4 જુલાઈ 1776ના રોજ, 13 અમેરિકન વસાહતોને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્ર જાહેર કરવામાં આવી હતી. USમાં, 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
4 જુલાઈ 2025ના રોજ અમે Springfield ખાતે, USના 16મા પ્રેસિડન્ટ Abraham Lincoln – અબ્રાહમ લિંકન(12 ફેબ્રુઆરી 1809-15 એપ્રિલ 1865)ના નિવાસસ્થાનની બીજી વખત મુલાકાત લીધી. અગાઉ 2016માં આ સ્થળ જોયું હતું. આ વખતે કેનેડા નિવાસી જગદીશ બારોટ તથા શિકાગોના ડો. દિનેશ ધાનાણી સાથે હતા. શિકાગોથી સ્પ્રિંગફીલ્ડનું અંતર 199 માઇલ છે. સ્પ્રિંગફીલ્ડ એ ઇલિનોઇસ રાજ્યનું પાટનગર પણ છે.

અબ્રાહમ લિંકને USના પ્રમુખ તરીકે 1861 થી 1865 સુધી સેવા આપી હતી. તેમણે અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સનું નેતૃત્વ કર્યું; અમેરિકાના કન્ફેડરેટ સ્ટેટ્સને હરાવ્યા અને ગુલામી નાબૂદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ 1837 થી 1861 સુધી સ્પ્રિંગફીલ્ડમાં રહ્યા હતા. લિંકનનો જન્મ કેન્ટુકીમાં થયો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું. 1816માં તેમનો પરિવાર કેન્ટુકી રાજ્ય છોડી ઇન્ડિયાના રાજ્યમાં સ્થળાંતરિત થયો. બાળપણથી જ પરિવારના હાડમારીભર્યા જીવનને કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ તૂટક અને અવ્યવસ્થિત રહ્યું. 1830માં તેમનો સમગ્ર પરિવાર ઇન્ડિયાના રાજ્ય છોડી ઇલિનૉઇસ રાજ્યમાં સ્થાયી થયો. અહીં તેમણે છૂટક મજૂરી અને નાની-મોટી નોકરીઓ કરીને પરિવારને મદદરૂપ બન્યા. લિંકને સૌ પ્રથમવાર ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પ્રથમ પ્રયાસમાં તેઓ પરાજીત થયા. 1834માં ફરીવાર આ બેઠક પરથી ઉમેદવાર બન્યા અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. 1836માં ઇલિનૉઇસ બેઠકના પ્રતિનિધિ તરીકે તેઓ બીજી વાર ચૂંટાયા. આ દરમિયાન તેઓએ ગુલામી પ્રથાનો વિરોધ કર્યો. 1836માં કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો તેમણે આરંભ કર્યો. ‘ઇલિનૉઇસ સેન્ટ્રલ કેસ’, ‘એફી આફટન કેસ’, ‘સેન્ડબાર કેસ’ જેવા નોંધપાત્ર કેસો જીતી તેમણે શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. 1842માં લિંકનના લગ્ન મેરી ટોડ સાથે થયાં. 1860માં પ્રમુખની ચૂંટણીમાં તેઓ વિજયી બન્યા. લિંકને લશ્કરી કાર્યવાહી અને રાજકીય નિર્ણયો દ્વારા ગુલામી પ્રથા નાબૂદ કરી.


ઉમાશંકર જોશીએ 15 એપ્રિલ 1965ના રોજ લિંકન વિશે કહ્યું હતું : સમાજજીવનનો રોગ લિંકને બરોબર પારખ્યો હતો. નાનપણમાં ગુલામોની હરરાજીનું એક કારમું દૃશ્ય એમણે જોયેલું. એક નિગ્રો યુવતીને ઘરાકોની આગળ આમથી તેમ ફેરવવામાં આવી રહી હતી. યુવક લિંકનના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો : “If ever I get a chance to hit that thing, I’ll hit it hard – આ વસ્તુ પર પ્રહાર કરવાની કદી મને તક મળશે તો હું એની ઉપર સખ્ત પ્રહાર કરીશ.” લાકડાની નાનકડી ખોલીમાં જિંદગી શરૂ કરીને 1860માં, એકાવન વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રમુખનું પદ પોતે પામ્યા. એમનાં બે સૂત્રો માનવઇતિહાસનાં કંઠાભરણ બનવા સર્જાયાં છે : “In giving freedom to the slave, we assure freedom to the free – ગુલામને સ્વતંત્રતા આપીને, આપણે મુક્તને સ્વતંત્રતાની ખાતરી આપીએ છીએ.” અને એ જ વાત પલટાવીને બીજી રીતે અમર શબ્દોમાં એ મૂકે છે : “As I would not be a slave, so I would not be a master – જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે.”
