Opinion Magazine
Number of visits: 9446405
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્રીઓ નબળા પડે છે

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|25 April 2024

સત્તા અને અર્થશાસ્ત્ર : 

ભાગ – ૯ અને છેલ્લો

રોબર્ટ સ્કિદેલસ્કી

વિજ્ઞાપન એટલે કે જાહેરખબરો વિશે પણ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં આ જ પ્રકારની વાત કરવામાં આવી છે. અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે ગ્રાહકો હરીફાઈવાળા બજારમાં પોતાનો સંતોષ મહત્તમ કરવા માટે જ ખરીદી કરે છે. આ પ્રકારના મોડેલમાં તો વિજ્ઞાપનની જરૂર રહેતી જ નથી. વિજ્ઞાપન સત્તા કે તાકાતની અભિવ્યક્તિ છે તે બાબતને તો અદૃશ્ય બનાવી દેવાઈ છે. તેને માટે એવી દલીલ કરવામાં આવે છે કે વિજ્ઞાપન ગ્રાહકોની પસંદગીઓને માત્ર સમર્થન આપે છે અથવા તો તે ગ્રાહકોને માહિતી આપે છે.

આજે cloud storageને નામે કોમ્પ્યુટર નેટવર્ક ઊભું થયું છે કે જેની માલિક ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓ છે. આ કંપનીઓ તમારી રુચિ, વિચારો અને ખરીદી પર ખબર ન પડે તે રીતે પ્રભાવ ઊભો કરે છે. તેઓ મુખ્યત્વે યુવાન ગ્રાહકોને નિશાન બનાવે છે. આ ઘટનાને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ મોટે ભાગે અવગણે છે. 

ત્રીજો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્ર પ્રભાવક સત્તા વ્યવસ્થાને ટેકો આપે છે. તેને માટે તે પોતાના સંશોધનમાં ગ્રાહકોની પસંદગીઓને બજારમાં કેવી રીતે આકાર આપવામાં આવે છે એનો સમાવેશ કરતું જ નથી. ઉપરાંત, તે રાજકીય કાર્યક્રમોને વૈજ્ઞાનિક ટેકો પણ આપે છે. આજના સમયનું એનું એક મોટું ઉદાહરણ આ છે : અર્થતંત્રમાં રાજ્યની ભૂમિકા ઓછી કરવા માટેના રાજકીય કાર્યક્રમમાં મુખ્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર સામેલ થઈ જાય છે. 

મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં એક બાબત ખાસ કહેવામાં આવે છે કે બજાર વ્યવસ્થા જ એવી છે કે જેથી ઉદ્યોગપતિઓને તેમની લાયકાત કે મહેનતથી વધુ કશું નહિ મળે. તેમાં એમ પણ કહેવામાં આવે છે કે વૈશ્વિકીકરણથી જેઓ નોકરી ગુમાવી છે તેમને પણ ફાયદો થાય છે, મંદીમાં જો સરકાર બજેટમાં ખાધ ઊભી કરે તો પરિસ્થિતિ બગડે છે, અને ધિરાણ એ તો પોતે કંઈ કર્તા નથી પણ આર્થિક વ્યવસ્થામાં માત્ર મધ્યસ્થી તરીકે જ કામ કરે છે. 

હેમન્તકુમાર શાહ

આ બધી બાબતો સંપૂર્ણપણે કે આંશિકપણે સાચી હોઈ શકે છે. તે સંજોગો પર આધાર રાખે છે. પરંતુ તે બધી બાબતોમાં બધો સમય લાગુ પાડવામાં આવે તો તેનાથી નુકસાન થાય છે. 

નોબેલ ઈનામ વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન વિજ્ઞાન અને વિચારધારા વિશે બહુ જ સરસ રજૂઆત કરે છે :

“મારી આખી કારકિર્દી દરમ્યાન હું મારી જાતને કંઇક schizophrenic સમજતો રહ્યો છું …. એક તરફ હું શુદ્ધ વિજ્ઞાનમાં રસ ધરાવતો રહ્યો અને મને લાગે છે કે મારી વિચારધારા મારા વૈજ્ઞાનિક કામને પ્રદૂષિત ન કરે તે જોવામાં હું સફળ થયો છું. બીજી તરફ, મને આસપાસની ઘટનાઓ વિશે ભારે ચિંતા થાય છે અને મનુષ્યની સ્વતંત્રતા વધે તે માટે હું તેમની પર પ્રભાવ પાડવા ઈચ્છું છું. સદ્દનસીબે મારા રસના આ બે વિષયો મને એકબીજા સાથે સુમેળ સાધતા લાગ્યા છે.”

એમ લાગે છે કે મિલ્ટન ફ્રીડમેન સીધા રસ્તે ચાલે છે પણ પછી પાછા હટી જાય છે. પરંતુ તેમનું બઘું વૈજ્ઞાનિક કામ એમ દર્શાવવામાં જ થયું છે કે અર્થતંત્રમાં સરકારની દરમ્યાનગીરી નકામી છે. જો કે, વિજ્ઞાન અને મૂલ્યો વચ્ચે સુમેળ સાધવામાં સમસ્યા આવી શકે છે એ ફ્રીડમેન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે ખરું. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ એને અવગણે છે. 

વિચારધારા અને અર્થશાસ્ત્ર વચ્ચેનો સંબંધ જટિલ છે. એવું નથી કે વિચારધારા કોઈ દલીલમાંથી નીકળતા તારણને વિકૃત કરે છે. પરંતુ તે તો દલીલ કેવી રીતે આકાર લે તેમાં જ ઘૂસે કરે છે. એટલે કે, તે મહત્ત્વની સમતુલા અને ઇષ્ટ સ્થિતિની ધારણા, અભ્યાસ માટે પ્રશ્નની પસંદગી, તે માટે વિવિધ પરિબળોની પસંદગી, માહિતીની પસંદગી, અમુક મોડેલની પસંદગી વગેરે બાબતો તે નક્કી કરે છે. આમ, અર્થશાસ્ત્રીઓ જે સંશોધન કાર્યક્રમ નક્કી કરે છે તેમાં જ વિચારધારા ઘૂસે છે. આ રીતે અર્થશાસ્ત્ર વૈજ્ઞાનિક તપાસના સિદ્ધાંતોને વળગી રહીને પણ મજબૂત વિચારધારા રજૂ કરી શકે છે. તેની વૈજ્ઞાનિક પદ્ધતિએ તેને તે સત્તાની સેવામાં કામ કરે છે અથવા તેમાં વિચારધારાની છાંટ છે એવા આક્ષેપથી બચાવે છે. 

અર્થશાસ્ત્ર સત્તાનાં મોડેલ તૈયાર કરવાના માર્ગો શોધી શક્યું નથી. પરંતુ એનાથી પણ ખરાબ બાબત બની છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર નવ-ઉદારમતવાદી રાજકીય કાર્યક્રમ માટેનો બૌદ્ધિક ટેકો પૂરો પાડે છે. જો એરલે, કેહાલ મોરાન અને ઝેક વાર્ડ પર્કિન્સ જેને econocracy કહે છે તેને જોડે છે. તેમાં કેન્દ્રીય બેંકો, મોટી બેંકો અને મહાકાય કંપનીઓ જેવી ટેકનોક્રેટિક સંસ્થાઓએ સરકારોના જ્ઞાનતંતુ વિનાના હાથમાંથી અર્થતંત્ર પરનો કાબૂ પોતાની પાસે લઈ લીધો છે. આને કારણે જ અર્થશાસ્ત્રમાં સુધારાની જરૂર છે. 

સત્તાનો સામનો કરવામાં અર્થશાસ્ત્ર નબળું પડે છે. વાસ્તવિકતાના નકશાને તે પોતાનો અંતર્ગત ભાગ ગણતું નથી. અર્થશાસ્ત્રના નકશામાં તો માત્ર વ્યક્તિ છે કે જે મહત્તમ સંતોષ કે મહત્તમ નફો મેળવવા જ કામ કરે છે. યોગ્ય અર્થશાસ્ત્ર સમાજના વર્ગો, સંગઠનો અને સામાજિક ધોરણો જેવી સંસ્થાઓથી શરૂઆત કરે. પછી તે આ સંસ્થાઓ કેવી રીતે વ્યક્તિઓની પસંદગીઓને આકાર આપે છે તે જણાવે. વાંધો ત્યાં છે કે આવો અભિગમ ગાણિતિક મોડેલમાં બેસાડી શકાય જ નહિ. ગાણિતિક મોડેલ માટે તો તમારે પહેલેથી નિશ્ચિત બાબતો જ જોઈએ, કે જેથી જથ્થાત્મક તારણો કાઢી શકાય. ગાણિતિક સિવાયનો બીજો કોઈ પણ અભિગમ અપનાવો તો તમારે રાજકીય અર્થતંત્રની વાત કરવી જ પડે. આ સંદર્ભમાં જ્હોન મેનાર્ડ કેઇન્સ દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે મને યોગ્ય લાગે છે : “જાહેર નીતિઓની બાબતમાં તદ્દન ખોટા હોવા કરતાં અંદાજે સાચા હોવું વધુ સારું.”

સ્રોત :
લેખકનું પુસ્તક : What is Wrong with Economics?
પ્રકરણ : Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 April 2024 Vipool Kalyani
← હંગેરીમાં ગાંધી વિચારની સ્વીકૃતિ અને દેણગી
વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી અને દલિતોના મંદિર પ્રવેશનો પ્રશ્ન →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved