૧૯૪૨માં જે બાવીશ વર્ષની છે તે સૂરત પંથકની વાણિયાની દીકરી ઉષા મહેતા (નિ. ૧૬-૧૨-૨૦૨૧ તેમ જ “ઓપિનિયન” 20 ઑક્ટોબર 2021) આઝાદીની ચળવળમાં ગુપ્ત રેડિયો સંભાળે, કેવાં કેવાં સાહસ કરે, પોતાના બચાવ માટે પોતાના કામ માટે કે આઝાદી પછી પોતાની આજીવિકા માટે એક શબ્દ પણ ન ઉચ્ચારે – દેશપ્રેમની આ દીવડી સામે ધરાર સૂરજ બનીને ચમકતા, ખરે ટાણે માફી માગતા કે આથમી જતા વીરપુરુષોની કેટલી કિંમત? સ્ટેજ ઉપર ભારતમાતાના ઝંડા ફરકાવતા અને વિરોધ ઊઠે તો સ્ત્રીનાં કપડાં પહેરીને પાછલા બારણાથી પલાયન થતા મહારાજને અભય સ્વદેશી સ્વાર્થત્યાગના ગાયત્રીમંત્રની દીક્ષા લેવા યા ઉષા સામે બેસવા જેવું છે! ઉષાની માતાને સમાચાર મળ્યા કે જેલમાંથી છૂટવા માટે ઉષાએ માફીપત્ર લખ્યો છે. બીજે દિવસે ટિફિનની એક રોટલીમાં માાતએ ચબરખી મૂકી : માફી માગીને ઘરે આવીશ તો મારા ઘરના દરવાજા બંધ હશે!
અભયમ્ સત્ત્વસંશુદ્ધિ: જ્ઞાનયોગ વ્યસ્થિતિ :- આ છે હિન્દુ! જે હિન્દુ-હિન્દુ કરતા નીકળી પડ્યા છે તેને અને જે સમજ્યા વિના હિન્દુને ગાળો કાઢે છે તે બન્નેને વેંત ઊંચા ઊઠવાની જરૂર છે.
પોરબંદર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 12
 


 રવીન્દ્રનાથ (૧૮૬૧-૧૯૪૧)ની પહેલી રચના ૧૮૭૮માં શાહીબાગ, અમદાવાદ, ગુજરાતમાં અને રવીન્દ્રનાથની ગુજરાતી ભાષામાં ઉતરેલી પહેલી રચના ૧૯૧૮માં મણિભાઈ હરિભાઈ દેસાઈ દ્વારા ‘ગીતાંજલિ’ આમ લાગલગાટ એક સો વરસથી રવીન્દ્રનાથ ગુજરાતીમાં ઊતરતા રહ્યા છે. રવીન્દ્રનાથે ચોથી વિદેશયાત્રા મે ૧૯૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીના કુલ અગિયાર મહિનાની કરી તેમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે Nationalism નામથી ૧૯૧૭માં પ્રસિદ્ધ થયાં, આજે બરાબર એક સો વર્ષ બાદ ભાઈ ત્રિદીપ સુહૃદ દ્વારા ‘રાષ્ટ્રવાદ’ નામથી તે ગુજરાતીમાં ઉતરે છે. ત્રિદીપને અને નવજીવન પ્રકાશનને ધન્યવાદ.
રવીન્દ્રનાથ (૧૮૬૧-૧૯૪૧)ની પહેલી રચના ૧૮૭૮માં શાહીબાગ, અમદાવાદ, ગુજરાતમાં અને રવીન્દ્રનાથની ગુજરાતી ભાષામાં ઉતરેલી પહેલી રચના ૧૯૧૮માં મણિભાઈ હરિભાઈ દેસાઈ દ્વારા ‘ગીતાંજલિ’ આમ લાગલગાટ એક સો વરસથી રવીન્દ્રનાથ ગુજરાતીમાં ઊતરતા રહ્યા છે. રવીન્દ્રનાથે ચોથી વિદેશયાત્રા મે ૧૯૧૬થી માર્ચ ૨૦૧૭ સુધીના કુલ અગિયાર મહિનાની કરી તેમાં ત્રણ વ્યાખ્યાનો આપ્યાં, જે Nationalism નામથી ૧૯૧૭માં પ્રસિદ્ધ થયાં, આજે બરાબર એક સો વર્ષ બાદ ભાઈ ત્રિદીપ સુહૃદ દ્વારા ‘રાષ્ટ્રવાદ’ નામથી તે ગુજરાતીમાં ઉતરે છે. ત્રિદીપને અને નવજીવન પ્રકાશનને ધન્યવાદ.