14 એપ્રિલ 1865ના રોજ અબ્રાહમ લિંકન પરિવાર સાથે નાટક-કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જૉન વિલ્ડ્સ બુથ નામની વ્યક્તિએ અબ્રાહમ લિંકનને ગોળી મારી દીધી. 15 એપ્રિલ 1865ના રોજ તેમનું અવસાન થયું. તેઓ ઇન્ડિયાનામાં મોટા થયા હતા અને વોશિંગ્ટનમાં પ્રમુખ તરીકે રહ્યા, તેમ છતાં તેમને ઇલિનોઇસમાં દફનાવવામાં આવ્યા હતા. તેમની હત્યાના બે વર્ષ પહેલાં તેમણે લખ્યું હતું : “સ્પ્રિંગફીલ્ડ મારું ઘર છે, અને ત્યાં મારા જીવનભરના મિત્રો છે.”
લિંકનના નિવાસસ્થાનની વિઝિટ કર્યા બાદ 23 મિનિટની ફિલ્મ Abraham Lincoln: A JOURNEY TO GREATNESS જોઈ. પછી થોડે દૂર Lincoln Tombની મુલાકાત લઈ લિંકનને આદરાંજલિ પાઠવી.
મનમાં સવાલ થયો : માનવસમાજની સર્વોત્તમ સેવા આપનાર અબ્રાહમ લિંકન / માર્ટિન લ્યૂથર કિંગ / ગાંધીજીની હત્યા કેમ?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()





ખેડૂતોએ રાજ્ય સમક્ષ લેખિતમાં માંગણીઓ મૂકી હતી, પરંતુ રાજ્યે માંગણીઓ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. ખેડૂતોની કુલ-10 માંગણીઓ હતી :
સત્યાગ્રહના સેનાપતિ મગનલાલ પાનાચંદ કપાસના વેપારી હતા. ઠાકોર સાહેબે કપાસ પર વેરો વધાર્યો. મગનલાલે વેરો ભરવાનો ઈન્કાર કર્યો, એટલે એમનો કપાસ અટકમાં લેવાયો. વરસાદમાં કપાસ પલળી જતા રૂપિયા 60,000નું નુકસાન થયું છતાં મગનલાલ ઝૂક્યા નહીં. આ બહુ મોટું નુકસાન હતું કેમ કે એ સમયે એક તોલા સોનાની કિંમત રૂપિયા 18 હતી.
આવા જુલમો વધતા ગયાં. આ સ્થિતિમાં શું કરવું તેનું માર્ગદર્શન લેવા મગનલાલ તથા ભવાન ઓઝા વઢવાણ ગયા. ત્યાં કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી ફૂલચંદ શાહ, દેવચંદ પારેખ, મોહનલાલ સંઘવી, મણિભાઈ કોઠારીને મળ્યા. ખાખરેચી જુલમની વાત કરી. ખેડૂતોના સત્યાગ્રહની વાત કરી. નેતાઓએ ખાખરેચી ગામની મુલાકાત કરી આંદોલનને દિશા આપવાનું નક્કી કર્યું.
દરમિયાન ફોજદાર આવ્યા. તેમણે ગાળોનો વરસાદ વરસાવ્યો ! પોલીસ હાથમાં લાકડીઓ લઈને દોડી આવી. સત્યાગ્રહીઓના હાડકાં ખોખરા કરશે તેવું વાતાવરણ ઊભું કર્યું. પણ એ સમયે વહિવટદાર, લાડકચંદ શેઠ અને બીજા પાંચ વેપારીઓ આવ્યા. તેમણે અઢાર સત્યાગ્રહીઓ સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ સત્યાગ્રહીઓએ પોતાને તેમ જ મગનલાલ પાનાચંદને અટકાયતમાંથી છોડવા આગ્રહ રાખ્યો. વેપારીઓએ ઠાકોર સાહેબને વાત કરી. મગનલાલને માળિયા જેલમાંથી છોડવામાં આવ્યા. મગનલાલે કહ્યું કે ફૂલચંદભાઈને પૂછ્યા વિના સમાધાન ન થાય !
ફોજદારે 500 માણસોના જૂથ સામે સમયસૂચકતા વાપરી નમતું મૂક્યું અને જતા રહ્યા. આમ છતાં ય રસ્તા પર કોઈ નીકળે તો પોલીસ તેને ગાળો આપતી અને ધોલથપાટ કરતી.
એ વખતે ‘સૌરાષ્ટ્ર’ અખબારના પ્રતિનિધિ હરગોવિંદ પંડ્યા, ઠાકોર સાહેબ સાથે સમાધાનની વાટાઘાટ ચલાવતા હતા. એજન્સી તરફથી ઠાકોર સાહેબ ઉપર દબાણ આવ્યું હતું કે ‘સત્યાગ્રહીઓ સાથે સમાધાન કરો, નહીં તો સત્યાગ્રહની જ્વાળા આખા કાઠિયાવાડમાં પ્રસરી જશે !’
સત્યાગ્રહીઓએ દંડના રૂપિયા 10 ભરવાનો ઈનકાર કર્યો. શિવાનંદજીની ટુકડી રેલવે રસ્તે અણિયારી જવા નીકળી, તરત જ 10 પોલીસ ગાડીમાં ચડી. સત્યાગ્રહીઓને અણિયારી ડબામાંથી ઊતરવા દીધા નહીં. આથી સત્યાગ્રહીઓ ખાખરેચી આવ્યા. ત્યાં સ્ટેશન માસ્તરે અણિયારીથી ખાખરેચીનો ડબલ ચાર્જ માંગ્યો ! સત્યાગ્રહીઓએ કહ્યું કે “પોલીસે અમને અણિયારી ઊતરવા ન દીધા એટલે વાંક અમારો નથી પોલીસનો છે !”
ભવાન ઓધા / ભાણજી કુંવરજી / નારણ કરસનની જમીન હરાજ કરી રાજ્યની તરફદારી કરતા ખેડૂતોને પાણીના મૂલે વેચી દીધી. પ્રાગા નરસીને જેલમાં પૂરી ખૂબ માર માર્યો. ફોજદારે કલા વીરજીને પકડીને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, જે તેમને આખી જિંદગી નડ્યો. પાલિતાણાના જોરસંગ કવિને માર પડતા તેમની છાતીનું હાડકું ભાંગી ગયું. આત્મારામ ભટ્ટ, શંભુશંકર ત્રિવેદીને પણ માર પડ્યો. ફોજદારે વૃદ્ધ લવજી ધનાને ભર બજારે પાડીને માર માર્યો.
[3] દર વરસે મગનલાલ પાનાચંદ ચાર આના લઈને કાઁગ્રેસના પ્રાથમિક સભ્યો નોંધતા. ઠાકોર સાહેબને આની ખબર પડી કે ખાખરેચી ગામમાંથી કાઁગ્રેસના સભ્યો થયા છે. એટલે તરત જ તેમને ગામ છોડી જવાનો હુકમ કર્યો ! અને ખૂબ ધમકાવ્યા. ચાર જણાને 2-2 રુપિયાનો દંડ કર્યો !
[6] મગનલાલ પાનાચંદના દીકરા રાજપાળભાઈ અને તેમનાં પત્ની ઝલુબહેન 1930માં દાંડીકૂચ વેળાએ જ વિરમગામ સત્યાગ્રહ છાવણીમાં જોડાઈ ગયાં હતાં. ઝલુબહેન વિરમગામ કાપડ પિકેટિંગમાં પકડાયા હતાં અને જેલવાસ ભોગવ્યો હતો. રાજપાળભાઈને છ મહિનાની સજા થઈ હતી. તેમાંથી છૂ્ટ્યા બાદ ફરી સત્યાગ્રહમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલ. મગનલાલ પાનાચંદ હળવદ-ધ્રાંગધ્રા-મોરબીમાં કાપડ પિકેટિંગના મુખ્ય નેતા હતા.