Opinion Magazine
Number of visits: 9449121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘પારકા દુ:ખે દુ:ખી થવું એ જ માનવધર્મ છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|13 November 2023

[ભાગ-2]

છગનભાઈ પટેલ ચાર રાજ્યોની ધારાસભાઓમાં હતા. 1946માં ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજતંત્રની ધારાસભામાં, રાજ્યના ઉમેદવાર સામે પ્રજા પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. 1949માં સોનગઢ-લાઠી-લીલિયા ક્ષેત્રમાંથી સૌરાષ્ટ્રની બંધારણસભાના સભ્ય બન્યા. 1952માં સોનગઢ-ઉમરાળામાંથી સૌરાષ્ટ્રની ધારાસભામાં ચૂંટાયા. 1956માં બોટાદ વિસ્તારમાંથી દ્વિભાષી મુંબઈ રાજ્યની વિધાનસભા માટે ચૂંટાયા. 1956માં સૌરાષ્ટ્ર રાજ્ય દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીન થયું હતું. 1 મે 1960ના રોજ, સ્વતંત્ર ગુજરાત રાજ્ય અમલમાં આવતાં ગુજરાત વિધાનસભામાં પણ રહ્યા !

આઝાદી પહેલાં સૌરાષ્ટ્ર આખું રાજકીય રીતે વેરણ-છેરણ હતું. કોઈ પ્રદેશ રાજ્યનો હતો, કોઈ એજન્સીનો હતો, કોઈમાં સીધું બ્રિટિશ શાસન હતું. એક ગામમાં ચોરી / ઢોર ચોરી / લૂંટ / ભેલાણ કરી બીજા ગામમાં આશરો લ્યે તેને કોઈ પકડી શકતું નહીં.

બન્યું એવું કે ચોગઠના રુડાભાઈ માવજીભાઈ મોણપરાના હાથી જેવા બે બળદની ચોરી થઈ. આખું ગામ ભેગું થયું. છગનભાઈએ 200 જેટલા ખેડૂતોને લાકડીઓ સાથે તૈયાર કર્યા. બાતમી મળી કે પાસેના મગલાણા ગામે બળદને રાખ્યા છે. પરંતુ મગલાણા ગામ એજન્સીનું હતું, ત્યાં જવું કઈ રીતે? વળી બળદ લઈ જનાર માથાભારે ઈસમો હતા. તેની સાથે બાથ ભીડવાનું કામ ભયંકર હતું. ક્યારે શું થશે તે કલ્પી શકાય તેવું ન હતું. છતાં 200 ખેડૂતોએ મગલાણા ગામ ફરતે એકધારા 24 કલાક સુધી ભૂખ્યાં-તરસ્યા માનવ-સાંકળ બનાવી. આખરે માથાભારે તત્ત્વોએ બળદને છોડી મૂકવા પડ્યા ! તે સમયે આવી પ્રવૃતિ કરવી તે જાનના જોખમરૂપ હતું. કોણ, ક્યારે, ક્યાં ખૂન કરી નાખે તે નક્કી નહીં. એક ઠેકાણે ખૂન કરી બીજા રાજ્યની હદમાં ચાલ્યા જાય. ખબર હોય છતાં પકડી શકાય નહીં.

ચોગઠ ખાતે સૌરાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉછરંગરાય નવલશંકર ઢેબર સાથે ચર્ચા કરતા ધારાસભ્ય છગનભાઈ પટેલ

સીમ ભેલાણની સમસ્યા હતી. કોઈ ખેડૂત માલધારીઓનો સામનો કરી શકતો નહીં. રાજ પણ તેમાં મદદ કરી શકે નહીં. ચોગઠ આજુબાજુ એજન્સીના ગામો હતા. માલધારીઓ ભેલાણ કરી એજન્સીની સીમમાં માલઢોર ઊભા રાખે. કપાસમાં ફાટફાટ જીંડવા હોય અને તેમાં માલઢોર મૂકી દે, ખેતર સાફ થઈ જાય. ખેડૂત બિચારો ઊભો ઊભો રોવે !

1938માં, ભાવનગરથી વલ્લભીપુર સુધી પાટીનાં સુરા ભરવાડની રાડ હતી. સુરો દસ જણાને એકલો ભારે પડે. ભલભલા પોલીસ પણ નજીક જતા ડરે. આવો માથાભારે અને બળુકો આદમી. તેનો માલ ડબામાં પૂરી શકાતો નહીં. એક વખત તેણે ચોગઠની સીમમાં ભેલાણ કર્યું. 24 વરસના છગનભાઈએ 10 જુવાનોને તૈયાર કર્યા. જુવાનો સુરા પર ત્રાટક્યા. તેને પકડી ચોગઠ ગામના દરબારી ઉતારે લાવ્યા. ભાવનગરના દિવાન પ્રભાશંકર પટ્ટણીને જાણ કરી. દિવાને અભિનંદન આપ્યા. એ પછી ભેલાણ બંધ થયું. સીમ ચોરી અટકાવવા છગનભાઈએ ‘સીમ સુરક્ષા યોજના’ ઘડી હતી. ગામના પ્રતિષ્ઠિત અને સર્વમાન્ય એવા 8 વડીલોની એક મુખ્ય કમિટી હતી. ચાર દિશાઓ માટે ચાર વ્યવસ્થાપક. દરેક વ્યવસ્થાપક ચાર-ચાર રખેવાળો રાખે. કુલ પાંચ જણાની ટુકડી બને. દરેક ટુકડીને દરરોજ નવી નવી દિશાની રખેવાળી કરવાની આવે. સાંજના ચારેક વાગ્યે વ્યવસ્થાપક પોતાની દિશાના પાદરે બેસે. શકમંદ માણસને ટપારે. તપાસે. સીમમાંથી ઘાસની ગાંસડીમાં કોઈ સંતાડીને કશું લાવ્યા તો નથી ને ! કોઈ પકડાય તો તેને શો દંડ કરવો તે માટે રાત્રે પાદરમાં કે કાળુભાર નદીમાં કમિટી ભેગી થાય. મુખ્ય કમિટી દંડ નક્કી કરે. આ યોજના કારગત નીવડી.

1940માં છગનભાઈની ઉંમર 26 વર્ષની. એ સમયે માથાભારે અલારખા મિયાણો ગામે ગામ જઈને લાગો ઉઘરાવતો. કદાવર શરીર, બે-ચાર જણની બાથમાં ય ન આવે. મોટી મૂંછો અને દાઢીનું ઝૂંડ. ડરામણો લાગે. એક દિવસ ચોગઠના ખેતરમાં તેણે ધામા નાખ્યા અને લાગો માગ્યો. માગણી મોટી હતી, ગામને પોસાય તેમ ન હતી. આગેવાનોએ દાણ ઓછું કરવા કહ્યું પણ અલારખા માન્યો નહીં, અને ચેતવણી આપી કે ‘લાગો નહીં આપો તો ગામમાં લૂંટ કરીશ !’ ગામ આગેવાનોએ છગનભાઈને વાત કરી. સૌ પહોંચ્યા અલારખા પાસે. છગનભાઈએ અલારખાને મક્કમતાથી કહ્યું : ‘ભાઈ, તમારી પાસે છે એવાં જ સાધનો અમારી પાસે ગામમાં પડ્યાં છે. અને સાથે પણ લાવ્યા છીએ. તમારી પાસે જે બંદૂક છે તે લોકોના રક્ષણ માટે છે, બીવડાવવા માટે નહીં. તમારી પાસે હશે એના કરતાં ત્રણ ગણા તૈયાર માણસો અમારી પાસે છે. બોલો, હવે શું નિર્ણય કરો છો?’ અલારખાએ અંદાજ માંડી લીધો. આ ચોગઠ આ વખતે કાંક જુદી જાતનું જણાય છે ! તેણે કહ્યું : ‘તો પછી સમાધાન ! બીજું શું !’

એ પછી અલારખા ચોગઠમાં ક્યારે ય મે’માન થયો નહીં ! લોકો જ્યારે અનિષ્ટ સામે સંઘર્ષે ચડે છે ત્યારે એ વિચારપૂર્વકનું પગલું હોય છે, મરણિયાપણાનું નહીં. લોકો પોતાના નેતૃત્વના ચરિત્રને જુએ છે. જો ચરિત્ર હલકું લાગે તો લોકો સંઘર્ષ ટાળે છે અને સ્થિતિ સાથે સમાધાન કરી લે છે. જો ચરિત્ર બલિષ્ઠ દીસે તો જ પોતે સંઘર્ષના માર્ગે ચડે છે. છગનભાઈનું બલિષ્ઠ ચરિત્ર હતું તેથી લોકોમાં વિશ્વાસ પ્રગટ્યો હતો, એટલે લોકોએ ગમે તેવડા તાકાતવર અનિષ્ટ સામે સંઘર્ષ કરતાં બિલકુલ આંચકો અનુભવ્યો ન હતો, સરવાળે સ્થિતિ બદલવામાં સફળ થયાં. એ એમના ચરિત્રનો પ્રભાવ હતો.

આઝાદી આવ્યા બાદ રજવાડાઓનું વિલિનીકરણ થયું. સૌરાષ્ટ્રના 202 જેટલાં રજવાડાંને ભેગા કરી ‘સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય’ બનાવવામાં આવ્યું. સામંતશાહીની નાબૂદી અને સામાજિક ન્યાયની સ્થાપના માટે ગણોતધારો / ગિરાસદારી નાબૂદી / ખેડે તેની જમીન જેવા કાયદાઓની રચના વખતે છગનભાઈએ સક્રીય ભૂમિકા ભજવી. તે વખતે સૌરાષ્ટ્ર સરકારના પ્રધાનો, ધારાસભ્યો તથા કાર્યકરોના જીવ જોખમમાં હતા. ખોળામાં ખાંપણ લઈને બહાર નીકળવાનો સમય હતો. ક્યારે ક્યાં ધાડ પડે, ખૂનામરકી થાય તે નક્કી જ નહીં. વલ્લભીપુરથી રાતના ઉતરી ચોગઠ ચાલતા જવાનું. વચ્ચે એજન્સી અને દરબારનું ગામ પાટી આવે. ઉમરાળાથી રાતના ઉતરી ચોગઠ જવામાં વચ્ચે દરબારી ગામ રતનપર આવે. ભાવનગરથી ચોગઠ આવતા વચ્ચે દરબારી ગામ ચમારડી આવે. છતાં જરૂર પડે ત્યારે દોડીને જવામાં તેમણે હીચકીચાટ અનુભવ્યો નહીં. સૌરાષ્ટ્રના 4,000 ગામડાંમાંથી 1,700 ગામમાં જમીન સુધારણા કાયદાથી આગ લાગી હતી, તે જ્વાળા ગમે તેવાને ભરખી જાય તેવો ભયંકર સમય હતો. આ સમયે અનેક આગેવાનોના ખૂન થયાં. છતાં ક્યારે ય છગનભાઈએ કોઈ પોલીસની મદદ માગી ન હતી કે પોલીસ રક્ષણ માગ્યું ન હતું ! માતા સોનબા રાતે પ્રવાસ નહીં કરવાનું કહેતા. છગનભાઈ માતાને આશ્વાસન આપતા : “મા, મારા જેવા અનેકની આહુતિ લેવાતી હોય ત્યારે હું બીકનો માર્યો ઘેર કેમ બેસી શકું? જો કુદરતે નક્કી કર્યું હશે તો હું પથારીમાં પણ સલામત નથી. પારકા દુ:ખે દુ:ખી થવું એ જ માનવધર્મ છે ! આજે હું બીજાને હૂંફ ન આપી શકું તો મારી કીર્તિમાં કલંક લાગે. તમે આવું ઈચ્છો છો?” અને માતાનું મન માની જતું !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 November 2023 Vipool Kalyani
← સદ્દગત આચાર્ય ભાલચન્દ્ર જોશી
कबीर दास की उल्टी वाणी   →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved