Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાકિસ્તાન સાથે સંબંધો સુધારવામાં બહુ ઉતાવળ કરવાની જરૂર નથી તો દૂર ભાગવાની પણ જરૂર નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|22 August 2018

મૂળમાં તો ઇમરાન ખાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પાકિસ્તાનના વડા પ્રધાન તરીકેની સોગંદવિધિમાં દક્ષિણ એશિયાના બધા જ દેશોના વડાઓને બોલાવવા માગે છે એવા સમાચાર આવ્યા હતા, પરંતુ એનું શું થયું એ આપણે જાણતા નથી. નરેન્દ્ર મોદીની સોગંદવિધિમાં તમામ પાડોશી દેશોના શાસકો ઉપસ્થિત રહ્યા હતા, એનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણ એશિયામાં ભારત મોટો અને દરેક અર્થમાં મધ્યવર્તી દેશ છે. બીજું કારણ એ હતું એ એ આ રીતનો પહેલો પ્રયોગ હતો અને પાડોશી દેશોની અપેક્ષા હતી. એ અપેક્ષા ફળીભૂત થઈ નથી એ જુદી વાત છે. એવું બને કે ઇમરાન ખાનની ઓફરને ભારત તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ નહીં મળ્યો હોય, એટલે ઇમરાન ખાને સમય વર્તીને પાડોશી દેશોના વડાઓને બોલાવવાનો નિર્ણય માંડી વાળ્યો હશે.

૧૮મી ઓગસ્ટે ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સોગંદ લીધા એ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદનનો પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે ‘ભારત પાકિસ્તાન સાથે સાર્થક અને રચનાત્મક સહયોગ માટે આતુર છે. ભારતીય ઉપખંડની પ્રજાના હિતમાં ભારત તેના પાડોશી દેશ સાથે સહયોગ કરવા પ્રતિબદ્ધ છે’. પાકિસ્તાને આનો અર્થ એવો કર્યો હતો કે ભારતે પાકિસ્તાન સાથે વાતચીતના દરવાજા ખોલ્યા છે અને વાતચીતની દિશામાં આગળ વધવાનું આમંત્રણ આપ્યું છે. આ વાતનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરૈશીએ કહ્યું હતું કે બે દેશો વચ્ચે સતત વ્યવધાનરહિત વાતચીતની જરૂર છે અને તેમણે વડા પ્રધાનની વાતચીતની પહેલને આવકારી હતી.

એ પછી ખુલાસાઓનો દોર શરૂ થયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે સ્પષ્ટતા કરી હતી કે વડા પ્રધાને તેમના પત્રમાં વાતચીતની જરૂરિયાત પર ભાર મુક્યો છે, વાતચીત માટે આમંત્રણ નથી આપ્યું. ટેરરિઝમ અને ટોક સાથે ન જઈ શકે એવી ભારતની ભૂમિકાની પણ યાદ કરાવી હતી. વડા પ્રધાનના ઇમરાન ખાન પરના પત્રમાં પણ હિંસા અને ત્રાસવાદમુક્ત ભારતીય ઉપખંડની વાત કહેવામાં આવી છે. હું એમ માનું છું કે વિદેશ પ્રધાને આવો કોઈ ખુલાસો કરવાની જરૂર નહોતી. વડા પ્રધાનનો પત્ર જોશો તો એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભારતીય ઉપખંડમાં પ્રજાના હિતમાં સહયોગ કરવા ભારત આતુર છે અને એ સહયોગનું પહેલું ચરણ વાતચીત છે. ઊલટું સુષ્મા સ્વરાજ કહી શક્યાં હોત કે વાતચીત માટેની અનુકૂળતા બનાવો, ભારત વાતચીત કરવા આતુર છે. આવી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ પેદા કરવાની જરૂર નહોતી.

વિદેશ નીતિમાં મક્ષિકાઓનું આવવું એ કોઈ નવી વાત નથી. સંબંધો જો વણસેલા હોય તો મક્ષિકાઓ વધારે આવતી હોય છે. ક્યારેક પહેલે કોળીએ આવે તો ક્યારેક વચલે કોળીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબધો વણસેલા છે અને તેને પાટે ચડાવવામાં ભારતનો સ્વાર્થ છે. એટલે તો છેલ્લા બે દાયકામાં સંબંધો સુધારવામાં ભારતે જેટલા પ્રયત્નો કર્યા એટલા આગલાં વર્ષોમાં કરવાની કોઈને જરૂર નહોતી પડી. સૌથી વધુ પ્રયત્નો અટલ બિહારી વાજપેયીએ કર્યા હતા. પાકિસ્તાનદ્વેષી સંઘ પરિવારમાંથી આવતા હોવા છતાં વાજપેયીએ સંબંધો સુધારવામાં કોઈ કસર નહોતી રાખી. રાજકારણી અને રાજપુરુષમાં આ ફરક છે. તેમને ખબર હતી કે નઠારા સાથે નઠારા થવામાં નુકશાન આપણને વધારે થવાનું છે.

ત્રણ વાતે ભારતે સાવધાન રહેવાની જરૂર છે. એક તો એ કે ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે અને તેમની રાજકીય આવડત અને પ્રતિબદ્ધતા બન્ને સાબિત થવાની બાકી છે. ઊલટું તેની વિરુદ્ધ જતા પ્રમાણો મળતા રહ્યા છે. ભારત વિશે તેમણે એવા ઉચ્ચારણો કર્યા છે જેવા પાકિસ્તાનના ત્રાસવાદીઓ કરી રહ્યા છે. તેમણે ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ત્રાસવાદીઓનો બચાવ પણ કર્યો હતો અને ત્રાસવાદીઓ સામેના જનરલ પરવેઝ મુશરર્ફના લશ્કરી ઓપરેશનોનો વિરોધ કર્યો હતો. એક સમયે તેમને તાલિબાન ખાન તરીકે ઓળખાવવામાં આવતા હતા. આમ ઇમરાન ખાનનો અત્યાર સુધીનો રેકોર્ડ ભારત અને અમેરિકાદ્વેષનો રહ્યો છે. રાજકીય સ્વાર્થ બાજુએ મૂકીએ તો તેમની રાજકીય સમજ પણ શંકાસ્પદ છે. જગતમાં અત્યારે ટ્રમ્પયુગ ચાલી રહ્યો છે અને તેમાં પાકિસ્તાનનો ઉમેરો થયો છે.

બીજું કારણ એ છે કે છેવટે તો ઇમરાન ખાન લશ્કરના પ્યાદા તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે. લશ્કર તેમને કેટલી મોકળાશ આપશે કે તેઓ લશ્કરથી કેટલા પ્રમાણમાં સ્વતંત્ર થઈ શકશે એ સવાલ છે. ઇમરાન ખાન પાસે બહુમતી પણ નથી. લશ્કર અને ઇમરાન ખાન વચ્ચે સંબંધોનું સ્વરૂપ કેવું બને છે અને એમાં કેટલું સાતત્ય છે એના આધારે ઇમરાન ખાનની ઉપયોગિતા કે જોખમ ભારતના ધ્યાનમાં આવશે.

ત્રીજું કારણ ચીન છે. સોવિયેત રશિયાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછુ ખેંચ્યું અને એ પછી સોવિયેત રશિયાનું પતન થયું પછીથી અમેરિકાને પાકિસ્તાનનો ખપ રહ્યો નહોતો. ઊલટો ભારતનો ખપ વધવા લાગ્યો હતો. અફઘાનિસ્તાનની જેહાદથી લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામા બિન લાદેનની હત્યા કરવામાં આવી એ વર્ષોને પાકિસ્તાનીઓ અમેરિકા દ્વારા કરવામાં આવેલા પાકિસ્તાનના ઉપયોગ તરીકે જુએ છે અને એમાં ઇમરાન ખાન મુખ્ય છે. ઇમરાન ખાને એકથી વધુ વખત અમેરિકા વિરોધી નિવેદનો કર્યા છે. આ બાજુ ચીને બહુ વ્યવસ્થિતપણે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો છે.

ભારત માટે આ ચિંતાની વાત છે. અમેરિકાએ સોવિયેત રશિયા સામે અને ભારત સામે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો હતો જ્યારે ચીન તો પાકિસ્તાનમાં આવીને બેઠું છે. પાકિસ્તાન ચીનની કોલોની બની રહ્યું છે જે ભારત માટે ચિંતાની વાત છે. ઇમરાન ખાને શરૂઆતમાં ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો વિરોધ કર્યો હતો, પરંતુ એ પછી તરત જ તેમણે તેમની ભૂમિકા સુધારી લીધી હતી. ડર એ વાતનો છે કે પાકિસ્તાન હજુ વધુ ચીનની નજીક જશે કારણ કે ઇમરાન ખાનનો ભારત દ્વેષ જાણીતો છે.

આ સ્થિતિમાં ભારત પાસે વાતચીત એ શ્રેષ્ઠ વિકલ્પ છે. વડા પ્રધાન કહે છે એમ બે દેશ એન્ગેજ રહે એ જરૂરી છે અને એન્ગેજ રહેવું હોય તો વાતચીત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. બહુ ઉતાવળ કરવાની જરૂર નથી તો દૂર ભાગવાની પણ જરૂર નથી.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની દૈનિક કટાર, “ગુજરાતી મિડ-ડે”, 22 અૉગસ્ટ 2018

Loading

22 August 2018 admin
← આપણે સાંસ્કૃિતક લડવૈયા છીએ :
હરિવર મુજને હરી ગયો! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved