Opinion Magazine
Number of visits: 9458663
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમગ્ર રંગભૂમિની માફક પીટર બ્રૂકનું મહાભારત માનવ પરિસ્થિતિનું અસામાન્ય વૃતાન્ત હતું

અશોક વાજપાઈ • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|8 July 2022

અંતિમ સત્ય હોતું નથી એવું જ્ઞાન ધરાવતા અવકાશના જાદુગર

ભારતમાં પીટર બ્રૂક મહાભારતની એમની ચિરસ્મરણિય પ્રસ્તુતિ માટે ખાસ જાણીતા છે. આ નવ કલાક લાંબી નાટકીય પ્રસ્તુતિનો પ્રથમ ખેલ ૧૯૮૫માં ફેલ્ટીવલ ડૅ’વિન્યોંમાં થયો હતો. નસીબે એ ટાણે મને આમંત્રણ મળેલું અને પથ્થરની ખાણમાં, ઊભા કરાયેલાં પ્રાગૈતિહાસિક પરિવેશ વચ્ચે નાટક નિહાળવાનો મને લહાવો મળેલો.

સ્વાભાવિકપણે નાટક પૌરાણિક અને વાસ્તવિકને એકીકૃત કરવામાં સફળ રહ્યું હતું. ભારતમાં સંવેદનશીલ ઢબે કહેવાતું, આ નાટકને મંચ પર સમગ્ર માનવતાની અનંત ગાથા તરીકે રજૂ કરવામાં આવેલું. મને, એક ભારતીય તરીકે, આ અદ્ભૂત રજૂઆતે ભાન કરાવેલું કે ખરેખર મહાભારતમાં આખો માનવ ઇતિહાસ સમાયેલો છે. જે મહાભારતમાં નથી તે ક્યાં ય નથી!

ખંડિત સમયમાં સંયોજનોની રંગભૂમિ : ૧૬ દેશોમાંથી ૨૧ અભિનેતાએ, જેમાંથી અમુકે એકથી વધુ ભૂમિકા ભજવેલી, માનવીય દુર્દશા, મૂર્ખતા, આકાંક્ષા, નિષ્ફળતા, ભવ્યતા, સૌંદર્ય, વિશ્વાસઘાત, વિસંગતિ, હિંસા, મિથ્યાભિમાન, વિજય અને પરાજય દર્શાવતી અસાધારણ પરિમાણો ધરાવતી માનવ કથાની ભજવણી કરી.

ખંડિત અને ઊંડા ઘા પડેલા સમયમાં પીટર બ્રૂકે એવી રંગભૂમિ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો જે આપણા ઘા ભરીને આપણને ગૌરવસભર અસ્તિત્વની ખાતરી આપે. જે સમયે એક મહાન કવિ વિલાપ કરતા હતા કે તે “કશાંને કશાં સાથે જોડી શકતાં નહોતા”, બ્રૂકે એવી રંગભૂમિ રચવાની પહેલ કરી જે આપણા કાળને વિતેલા કાળ સાથે, ઇતિહાસને પુરાણકથા સાથે અને નિષ્ફળતાને અર્થસૂચકતા સાથે જોડી શકે.

અસાધારણ પરિમાણો : પોતાની રંગભૂમિ મારફતે એમણે માનવ દશાનું અસાધારણ વૃતાન્ત પ્રતિપાદિત કર્યું. શૅક્સપિયરથી ઍટાર સુધીની નાટકીય વાચનાઓની વિશાળ શ્રેણીને પોતાના વ્યાપમાં સમાવતી બ્રૂકની રંગભૂમિ વૈશ્વિક હતી.

બ્રૂક માટે વાસ્તવિક્તા બહુલ અને સંકુલ હતી, જેનું સરલીકરણ અને સામાન્યીકરણ સંભવ નહોતું. આમે ય, તમામ રંગભૂમિ એ આશામાં માનવ વિશિષ્ટતાઓ તરફ લક્ષ્ય સાધે છે કે રંગભૂમિની પ્રક્રિયામાંથી પસાર થઈને વિશિષ્ટ છે તે સર્વવ્યાપક્તા પ્રાપ્ત કરશે. કર્મઠતા સાથે બ્રૂક્સ ના કેવળ ઘટનાસ્થળ, પરંપરા, પ્રથા, સ્મૃતિ, વગેરે પર કામ કરતા, પરંતુ તે તમામની વણ કહેવાયેલી, ઘણી વખત સહેલાઈથી દેખાય નહીં એવી માનવીયતાને જાળવવાની જહેમત લેતા. માનવ અને એની તમામ રંગછટાઓ એમના રંગભૂમિ સંબંધી દર્શનનું ખરું ક્ષેત્ર હતા.

લગભગ ૪૦ વર્ષો પૂર્વે ભારતના તત્કાલીન પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીના હસ્તે ભોપાલ ખાતે ભારત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે બ્રૂક એકમાત્ર વિદેશી મહેમાન હતા. શોમ્બુ મિત્રા, હબીબ તનવીર, વિજયા મહેતા, એન.સી. જૈન અને બી.વી. કારન્થ જેવાં રંગભૂમિની હસ્તીઓની નિગરાની હેઠળ બ્રૂકે થોડા દિવસો રંગભૂમિ સંબંધી કાર્યશિબિર ચલાવી હતી.

બ્રૂક સ્વાભાવિકપણે ધીરજ ધરાવતા માણસ હતા. એ ઉતાવળ ટાળતા અને જ્યાં સુધી ઈચ્છિત પરિણામ મળે નહીં ત્યાં સુધી રાહ જોતા! એ કાર્યશિબિરમાં ચહેરા પર સંઘર્ષ, સમાનુભૂતિ અને જ્ઞાનના સંગમથી ઉદ્ભવેલી પ્રતિભાવાળા ગ્રીક સાધુ જેવાં મને બ્રૂક લાગ્યા.

પૅરિસમાં બ્રિટિશર : એમણે ખાસ્સી સાહસિકતા અને દૂરાગ્રહથી હસ્તક્ષેપ કરીને સંકીર્ણ પણ અત્યંત સફળ એમના સમયની બ્રિટિશ રંગભૂમિને ઝડપથી વૈશ્વિકીકરણ તરફ ધપતા વિશ્વ સંદર્ભે ખુલ્લી મૂકવાનો પ્રયત્ન કરેલો. કાળક્રમે એમણે સ્થળાંતર કરી પૅરિસમાં ડેરાતંબુ તાણ્યા.

બ્રૂક અવકાશ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતા. એમના નાટકોનું મંચન કરવા એમણે અનેક પ્રકારના અવકાશનો ઉપયોગ કર્યો : પ્રોઝૅનિયમ થિયેટરથી જંગલમાં વૃક્ષો કાપી ખુલ્લી કરેલી જગ્યા સુધી. એમના મુજબ કોઈ પણ પ્રકારના અવકાશને રંગભૂમિની ઉર્જાથી ભરવો શક્ય હતો, તેઓ માનતા કે અભિનયની ખુદની અવકાશ વિષયક ઉપસ્થિતિ હતી અને તે અવકાશનું એક ધબકતું પરિમાણ હતું.

પૅરિસમાં ઘૅર ડુ નો નજીક એમનાં પોતાના થિયેટર હાઉસમાં, વચ્ચે પાણીના કુંડ સાથે, બ્રૂકનું નાટક નિહાળતા મને સમજાયેલું કે બ્રૂક અવકાશના જાદુગર છે: કોઈ પણ અવકાશને રંગભૂમિના અવકાશમાં પરિવર્તિત કરવાની એમને ફાવટ હતી.

એમના નાટકોમાં હંમેશાં રસલક્ષી પૂર્ણતા હોતી. સાથે જ નૈતિક પ્રશ્નો પ્રત્યે પણ એ ખુલ્લા રખાતા. માનવજાતિની નૈતિક દ્વિધાઓ હંમેશાં, દુર્ભાગ્યપણે કદાચ અનંત હોય છે એવા એમના દશર્ન સાથે એ અનુરૂપ હતું. અંતિમ સત્ય જેવું કંઈ હોતું નથી અને હોય જ ન શકે.

બ્રૅક્ટ વિરોધી : બીજા રંગભૂમિ સંબંધી દાર્શનિક બરટૉલ્ટ બ્રૅક્ટ વિરુદ્ધ બ્રૂકની વ્યગ્રતા રાજકીય કરતાં કદાચ વધુ આધ્યાત્મિક હતી. રાજકારણથી તૂટતા જતા વિશ્વમાં બ્રૂકે માનવ પરિસ્થિતિનો નૈતિક સંદર્ભે સર્વસમાવેશક પરંતુ અપૂર્ણ ખ્યાલ રાખવાનો પસંદ કર્યો. એમની રંગભૂમિની પ્રશ્નાત્મકતા નિ:સંદેહ નૈતિક હતી અને માનવ પરિસ્થિતિને પ્રભાવિત કરતું એકમાત્ર પરિબળ રાજકારણ હતું.

એક રીતે જોતા એમનું દર્શન કરુણતાસભર હતું : એમને ઘા રુઝવવા હતા, દ્વિધાઓનું નિરાકરણ લાવવું હતું, વિરોધાભાસોનું સમાધાન કરવું હતું, પરંતુ, વક્રોક્તિ એવી કે રંગભૂમિ માત્ર પ્રયત્ન અને સંઘર્ષ કરી શકતી અને લગભગ હંમેશાં એમાં નિષ્ફળ રહેતી. મહાભારતના વ્યાસની માફક હાથ ઊંચકીને પીટર બ્રૂક નિરાશામાં ઉદ્ગાર કરી શકતા હતા, “મને કોઈ સાંભળતું નથી”. ભર્યું ભર્યું જીવન અને કારકિર્દી બાદ ૯૭ વર્ષે બ્રૂકે ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. એમના મૃત્યુથી રંગભૂમિ જગતમાં શૂન્યાવકાશ સર્જાયો છે.

મૂળ અંગ્રેજી લેખ પ્રગટ : “ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા”, જુલાઈ 5, 2022

e.mail: rupaleeburke@yahoo.co.in

Loading

8 July 2022 admin
← માઓ હિટલર કરતાં ચાર ડગલાં આગળ હતા
बहुत गुस्से में है अदालत ! →

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved