Opinion Magazine
Number of visits: 9449493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાગલ ફિલસૂફ નિત્શે

સુમન શાહ|Opinion - Opinion|29 November 2019

આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' -'સત્તૈષણા'- વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. આજે એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :

૨ : 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' – ઍપોલોપરક અને ડાયોનિસસપરક.

સાહિત્યપદાર્થના વિચારવિમર્શ વખતે તેમ જ અન્ચ વિમર્શ-પરામર્શ વખતે ચર્ચામાં આપણે કેટલાંક જોડકાં પ્રયોજીએ છીએ : બુદ્ધિ અને હૃદય. ઊર્મિ અને વિચાર. જ્ઞાનજગત અને ભાવજગત. તાર્કિકતા અને અતાર્કિકતા. વ્યવસ્થા અને અંધાધૂંધી. પશ્ચિમની પરમ્પરામાં આવું એક જોડકું છે – 'ઍપોલિનિયન અને ડાયોનિસિયન' – ઍપોલોપરક અને ડાયોનિસસપરક.

ગ્રીક પુરાણગાથામાં દેવ ઝીયસના બે દીકરાની કથા આવે છે. એક છે, ઍપોલો અને બીજો છે, ડાયોનિસસ. વાત એમ છે કે પાછળથી એ બન્ને પણ દેવ ગણાયા. ઍપોલો તર્ક અને તર્કપુર:સરના ચિન્તનનો દેવ. ડાયોનિસસ અતાર્કિકતા અને અંધાધૂંધીનો એટલે કે હૃદય અને મૂળ વૃત્તિઓનો દેવ.

માણસ તરીકે આપણે જાણીએ છીએ કે ઘડીમાં આપણે મગજથી જીવીએ છીએ તો ઘડીમાં હૃદયથી. અમુક વખતે ચિત્ત ચોખ્ખુંચણાક હોય છે. અમુક સંજોગોમાં હૃદયમાં નર્યો ડખો જામ્યો હોય છે.

કેમ કે કેટલીયે વાર આપણે બુદ્ધિને બાજુએ હડસેલીને હૃદયનો પક્ષ કરીએ છીએ. કેટલીયે વાર આપણને અંધાધૂંધી પરવડતી નથી, આપણે વ્યવસ્થાના પક્ષકાર થઈ જઈએ છીએ.

ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનજગતની સરખામણીએ ભાવજગત વધારે વ્હાલું લાગતું હોય છે. ‘સમૂળી ક્રાન્તિ’-ના લેખક મશરૂવાળાને ઍપોલોપરક કહી શકાય -જો કે એ જ ગાંધીયુગમાં અમુકોને તેઓ અળખામણા થઈ પડેલા. કલાપીને ડાયોનિસસપરક કહી શકાય – જો કે ઘણાઓને એમનામાં વધારે પડતી લાગણી બલકે લાગણીની પોચટતા વરતાયેલી. જ્યારે, બલવંતરાયે તો 'ઊર્મિપ્રધાન કવિતા'-ની સરખામણીએ 'વિચારપ્રધાન કવિતા'-ની તરફદારી કરેલી. વગેરે.

ટૂંકમાં, પ્રયોજીએ છીએ જોડકાં પણ પક્ષ લઈ બેસીએ છીએ કોઈ એકનો. એમાંથી પક્ષાપક્ષી મતમતાન્તરો વાદવિવાદ અને ઝઘડા જન્મે છે બલકે એક દિવસ એમાંથી રાજકારણ પ્રગટી આવે છે અને આપણે જાણ્યે-અજાણ્યે એમાં સંડોવાઈ જઈએ છીએ.

નોંધપાત્ર વાત એ છે ગ્રીક પ્રજાએ આ બન્ને દેવોને એકસમાન ગણેલા.

એકમેકની સામે નહીં મૂકેલા. બન્નેને એકબીજના હરીફ નહીં ગણેલા.

આ જોડકું પશ્ચિમના ચિન્તકોને તેમ જ સાહિત્યવિચારકોને ગમ્યું છે.

નિત્શેએ પોતાના ‘ધ બર્થ ઑફ ટ્રેજેડી’ ગ્રન્થમાં કલાઓની વાત કરતાં, શિલ્પકલાને ઍપોલોપરક કહી છે. સંગીતકલાને એમણે ડાયોનિસસપરક કહી છે. આ બન્ને કલારૂપો, શિલ્પ અને સંગીત, ઘણા સમય સુધી સમાન્તરે વિકસ્યાં હતાં. પણ સમયાન્તરે બન્ને એક થઈ ગયાં અને નવું જ કલારૂપ પ્રગટ્યું જે ‘ટ્રેજેડી’ કહેવાયું. ટ્રેજેડી ઍપોલોપરક પણ છે, ડાયોનિસસપરક પણ છે. એમાં આવતું વૃન્દગાન ડાયોનિસસપરક છે; સંવાદ ઍપોલોપરક છે. ભાવ-ભાવનાનો છાક સંવાદથી સંતુલનમાં આવી જાય છે, માણસો સરખા થઈ જાય છે.

નિત્શે દર્શાવે છે કે માણસને થતો રહેતો સ્વપ્નોનો અનુભવ ઍપોલોપરક છે. જ્યારે, દારૂ પીવાથી થતો અનુભવ ડાયોનિસસપરક છે. એમનું કહેવું એમ છે કે આપણે સર્વથા સીધાસાદા મનુષ્યો નથી. બને કે તમે ઍપોલોપરક હોવ, સમજદાર અને જવાબદાર. બને કે તમે ડાયોનિસસપરક હોવ, કશી ચિન્તા વગરના, બેપરવા, છકેલા. ક્યારેક તમે એકદમના વફાદાર અને રૂઢિચુસ્ત હોવ – ઍપોલોપરક. પરન્તુ સાથોસાથ, તમે પ્રયોગ અને પરાક્રમ ઝંખતા હોવ – ડાયોનિસસપરક.

આ જોડકાનું શું થઈ શકે?

નિત્શેની દૃષ્ટિએ જીવનમાં ખૅંચાખૅંચી છે, સંઘર્ષ. જુઓને, એક તરફ, આપણે સુખાકારી ઇચ્છીએ છીએ, માનમરતબાથી જીવવા ચાહીએ છીએ. ધાર્યું પાર પાડવા તર્કભરપૂર ધમાચકડીને વળગેલા રહીએ છીએ, પ્રચણ્ડ પુરુષાર્થમાં મચેલા રહીએ છીએ. બીજી તરફ, આપણે હૃદયરસભરી નિરાંત શાન્તિ અને સંતોષ ઇચ્છીએ છીએ. પણ નિત્શે એમ કહે છે કે એ ખૅંચાખૅંચીને વળગી રહો, આ જે જીવનસંઘર્ષ છે, એને ભેટો. વાતનો સાર એ કે આ જોડકાને આપણે જોડકું જ રાખવું અને એને પ્રેમપૂર્વક આવકારભાવથી જોવું. કોઈ એક તરફ નહીં, બન્ને તરફ રહેવું ….

= = =

'પાગલ ફિલસૂફ નિત્શે’ – શ્રેણીમાં વિશેષ હવે પછી …

(૨૩ નવેમ્બર ૨૦૧૯ : યુઍસે)

Loading

29 November 2019 admin
← ડિસેમ્બર ૧૯૯૨, ડિસેમ્બર ૨૦૧૯
નવજીવનનો વિકાસ ને ધર્મ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved