એ રેવલા,
તું જો હખણો રે’ તો ઓય ને,
ને દાઈદોસ્તારમાં ખાજણપીજણના ખોટા ખરચા ની’ કરતો ઓય તો !
તો આપણાં ખોરડે હાંલ્લાં કુસ્તી ની’ કરતાં ઓય!
ને મને બે વેર રાંધવાનો લા’વો મલતો ઓતે!
પણ …..
રેવલા,
આ તારી વખતકવખત જોયા વગર ઢીંચવાની ટેવે તો
આપણને બરબાદ કરી કેથેના ની’ રાયખા!
પોયરાં બચાડાં નિમાણાં થેઈને ફરે,
છનિયો તો ઘરમાં ટકે જ ની’
ને મંગી તો તારાથી કેટલી બીતી ફરે!
તું ઢીંચીને આવે ને એવો લવારે ચડે કે
ઉં તો હરમથી કોકડું વરી જાઉં!
ને તારા ગોલાપા કરતાં તો એવો પારો ચડે કે
કોઈવાર થી આવે કે લાવની ઉં જ ચહકો કરી મેલું!
મને થાય, લાવ તને હારોહરખો ધબેડી કાડું!
ની તો ઘરમાંથી જ આંકી( હાંકી) કાડું!
પણ પછી થાય કે તું છે તો માથે છત્તર છે ને
પોયરાંના માથે બાપની ઓથ છે!
ઉં તો ઉપરવાળા હાથે બી’ લડી લડીને થાકી!
એ વરી આપણાં જેવાં ગરીબડાંને હારું કા પરવારતો છે?
હેં રેવલા!
પે’લા તો તું કેટલા હારો ઉતો,
આપણે મેળે મા’લતાં ને ભજિયાં ને ચાની જાફત ઓ કરતાં.
સિનેમા જોવા ઓ જતાં ને હગેવા’લે કારવે’વારમાં ઓ જતાં કે’ની?
આપણાં પોયરા તો મારી વાત માને જ ની’!
એમ કે’ય કે માય તો ગાંડી ગાંડી વાત કરતી છે!
અમે તો બાપાને અખ્ખણ ઢીંચતા જ જોયેલો!
હેં રેવલા,
તુ ની’ જ સુધરવાનો કે?
ચાલ ની, મે તને પેલે તાં –
એ હું કે’વાય જે?
એ યાદ આઈવું,
નસા મુક્તિ કેન્દ્રમાં લેઈ જાઉં.
ને પછી તું પેલા જેવો થેઈ જાય!
હેં રેવલા તું, હખણોપાધરો રેહે ને?
જો તું હીધો થેઈ જાય તો આપણું ઘર ઘર બની જાય કે’ની?
ચાલની રેવલા, આપણે ઘર બનાવીએ!
![]()



કૃષ્ણાનું લાડનું નામ કિશા. એમને ફોટામાં જુઓ તો પ્રભાવશાળી, જાજરમાન લાગે. પ્રથમ છાપ જ એવી પડે કે બાંધો મજબૂત હશે. ચહેરા પર નિર્ભીકતા એકદમ બોલકી. સહજ સ્મિતમઢી મોંકળા અને માયાળુ નજર ધ્યાનાકર્ષક. એની સામે નારાયણ સુર્વે ફોટામાંથી ય થોડા અકળ, બીડાયેલા હોઠોના કારણે મક્કમ નિર્ણયશક્તિ ધરાવનાર નિજાનંદી લાગે. એ બન્નેની સામ્યતા એ કે બાળપણથી જ એમણે માતાપિતાની છત્રછાયા ગુમાવેલી. નારાયણ તો કચરાપેટી આગળથી એમના પાલકપિતાને મળેલા. તેથી એમને ઓળખ મળી નારાયણ ગંગારામ સુર્વે તરીકે. બન્ને સાખપાડોશી. દાદીએ કિશાને ભરપૂર પ્રેમથી સાચવ્યાં અને ઉછેર્યાં. ભરચક સંયુક્ત પરિવારમાં કેળવ્યાં પણ ખરાં. ભણ્યાં નહીં છતાં કોઠાસૂઝ અને ડહાપણ તો મળ્યું. પોતાનાં બાળપણ, દાદી અને નાની, ફોઈ અને કાકાઓ, પિતરાઈઓ અને એમની સાથેની જીવનચર્યા વિશે એ પારદર્શક, નિર્ભેળ, સહજ વર્ણન કરી શકે છે. પારકાં-પોતાનાંનાં ભેદ, માણસોની વર્તનવ્યવહારની રીત વિશે સ્પષ્ટ સમજ એમને છે. પ્રેમ, આકર્ષણ, સંબંધનું મૂલ્ય અને ગરિમા વિશે પણ અત્યંત સ્પષ્ટ વલણ એમને સહજ સાધ્ય લાગે. આજથી પચ્ચોતેર એંસી વર્ષ પહેલાંનાં મુંબઈની મિલોના શ્રમિકોની પારિવરિક જિંદગીની વાતો કિશા સરળતાથી પોતાની અભિવ્યક્તિમાં વણી લે છે.
વર્ષા અડાલજા લિખિત પ્રલંબ મહાગાથા ૧ સપ્ટેમ્બર ૧૯૨૩ થી (સ્વતંત્ર ભારતના પ્રથમ પારડી અન્ન ખેડ સત્યાગ્રહના ૩૦ વર્ષ પહેલાં) એક ઐતહાસિક સમયખંડનાં પડ ઉકેલવાનું શરૂ કરે છે, જે આઝાદી આંદોલનના સશસ્ત્ર ક્રાંતિકારી માનસથી લઈ ગાંધીમૂલ્યોમાં પરિવર્તિત એક બ્રાહ્મણ પરિવારની સ્ત્રી કેન્દ્રિત કથાઓને ઉજાગર કરે છે. તે સમયનો રૂઢિચુસ્ત સમાજ, યુવાન માનસની ઘટમાં ઘોડા થનગને, અદીઠી ભોંય પર યૌવન માંડે આંખની (મેઘાણી પરિકલ્પના) માનસિકતા, લખતર, નવસારી વાયા કલકત્તા, મુંબઈ, અમદાવાદ, અમેરિકા ને લખતરનું વર્તુળ પૂરું કરી એ પલટાતાં યુગકર્મ ને ક્રમની ઝાંખી કરાવે છે.