Opinion Magazine
Number of visits: 9446988
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહલુખાનના પરિવારની મુલાકાત

નીતા મહાદેવ|Opinion - Opinion|6 May 2017

દેશમાં કેટલાંક હિન્દુ સંગઠનો કોઈ ને કોઈ મુદ્દે હિંસા ફેલાવવાનું કામ કરે છે. જેમ કે ગૌહત્યા, ગૌમાંસ વગેરે. જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે, ત્યારથી આવાં સંગઠનોને વધુ બળ મળ્યું છે.

ઉત્તરપ્રદેશમાં દાદરીમાં મોહમ્મદ દાખલાક તથા હજારીબાગમાં પણ બે લોકોની ગાયના નામે હત્યા કરવામાં આવી અને હમણાં પહેલી એપ્રિલના રોજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બહ રોડ, અલવર પાસે દિવસના ભાગમાં તથાકથિત ગૌરક્ષકના એક જૂથે હરિયાણા રાજ્યના નૂહ જિલ્લાના જસવંતપુરા ગામના પહલુખાન અને તેમના પરિવારના લોકોની અમાનવીય રીતે પિટાઈ કરી. તેમાં પહલુખાનનું ત્રણ તારીખે મૃત્યુ થયું છે, એક દીકરાની આંખ અને કાનમાં વધારે ઈજા થઈ છે અને ગામના બીજા એક ભાઈની સ્થિતિ ઘણી નાજુક છે.

પહલુખાન અને ગામના બીજા લોકો જયપુરમાં દર અઠવાડિયે ભરાતા સરકારી પશુમેળામાં ગયા હતા. તેમાંથી તેમણે પાંચ ગાય અને છ વાછરડી ખરીદી હતી. ગાયો ખરીદવા માટે પાસેના ગામના શાહુકાર પાસેથી વ્યાજે નાણાં લાવેલા. તેમાંથી ગાયો ખરીદી હતી. ગાય ખરીદી તેની રસીદ પણ હોય છે. તે પણ તેમની પાસે હતી. ઉનાળામાં ભેંસનું દૂધ ઓછું થઈ જાય છે અને રમઝાન મહિનો હવે શરૂ થવાનો હતો. રમઝાન મહિનામાં દૂધની અછત વધારે હોય છે, તેથી નવી ગાયો ખરીદવા ગયા હતા. એટલે આ મામલો કાયદેસર ગાયની ખરીદી અને પશુપાલન સાથે જોડાયેલો હતો પણ બની બેઠેલા ગૌરક્ષકો પહેલાં પૈસા લૂંટી લેતા હોય છે અને પછી હિંસા શરૂ કરે છે. આ કિસ્સામાં પણ તેવું જ કર્યું. ગાયો ભગાડી ગયા. બેમાંથી જે ગાડીનો ડ્રાઇવર હિન્દુ હતો, તેને જવા દીધો.

આ પ્રસંગને ૨૦ દિવસ થયા હોવા છતાં પરિવારને તેમનાં ગાય, પૈસા અને બીજો જે સામાન લૂંટી ગયા છે તે પાછો મળ્યો નથી. બધાની સારવાર પણ ખાનગી હૉસ્પિટલમાં જ થયેલી. તેનો ખર્ચ પણ વધારે છે.

સરકાર તરફથી હજી સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી કે નથી પહલુખાનના પરિવારને કોઈ જાતનું સંરક્ષણ કે મદદ મળ્યાં. અમે ‘સર્વસેવા સંઘ’ તરફથી જોધપુરનાં આશાબહેન બોથરા સાથે અલવર ગયાં. ત્યાં સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કર્યો.

આઝાદીની લડાઈ વખતે તે લોકો મુશ્કેલીમાં પાકિસ્તાન ના ગયા, તે બધાને અલવર-રાજસ્થાન અને હરિયાણાનાં કેટલાંક ગામોમાં વસાવ્યા. તે વિસ્તારને મેવાત કહેવાય છે અને ત્યાંના મુસ્લિમોને મેવુ કહે છે. બધા ખેતી અને પશુપાલનના વ્યવસાયથી જોડાયેલા છે. ભણતરનું પ્રમાણ નહીંવત્ છે. અહીંથી આઝાદીની લડાઈમાં ૪૫૦ લોકો શહીદ થયા હતા.

પહલુખાનના ઘરે શોકનું વાતાવરણ હતું. તેમનાં મા અંગૂરી- બેગમ અને તેમનાં પત્ની ખૂબ દુઃખી હતાં. તેમની દીકરીઓ, દીકરાઓ પણ ભયમાં છે. તેમના પૈસા પણ ગયા અને માણસ પણ જાય ત્યારે કેવું વીતે? અમે ગામના બીજા ભાઈ અસલમ સુલતાનને મળ્યા. તેમની સ્થિતિ પણ ઘણી દયનીય છે. આવે સમયે તેમને થોડા સહારાની જરૂર હોય છે. થોડો વખત તેમની સાથે રહેવાથી પણ તેઓને સારું લાગતું હોય છે.

પીડિતોને ન્યાય અપાવવા માટે ભૂમિ-અધિકાર આંદોલન અને કિસાન સંઘર્ષસમિતિ, એન.એ.પી.એમ. તરફથી તા. ૧૯મીએ દિલ્હીમાં દેખાવોનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં પણ ભાગ લીધો.

અલવરથી નૂહ, પહલુખાનના ગામ જતાં-જતાં રસ્તામાં જે ગામો આવતાં હતાં, તે ગામોમાં બધી વસતિ મુસ્લિમોની. કોઈ ગામમાં જઈને લોકોને મળવાની ઇચ્છા થઈ. ડ્રાઇવરને કહ્યું, પણ તે તો માને જ નહીં. મેવુના ઘરે જવાય જ નહીં. અમે અલવરથી નીકળતાં હતાં, ત્યારે આશાદીદીના એક સગાએ કહ્યું, તમે બે બહેનો એકલી જ જાઓ છો? મેવાત બહુ ખતરનાક છે, કેવી રીતે જશો? પણ અમને વાંધો નહોતો. આખરે એક ગામમાં રોકાયાં. સૌથી પહેલું જે ઘર હતું ત્યાં બહેન કપડાં ધોતી હતી. અમને જોયાં એટલે આવ્યાં ને પૂછ્યું. અમે તો સાવ અજાણ. બે હિન્દુ બહેનો. કોઈ કારણ વગર મુસ્લિમ પરિવારના ઘરના આંગણે ઊભાં રહ્યાં. તરત ખાટલો પાથર્યો. અલકમલકની વાતો થઈ. આડોશપડોશનાં બીજાં બહેનો ભેગાં થયાં. પછી તો ભાઈઓ પણ ભેગા થયા. પહલુખાનની વાત થઈ. ૩૫ કિલોમીટર દૂર પહલુખાનનું ઘર, છતાં કોઈને આ હત્યાની વાતની ખબર નહીં. છાપાં આવે નહીં, ટી.વી. હોય તો સમાચાર સાંભળે નહીં. જો કે, અમારા જવાથી તેઓને ખૂબ સારું લાગ્યું. કેટલીયે વાર બેઠાં, અમને પણ ઊઠવાનું મન ન થાય અને તેઓને પણ અમને જવા દેવા નહોતાં. પછી તો જમીને જ જવાનું એવો આગ્રહ. આખરે અમે ઊભાં થયાં. એક બહેનને તો થાય કે ઘરમાંથી શું આપું? હાથબનાવટની કેટલીયે વસ્તુ લઈ આવ્યાં, ઘણી ના છતાં તેમનું માન જાળવવા એક રિબિન લીધી. થોડા જ સમયમાં કેટલો પ્રેમ મળ્યો! અમે તો અભિભૂત થઈ ગયાં. આવો આપણો દેશ. ના પરિચય, ના ધર્મ આડે આવ્યો.

પાછા વળતા ડ્રાઇવરને પૂછ્યું કે, બોલો, કંઈ થયું? હવે તે પણ અમારી વાત સાથે સહમત થયો. દૂરથી સાંભળેલી વાતો ઉપર વિશ્વાસ ન કરતાં નજીક જઈએ તો સાચો પરિચય થાય. પ્રેમ જ પ્રેમ. આ વિશ્વાસ આપણે પાછો સંપાદિત કરવાનો છે.      

E-mail : gujaratloksamiti@yahoo.co.in

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2017; પૃ. 07

Loading

6 May 2017 admin
← રાષ્ટ્રીય દુરસ્તતા અભિયાન
VIP કલ્ચર લાલ બત્તી સે આગે જહાં ઔર ભી હૈ →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved