુદ બીજ,
ભાલા જેવી સોંસરી નીકળે ચકચક વીજ,
ફાડી આખું આભ તું વરસે ધોધ પ્રગાઢ …
તું હેલી થઈ બોલતી, શરૂ થયો આષાઢ …
સામે તું ઊભી રહી જળની થઈ દીવાલ,
મેં પણ તોડી છે તને લઈને મારું વ્હાલ,
પછી તો ચાલી આપણી ભીની કાઢાકાઢ …
તું ભૂલી ગઈ પૂછવું, શરૂ કરું આષાઢ …?
આજે તેં આકાશનો હંફાવ્યો છે મેહ,
જળ વરસી ઢીલું પડ્યું તો ય વરસતો નેહ,
તારી ચાહતની પછી કદી ન ઊતરી બાઢ …
તેં થાકીને કાનમાં કહ્યું, ગમ્યો આષાઢ …?
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


એમ લાગે છે કે આ દેશ સલાહો, ઉપદેશો, જાહેરાતોથી ખદખદે છે. ખૂબી એ છે કે જે આવે છે તે આપણું ભલું કરવા આવે છે ને પોતાનું ભલું કરીને આગળ નીકળી જાય છે ને આપણે હતા ત્યાંથી વધુ પાછળ જઈ પહોંચીએ છીએ. મધ્ય પ્રદેશના મંત્રીએ દુ:ખ વગર સુખનું મહત્ત્વ નહીં સમજાય એવો ઉપદેશ આપ્યો, પણ તે પ્રજા માટે છે, પોતાને માટે નથી. મંત્રી એટલું તો સમજે છે કે પેટ્રોલનો ભાવ વધારો દુ:ખદાયક તો છે જ, પણ પ્રજાએ તે કોઠે પાડી લેવા જેવો છે. જેમ કોરોના કોઠે પડી ગયો છે, એમ જ પેટ્રોલનો ભાવ પણ કોઠે પડી જશે. પેટ્રોલનો ભાવ વધારો સમસ્યા તો છે જ, પણ સમસ્યા છે તેથી સુખનો ખ્યાલ આવે છે એવું મંત્રીનું કહેવું છે. દુ:ખ નહીં હોય તો આનંદની કિંમત નહીં સમજાય ને આનંદની કિંમત સમજાય એટલે તો પેટ્રોલના ભાવ વધે છે ! મંત્રીનું એમ પણ માનવું છે કે ઈંધણના ભાવ વધારાને મામલે સરકાર નિષ્ફળ ગઈ નથી. જેમને એવું લાગે છે એવા તો ઓછા જ છે. મતલબ કે ભાવ વધારો મોટે ભાગની પ્રજાને માફક આવી ગયો છે. મંત્રીને તો કરોડો કમાવાના મળતા હશે, એટલે ઈંધણનો ભાવ એમને અસર નહીં જ કરે. એટલે જે દુ:ખ મંત્રીને અનુભવાતું નથી તે દુ:ખ લોકોએ વેઠતાં શીખવું જોઈએ એવું સંતમંત્રી કહે છે, તો પ્રશ્ન એ થાય કે સુખનું મહત્ત્વ સમજાય એ માટે પણ સાહેબે થોડું દુ:ખ વેઠવું જોઈએ એવું નહીં? એવી તૈયારી સાહેબ બતાવે તો કેવું સારું ! પણ એમને તો બોલવાનું છે. એ બોલવા માટે ને પ્રજા વેઠવા માટે છે.