Opinion Magazine
Number of visits: 9448741
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પીપીપી પદ્ધતિ ધરમૂળથી ફેરફાર માગે છે

સનત મહેતા|Samantar Gujarat - Samantar|20 February 2014

પારદર્શક, કડક નિયમન નીચે ન મુકાય તો ટોલમથક પરના બનાવો અર્થતંત્રને છિન્નભિન્ન કરી નાખશે

મહારાષ્ટ્રમાં પહેલા 'શિવસેના’ અને પછી 'મનસે’એ મહારાષ્ટ્રના રસ્તા પર ઊભા કરાયેલાં ટોલ કેન્દ્રો પર મોટે પાયે ભાંગફોડનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ના ભાંગફોડ કરવાના પ્રયાસોને કોઈ કાળે વાજબી ઠરાવી શકાય નહીં. બીજી તરફ રસ્તાના ટોલમથકોની કિંમત અને નાણાં ચૂકવવા છતાં વિલંબના કારણે જન્મી રહેલાં અસંતોષને ઉવેખી શકાય તેમ નથી. વિશ્વના અન્ય ભાગોમાં પણ ટોલ ઉઘરાવાય છે, પણ ત્યાં આવા ટોલ રસ્તાના પર્યાય તરીકે ટોલ વગરના રસ્તાની સગવડ અપાય છે. પ્રારંભમાં તો ભારતમાં આવા પર્યાય રોડનો વિચાર સુધ્ધાં કરાયો નહતો.

જેમને ટોલ ભારરૂપ લાગે એ પર્યાય રસ્તે મુસાફરી કરી શકે એવું વિચારાયું પણ નહોતું. ભારતમાં ઊલટી પ્રક્રિયા ચાલે છે. હવે તો જ્યાં ટોલ નહોતો એવા રસ્તાઓને પહોળા કરીને ટોલ ઉઘરાવાનું શરૂ કરાયું છે. ઘણી વખત રસ્તો પૂરેપૂરો તૈયાર ન થયો હોય તો પણ ટોલ ઉઘરાણી શરૂ કરાય ત્યારે પણ અસંતોષ જન્મે છે. ટોલની રકમ પણ વાહનચાલક તરત જ નાણાં ચૂકવી શકે એવી રાખવાને બદલે ૨૧,પ૧,૭૪,૭૮ જેવા આંકમાં રખાય છે. એની પાછળ ઉતાવળે જનાર પાસેથી બાકીના છૂટા પરત ન આપવાની દાનત હોય છે આનું કારણ એ છે કે, ટોલ નક્કી કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શી નથી – ન તો યોગ્ય પ્રમાણિત રેગ્યુલેટર પદ્ધતિ છે.

ટોલ નક્કી કરવાના માપદંડ જેવા કે રસ્તાનો કે પુલનો ખર્ચ, વાહનોની ગણતરી અને થતો સામયિક વધારો, ટોલ દ્વારા મેળવવા ધારેલી રકમ વગેરે માહિ‌તી જાહેર જનતાને સહજ પ્રાપ્ત થાય તેવી રીતે રખાવી જોઈએ. અત્યારે આર.ટી.આઈ. નીચે પણ મુશ્કેલ છે. એવા દાખલા છે કે, ટોલ દ્વારા ધારેલી રકમ મળી ગઈ હોય તો ય ટોલની ઉઘરાણી ચાલુ રહી હોય અને છેવટે સિવિલ સોસાયટીને ર્કોટનો આશરો લઈ ન્યાય મેળવવો પડતો હોય. આ ટોલ રોડની પદ્ધતિ, પી.પી.પી. – ‘પ્રાઇવેટ : પબ્લિક પાટર્નરશિપ’થી વ્યાપક થઈ છે. થોડા સમય પહેલાં આઇ.ટી.આઈ. મદ્રાસે આ પદ્ધતિથી તૈયાર થતા રસ્તાઓ પર સંશોધન કરી અહેવાલ તૈયાર કર્યો છે, પણ સત્તાવાળાઓને આ જોઈ જવાની ફુરસદ જ નહીં મળી હોય.

આમ તો પી.પી.પી. પદ્ધતિ નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રીઓ, રાજય, કેન્દ્રના સનદી અધિકારીઓ અને ખાનગી ભાગીદારીઓને મન જાદુઈ લાકડી બની ગઈ છે. આમાં જાહેર ધોરી માર્ગો સૌથી મોખરે છે. પછી વીજ ઉત્પાદન અને હવે તો શિક્ષણ અને આરોગ્યમાં ભારે નુકસાન કરવા છતાં આ પદ્ધતિ અમલી બનાવાઈ રહી છે. રાજનેતાઓ અને સનદી અધિકારીઓને વિશેષ ગમે છે, કારણ આમાં સરકાર પર નાણાં ઊભા કરવાની જવાબદારી ઓછી આવે છે. પણ વિદેશોની જેમ એનું નિયમન કરનાર તંત્ર ન હોય તો એ ક્રોની પ્રકારના મૂડીવાદને અને ભ્રષ્ટાચારને વધારે છે. ૧૯૯૦થી ૨૦૧૪ સુધીમાં, પી.પી.પી. પદ્ધતિ નીચે ૧,૯૦,૦૦૦ કરોડના ધોરી માર્ગોના કોન્ટ્રાકટ અપાયા છે.

ખુદ ૨૦૧૩-૧૪માં પ૦૦ કિલોમીટર લાંબા રસ્તા પી.પી.પી.માં અપાયા છે. આમાંથી રૂ. ૬પ હજાર કરોડના રસ્તા ૨૦૧૪-૧પમાં પૂરા થવાનું નિર્ધારિત થયું છે. જ્યારે રૂ. ૮૩ હજાર કરોડના રસ્તા નિર્ધારિત મુદ્દતમાં પૂરા થયા નથી. મદ્રાસ આઇ.ટી.આઈ.ના સંશોધને જણાવ્યું છે કે, કોન્ટ્રાકટની નિશ્વિત કિંમતમાં પૂરા ન થવાની બાબતમાં પી.પી.પી. પદ્ધતિની ટકાવારી ૨૭.૭૬ ટકા છે. જ્યારે બિન-પી.પી.પી. પદ્ધતિનું આ પ્રમાણ ૧૦ ટકાથી પણ નીચું છે. જ્યારે મુદ્દતમાં કામ પૂરું ન કરી શકવાની બાબતમાં પી.પી.પી.ની ૧૨ ટકાના પ્રમાણ સામે બિન પી.પી.પી.નું પ્રમાણ પ૪ ટકા છે .. આ બતાવે છે કે, જો બજેટ પ્રમાણેના ખર્ચમાં જ રસ્તા પૂરા થયા હોય તો આપણે આટલી જ કિંમતમાં ૧૬ ટકા વધુ રસ્તા બાંધી શક્યા હોત.

સંશોધનમાં, આંધ્ર, બિહાર, ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ એમ છ રાજ્યોની સરેરાશ બતાવે છે કે, કિંમતમાં પૂરા થનારનું રાષ્ટ્રનું સરેરાશ પ્રમાણ ૧૬.૨પ ટકા છે. જ્યારે સમયસર પૂરું ન કરી શકવાનું પ્રમાણ ૪૧ ટકા છે. બંનેના પરિણામે, હવે બીડિંગને બહુ ઓછો પ્રતિભાવ મળવા લાગ્યો છે. પરિણામે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે પી.પી.પી. પદ્ધતિમાં કોન્ટ્રાકટ આપવાનું બંધ કરી ચાલુ સાલે પ હજાર કિ.મી.ના રસ્તા સરકારને ખર્ચે બાંધવાનું નક્કી કરી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન ઇ.પી.સી. પદ્ધતિ અપનાવી છે. ભારતમાં પી.પી.પી. પદ્ધતિથી હાથ ધરાયેલા ૮૮૧ પ્રોજેકટમાં પ૨ ટકા રસ્તાના છે.

જ્યારે બીજો નંબર ઊર્જા‍નો ૮૮ ટકા હિ‌સ્સો છે. ત્રીજા નંબરે બંદરો ૭ ટકા સાથે છે. માર્ગો એ ભારતના માળખાકીય વિકાસનું હાદૃ છે, પણ એનો અર્થ એ નથી કે આ જનતાની હાલાકી અને લૂંટમાં પરિણામે ? ટોલનાકે થતાં વિલંબથી ટ્રાફિક જામ માટે મામલો ર્કોટે જાય. ખાનગી ભાગીદારો-રાજનેતાઓ અને અમલદારોની ભાગીદારી ઊભી થાય. સારો ઉપાય એ છે કે, સમગ્ર પદ્ધતિનું પારદર્શક અને કડક વિનિયમન નીચે મુકાય. વડોદરાથી ભૂજ જતા રૂ. ૬૦૦ ટોલ લેવાય અને બદલામાં અગવડ જ મળે અને એનો ઉકેલ ન લવાય તો પરિસ્થિતિ વણસી જશે. બાવાના બેઊ બગડશે ? પી.પી.પી. પદ્ધતિ ધરમૂળથી ફેરફાર માગે છે.

સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 ફેબ્રુઅારી 2014)

Loading

20 February 2014 admin
← ગાંધીજીના કસ્તૂરબાને લખાયેલા લવલેટર્સ !
FRIENDS IN THE STRUGGLE →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved