Opinion Magazine
Number of visits: 9448677
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે !

વાલજીભાઈ પટેલ|Opinion - Opinion|6 August 2024

વાલજીભાઈ પટેલ

પત્રકાર જગતમાં અચ્યુત યાજ્ઞિક, નિરંજન પરીખ અને ઈશ્વર પેટલીકર સાથેનો મારો સંબંધ 1971થી બંધાયો. ત્યારે અચ્યુતભાઈ ‘ગુજરાત સમાચાર’માં અને નિરંજન પરીખ / ઈશ્વર પેટલીકર ‘સંદેશ’માં હતા. ઈશ્વર પેટલીકર ‘સંદેશ’માં ‘લોક્સાગર ને તીરે તીરે’ કોલમ લખતા અને મારા સામાજિક પ્રશ્નોનાં લખાણો લઈને તેઓ ‘સંદેશ’ની કોલમમાં વિશ્લેષણ કરતા.

1971માં દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય નિરંજનદેવ તીર્થનું છાપામાં નિવેદન છપાયું કે ‘ધર્મના વડા તરીકે હું અસ્પૃશ્યતામાં માનું છું !’ આવું નિવેદન કરવા છતાં તત્કાલીન ગાંધીવાદી ગવર્નર શ્રીમન્નારાયણનો શંકરાચાર્યના આશ્રમમાં કાર્યક્રમ ગોઠવાયો. હું ગુસ્સે ભરાયો. મેં ખૂબ જ કડક ભાષામાં ગવર્નરને પત્ર લખ્યો અને એ પત્રની નકલ મેં અચ્યુતભાઈ અને ઈશ્વર પેટલીકરને આપી. તે ખૂબ જ ખુશ થયા. બીજા જ અઠવાડિયે ઈશ્વર પેટલીકરે મારા પત્રને તેમની કોલમમાં છાપી વિષદ ચર્ચા કરતો લેખ લખ્યો. ‘સંદેશ’નું આ લખાણ ગવર્નર સમક્ષ રજૂ થયું. બીજા દિવસે સાંજે 4 વાગે મારે ઘેર લાલ બત્તીવાળી ગાડી આવી. હું મારી બી.એ.ની પરીક્ષાનું છેલ્લું પેપર આપી સાયકલ પર ઘેર આવી રહ્યો હતો. દૂરથી મારા ઘરે લાલબત્તી વાળી ગાડી અને લોકોનું ટોળું જોતાં હું હેબતાઈ ગયો. જ્યારે ડ્રાયવરે મને કહ્યું કે ‘ગવર્નરે તમને મળવા બોલાવ્યા છે’, ત્યારે હું વિમાસણમાં પડ્યો. હું એકલા જવાને બદલે પ્રવીણ રાષ્ટ્રપાલને પણ સાથે લઇ જવા તેમને ઘેર ગયો. પ્રવીણ રાષ્ટ્રપાલ, તેમના ભાઈ રાહુલ રાષ્ટ્રપાલ અને હું ગવર્નરને મળવા ગયા. ગવર્નરે અમને ખાતરી આપી કે, ‘મેં જગદ્દગુરુનો પત્ર લખી ખુલાસો માંગ્યો છે. જો તે અશ્પૃશ્યતામાં માનતા હશે તો હું તેમના કાર્યક્રમમાં નહિ જાઉં.’ ગવર્નરે પોતાનો કાર્યક્રમ રદ્દ કર્યો. આ કાર્યક્રમ રદ્દ થયા પછી મેં ફરીથી ગવર્નરને પત્ર લખી માગણી કરી કે, જગદ્દગુરુનો લેખિત પૂરાવો છે, કાયદાથી કોઈ પર નથી. ત્યારે જગદ્દગુરુ સામે અસ્પૃશ્યતા ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવાનો હુકમ કરો. ઈશ્વર પેટલીકરે મારી આ માગણી લઈને પણ તેમની કોલમમાં  જબરજસ્ત લેખ લખ્યો. ખૂબ ઊહાપોહ થયો. આ દરેક વખતે અચ્યુતભાઈ મારી પડખે હતા. પ્રથમ એમની ઓફિસ કોમર્સ કોલેજ પાસેના કેદાર એપાર્ટમેન્ટમાં  હતી. હું ત્યાં નિયમિત જતો.

અચ્યુત યાજ્ઞિક

અચ્યુતભાઈ ખૂબ જ વાસ્તવિક રીતે વિચારતા  હતા. તેનો એક ગજબનો અનુભવ મને 1985માં થયો. ગુજરાત સરકારના તત્કાલિન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીએ બક્ષીપંચની અનામતમાં 10 ટકાનો વધારો કર્યો. ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા. અનામત એટલે માત્ર દલિત અને આદિવાસી એવી એક ગેરસમજ આજે પણ લોકો ધરાવે છે. એટલે ગામડે ગામડે બક્ષીપંચની જાતિના લોકો પણ દલિતોની વસ્તીઓ પર હુમલો કરવા લાગ્યા. અમે પણ મૂંઝવણમાં પડી ગયા. ચર્ચામાં અચ્યુતભાઈએ સૂચન કર્યું. આપણે સરકાર પાસે માંગણી કરીએ કે, સરકાર બક્ષીપંચમાં આવતી જ્ઞાતિનું લીસ્ટ બે ચાર દિવસ દરેક અખબારોમાં જાહેરખબરો આપી જાહેર કરે. અમે મુખ્ય મંત્રીને મળ્યા. સરકારે દરેક અખબારમાં ત્રણ દિવસ બક્ષીપંચમાં આવતી જ્ઞાતિની યાદીની મોટી જાહેરાતો અપાવી. પરિણામ ગજબ આવ્યું. મોટી વસ્તી ધરાવતા બક્ષીપંચને જાણ થઇ કે, આ તો અમારી અનામત વિરુદ્ધનું આંદોલન છે અને હુમલાઓ બંધ થયા !

1981નો તેવો જ બીજો અનુભવ અચ્યુતભાઈ અને નિરંજન પરીખની રાહબરી નીચેની અમારી લડાઈનો છે. 1981માં ગુજરાતી અખબારોએ અનામત આંદોલન ઊભું કર્યું અને ચલાવ્યું એમ કહી શકાય. તેમાં ‘ગુજરાત સમાચાર’નો વિશેષ ફાળો હતો. ખોટી અને ઉશ્કેરીજનક ભાષામાં સમાચાર છાપતા. ગોમતીપુરની દલિત વસ્તી વચ્ચે આવેલા જૈન મદિર ઉપર દલિતોએ હુમલો કર્યો, એવા તદ્દન જુઠ્ઠા સમાચાર મોટા ટાઈપમાં પહેલા પાને  છાપ્યા. અને તોફાનો વધી ગયા. આ બધા જ પુરાવાઓ હું ભેગા કરતો. પણ આંદોલનના સમયે મોટી દોડધામને કારણે સમયમર્યાદામાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ફરિયાદ ન કરી શક્યો. પરિણામે પુરાવાઓ પડી રહ્યા. એક દિવસ તત્કાલીન કાઁગ્રેસના સંસદ સભ્ય હીરાલાલ પરમાર મારે ઘેર આવ્યા. તે ખૂબ જ અકળાયેલા હતા. કાઁગ્રેસ પક્ષ તેમને ગુજરાત મુદ્દે સંસદમાં બોલવાની મંજૂરી આપતા ન હતા. હીરાલાલ પરમાર મૂળે લડાકૂ, ચુસ્ત આંબેડકરવાદી હતા. તેમણે મને સંસદમાં બોલવા ભાષણ તૈયાર કરવા કહ્યું. મેં આ તક ઝડપી લીધી. ‘ગુજરાત સમાચાર’ સહિત ગુજરાતી અખબારોનાં પુરાવાઓ સાંકળીને તેમનું પ્રવચન તૈયાર કરી આપ્યું. હીરાભાઈએ, સંસદમાં પોતાના પક્ષના વિરોધ વચ્ચે પોતાની ખુરશી ઉપર ઊભા થઈને ગુજરાતી અખબારોની ભૂમિકા બાબતે જોરદાર પ્રવચન આપ્યું. સંસદમાં પોતાની બેસવાની ખુરશીમાં ઊભા થઈને જબરજસ્તી બોલવાનો પ્રસંગ આજદિન સુધી સંસદમાં બન્યો નથી. આ પ્રવચનનો એક મોટો ફાયદો થયો. સંસદે ‘ગુજરાત સમાચાર’ સામે કાર્યવાહી કરવા પ્રવચનના પુરાવાઓ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલી આપ્યા.

એક દિવસ હીરાલાલ પરમાર પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સુનાવણીમાં હાજર થવાની નોટિસ લઈને મારે ઘેર આવ્યા. માત્ર દશ જ દિવસનો સમય હતો. નોટિસ લઈને હું તાત્કાલિક અચ્યુતભાઈ પાસે પહોંચી ગયો. તેમણે ફોન કરી નિરંજન પરીખને બોલાવી લીધા અને આ તકનો ઉપયોગ કરવાનો અમે નિર્ણય લીધો. અચ્યુતભાઇની સૂચના મુજબ હું સંસદ સભ્ય હીરાભાઈ પરમાર પાસેથી સુનાવણીમાં મારા વતી અચ્યુત યાજ્ઞિક, નિરંજન પરીખ અને વાલજીભાઈ પટેલ હાજર થશે તેવી એફિડેવિટ લઇ આવ્યો. સમય ખૂબ થોડો હતો. ‘ગુજરાત સમાચાર’ની ફાઈલ મેળવી વિગતો ભેગી કરવાનું કામ અઘરું હતું. ત્યારે નિરંજન પરીખ ‘સંદેશ’ના ચીફ રિપોર્ટર અને પ્રેસ કામદાર યુનિયનના પ્રમુખ પણ હતા. તેમણે મને કહ્યું કે, ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ બંને એક બીજાના વિરોધી છે. એટલે બંને એક બીજાના વિરોધનો રેકર્ડ રાખે છે. જે અમારી લાયબ્રેરીમાં છે. પણ જોવાનું કામ મારાથી થઇ શકે તેમ નથી.’ હું બીજે જ દિવસે સાંજે ‘સંદેશ’ના તંત્રી ચીમનભાઈ પટેલને મળવા ‘સંદેશ’ પ્રેસ પર ગયો. ત્યારે ‘સંદેશ’ના નિવાસી તંત્રી ઈશ્વર પેટલીકર બેઠા હતા. ઈશ્વર પેટલીકરે તંત્રી ચીમનભાઈને મારો પરિચય આપ્યો. અને મેં તેમને આ કેસની વિગતે વાત કરી મદદ માંગી. તંત્રીએ તરત જ નિરંજન પરીખને બોલાવ્યા અને નિરંજનભાઈને મારી સાથે રહી મદદ કરવા હુકમ કર્યો. એટલું જ નહિ, મારી સાથે દિલ્હી જવાનો પણ હુકમ કર્યો. હું અને નિરંજનભાઈ બંનેએ બે દિવસ મહેનત કરી જરૂરી પુરાવાઓ એકઠા કર્યા. હવે પુરાવાનું અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ આવ્યું. અચ્યુતભાઈએ પ્રો. હર્ષદ દેસાઈને બોલાવ્યા. બે દિવસ સુધી મારા દરિયાપુરના ઘરે રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધી કામ કર્યું. અને રિપોર્ટ તૈયાર કર્યો. અચ્યુતભાઈ ચાના ખૂબ શોખીન. તેઓ આખી રાત ચા બનાવતા રહ્યા. આમ અચ્યુતભાઈ, નિરંજનભાઈ અને હું એમ ત્રણેય દિલ્હી સુનાવણીમાં હાજર રહ્યા. રજૂઆત કરી. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ‘ગુજરાત સમાચાર’ને દોષિત જાહેર કર્યું !

એ વખતે ગિરીશભાઈ પટેલ, હરુભાઈ મહેતા, એડવોકેટ મહેશભાઈ ભટ્ટ, અચ્યુતભાઈ યાજ્ઞિક, નિરંજન પરીખ, પ્રો. હર્ષદ દેસાઈ, એડવોકેટ મુકુલ સિન્હા, એડવોકેટ રમેશ પી. ધોળકિયા (જસ્ટિસ આર.પી. ધોળકિયા, હાઈકોર્ટ) ,મનીષી જાની, રૂપા મહેતા, સોનલ મહેતા, અસીમ રોય, અને બીજા સંખ્યાબંધ કટિબધ્ધ સાથીઓની એક ટીમ હતી. અને મારે માટે તો અચ્યુતભાઈની ઓફિસ એક વિસામો હતો. આજે એમના નિર્વાણ દિવસે (અચ્યુત યાજ્ઞિકનું દેહાવસાન 4 ઓગસ્ટ 2023ના રોજ થયું હતું) ગિરીશભાઈ, હરુભાઈ મહેતા, અચ્યુતભાઈ, નિરંજનભાઈ, પ્રો. હર્ષદ દેસાઈ, જેતલપુર કેસની સુનાવણીમાં મને તેમના સ્કૂટર પર નિયમિત નારોલ કોર્ટમાં લઇ જતા જસ્ટીસ આર.પી. ધોળકિયા, આ બધાની યાદ સતાવે છે. જાણે કશું જ બચ્યું નથી તેવો ખાલીપો છે. આજે 87 વર્ષની વૃદ્ધાવસ્થાની સ્થિતિએ આ પોતીકા સાથીઓની યાદ એ જ મારી મૂડી છે. જેને વાગોળવાની જ રહી છે. સ્નેહી અચ્યુતભાઈ ને આખરી અંજલિ.

[વાલજીભાઈ પટેલ, એડવોકેટ, એક્ટિવિસ્ટ, સેક્રેટરી, Council for Social Justice. સંપર્ક : 9426412600]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

6 August 2024 Vipool Kalyani
← બજેટ 2024: મોદી, અર્થતંત્ર અને મધ્યમવર્ગ વચ્ચે મદહોશી, બેહોશી પછી હવે હોશના દાખલા ગણાશે?
નવી એકોક્તિઓ ૨૦૧૪ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved