Opinion Magazine
Number of visits: 9448778
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાંચળી, કનકકુંડળ, કવચ

પ્રવીણા કડકિયા|Opinion - Opinion|7 June 2013

કર્ણને દ્વારે યાચક આવી, કનકકુંડળ અને કવચની યાચના કરે છે. સાપ કાંચળી ઉતારી વિસરી જાય, તેમ કર્ણ પોતાના દાનેશ્વરીપણાને સિદ્ધ કરે છે. કેટલી સરળ અને સહજ ક્રિયા. તેના મનમાં સહેજ પણ ક્લેશ નથી. મુખ પર સંતોષની લહેરખી પ્રસરી ગઈ છે. યાચકને ખુશ કર્યાનો સંતોષ છે.

કાંઈક એવો જ આનંદ અને સંતોષ અવનિશ આજે પમીના મુખ પર નિહાળી રહ્યો છે. જ્યારે વીસ વર્ષ પૂર્વે, મુંબઈની જાહોજલાલીભર્યું જીવન છોડી, અમેરિકા તેની સાથે આવી હતી. પમી એ કહ્યું, ‘હું મહમદ તઘલખ નથી, જેણે દિલ્હીથી દૌલતાબાદ અને દૌલતાબાદથી દિલ્હી રાજધાની કરી હતી.’

અવનિશે અટ્ટાહાસ્ય કર્યું હતું, ’અરે, તને અને બાળકોને દુનિયા ફરવાનો લહાવો મળશે.’ મોહમયી મુંબઈનો મોહ ત્યજી અવનિશની અભિસારિકા અમેરિકા આવી વસી, મુખમાંથી હરફ ઉચ્ચાર્યા વગર.

આજે આ સંવાદ યાદ આવ્યો ત્યારે સારા બદનમાં એક લખલખું ફરી વળ્યું. અવનિશની હયાતી ન હતી. જાણે અવનિશ તેને નજર સમક્ષ નિહાળી રહ્યો હોય તેવી ભાવના થઈ. મ્હોં પર શરમના શેરડા ફરી વળ્યા. આજે મનોમન નક્કી કરી, બાળકો સમક્ષ પ્રસ્તાવ મૂકવાનો હતો. પ્રત્યાઘાતો કેવા આવશે કાંઈ ખબર નહતી. કર્ણની વાત વારંવાર યાદ આવતી હતી.

ગૌતમ બુદ્ધ પત્ની તથા દીકરાને પલભરમાં ત્યજી નિકળી ગયા હતાં. રાજા જનક વિદેહી કહેવાય છે. રાજપાટ તેમનું હતું. છતાં આસક્તિ ન હતી. પમી આ બધા દૃષ્ટાંતોથી પરિચિત હતી. બસ તેને હવે કશી રોકટોક ન હતી. કામોની ઝંઝાળમાંથી ધીરે ધીરે નિવૃત્તિ લઈને ખુદની ઓળખ કરવી હતી. સાપ કાંચળી ઉતાર્યા પછી તેના તરફ એક નજર પણ નાખતો નથી. પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે.

જીવનનાં બંધનો, માનો તો બંધન છે વરના કશી મહત્ત્વતા ધરાવતાં નથી. હા અમુક પ્રવૃત્તિ જીવનને નિયમિતતા આપે છે પણ તે સિવાયનો રાહ વધુ સરળ છે. નિઃસ્વાથ વૃત્તિથી કરેલાં કર્મો પણ ઘણી વખત નિરાશા આપે તો પછી શા માટે એ કર્મના બંધનમાંથી મુક્તિ ન મેળવવી ? જો કોઈ પણ ઘટમાળ સંતોષ યા આનંદ પ્રદાન ન કરે તો બહેતર છે તેમાંથી મુક્તિ મેળવવી. પાછું વળીને જોવાનું ભૂલી જાવ. ગાજરની પિપૂડી વાગે ત્યાં સુધી વગાડી પછી ચાવી જવી. કોઈ પણ પ્રવૃત્તિ જીવનને રુંધે, વિકાસને બદલે અવરોધે તો પછી કાંચળીની તરહ ત્યજી પ્રસ્થાન કરવું હિતાવહ છે.

તું ભાવે ભજી લે ભગવાન જીવન થોડું રહ્યું.
કદી કરશો ના ખોટું ગુમાન જીવન થોડું રહ્યું

આ દુનિયાનો મોહ જુઠ્ઠો છે. એ જ દુનિયામાં જીવવાનું છે. માણસની અસલિયત પરખાય ત્યારે કદી નારાજ ન થવું. એ તો એમ જ થાય, કહી મન વાળવું. સ્વાર્થ વગરના કર્મના ફળ મીઠાં જ આવશે તેને કોઈ ખાતરી નથી. તેથી તો ‘ગીતા’ વારંવાર કહે છે, કર્મ કરવામાં તારો અધિકાર છે. ફળ પર નહીં. કર્મ ફળ આપ્યા વગર રહેતું નથી પણ કેવું ફળ પામશો તેનો કોઈ ભરોસો નથી. ‘ગીતા’માં ગુરુ ભાળી તેની આજ્ઞા શિરોમાન્ય. નિત્ય અવનવા અનુભવમાંથી પસાર થવું તેનું નામ જીવન. મીઠા યા કડવા અનુભવોને સમતા ભરી દૃષ્ટિથી જોઈ પસાર થવા દેવા.

સાપ કાંચળી ઉતાર્યા પછી કદી પાછું વળી જોતો નથી. કૃષ્ણએ ગોકુળ છોડી મથુરા જવા પ્રયાણ કર્યું. જશોદા માવડી, નંદબાબા, રાધા, મિત્રવૃંદ સઘળાં પળ ભરમાં ત્યજ્યાં. જીવનમાં આવા પ્રસંગો બને છે, બનતા રહેશે. બસ મુસાફરી ચાલુ રાખવી. કશું જ અટકતું નથી. અવનિશના ગયા પછી જિંદગી ચાલે છે. એ તો જ્યારે સંદેશો આવશે ત્યારે પળભર પણ થોભશે નહીં.

કવચ, કનકકુંડળ, કાંચળી એ આના પ્રત્યક્ષ ઉદાહરણ છે. કર્ણ કે એકલવ્ય ક્ષણભર પણ વિચાર કરવા માટે રોકાયા ન હતા.  હવે પછી શું ? એ વિચાર યોગ્ય નથી. ————

http://pravinash.wordpress.com/2013/06/06/કાંચળી-કનકકુંડળ-કવચ/

Loading

7 June 2013 admin
← અદેખો ચકલો
ગુજરાતમાં નાથાલાલ ઝગડાથી લઈ દિલ્હીમાં અડવાણીને મોદીએ દૂર કર્યા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved