Opinion Magazine
Number of visits: 9724076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિશાળો તો ચાલે છે, બાળકો ચાલતાં નથી

અનિલ જોશી|Opinion - Opinion|20 November 2021

આપણા ગુજરાતના એક પાઠયપુસ્તકમાં હરિહર ભટ્ટની એક બહુ જાણીતી કવિતા ભણવામાં આવતી હતી – “એક જ દે ચિનગારી". કવિતા બહુ સારી છે, પણ નવી પેઢીનાં વિદ્યાર્થીઓ આ કવિતાનું પોતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં કહે છે : કવિ લખે છે કે "ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી”. સાહેબ, ચાંદો નથી સળગ્યો. ચાંદો જો સળગતો હોત તો નીલ આર્મસ્ટ્રોંગ સલામત પાછા કેમ આવ્યા ? બીજું સાહેબ, આ કવિતામાં કવિ ફરિયાદ કરે છે કે "ના સળગી એક સગડી મારી. વાત વિપતની ભારી”. સર, સગડી એટલે શું ? અમે "સગડી" જોઈ જ નથી. કવિ પાસે માચીસ નથી?

પાઠ્યપુસ્તકની કવિતા સામે નવી પેઢીનો આવો પ્રતિભાવ છે. આપણા કરતાં નવી પેઢીનાં વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે, એ સત્ય વડીલો સ્વીકારવા તૈયાર થતા નથી, એ હકીકત છે. દવાઓની જેમ કેટલીક કવિતાઓને પણ એક્સપાયરી ડેટ આવતી હોય છે. મારે અહીં વિખ્યાત સર્જક ગુલઝારની વાત કરવી છે. ગુલઝારે એની દીકરી માટે પોતે જ એક પાઠ્યપુસ્તક તૈયાર કર્યું હતું. "કિતાબ" નામે એક ફિલ્મ પણ બનાવી હતી એ બહુ જાણીતી વાત છે. હમણાં હું મરાઠીભાષાનું દસમાં ધોરણનું પાઠ્યપુસ્તક વાંચતો હતો, એમાં ગુલઝારે "ફેમિલી ટ્રી" શીર્ષક નીચે સુંદર પાઠ લખ્યો છે. મને આશ્ચર્ય એ વાતનું થયું કે મરાઠીઓ પોતાની ભાષા વિષે ખૂબ જ સંવેદનશીલ છે છતાં ગુલઝાર જેવા બીજી ભાષાના સર્જકને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપે છે એ મરાઠીઓનું ખુલ્લાપણું દર્શાવે છે. હવે ગુલઝારનાં જ શબ્દોમાં તમે આ "ફેમિલી ટ્રી" પાઠના કેટલાક અંશો એન્જોય કરો ……

"મારા બગીચામાં મેં એક વૃક્ષ વાવ્યું હતું. આ વૃક્ષ મને રાખીએ આપ્યું હતું. એ વૃક્ષની મેં ખૂબ માવજત કરી. રોજ પાણી પાઉં. ખાતર નાખું. પણ વૃક્ષ મોટું થતું જ નહોતું. મને થતું આ વાવેલું વૃક્ષ કેમ ઊગતું નથી ? મારી આ મૂંઝવણ જોઇને રાખી બોલી, "વૃક્ષ એમ મોટું નહિ થાય. વૃક્ષ સાથે બોલવું જોઈએ. વાતો કરવી જોઈએ. અમારે બંગાળમાં વૃક્ષો સાથે વાત કરવાની પરંપરા છે. વૃક્ષ એક નાના બાળક જેવું હોય છે. કોઈ એની સાથે વાત જ નહિ કરે તો કેવી રીતે ઊગશે ?" પછી તો હું વૃક્ષ સાથે વાતો કરવા લાગ્યો. દિવસો પસાર થવા લાગ્યા. વાવેલા વૃક્ષ સાથે મારી ગુફ્તગુ ચાલુ રહી. પછી મારા આશ્ચર્ય વચ્ચે વૃક્ષ વધવા લાગ્યું. મોટું થઇ ગયું .. આજે તે વિશાળ વૃક્ષ બની ગયું છે. રાખી ક્યારેક ક્યારેક આવે છે ત્યારે તે વૃક્ષ સાથે બહુ વાતો કરે છે. વૃક્ષ પાસે બેસે છે. આ વૃક્ષ મને ખૂબ પ્રિય છે કારણ કે તે રાખીએ આપેલું છે."

"મારા બગીચામાં એક ચંપાનું વૃક્ષ છે. ચંપાનું વૃક્ષ મોટું થયું ત્યારે એની કોઇ પણ ડાળીએથી પાન તોડતો ત્યારે એમાંથી દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળતું એટલે હું ચંપાના વૃક્ષને "બડી મા" (મોટી બા) કહેતો. એ વૃક્ષનું નામ જ બડીમા પડી ગયું છે. ચંપાનાં વૃક્ષની મજા એ છે કે એને ફૂલો આવે કે પાન ગાયબ થઇ જાય અને જેવા પાન આવે કે ફૂલો ગાયબ થઇ જાય. પાન અને ફૂલની સંતાકૂકડી જોવાની મને ખૂબ મજા આવતી જાણે કે મોટી બાના ખભા ઉપર પાન અને ફૂલો કૂદાકૂદ કરતાં હોય …"

આ શબ્દો ગુલઝારના છે. અહીં તમે જુઓ કે વિદ્યાર્થીઓ આ પાઠ દસમાં ધોરણમાં ભણે છે.ખૂબ રસપૂર્વક વાંચે છે. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને વૃક્ષપ્રેમ આપોઆપ જન્મે છે. આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકો તદ્દન નિરસ લાગવાનું કારણ એ છે કે તે બંધિયાર થઇ ગયા છે. બીજી ભાષાની કોઈ ઉત્તમ કૃતિ હોય તો એને ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન શા માટે નહિ ? હું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જકોની તૌહીન નથી કરતો. સહુ આદરણીય છે પણ આ ઈશ્યુ ઓપનનેસ(ખુલ્લાપણું)નો છે.

દસમાં ધોરણના આ પુસ્તકમાં જનાબાઈ કચરું ગિન્હેંએ લખેલો એક પાઠ છે. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે જનાબાઈ કોઈ સાહિત્યકાર નથી. કવિ નથી. મરાઠી સાહિત્યમાં એનું કોઈ સ્થાન નથી છતાં જનાબાઈએ એક સુંદર પિસ લખ્યો કે તરત એને દસમાં ધોરણની ટેકસબુકમાં સ્થાન મળી ગયું. પાઠનું શીર્ષક છે : "હિક્ડ આડ તિકડે વિહીર" (એક બાજુ કૂવો અને બીજી બાજુ દરિયો) જનાબાઈને બી.એડ. થઈને શિક્ષિકા બનવું હતું .ભણવાની લગન હતી પણ એનો બાપ કચરો વીણનાર ગરીબ હતો. છતાં જનાબાઈ કેવી રીતે ભણી એનું હૃદયસ્પર્શી બયાન છે. જનાબાઈ લખે છે : "નિશાળમાં પી.ટી.નો પિરિયડ આવતો. શાજનાબાઈના છે .. જુરીરિક શિક્ષણના આ પિરિયડ માટે મને પેન્ટ અને શર્ટના યુનિફોર્મની જરૂર હતી. આખા યુનિફોર્મ અને બૂટ-મોજાં માટે 86 રૂપિયા ભરવાના હતા. મારા બાપ પાસે 86 પૈસા પણ નહોતા એ 86 રૂપિયા ક્યાંથી કાઢે ? પી.ટી. ટીચરે મને યુનિફોર્મ નહોતો એટલે બહાર કાઢી મૂકી. હું હોસ્ટેલના રૂમમાં રડતી બેસી રહી. પણ મારી ભણવાની જિદ ઉપર હું મક્કમ હતી.” આ શબ્દો બાળકોને પ્રેરે છે.

દોષનો બધો જ ટોપલો શિક્ષકો ઉપર ઢોળી દેવો એ બરાબર નથી. શિક્ષક દિન દરરોજ હોય છે. બાકી નિશાળો તો ચાલે છે, બાળકો ચાલતાં નથી.

સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર, 20 નવેમ્બર 2021

Loading

20 November 2021 admin
← ભાષાન્તરની ઊંધી જાજમ
घर वापस जाइए ! →

Search by

Opinion

  • ગઝલ
  • રાજાધિરાજ : સંગીત-નૃત્ય-નાટક
  • મિનાબ, મેવન અને યુદ્ધનું બદલાતું ગણિતઃ ઝડપના મોહમાં AI પર જવાબદારી ઢોળવી કેટલી યોગ્ય?
  • ચલ મન મુંબઈ નગરી—332
  • રાગિણી (વીમૅન્સ ડે)

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved