Opinion Magazine
Number of visits: 9448769
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંઘના સાથથી સત્તા-સુવિધા મળી હશે : વાજપેયીની  વિકાસવાર્તા ટુંપાઈ ગઈ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 December 2024

બે શતવર્ષી

હિંદુ સંગઠનની રાજનીતિ

સાથેલગી બબ્બે શતવર્ષીનો કોઈ સારસંદેશ હોય તો તે એ છે કે જ્યાં લગી મુસ્લિમ વણછાની કળ ન વળે અને ધર્મની વ્યાપક સમજ ન કેળવાય ત્યાં લગી  બધો  વ્યાયામ છતી સત્તાએ વ્યર્થ જવાને નિર્માયેલ છે : કાશ, ભાગવત વિજ્ઞાનભવન  વ્યાખ્યાનોનો દોર ધોરણસર આગળ ચલાવી શકે !

પ્રકાશ ન. શાહ

થાય છે, થોડી ચર્ચા અટલબિહારી વાજપેયી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બેઉની શતવર્ષીને મિશે કરી જ લઉં. અલબત્ત, શતવર્ષીની ચર્ચાનો સીધો સંદર્ભ વિશેષે કરીને જનસંઘ અને ભા.જ.પ. એ બે રાજકીય પક્ષોનો જ હશે, કેમ કે વાજપેયી સ્વયંસેવક હતા પણ એમની જાહેર ઓળખ સંઘ કેન્દ્રી નહીં એટલી સ્વાભાવિક જ જનસંઘ અને ભા.જ.પ. થકી ઉપસેલી છે.

વાજપેયીનું નામ જાહેરમાં ગાજવા લાગ્યું તે 1957માં એમના લોકસભા પ્રવેશ સાથે. શ્યામા પ્રસાદ મુખરજીના નિધન પછી લોકસભામાં જનસંઘ પાસે કોઈ સક્ષમ અવાજ નહોતો અને તક મળે તો ક્ષમતા દાખવી શકે એવો અવાજ તરુણ વાજપેયીનો ચોક્કસ હતો. હું ધારું છું, બલરામપુર-ગોંડાથી એ પહેલીવાર લોકસભામાં પહોંચ્યા.

1947થી 1957 આસપાસનો ગાળો સમજવા જેવો છે. સ્વરાજ અને વિભાજન સાથે આવ્યાં. કાઁગ્રેસ સ્વરાજની વડી પાર્ટી તરીકે સત્તારૂઢ થઈ. સમાજવાદીઓએ એમના આદર્શ અને સમજ મુજબ સ્વતંત્ર રાહ લીધો, પણ મૂળભૂતપૂણે બંને હતાં તો સ્વાતંત્ર્યસંગ્રામની સરજત. ગાંધી ને નેહરુ, જ્યાં પણ હોય બેઉ પક્ષો છતે મતભેદે એમની છાયામાં હતા. એટલે વિભાજન અર્થાત્ હિંદુ-મુસ્લિમ સંબંધ એ એક એવો મુદ્દો હતો, જેમાં કદાચ જુદા પ્લેટફોર્મની ગુંજાશ હતી. હિંદુ સંગઠનની રાજનીતિ, ભલે એક દેખીતા બિનપક્ષીય સંગઠન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હતી. હિંદુ મહાસભાની તો કોઈ ખાસ જગ્યા નહોતી અને એની સાથે ગાઢ સંબંધ છતાં અસરકારક નવું પ્લેટફોર્મ જરૂરી હતું. ગાંધીહત્યા સાથે એકલા પડી ગયેલા સંઘ માટે, આ જરૂરમાંથી જનસંઘ આવ્યો. મુખર્જી કેબિનેટમાંથી છૂટા તો થયા, પણ પાછા હિંદુ મહાસભામાં (એકલા હિંદુ સભ્યોવાળા પક્ષમાં) જવું અનુકૂળ નહોતું અને સંઘને રાજકીય સથવારો જોઈતો હતો. આ સંધાનમાંથી જનસંઘ આવ્યો, અને વક્તૃત્વના ધણી, બચ્ચનની ‘હાલા જીવન, હાલા પરિચય’ની ધારીએ ‘રગ રગ હિંદુ મેરા પરિચય’ના કવિ લોકસભામાં દાખલ થયા.

1962 સુધી એમનો સહજક્રમે ચઢતો ગ્રાફ તો રહ્યો પણ કેવળ હિંદુ-મુસ્લિમ મુદ્દે પ્લેટફોર્મ બનાવવાની સ્વાભાવિક જ એક હદ હતી. 1965માં શાસ્ત્રીકાળમાં પાક યુદ્ધને કારણે એક શક્યતા હતી એ ચોક્કસ. ચીન ઘટના પછી રાષ્ટ્રભક્તિને મુદ્દે વ્યાપની શક્યતા ઊભી થઈ હતી. તેમાં પાક યુદ્ધ ભળ્યું. દરમિયાન, એ યુદ્ધગાળાના વારાથી જ લોહિયાના સંપર્કે નાના દેખમુખ, દીનદયાલ ઉપાધ્યાય, વાજપેયી સૌ ભારત-પાક અર્ધસમવાય જેવી કોઈક ફોર્મ્યુલાની રીતે વિચારતા થયા. હિંદુ સરસાઈ સાથેના અખંડ ભારતના ખયાલથી ખસીને ફેડરેશન કે કોન્ફેડરેશન જેવી પરિકલ્પના ઘોર મુસ્લિમકેન્દ્રી ચિંતનથી હટવાનો અવસર અને પડકાર લઈને આવી હતી.

દરમિયાન, દીનદયાલ ઉપાધ્યાયે ‘એકાત્મ માનવ’નો જે વૈચારિક અભિગમ વિકસાવ્યો એમાં પણ નિતાન્ત મુસ્લિમકેન્દ્રી (મુસ્લિમવિરોધી) વારસાથી હટવાની ગુંજાશ હતી. રાષ્ટ્ર અતિહિંદુ વ્યાખ્યાથી હટી વ્યાપક ધર્મવિચારને ધોરણે વિકસાવેલું એ દર્શન હતું. 1967માં એથી બિનકાઁગ્રેસવાદના પ્રયોગમાં પણ સગવડ રહી.

લોહિયા અને દીનદયાલ એ જ ગાળામાં અણચિંતવ્યા એક સાથે જ લગભગ ગયા. વ્યાપક રાજનીતિની સંભાવનાને એક મોચ વાગી, પણ જયપ્રકાશ પરત્વે આદરવચનો ઉચ્ચારતા વાજપેયીએ કહ્યું કે અમે મધ્યમવર્ગી લોકો આવા જનઆંદોલન સાથે જોડાઈએ છીએ ત્યારે અમારી સમજમાં અને લોકસંધાનમાં નિખાર આવે છે – બલકે, હમારા ચરિત્ર બદલ રહા હૈ.

લાંબી દાસ્તાંમાં નહીં જતાં કહું કે જનતા પક્ષ બન્યો અને એમાંથી છૂટા પડવાનું થયું ત્યારે પણ પેલા મુસ્લિમ વણછાથી અને હટવા અને વ્યાપક વલણની દૃષ્ટિએ સકારાત્મક બિનસાંપ્રદાયિકતા તેમ જ ગાંધીવાદી સમાજવાદના આદર્શો નવા પક્ષરૂપે આગળ કર્યા.

1984 સાથે ચોક્કસ સંજોગોમાં હવા નીકળી ગઈ અને સંઘ-અડવાણી ધરીએ રામ જન્મભૂમિ આંદોલન તરેહનો રસ્તો પકડ્યો. વાજપેયીએ જે તે પ્રસંગે ઘટતા અવાજોની કોશિશ જરૂર કીધી પણ પેલું જે જંતરડું તે તો 1925ની ઘાટીએ રાબેતા મુજબ ચાલ્યું. વાજપેયીની પ્રતિભા, છતી સત્તા-સુવિધાએ (કદાચ, એટલે જ) ઠીંગરાઈ ગઈ.

શતવર્ષીએ સંઘ પરિવારને આ વાનું પકડાશે? પમાશે?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ડિસેમ્બર 2024

Loading

27 December 2024 Vipool Kalyani
← સમાંતર અને સાર્થક સિનેમાના સર્જક : શ્યામ બેનેગલ 
મનમોહનસિંહ ઇતિહાસમાં કેમ સારી રીતે અમર રહેશે? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved