Opinion Magazine
Number of visits: 9454881
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૮૪૫ સુધી અમદાવાદમાં એકે છાપખાનું નહોતું !

દીપક મહેતા|Opinion - Opinion|2 September 2014

પાઠયપુસ્તકોની બાબતમાં જરી ઠરીઠામ થયા પછી સોસાયટીએ મુંબઈ બહાર મરાઠીભાષી અને ગુજરાતીભાષી વિસ્તારો તરફ ધ્યાન આપ્યું. આ બંને વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરતાં પહેલાં સરકારી ખર્ચે માસ્તર તરીકેની તાલીમ ચૂંટેલા પુરુષોને આપવામાં આવી. તે પછી ૧૮૨૬ની ૧૯મી મેએ લેવાયેલી પરીક્ષામાં ૧૪ મરાઠી ઉમેદવારો પાસ થયા તેમને મરાઠીભાષી વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરવા મોકલ્યા. એ જ વર્ષના ઓગસ્ટની ૧૪મીએ લેવાયેલી પરીક્ષામાં દસ ગુજરાતી ઉમેદવારો પાસ થયા. તેમાંથી સોસાયટીએ દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર સોમનાથ અને હરિરામ દયાશંકરને સુરત મોકલ્યા. તુળજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ અને ગૌરીશંકર કૃપાશંકરને અમદાવાદ મોકલ્યા. મુંકુંદરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ મોકલ્યા, તથા મયાશંકર જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલ્યા. દરેક શિક્ષકનો માસિક પગાર વીસ રૂપિયા હતો. આ દસ માસ્તરોએ શરૂ કરેલી નિશાળો તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતની પહેલી સ્કૂલો. આ સ્કૂલોમાં મુંબઈની સોસાયટીએ તૈયાર કરેલાં પાઠયપુસ્તકો જ ભણાવાતાં. જેને ગેરસમજણપૂર્વક પહેલાં ગુજરાતી પાઠયપુસ્તકો તરીકે ઓળખાવવામાં આવે છે તે હોપ વાચનમાળાનાં પુસ્તકો તો છેક ૧૮૫૯માં પહેલીવાર પ્રગટ થયેલાં.

ગુજરાતી પાઠયપુસ્તકોની બાબતમાં ગુજરાતની નિશાળો ત્રીસેક વર્ષ સુધી મુંબઈ પર આધાર રાખે તે તો સમજી શકાય, કારણ ઈલાકાનું તે પાટનગર હતું. પણ સુરત મિશન પ્રેસ અને દમણમાં ફરદુનજીએ શરૂ કરેલા પ્રેસને બાદ કરતાં છેક ૧૮૪૫ સુધી ગુજરાતી મુદ્રણ માટે પણ મુંબઈ પર જ બધો મદાર રહ્યો હતો. ખુદ અમદાવાદમાં પહેલું છાપખાનું છેક ૧૮૪૫માં શરૂ થયું હતું. બાજીભાઈ અમીચંદનું આ છાપખાનું શિલાછાપ પદ્ધતિનું હતું. પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીનું છાપખાનું તે જ વર્ષે કે ૧૮૪૬માં શરૂ થયું. ૧૮૪૯માં ગુજરાતનું પહેલું અખબાર ‘વરતમાન’ શરૂ થયું.

તે આરંભમાં બાજીભાઈ અમીચંદના છાપખાનામાં જ છપાતું, અને ૧૮૫૦માં શરૂ થયેલું ‘બુદ્ધિપ્રકાશ’ માસિક પણ ત્યાં જ છપાતું. આજે આપણને નવાઈ લાગે પણ ૧૮૬૩ સુધી અમદાવાદમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નહોતું. ૧૮૬૩માં દલપતરામ મુંબઈ ગયા ત્યારે તેમણે દફતર આશકારા પ્રેસની મુલાકાત લીધી. તેના માલિક બહેરામજી ફરદુનજીએ ટકોર કરી કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એક પણ પ્રેસ નથી તે શરમજનક કહેવાય. આ ટકોરથી ઘવાયેલા દલપતરામે બીજા ત્રણ ભાગીદારો સાથે મળીને ૧૮૬૩માં યુનાઇટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી કંપની લિમિટેડ નામનું મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું.

દલપતરામને જેમની મોટી ઓથ હતી તે એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની ૧૮૫૦માં સુરત બદલી થઈ. તેમની પ્રેરણાથી ૧૮૫૦ના ઑકટોબરની દસમીથી સુરત સમાચાર નામનું અખબાર શરૂ થયું. બેજનજી પાલનજી તથા દુર્ગારામ મંછારામ આ અખબાર સંભાળતા. ૧૮૫૭માં ખેડાથી ખેડાનીતિપ્રકાશ અને ભરૂચથી વરતમાંન નામનાં અખબાર શરૂ થયાં. સૌરાષ્ટ્રનાં શહેરોમાં તો અમદાવાદ કરતાં ય છાપખાનાં મોડાં શરૂ થયાં. ૧૮૬૩માં રાજકોટ ગેઝેટ પ્રેસ અને ૧૮૬૫માં ભાવનગર દરબારી પ્રેસ શરૂ થયા. તે સૌરાષ્ટ્રનાં પહેલાં બે છાપખાનાં. આમ થવાનું કારણ એ કે સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર એ વખતે દેશી રાજાઓની હકૂમત હેઠળ હતો. અને આમાંના ઘણા ખરા રાજાઓ છાપખાનાં, સામયિકો, અખબારો, તરફ શંકાની નજરે જોતા. રૈયતની ઉશ્કેરણી કરવા માટે આ સાધનોનો ઉપયોગ થાય એ બીકે તેઓ તેમને પ્રોત્સાહન નહોતા આપતા. કાઠિયાવાડ એજન્સીએ સીધી કે આડકતરી રીતે દબાણ કર્યા પછી જ આ રાજાઓએ આ ત્રણે સાધનો શરૂ કર્યાં, પણ સાથોસાથ તેમના પર રાજયનો અંકુશ રહે એવી વ્યવસ્થા પણ કરી.

(વધુ હવે પછી)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2014

Loading

2 September 2014 admin
← સાંપ્રત પરિસ્થિતિમાં આપણું દાયિત્વ
Invest in India →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved