Opinion Magazine
Number of visits: 9449053
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સર્વોચ્ચ અદાલતની આબરૂ ખરડાઈ રહી છે એ ચિંતાનો વિષય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|16 January 2019

રાફેલ સોદો કેટલો સદોષ છે અને કેટલો નિર્દોષ છે એ તો સમય કહેશે, પણ સર્વોચ્ચ અદાલતનું બીજીવાર નાક કપાયું એ ચિંતા ઉપજાવનારી બાબત છે. પહેલીવાર કેન્દ્ર સરકારે આપેલા બંધ પરબીડિયાએ નાક કાપ્યું હતું. પરબીડિયામાંની વિગતો ચકાસવાની પણ તસદી સર્વોચ્ચ અદાલતે નહોતી લીધી. એમને એમ પરબીડિયામાંની ખોટી વિગતોને આધારે પોપટની જેમ ચુકાદો આપી દીધો હતો. સર્વોચ્ચ અદાલતમાં જૂઠી વિગતો રજૂ કરવા માટે અદાલત ખફા ન થાય એ માટે કેન્દ્ર સરકારે અદાલતને વ્યાકરણના પાઠ ભણાવ્યા હતા અને કહ્યું હતું કે નહીં, નહીં, આ આ રીતે વાંચવું જોઈએ, વગેરે.

બીજીવાર સી.બી.આઈ.ના વડા આલોક વર્માનું ભવિષ્ય નક્કી કરવાના મામલામાં સર્વોચ્ચ અદાલતનું નાક કપાયું છે. વાત એમ છે કે આલોક વર્માએ અરુણ શૌરી, પ્રશાંત ભૂષણ અને યશવંત સિન્હાની રાફેલ સોદાની તપાસ કરવામાં આવે એવી અરજી સી.બી.આઈ.માં દાખલ કરી હતી. એ ઓક્ટોબર મહિનો હતો અને ૩૧મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ આલોક વર્મા નિવૃત્ત થવાના હતા. ચાર મહિના કાઢવાના હતા અને એ ચાર મહિના મોંઘા પડી શકે એમ હતા. કેન્દ્ર સરકારે ગુજરાત કેડરના અધિકારી રાકેશ અસ્થાનાને સી.બી.આઈ.માં ડેપ્યુટી ડાયરેક્ટર અર્થાત્ નબર ટુ તરીકે ધરાર ગોઠવી દીધા હતા કે જેથી આલોક વર્મા નિવૃત્ત થાય તો પાળેલા પોપટને સી.બી.આઈ.ના વડા તરીકે ગોઠવી શકાય. સી.બી.આઈ.ના વડાની નિયુક્તિ વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેમના વતી કોઈ જજ અને વિરોધ પક્ષના નેતા કરતા હોય છે એટલે રાકેશ અસ્થાનાની નિયુક્તિ આસાન નહોતી. રાકેશ અસ્થાના નિષ્કલંક અને પ્રામાણિક અધિકારી  છે એવું કેન્દ્રીય દક્ષતા (સેન્ટ્રલ વિજીલન્સ કમિશન) પંચનું પ્રમાણપત્ર સાથે જોડવું હોવું જરૂરી હોય છે. જો અધિકારી નિષ્કલંક હોય અને નંબર ટુ હોય તો અનુભવના આધારે ત્રણ સભ્યોની કોલેજિયમમાં નિયુક્તિ કરાવી લેવી સરળ બને છે.

આ બાજુ સી.બી.આઈ.માં રાકેશ અસ્થાનાની ધરાર કરવામાં આવેલી નિવૃત્તિને આલોક વર્માએ પડકારી હતી. રાકેશ અસ્થાના જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ગળે પટ્ટો બાંધેલા શ્વાન હતા એ દિલ્હીમાં કોઈ અજાણી વાત નહોતી. આલોક વર્માએ રાકેશ અસ્થાના સામે તપાસ કરવાનો હુકમ કર્યો. કેન્દ્ર સરકારને સમજાઈ ગયું રાકેશ અસ્થાના ગળણામાંથી ગળાય એમ નથી. તેમનો કલંકિત ઇતિહાસ આડો આવે એમ છે. હવે કરવું શું? શરૂઆતમાં થોડા દિવસ રાકેશ અસ્થાના પોતાનો બચાવ કરતા હતા. એ પછી તેમણે અચાનક આલોક વર્મા સામે ભ્રષ્ટાચારના આરોપ કરવા માંડ્યા. સી.બી.આઈ.માં બે અધિકારીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય એવી સ્થિતિ પેદા કરવામાં આવી. એની વચ્ચે છઠ્ઠી ઓક્ટોબરે કેન્દ્રીય દક્ષતા આયુક્ત કે.વી. ચૌધરી રાતના અંધારામાં આલોક વર્માને ઘરે ગયા અને આલોક વર્માને કહેવામાં આવ્યું કે જો તેઓ રાકેશ અસ્થાના સામેના ભ્રષ્ટાચારના આરોપ પાછા ખેંચી લેશે તો અસ્થાના પણ સામે પ્રતિસાદ આપશે અર્થાત્ આલોક વર્મા સામેના આરોપ પાછા ખેંચી લેશે. તેમને એમ પણ કહેવામાં આવ્યું કે ‘બાકીનું બધું ઠીક થઈ જશે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી.’ આલોક વર્માએ કેન્દ્રીય દક્ષતા આયુક્તને બે હાથ જોડીને વિદાય કરી દીધા.

હવે? હવે રાકેશ અસ્થાનાને આલોક વર્માની નિવૃત્તિ પછી તેમની જગ્યાએ સી.બી.આઈ.ના વડા તરીકે ગોઠવવા એ મુશ્કેલ કામ હતું. મુશ્કેલ નહીં, અશક્ય હતું અને સામે રાફેલ સોદાની વિગતો એક પછી એક ઉઘાડી પડતી જતી હતી. બીજું આલોક વર્માએ અરુણ શૌરી અને બીજાઓની તપાસ કરવાની માગણી કરતી ફરિયાદ દાખલ કરી દીધી હતી અને આલોક વર્મા પાસે હજુયે સાડા ત્રણ મહિના હતા. ભાંડો ફૂટે એ પહેલા સી.બી.આઈ.માંથી આલોક વર્માને કાઢવા જરૂરી હતું. રાકેશ અસ્થાના આલોક વર્મા સામેની લડાઈ હજુ નીચલા સ્તરે લઈ ગયા. એ શા માટે બન્યું અને કોના નિર્દેશથી બન્યું એ વિશે તર્ક કરવાની જરૂર નથી.

તખતો એવો રચવામાં આવ્યો કે જાણે સી.બી.આઈ.માં બે અધિકારીઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોય અને કેન્દ્ર સરકારે સી.બી.આઈ.ને બચાવવા દરમિયાન કરવી પડે. અર્નબ ગોસ્વામીઓ તો હાથવગા હતા જ. ઓક્ટોબરની ૨૩મી તારીખે કેન્દ્ર સરકારે રાતે બે વાગે હુકમ બહાર પાડીને આલોક વર્મા અને રાકેશ અસ્થાના એમ બન્નેને રજા પર ઉતારી દીધા. આલોક વર્માને શહીદ કરવા માટે હવે રાકેશ અસ્થાનાનો ભોગ લેવો જ પડે એમ હતો અથવા એમ પણ કહી શકો કે આલોક વર્માનો ભોગ લેવા માટે રાકેશ અસ્થાનાને શહીદ કરવા પડે એમ હતા. આમ પણ રાકેશ અસ્થાનાનો હવે કોઈ ખપ રહ્યો નહોતો એટલે તટસ્થતાનો દેખાડો કરવા માટે બન્નેને તગેડી મુકવામાં આવ્યા. આલોક વર્માની જગ્યાએ એમ. નાગેશ્વર રાવની સી.બી.આઈ.ના વચગાળાના વડા તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. આ નાગેશ્વર રાવ પણ અસ્થાના જેવી જ પટ્ટાધારી હોવાની ખ્યાતિ ધરાવે છે. 

રાકેશ અસ્થાના સી.બી.આઈ.ના વાડામાં છીંડે ઊભા રાખવામાં આવેલા પટ્ટાધારી હતા અને તેમનો વળતો ઘા પટકથા મુજબનો હતો, પરંતુ આલોક વર્માએ કેન્દ્ર સરકારના આદેશને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. હવે સર્વોચ્ચ અદાલતની ભૂમિકા આવી. શું કેન્દ્ર સરકાર આ રીતે સી.બી.આઈ.ના વડાને હટાવી શકે? જેમ નિયુક્તિ કરવાનો અધિકાર વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિરોધ પક્ષના નેતાના બનેલા કોલેજિયમનો છે એમ હટાવવાનો અધિકાર પણ કોલેજિયમનો છે. સર્વોચ્ચ અદાલતે વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવને કહ્યું હતું કે જ્યાં સુધી આલોક વર્માને હટાવવાના કેન્દ્ર સરકારના અધિકાર અને ઔચિત્ય વિષે અદાલત નિર્ણય ન કરે ત્યાં સુધી તમારે માત્ર રોજીંદો વહીવટ ચલાવવાનો છે, કોઈ મોટા નિર્ણયો લેવાના નથી.

હવે કેન્દ્ર સરકારની ચિંતા એ હતી કે જો સર્વોચ્ચ અદાલત આલોક વર્માને પુન:સ્થાપિત કરે તો ગોળા સાથે ગોફણ પણ જાય. રાકેશ અસ્થાના પણ ગયા, નાગેશ્વર રાવ પણ ગયા અને વર્મા પાછા આવશે. અરુણ શૌરી અને બીજાઓની દાખલ કરવામાં આવેલી ફરિયાદ તો સી.બી.આઈ.માં પડી જ છે અને નાગેશ્વર રાવના હાથ સર્વોચ્ચ અદાલતે બાંધી લીધા હોવાથી એ ફરિયાદ ફગાવી પણ શકાઈ નથી. મૂળ પટકથા મુજબ તો એમ. નાગેશ્વર રાવે અરુણ શૌરી અને બીજાઓની ફરિયાદ નિરાધાર હોવાનું કહીને ફગાવી દેવાની હતી.

શું કર્યું સર્વોચ્ચ અદાલતે?

બીજીવાર નાક કપાવ્યું એની વાત હવે પછી.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 16 જાન્યુઆરી 2019

Loading

16 January 2019 admin
← અલવિદા મૃણાલ સેન
સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ જોઇને અસંતોષ થાય, પ્રશ્નો થાય, શંકા થાય એ લોકશાહી માટે શુભ સંકેત નથી, પણ દુર્ભાગ્યે આજની એ વાસ્તવિકતા છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved