Opinion Magazine
Number of visits: 9447102
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે ઓછામાં ઓછું (મિનિમમ) વેતન મળવું જોઈએ તેમ જ આઠ કલાકનો દિવસ

હિમ્મત શાહ|Opinion - Opinion|21 November 2015

આજે ભારતના (આપણા દેશના) અનુસંધાનમાં વાત કરીશું. ભૂખી વ્યક્તિ ભગવાનનું નામ લઈ શકતી નથી, આ વાત સ્વામી વિવેકાનંદે કહી હતી.

ભૂખી વ્યક્તિનું આયુષ્ય લાંબુ રહેતુ નથી.

નવા જન્મ લેતાં બાળકને પોષણક્ષમ ખોરાક મળતો નથી, તો એમાંથી ઘણા મૃત્યુ પામે છે, અગર કદરૂપવાળા બને છે.

ભૂખ્યો માણસ નવું વિચાર કરી શકતો નથી, દોડી શકતો નથી. ડૉક્ટરો આ માટે મલ્ટી વિટામીન્સની ટેબલેટ આપતા હોય છે.

સમતોલ ખોરાક ન મળવાથી તંદુરસ્ત વ્યક્તિ બની શકતી નથી.

ભૂતકાળમાં લગભગ 70 (સિત્તેર) વર્ષ પહેલાં પુરુષને વધુ સારો ખોરાક મળતો હતો અને સ્ત્રીઓને વધ્યો ઘટ્યો અગર તે જ પ્રમાણેનો ખોરાક મળતો ન હતો, જો કે હવે આ પ્રમાણ સ્ત્રીઓ માટે નહિવત છે.

આ જ વાત અત્યારે મોટા ભાગે (S.C) શીડ્યુઅલ કાસ્ટ, હરિજનો, વણકરો તેમ જ (S.T.) શીડ્યુઅલ ટ્રાઈબ (આદિવાસી જાતિ) માટે લાગુ પડે છે.

મિનિમમ વેતનમાં આઠ કલાકનું કામ હોય છે, નહિ કે 12 (બાર) કલાકની નોકરી હોય.

આઈ-એલ-ઓ. (ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન) આઠ કલાકને દિવસ ગણે છે, નહિ કે 12(બાર) કલાકનો દિવસ.

પૂરતું વેતન ન હોવાને કારણે કપડાં રોજે રોજ ધોવાતાં નથી, સારો નહાવાનો સાબુ મળતો નથી, હાથ સાબુથી ધોવાતા નથી, કપડાં ચોખ્ખાં ન હોવાને કારણે શરીર ઉપર ખણ આવે છે, અને ગુંમડા થાય છે.

વ્યક્તિઓ અને કુટુંબના વિકાસ માટે, જિંદગી સાદી જીવવા માટે (મોજ શોખ નહિ), મિનિમમ વેતન મળવું જોઈએ, જે અત્યારે દેશની આઝાદી પછી જાહેર સાહસના એકમના કર્મચારીઓને મળે છે, જેમાં ઉત્પાદન કરતાં એકમો અને સેવા આપતા એકમોમાં ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને પૂરતું વેતન મળે છે. પણ જો મોંઘવારી વધે તો તેમની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. મને બરાબર યાદ છે કે ગુજરાત ઇન્કમટેક્ષના (I.R.S) ઓફિસર(રેડ પાડનાર) કે.વી.એમ. પાઈના શબ્દો લગભગ 30(ત્રીસ) વર્ષ પહેલાંના છે, કે એવું તંત્ર જરૂરી છે જેમાં જરૂરી ચીજવસ્તુના ભાવ ન વધે. તો, આ આવક વાસ્તવિક આવક બની રહે.

વાસ્તવિક આવક પૂરતી રહે તો, જેનાથી વ્યક્તિ કે કુટુંબ કલ્ચરવાળું બની રહે. કુટુંબ સાથે સંગીતના કાર્યક્રમમાં જઈ શકે. કુટુંબ સાથે સારાં નાટકો જોઈ શકે. કુટુંબ સાથે સારી ફિલ્મ જોઈ શકે. ઘેર પૂરતા અખબારો + મેગેઝિનો લાવી શકે અગર સમૃદ્ધ લાયબ્રેરીમાં જઈ શકે.

પૂરતું વેતન મળવાથી કુટુંબને નાનો પણ વ્યવસ્થિત ફ્લેટ મળી રહે છે. જેનાથી ભવિષ્યમાં તે તેની માલિકીનો ફ્લેટ બની શકે છે.

પૂરતું વેતન મળવાથી કુટુંબમાં ઝગડા ઓછા થાય છે, તેમ જ આજુબાજુના રહીશો સાથે ઓછા પ્રમાણમાં ઝગડા થાય છે. ઓછા વેતન મેળવનાર કુટુંબોના વિસ્તારમાં ઝગડા–કંકાસનું પ્રમાણ વધુ હોય છે (નાની નાની વાતોમાં). જ્યારે મિડલ કલાસ કે હાયર મિડલ કલાસ વિસ્તારમાં ઝગડાનું પ્રમાણ ઓછું હોય છે. ઓછું વેતન મેળવનારના દીકરાઓને મોટે ભાગે સારું શિક્ષણ મળતું નથી, ભણવા માટેનાં પૂરતાં સાધનો હોતાં નથી, તેમના બાળકોને ભણવાની સાથે પાર્ટ ટાઇમ નોકરી કરવી પડે છે. આજે અસંખ્ય બાળમજૂરો ચાની કિટલી – લારી ઉપર કામ કરતા નજરે પડે છે. જેમને ઓછા વેતનમાં નોકરી મળે છે અને ભણવાનુ મળતું નથી તેમ જ કિંમતી બાળપણ છીનવાઈ જાય છે.

વ્યક્તિ નહિ ભણવાથી રાષ્ટ્ર ઉપર બોજો બને છે. ઓછું ભણેલી વ્યક્તિ રિસર્ચ કામ કરી શકતી નથી તેમ જ સ્કીલ વર્કર બની શકતી નથી. રાષ્ટ્ર મજબૂત બનાવવું હશે તો તમામ વ્યક્તિઓને જીવવા જેટલું મિનિમમ વેતન અગર સારી આવક મળવી જોઈએ. દસ વ્યક્તિમાંથી સાત વ્યક્તિ કે ત્રણ-ચાર વ્યક્તિ મિનિમમ વેઈજ મેળવતી હોય તો અસમતોલ વિકાસ થાય છે. 

અસમતોલ વિકાસ થવાથી ગુંડાગીરી થાય. સ્ત્રીઓના સોનાના ચેઈન ખેંચી જાય છે. પુરુષો પાસેથી બેગ આંચકીને, પૈસા-રકમ લઈ જાય છે. રાત્રે એકલ-દોકલ વ્યક્તિ નીકળી ન શકે. આનાથી પોલિસ દમન વધતું જાય છે. (કાયદો તંત્ર જાળવવા માટે) શહેરમાં કે વિસ્તારમાં શાંતિ રહે નહિ. મને બરાબર યાદ છે કે અનામત આંદોલન કે કોમવાદી આંદોલન વખતે આપણી બાજુમાંથી સાયકલ કે સ્કૂટર જાય તો તરત જ ગભરામણ થાય. અશાંતિમાં વિકાસ થઈ શકતો નથી. અસમાન વિકાસ થવાથી કુટુંબમાં શાંતિ રહેતી નથી. ઈર્ષાનું વાતાવરણ રહે છે. આવું જ શહેર અને રાષ્ટ્ર માટે લાગુ પડે છે. 

શ્રમ કાયદાના અમલ માટે તટસ્થ તંત્ર નથી. રાજ્ય સરકારો ચાહે તે પ્રમાણે તેનો અમલ કરે છે. શ્રમ કાયદાના અમલથી કેવી પરિસ્થિતિ થાય છે તેમ જ તેનું મૂલ્યાંકન થતું નથી. રાજ્ય સરકારનું શ્રમ કાયદા અંગેની વિગતોવાળું મેગેઝિન નથી. આ અંગે પૂરતા વર્કશોપ કે સેમિનાર થતા નથી. અગર સેમિનારના નિચોડ માટે તંત્ર નથી. હાલના ટ્રેડ યુનિયનો પાસે રિસર્ચ અગર કો-ઓર્ડિનેશન માટેનું તંત્ર નથી. જાહેર સાહસોને નફાકારક બનાવવા જોઈએ, ઉપાયો શોધીને. નવો ટ્રેન્ડ ઊભો કરવો જોઈએ. પબ્લિક સેકટરમાં કામદારોની ભાગીદારી ઊભી કરવી જોઈએ (શેર હોલ્ડીંગ આપીને).

તારીખ 8-10-2015, ગુરૂવારના રોજ સાંજે 6 વાગે, અમદાવાદમાં મુવમેન્ટ ફોર ડેમોસ્ક્રેસી(M.S.D.)ની ચર્ચા સભામાં હિમ્મત શાહે ચર્ચાની શરૂઆત કરેલી તેની નોંધ છે

(અમદાવાદમાં દર ગુરૂવારે સાંજે 6 વાગે નર્મદ-મેઘાણી લાયબ્રેરીમાં ચર્ચા સભા મળે છે જેમાં જુદા જુદા વક્તાઓ ચર્ચાની શરૂઆત કરતા હોય છે.)

Loading

2 September 2021 admin
← શિક્ષણમાં સર્વકલ્યાણકાર મૂલ્યોનો વિકાસ
વિપુલ કલ્યાણીની વિચારસૃષ્ટિ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved