Opinion Magazine
Number of visits: 9446481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુજોસાફોના ૧૨મા ઍપિસોડ સંદર્ભે, મુખ્યત્વે ‘નવોન્મેષ’ સંદર્ભે

સુમન શાહ|Opinion - Literature|25 February 2021

જણાવું કે આ મેં સવાલોના જવાબ રૂપે નથી લખ્યું બલકે મને એટલું જ લખવામાં રસ છે. આશા છે, સૌ આ મુદ્દાને ધ્યાનમાં લેશે.

કોઈ માણસ મને એમ કહે કે તમે નવા શ્હૅરમાં અથવા નવા બંગલામાં ગયા ને જુદી રીતે જીવવા લાગ્યા, એ સાહસ છે, પણ તમારા જીવનમાં એ એક નવોન્મેષ છે, તો મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે એણે મારા સાહસને નવોન્મેષ કહીને બિરદાવ્યું. સાથે એ એમ કહે કે તમારું એ સાહસ સાહસ ખરું પણ કુણ્ઠિત છે – રૂંધાયેલું, અટકી પડેલું, તો પણ મારે ખુશ થવું જોઈએ – એટલા માટે કે મારા સાહસ પ્રત્યે એ વ્યક્તિને લાગણી છે, માન છે; અને મને સન્માને છે. એટલું જ નહીં, વધારે ખુશ થઉં – એટલા માટે કે એ ઇચ્છે છે કે હું એ સાહસને વિશે વધુ-ને-વધુ વિમર્શ કરું, એને વિકસાવીને પ્રફુલ્લ કરું. 

જો સુરેશભાઈએ એ શબ્દપ્રયોગને વ્યાખ્યાયિત નથી કર્યો, સ્પષ્ટ નથી કર્યો, તો એ, એ જ કારણે એક લાગણી, એક અભિપ્રાય કે મન્તવ્ય ઠરે છે, ચુકાદો નહીં. બે સામસામા મત પ્રવર્તતા હોય અને ત્રીજી તટસ્થ વ્યક્તિ જે નિર્ણય આપે તેને ચુકાદો કહેવાય. બાકી, આ એક લાગણી છે.

તેમ છતાં એવા કોઈ પણ શબ્દગુચ્છને ભલે ને આપણે ચુકાદો ગણીએ ! પણ એને વડીલશાહી ને મુરબ્બીવટ સાથે જોડીએ ત્યારે વ્યક્તિની પ્રતિષ્ઠાને ઠેસ પ્હૉંચે છે, એટલા માટે કે એમ કહેવું તે તર્કદોષ છે. તર્કદોષ એટલા માટે છે કે એ એક વ્યાપક વિધાન છે -એવું કે જેનો આધાર અલ્પતમ છે, અવ્યાપ્ત છે, સીમિત છે.

વળી, રમૂજ તો એ થાય છે કે સુરેશ જોષીએ ચુકાદો આપ્યો છે એમ કહીએ ત્યારે એવું કહીને આપણે પણ એવો એક ચુકાદો જ આપીએ છીએ !

પણ એ બધાને સરવાળે, મૂળ પરિસ્થતિમાં કશો જ ફર્ક નથી પડતો. ઊહાપોહ શબ્દ પ્રયોજીએ ત્યારે પણ યાદ રાખીએ કે એમાં ઊહ છે અને અપોહ છે. આપણે તારવવું રહે કે ઊહ શું છે ને અપોહ શું છે. ’નવોન્મેષ’-નાં એ કાવ્યોની એમણે કરેલી સમ્ ઇક્ષાને ઊહ કહીએ તો એ ઊહની સમ્ ઇક્ષા કરીને કોણે અપોહ સરજ્યો? એ સમ્પાદન સુરેશ જોષી જેવા કલામર્મજ્ઞે કર્યું છે એ મહિમાની પણ સમ્ ઇક્ષા કોણે કરી?

કોઈ પણ સમીક્ષા સમ્ ઇક્ષા હોવી જોઈએ. એ માટે એમાં પક્ષાપક્ષીની નહીં પણ સાહિત્ય-સિદ્ધાન્તોની ભૂમિકા જોઈશે, એ તાર્કિક અને વસ્તુલક્ષી ધોરણે થવી જોઈશે. દાખલા તરીકે, આ મુદ્દો ‘નવોન્મેષ’-નાં સમ્પાદિત કાવ્યો સાથે જોડાયેલો છે. એને આપણા આધુનિક કે અનુ-આધુનિક સાહિત્યયુગ સાથે અત્યારે આ ચર્ચામાં ન જોડાય, જો જોડીએ તો તર્કછળ થાય. સાથે, એ સમીક્ષામાં, પોતાની માન્યતાને નહીં પણ મૂળ સમીક્ષ્ય વસ્તુને વળગી રહેવું જોઈશે. બાકી તો, મૂળ ભૂલીને એકમેક સામે મૉઢાં ચડાવવાનું થાય, આલતુફાલતુ વાતો જોડીને એકમેકનો સમય બગાડવાનું થાય ! જેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસ માટે જીવનભર વેઠ્યું હોય એઓનાં વચનોમાં કંઈક દમ હોય, એ દમની સમ્ ઇક્ષા થવી જોઈએ. આ બધાં માટે આપણે મહાન સાહિત્યકારોના વિચારો સાથે પહેલાં તો સંગત કરવી જોઈશે ને પછી એની પણ સમ્ ઇક્ષા કરવી જોઈશે.

એવી બહુપરિમાણી વસ્તુલક્ષીતા નથી હોતી ત્યારે ખાલી કાલયાપન થાય છે. ઘણી વાર તો ગાલિપ્રદાન; મન:દુખ ને કાયમી વેરઝેર પણ જન્મે છે. દુનિયાને લાગે કે વિદ્વદચર્ચા ચાલી રહી છે !

સુરેશ જોષી સમા જનની સામે બોલીને પોતે ચડિયાતા છે એમ ઠેરવવાની કોશિશ ભૂતકાળમાં અનેકોએ કરી છે. ગુજરાતી સાહિત્યની ચર્ચાઓ વસ્તુલક્ષીતાના અભાવમાં અધઝાઝેરું ચાલી છે, એ સત્ય છે.

એ સત્યને પારખીને જો નવી પેઢી વસ્તુલક્ષી માર્ગે નહીં ચાલે તો અત્ર લુપ્તા સરસ્વતી કહેવાનો વારો આવશે. આમ મેં આગળના વાક્યમાં કહ્યું તે કોઈ ગિરિપ્રવચન નથી, દાઝ છે, બળાપો છે.

= = =

(February 25, 2021: USA)

Loading

25 February 2021 admin
← આંદોલનની દિશા અને દિશાની ટૂલકીટ
શાળાઓનું ખાનગીકરણ તો ગુજરાતમાં વહેલું દાખલ પડી ગયેલું છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved